AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના

કોરોના

કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. થોડા જ મહિનામાં આ વાયરસ ભારત સહિત વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો.

COVID-19 ની પણ વિશ્વ પર વિનાશક અસર પડી છે. જેના પરિણામે સમગ્ર વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. તાજેતરના સંશોધનમાં નોંધપાત્ર પ્રગતિને કારણે SARS-CoV-2ની વધુ સારી સમજણ થઈ હોવા છતાં, ભારત સહિત ઘણા દેશોમાં આ ચેપી વાયરલ રોગનો પ્રકોપ હજુ પણ યથાવત છે. મુખ્યત્વે વાયરસની બદલાતી પ્રકૃતિને આ પ્રકોપ માટે જવાબદાર ગણવામાં આવે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આ વાયરસના ઘણા પ્રકારો અને પેટા પ્રકારો સામે આવ્યા છે.

તાજેતરમાં એક કોરોનાનું નવું સબ વેરિઅન્ટ JN.1 સામે આવ્યું છે. આ વેરિઅન્ટ ભારતમાં જોવા મળ્યું છે. આનાથી સંક્રમિત પ્રથમ દર્દી પણ કેરળમાં મળી આવ્યો છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ જેએન.1ના કેસમાં વધારો જોવા મળ્યો છે.

કોરોના વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંકને કારણે શ્વસનના કણો સાથે સીધા સંપર્ક દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. આ વાયરસથી સંક્રમિત સપાટીને જો સ્પર્શ કરવામાં આવે તો પણ રોગચાળો ફેલાય છે. તેનો વાયરસ સપાટી પર ઘણા લાંબા સમય સુધી જીવંત રહે છે. જેને દૂર કરવું એટલું સરળ નથી.

Read More

શું કોરોના જેવી બીજી મહામારી દસ્તક દઈ રહી છે? જાણો શું છે આ ‘હંતાવાયરસ’, જેના કારણે ક્રૂઝ શિપ પર મચી ગઈ અફરાતફરી

ડચ ક્રૂઝ શિપ MV Hondius પર હંતાવાયરસના આઉટબ્રેકને કારણે 3 લોકોના મોત થયા છે. ઉંદરો દ્વારા ફેલાતો આ વાયરસ શું કોરોના જેટલો જ ખતરનાક છે? ભારતમાં તેની શું અસર થઈ શકે છે? વાંચો આ વાયરસના લક્ષણો અને સાવચેતી અંગેની સંપૂર્ણ વિગતો.

Breaking News : 23 દેશમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ, શું છે સિકાડા વાયરસ? ભારત પર તેની શું અસર પડશે? જાણો

વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ધમાલ મચી ગઈ હતી. અંદાજે 2 વર્ષ સુધી ભારત સહિત દરેક દેશમાં કોરોનાની અસર જોવા મળી હતી. હાલમાં કોરોનાનો નવો વેરિયન્ટ Cicada BA.3.2 સામે આવ્યો છે. જેને લોકોને ચિંતામાં નાંખી દીધા છે.

Breaking news: અમેરિકા સહિત આ દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ ફરી વધી રહ્યા છે, જાણો ભારતનું નામ છે લિસ્ટમાં?

જોકે કોરોનાવાયરસના કેસ હવે ઓછા છે, પરંતુ વાયરસ હજુ પણ ખતમ થવાનો નથી. યુનાઇટેડ સ્ટેટ્સમાં COVID-19 વાયરસના SARS-CoV-2 BA.3.2 પ્રકારના ઘણા કેસ નોંધાયા છે. આ વાયરસનો ભય વધારી રહ્યું છે.

Breaking News : Covid વેક્સીનેશન મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, અસરગ્રસ્તનો પરિવાર માટે ‘નો-ફોલ્ટ’ વળતર નીતિ ઘડવાનો આપ્યો નિર્દેશ

આ કેસમાં માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો જેમણે 2021 માં કોવિશિલ્ડ રસી લીધા પછી તેમની પુત્રીઓના મૃત્યુ માટે વળતરની માંગ કરી હતી. પણ પછી અરજીમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે રસીકરણ પછી બંનેને દીકરી ને ગંભીર આડઅસર થઈ હતી.

કરોડોનો બિઝનેસ,14 કરોડ ગુમાવ્યા છતાં હાર ન માની, આજે ચલાવી રહ્યો છે રેપિડો બાઈક

એક સાધારણ રેપિડો રાઈડ દરમિયાન એક સ્ટોરી સોશિયલ મીડિયાના લોકોને ભાવુક કરી રહી છે. આ સ્ટોરી જણાવે છે કે, મહામારીએ અનેક જિંદગીઓને હંમેશા બદલી નાંખી છે.

નવા કોવિડ વેરિયન્ટ ‘સ્ટ્રેટસ’નો પગપેસારો ! 19 રાજ્યોમાં વધ્યા કેસ, આ લક્ષણો દેખાય તો ચેતી જજો

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, 19 રાજ્યોમાં ગંદા પાણીમાં XFG કોવિડ-19 વેરિયન્ટનું સ્તર વધુ જોવા મળી રહ્યું છે.

કોવિડ વેક્સીનના કારણે નથી થઇ રહ્યા હાર્ટ એટેક, ICMR અને AIIMS ના રિપોર્ટમાં મોટો ખુલાસો

કોરોના મહામારી પછી, હાર્ટ એટેકના કેસ ઝડપથી વધ્યા છે. આ સાથે, લોકોના અચાનક મૃત્યુએ લોકોને ડરાવી દીધા હતા. ઘણા લોકોએ આ માટે કોવિડ રસીને જવાબદાર ઠેરવી હતી. પરંતુ, ICMR અને AIIMS ના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

Covid-19 India Cases: ભારતમાં કોરોનાના સક્રિય કેસ 7,000 ને વટાવી ગયા! 24 કલાકમાં કોવિડ-19 થી 6 દર્દીઓના મોત

Covid-19 cases in India: 12 જૂન સુધીમાં, ભારતમાં સક્રિય કોવિડ-19 દર્દીઓની સંખ્યા 7,000 ને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 300 થી વધુ નવા કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં છ મૃત્યુ નોંધાયા છે. રાહતની વાત એ છે કે આ વર્ષે અત્યાર સુધીમાં 8,000 થી વધુ લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે.

Breaking News: ભારતમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ, કેરળમાં 2000થી વધુ અને ગુજરાતમાં 1000થી વધુ કેસ

Coronavirus Cases Rise in India: કોવિડ-19નું સંકટ ફરી એકવાર સમગ્ર દેશ પર મંડરાઈ રહ્યું છે. રાજધાનીમાં કેસ વધ્યા છે. 10 જૂને દિલ્હીમાં એક્ટિવ કેસોની સંખ્યા 700ને વટાવી ગઈ. આ સાથે દિલ્હીમાં કોવિડથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. જોકે, આ લોકોને કોવિડ સિવાય અન્ય રોગો પણ હતા.

Breaking News : રાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત, ગુજરાતમાં એક સપ્તાહમાં કોરોનાના કેસ ત્રણ ગણા થયા

ગુજરાતમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજરોટમાં પણ કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. એટલુ જ નહીં રાજકોટમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયાનું પણ સામે આવ્યુ છે. રાજકોટમાં કોરોનાના કારણે આ પ્રથમ મોત થયુ છે.

Breaking News : રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો ! 105 એક્ટિવ કેસ નોંધાયા, 51 સારવાર હેઠળ, જુઓ Video

ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોરોનાના 105 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 51 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જો કે 54 દર્દીઓ સાજા થઈ ગયા છે.

Breaking News: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો, એક્ટિવ કેસ 6000 પાર, 24 કલાકમાં સંક્રમણ વધ્યું

Covid-19 Cases in India: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં સક્રિય COVID-19 દર્દીઓની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. અગાઉ રવિવારે, છેલ્લા 24 કલાકમાં છ ચેપગ્રસ્ત લોકોના મોત થયા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો હતા. ઘરે સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હતા.

Breaking News : અમદાવાદમાં કોરોનાથી 16 વર્ષની કિશોરીનું મોત, રેમડેસીવીર અને ટોસીલીઝુમેબ આપ્યા બાદ પણ ન બચ્યો જીવ

ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાથી 16 વર્ષની કિશોરીનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. કિશોરી 4 જૂનથી સોલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

Breaking News : ગુજરાતમાં આજે કોરોનાના નવા નોંધાયા 170 કેસ

આજે નવા સામે આવેલા કોરોનાના 170 કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વઘીને 717 થવા પામી છે. જેમાંથી આજે 68 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે 694 કેસના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે. 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

20 દિવસમાં કોરોનાના કેસ 93 થી વધીને 5364 થયા: 24 કલાકમાં 500 નવા કેસ; ઓડિશાની શાળાઓમાં માસ્ક ફરજિયાત

દેશભરમાં કોરોના ચેપના 464 સક્રિય કેસ વધતાં, શુક્રવારે સવારે કુલ સક્રિય કેસોની સંખ્યા 5364 પર પહોંચી ગઈ. છેલ્લા 24 કલાકમાં આ ચેપને કારણે વધુ ચાર દર્દીઓના મૃત્યુ સાથે, મૃત્યુઆંક 55 પર પહોંચી ગયો છે.

અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
g clip-path="url(#clip0_868_265)">