AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોવિડ વેક્સીનના કારણે નથી થઇ રહ્યા હાર્ટ એટેક, ICMR અને AIIMS ના રિપોર્ટમાં મોટો ખુલાસો

કોરોના મહામારી પછી, હાર્ટ એટેકના કેસ ઝડપથી વધ્યા છે. આ સાથે, લોકોના અચાનક મૃત્યુએ લોકોને ડરાવી દીધા હતા. ઘણા લોકોએ આ માટે કોવિડ રસીને જવાબદાર ઠેરવી હતી. પરંતુ, ICMR અને AIIMS ના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

કોવિડ વેક્સીનના કારણે નથી થઇ રહ્યા હાર્ટ એટેક, ICMR અને AIIMS ના રિપોર્ટમાં મોટો ખુલાસો
| Updated on: Jul 02, 2025 | 2:44 PM
Share

કોરોનાકાળમાં અનેક લોકોના પ્રિયજનો તેમનાથી દૂર થયા છે. એટલુ જ નહીં કોરોના વેક્સીન લીધા પછી તો હાર્ટ એટેકના કેસોમાં પણ વધારો જોવા મળ્યો હતો. જેના કારણે દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા થઈ રહી હતી કે કોવિડ-19 રસી લીધા પછી ઘણા યુવાનો અચાનક મૃત્યુ પામી રહ્યા છે. આ અંગે અનેક પ્રકારની અફવાઓ અને ભય ફેલાઈ રહ્યા હતા. જો કે આ મામલે મોટો ખુલાસો થયો છે.

કોરોના પછી હાર્ટ એટેકના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. કેટલાકને ચાલતી વખતે હાર્ટ એટેક આવી રહ્યા છે અને કેટલાકને બેઠા બેઠા. આ સતત વધી રહેલા કેસ અંગે, એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ કોવિડ રસીને કારણે થઈ રહ્યું છે.પરંતુ હવે દેશની બે સૌથી મોટી તબીબી સંસ્થાઓ ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) અને AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) એ આ મુદ્દા પર એક મોટી અને ઊંડી તપાસ કરી છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોવિડ રસી અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

ICMR એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આમાં 18 થી 45 વર્ષની વયના લોકોના નમૂના લેવામાં આવ્યા છે. તેમનું 1 ઓક્ટોબર, 2021 થી 31 માર્ચ, 2023 ની વચ્ચે અચાનક મૃત્યુ થયું હતું.

અચાનક મૃત્યુ અને રસી વચ્ચે કોઈ સંબંધ નથી

ICMR અને Aiims નો રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ટીવી અભિનેત્રી શેફાલી જરીવાલાના મૃત્યુનો મામલો ચર્ચામાં છે. તેના અચાનક મૃત્યુને કારણે અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. કોવિડ રસીને મૃત્યુનું કારણ માનવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત, કર્ણાટકના હાસન જિલ્લામાં થઈ રહેલા મૃત્યુથી દરેક ડરી ગયા હતા. અહીં છેલ્લા 40 દિવસમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો યુવાન અથવા મધ્યમ વયના હતા.

આ અહેવાલ અંગે, આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં ઘણી એજન્સીઓ દ્વારા અચાનક મૃત્યુના કેસોની તપાસ કરવામાં આવી છે, જે સાબિત કરે છે કે કોવિડ-19 રસીકરણના સમાચાર અને દેશમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

તો પછી મૃત્યુ શા માટે થઈ રહ્યા છે?

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુવાનોમાં તાજેતરના મૃત્યુ વિવિધ પરિબળોનું પરિણામ હોઈ શકે છે, જેમાં આનુવંશિકતા, જીવનશૈલી, પહેલાથી અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓ અને કોવિડ પછીની ગૂંચવણો શામેલ છે.

કોવિડ રસી અચાનક મૃત્યુનું કારણ નથી: આરોગ્ય મંત્રી

આ અહેવાલ પહેલાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ પણ કહ્યું હતું કે અચાનક મૃત્યુનું કારણ કોવિડ રસી નથી. તે દરમિયાન નડ્ડાએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના એક અહેવાલને ટાંકીને કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે રસીકરણથી જોખમ વધ્યું નથી પરંતુ તેને ઘટાડ્યું છે.

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">