AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 95 સાથે કુલ 397 કેસ નોંધાયા

કોરાનાથી એક દર્દીનું મોત થયુ હોવા અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મૃત્યુ થવાના બીજા પણ કારણો હોઈ શકે છે. કોઈને નાનાં મોટાં પ્રકારની સાથે બીમારીઓ હોય અને સમયસર સારવાર ના લેતા મૃત્યુ થયું હોઇ શકે છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 95 સાથે કુલ 397 કેસ નોંધાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2025 | 9:23 PM
Share

ગુજરાતમાં કોરાનાના નવા નોંધાયેલા 95 કેસની સાથે કુલ 397 કેસ નોંધાયા છે. જેમાંથી 22 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 375 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર અપાઈ રહી છે. આજે હોસ્પિટલમાંથી 36 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

અમદાવાદમાં એલ જી હોસ્પિટલમાં એક યુવતી કોરોનાથી મૃત્યુ પામી હોવાની વાત વહેતી થઈ હતી. જો કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ અખબારી યાદીમાં આજે સોમવારના રોજ સમગ્ર ગુજરાતમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું ના હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

કચ્છના ભુજમાં 7 વર્ષના બાળકને કોરોના થયો છે. કચ્છમાં સતત વધી રહ્યા છે કોરોનાના પોઝીટીવ કેસ. ગઇકાલે 2 કેસ આવ્યા હતા પોઝીટીવ, કચ્છમાં કોરોનાના પોઝીટીવ કેસ 9 થયા છે.

રાજકોટ શહેરમાંથી કોરોનાની સામે આવેલ વિગતો અનુસાર, રાજકોટમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે. 3 પુરૂષ અને 4 મહિલાના કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. રામકૃષ્ણનગર, સાઘુ વાસવાણી રોડ, હનુમાન મઢી, અયોધ્યા ચોક, ચંદ્રેશનગર સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા છે. હાલમાં પોઝિટિવ કેસનો આંક 44 પર પહોંચ્યો છે. કુલ 38 દર્દીઓ સારવાર હેઠળ,6 દર્દીઓ થયાં કોરોનામુક્ત. મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેટ હોવાથી તંત્રને થોડી રાહત છે.

ભારતમાં કોવિડ-19ના કેસ ફરી વધી રહ્યા છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં 203 નવા કેસ અને 4 મૃત્યુ નોંધાયા છે. ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ જેમ કે LF.7, XFG, JN.1 અને NB.1.8.1 ને કારણે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે હોસ્પિટલોને તૈયાર રહેવાની સલાહ આપી છે, જોકે મોટાભાગના કોરોનાના કેસ ચિંતાજનક નથી.

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ મુદ્દે, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી. હાલનો કોરોના એ ઓમીક્રોન વેરીએન્ટ નું સબ વેરીએન્ટ છે. જેને માલુમ પડે તે જાતે કોરેન્ટાઇન થઈ  સારવાર લઈ સાજા થઈ શકે છે.

વર્ષે બે વર્ષે આવો એકાદ મહિનો આવતો હોય છે. આ હવે એક સબ વેરિયન્ટ ન્યુમોનિયા માફક થઈ ગયો છે અને તે જીવનનો એક હિસ્સો થયો છે. કોરાનાથી એક દર્દીનું મોત થયુ હોવા અંગે આરોગ્ય પ્રપધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મૃત્યુ થવાના બીજા પણ કારણો હોઈ શકે છે. કોઈને નાનાં મોટાં પ્રકારની સાથે બીમારીઓ હોય અને સમયસર સારવાર ના લેતા મૃત્યુ થયું હોઇ શકે છે.

કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. કોરોનાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">