AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 95 સાથે કુલ 397 કેસ નોંધાયા

કોરાનાથી એક દર્દીનું મોત થયુ હોવા અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મૃત્યુ થવાના બીજા પણ કારણો હોઈ શકે છે. કોઈને નાનાં મોટાં પ્રકારની સાથે બીમારીઓ હોય અને સમયસર સારવાર ના લેતા મૃત્યુ થયું હોઇ શકે છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 95 સાથે કુલ 397 કેસ નોંધાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2025 | 9:23 PM

ગુજરાતમાં કોરાનાના નવા નોંધાયેલા 95 કેસની સાથે કુલ 397 કેસ નોંધાયા છે. જેમાંથી 22 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 375 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર અપાઈ રહી છે. આજે હોસ્પિટલમાંથી 36 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

અમદાવાદમાં એલ જી હોસ્પિટલમાં એક યુવતી કોરોનાથી મૃત્યુ પામી હોવાની વાત વહેતી થઈ હતી. જો કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ અખબારી યાદીમાં આજે સોમવારના રોજ સમગ્ર ગુજરાતમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું ના હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

કચ્છના ભુજમાં 7 વર્ષના બાળકને કોરોના થયો છે. કચ્છમાં સતત વધી રહ્યા છે કોરોનાના પોઝીટીવ કેસ. ગઇકાલે 2 કેસ આવ્યા હતા પોઝીટીવ, કચ્છમાં કોરોનાના પોઝીટીવ કેસ 9 થયા છે.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

રાજકોટ શહેરમાંથી કોરોનાની સામે આવેલ વિગતો અનુસાર, રાજકોટમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે. 3 પુરૂષ અને 4 મહિલાના કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. રામકૃષ્ણનગર, સાઘુ વાસવાણી રોડ, હનુમાન મઢી, અયોધ્યા ચોક, ચંદ્રેશનગર સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા છે. હાલમાં પોઝિટિવ કેસનો આંક 44 પર પહોંચ્યો છે. કુલ 38 દર્દીઓ સારવાર હેઠળ,6 દર્દીઓ થયાં કોરોનામુક્ત. મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેટ હોવાથી તંત્રને થોડી રાહત છે.

ભારતમાં કોવિડ-19ના કેસ ફરી વધી રહ્યા છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં 203 નવા કેસ અને 4 મૃત્યુ નોંધાયા છે. ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ જેમ કે LF.7, XFG, JN.1 અને NB.1.8.1 ને કારણે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે હોસ્પિટલોને તૈયાર રહેવાની સલાહ આપી છે, જોકે મોટાભાગના કોરોનાના કેસ ચિંતાજનક નથી.

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ મુદ્દે, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી. હાલનો કોરોના એ ઓમીક્રોન વેરીએન્ટ નું સબ વેરીએન્ટ છે. જેને માલુમ પડે તે જાતે કોરેન્ટાઇન થઈ  સારવાર લઈ સાજા થઈ શકે છે.

વર્ષે બે વર્ષે આવો એકાદ મહિનો આવતો હોય છે. આ હવે એક સબ વેરિયન્ટ ન્યુમોનિયા માફક થઈ ગયો છે અને તે જીવનનો એક હિસ્સો થયો છે. કોરાનાથી એક દર્દીનું મોત થયુ હોવા અંગે આરોગ્ય પ્રપધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મૃત્યુ થવાના બીજા પણ કારણો હોઈ શકે છે. કોઈને નાનાં મોટાં પ્રકારની સાથે બીમારીઓ હોય અને સમયસર સારવાર ના લેતા મૃત્યુ થયું હોઇ શકે છે.

કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. કોરોનાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
g clip-path="url(#clip0_868_265)">