છેલ્લા ૧૫ વર્ષનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે. કર્મભૂમિ રાજકોટ હોવા છતાં, આખા રાજ્યમાં ફરીને પત્રકારત્વ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. રાજકીય, સામાજિક સહિતના અનેક મુદ્દાઓ પર પ્રભાવી રિપોર્ટીંગ કરેલ છે. તેમણે વિધાનસભા-લોકસભાની ચૂંટણીમાં રાજકિય પક્ષોની આંતરીક ગડમથલને બહાર લાવી ચૂંટણીમાં ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે. માત્ર ગુજરાત જ નહીં પણ, રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ રિપોર્ટીંગનો અનુભવ ધરાવે છે.
Breaking News : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 1504 બાંધકામોના ડિમોલેશનની કામગીરી પૂર્ણ, જુઓ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી મહદ અંશે પૂર્ણ થયું છે.ગેરકાયદેસર બાંધકામો દૂર થતાં નદીનો વિસ્તાર વધ્યો છે.વાહનોની અવરજવર થઈ શકે તે માટે અત્યારે રોડ ખુલ્લા કરવામાં આવ્યા છે.
- Mohit Bhatt
- Updated on: Feb 25, 2026
- 1:40 pm
તંત્રને વિનંતી સરકારી જમીનને સાચવજો, જેથી કોઇના સપનાના મહેલ ન તૂટે !
રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન કાર્યવાહી શરૂ થઈ છે. જે હજુ ત્રણ દિવસ ચાલશે. આ ડિમોલિશન દરમિયાન 1498 મકાનો ધરાશાયી થવાના છે. ત્યારે વિપક્ષના નેતાઓ સહિત સામાન્ય નાગરિકના મનમાં પણ એક જ સવાલ છે કે આટલા મોટા પાયે આ દબાણો કોની રહેમનજર હેઠળ થવા દેવામાં આવ્યા ?
- Mohit Bhatt
- Updated on: Feb 24, 2026
- 1:46 pm
Breaking News : સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટુ મેગા ડીમોલેશન રાજકોટના જંગલેશ્વરમાં શરુ, જુઓ વીડિયો
રાજકોટમાં આજે વહેલી સવારથી ડિમોલેશન શરૂ કરાયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંદાજે 1498 જેટલા મકાનોનું ડિમોલેશન કરાશે,પીજીવીસીએલ,RMC અને પોલીસની ટીમ તૈનાત છે.મનપાના ઇતિહાસનું આ સૌથી મોટુ જંગલેશ્વરમાં મેગા ડીમોલેશન છે.
- Mohit Bhatt
- Updated on: Feb 23, 2026
- 11:59 am
Breaking News : રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે મેગા ડિમોલેશન, 100થી વધુ દબાણો દૂર થશે
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. નદીકાંઠા પર વર્ષોથી ઉભા થયેલા100થી વધુ દબાણોને દૂર કરવાની કાર્યવાહી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા વિશેષ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.
- Mohit Bhatt
- Updated on: Feb 19, 2026
- 10:31 am
Breaking News : રાજકોટમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર, મકાનનો હપ્તો પુરો થાય તે પહેલા જર્જરિત બન્યું, જુઓ Video
રાજકોટ મનપા દ્વારા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શહીદ સુખદેવ ટાઉનશીપ તૈયાર કરવામાં આવી છે.આ આવાસમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોએ ઘર ખરીદ્યું હતુ. ત્યારે હવે આ મકાનની નબળી કામગીરીથી સ્થાનિક પરેશાન છે.
- Mohit Bhatt
- Updated on: Feb 5, 2026
- 12:14 pm
Breaking News : 9માં ધોરણની વિદ્યાર્થિની પર સ્કૂલવાન ચાલકે દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી
માતા-પિતાને ચોંકાવી દેશે તેવા સમાચાર રાજકોટમાંથી સામે આવ્યા છે.વિદ્યાર્થિની છેલ્લા એક વર્ષથી આ સ્કૂલવાન ચાલકની વાનમાં સ્કૂલે જતી હતી. આટલું જ નહી સ્કૂલવાન ચાલકના ઘરે 12 વર્ષની દીકરી છે.
- Mohit Bhatt
- Updated on: Jan 22, 2026
- 3:06 pm
Rajkot Kite Festival : રાજકોટમાં 21 દેશના પતંગબાજો સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન, જુઓ Video
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન થયું. ઉત્તરાયણની ઉજવણીમાં 21 દેશોના અને ભારતના વિવિધ રાજ્યોના કુલ 135 થી વધુ પતંગબાજોએ ભાગ લીધો.
- Mohit Bhatt
- Updated on: Jan 10, 2026
- 5:16 pm
રાજકોટમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી, કામગીરી સામે ઉઠ્યા સવાલ, જુઓ વીડિયો
અવાર-નવાર બ્રિજ ઘરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે. કંપનીએ જ સજાગતાથી બ્રિજ તોડી પાડયાનો દાવો કર્યો છે.સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી
- Mohit Bhatt
- Updated on: Dec 23, 2025
- 2:06 pm
Breaking News : રાજકોટમાં લાલો ફિલ્મના પ્રમોશનમાં થયેલી અફરાતફરીની ઘટનામાં ફિલ્મની સ્ટારકાસ્ટને પોલીસનું તેડું ! કલાકારો પર થઈ શકે જાહેરનામા ભંગની ફરિયાદ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં ગત મંગળવારે લાલો ગુજરાતી ફિલ્મના પ્રમોશન અને પ્રીમિયર શો દરમિયાન સર્જાયેલી અફરાતફરીની ઘટનાએ ચર્ચા જગાવી છે. આ કાર્યક્રમમાં ફિલ્મના સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ ઉપસ્થિત હતા. જેના પગલે હવે પોલીસ કલાકારોની પણ પુછપરછ હાથ ધરશે.
- Mohit Bhatt
- Updated on: Dec 4, 2025
- 10:23 am
Breaking News : રાજકોટમાં બની સાઉથ જેવી ઘટના ! લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરી, બાળકી કચડાતા બચી
ગુજરાતમાં જ નહીં દેશ-વિદેશમાં પણ અત્યારે ગુજરાતી સિનેમાની ફિલ્મ લાલોની ચર્ચા થઈ રહી છે. ત્યારે રાજકોટમાં પ્રમોશ કરવા સ્ટાર કાસ્ટ પહોંચ્યું હતુ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના પગલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
- Mohit Bhatt
- Updated on: Dec 3, 2025
- 10:04 am
Breaking News : રાજકોટમાં કિન્નરોના બે જૂથ વચ્ચે અથડામણ, બબાલ બાદ સામ-સામે આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે વધુ એક જૂથ અથડામણની ઘટના રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટમાં કિન્નરોના બે જૂથ વચ્ચે બબાલ થઈ છે. બબાલ બાદ બન્ને જૂથનો સામ-સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
- Mohit Bhatt
- Updated on: Nov 28, 2025
- 1:37 pm
Breaking News : પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ કરી આત્મહત્યા
જીત પાબારીએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. પૂર્વ ક્રિકેટરના સાળાએ પોતાના ઘરે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી છે.તમને જણાવી દઈએ કે,નવેમ્બર 2024માં તેની સામે દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.ચેતેશ્વર પૂજારાએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું છે.
- Mohit Bhatt
- Updated on: Nov 26, 2025
- 2:31 pm