Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohit Bhatt

Mohit Bhatt

Author - TV9 Gujarati

mohit.bhatt@tv9.com

છેલ્લા ૧૫ વર્ષનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે. કર્મભૂમિ રાજકોટ હોવા છતાં, આખા રાજ્યમાં ફરીને પત્રકારત્વ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. રાજકીય, સામાજિક સહિતના અનેક મુદ્દાઓ પર પ્રભાવી રિપોર્ટીંગ કરેલ છે. તેમણે વિધાનસભા-લોકસભાની ચૂંટણીમાં રાજકિય પક્ષોની આંતરીક ગડમથલને બહાર લાવી ચૂંટણીમાં ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે. માત્ર ગુજરાત જ નહીં પણ, રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ રિપોર્ટીંગનો અનુભવ ધરાવે છે.

Read More
ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, જુઓ વીડિયો

ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, જુઓ વીડિયો

પોલીસે આ કેસમાં અકસ્માત સ્થળથી કુવાડવા સુધી કુલ 150 સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. બનાવ બન્યો તે સમયગાળામાં પોલીસ તપાસમાં 12 મોટા વાહનો મળીને કુલ 30 જેટલા વાહનો પસાર છતા જોવા મળ્યા હતા. જો કે એક ડમ્પર ચાલકે પોલીસને મહત્વની લીડ આપી હતી, જેના આધારે પોલીસ અકસ્માત સર્જનાર વાહન સુધી પહોંચી હતી.

Breaking News : રાજકોટની એસ્લાન્ટિંસ બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત, હજી અનેક લોકો ફસાયા, જુઓ Video

Breaking News : રાજકોટની એસ્લાન્ટિંસ બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત, હજી અનેક લોકો ફસાયા, જુઓ Video

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટની હાઈપ્રોફાઈલ સોસાયટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરની એસ્લાન્ટિંસ બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગની 6 માળ પર આગ લાગી છે. જેમાં 3 લોકોના મોત થયા છે.

Rajkot : હકાભા ગઢવીને રાજકોટ સિવિલનો કડવો અનુભવ, ગંભીર ઈજા છતાં હોસ્પિટલે ધ્યાન ન દીધાનો આરોપ, જુઓ Video

Rajkot : હકાભા ગઢવીને રાજકોટ સિવિલનો કડવો અનુભવ, ગંભીર ઈજા છતાં હોસ્પિટલે ધ્યાન ન દીધાનો આરોપ, જુઓ Video

ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર હકાભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. હાસ્ય કલાકાર હકાભાએ પોતાની આપવીતી વર્ણવી છે. થોડા દિવસ પહેલાં હકાભાના બહેનને રોડ અકસ્માત નડ્યો હતો.

ગોંડલના યુવાનના શંકાસ્પદ મોત મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ આવતા કેસ બન્યો હાઇપ્રોફાઇલ,પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

ગોંડલના યુવાનના શંકાસ્પદ મોત મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ આવતા કેસ બન્યો હાઇપ્રોફાઇલ,પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

ગોંડલના યુવક રાજકુમાર જાટના મૃત્યુના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું છે. પોલીસે મૃત્યુને અકસ્માત ગણાવ્યો છે, પણ પરિવાર CBI તપાસની માંગ કરી રહ્યો છે. પિતાનો આક્ષેપ છે કે પૂર્વ ધારાસભ્યના સાગરીતોએ રાજકુમારને માર માર્યો હતો. આ આરોપો બાદ સમગ્ર કેસ હવે હાઇ-પ્રોફાઇલ બન્યો છે. પોલીસે CCTV ફૂટેજ તપાસી અકસ્માતે મોત હેઠળ ગુનો નોંધી તપાસ કરી રહી છે.

વિવાદોએ મુકેશ દોશીનું પત્તું કાપ્યું, સંઘ અને સ્વચ્છ પ્રતિભા માઘવ દવેને ફળ્યા, રૂપાણી જુથની દાળ ન ગળી !

વિવાદોએ મુકેશ દોશીનું પત્તું કાપ્યું, સંઘ અને સ્વચ્છ પ્રતિભા માઘવ દવેને ફળ્યા, રૂપાણી જુથની દાળ ન ગળી !

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માઘવ દવેનું નામ ફાઇનલ થયું છે. આજે સાંસદ મયંક નાયક અને માયાબેન કોડનાનીએ પ્રદેશ ભાજપ દ્રારા આપવામાં આવેલા મેન્ડેન્ટને ખુલ્લુ મૂક્યું હતું જેમાં માધવ દવે પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જો કે સત્તાવાર નામ જાહેર થાય તે પહેલા જ સોશિયલ મિડીયા પર યાદી જાહેર થઇ જતા આ પ્રક્રિયા માત્ર ઔપચારિક જ રહી હતી.

Rajkot : સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજક ફરાર, પોલીસે લીધી જવાબદારી, ભૂદેવોએ શરુ કરાવી લગ્નની વિધિ, જુઓ Video

Rajkot : સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજક ફરાર, પોલીસે લીધી જવાબદારી, ભૂદેવોએ શરુ કરાવી લગ્નની વિધિ, જુઓ Video

રાજકોટના રેલનગર વિસ્તારમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં વિવાદ સર્જાયો છે. વરરાજા, જાનૈયા લગ્ન કરવા પહોંચ્યા પર આયોજકો ફરાર થયા હોવાનું સામે આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

Rajkot News: ફરી મેયરની ગરિમા ન જળવાઇ, સંકલન બેઠકમાંથી મેયર ઉભા થઇને ભાગ્યા, સ્ટેન્ડિંગ ચેરમેને મામલો થાળે પાડ્યો !

Rajkot News: ફરી મેયરની ગરિમા ન જળવાઇ, સંકલન બેઠકમાંથી મેયર ઉભા થઇને ભાગ્યા, સ્ટેન્ડિંગ ચેરમેને મામલો થાળે પાડ્યો !

રાજકોટ મહાનગરપાલિકામાં મેયરની પ્રયાગરાજ યાત્રાના વિવાદની શાહી હજુ સુકાઇ નથી ત્યાં આજે ફરી મેયરની ગરિમા ન જળવાઇ તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા.

Video : ગુજરાતની ગરિમા લજવાઈ, ઓનલાઇન વહેંચાઈ દીકરીઓની લાજ ! રાજકોટ હોસ્પિટલના વાયરલ વીડિયોની ઘટનામાં કોણ ગુનેગાર ?

Video : ગુજરાતની ગરિમા લજવાઈ, ઓનલાઇન વહેંચાઈ દીકરીઓની લાજ ! રાજકોટ હોસ્પિટલના વાયરલ વીડિયોની ઘટનામાં કોણ ગુનેગાર ?

રાજકોટની પાયલ મેટરનિટી હોમમાં મહિલાઓના ચેકઅપના વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ પર વાયરલ થયા છે. હોસ્પિટલનું CCTV સિસ્ટમ હેક થયું હોવાની શંકા છે. ગુજરાત સાયબર ક્રાઇમ વિભાગ તપાસ કરી રહ્યું છે.

નામ લીધા વિના જયેશ રાદડિયાએ નરેશ પટેલ પર તાક્યુ નિશાન, ટપોરી ગેંગ તરીકે સંબોધીને રાજકારણમાં આવીને લડવાનો ફેંક્યો પડકાર

નામ લીધા વિના જયેશ રાદડિયાએ નરેશ પટેલ પર તાક્યુ નિશાન, ટપોરી ગેંગ તરીકે સંબોધીને રાજકારણમાં આવીને લડવાનો ફેંક્યો પડકાર

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વસ્તી છે તે લેઉવા પાટીદાર સમાજના બે નેતાઓ વચ્ચે શીતયુદ્ધ સામે આવ્યું છે. જામકંડોરણામાં સમૂહલગ્નોત્સવમાં જયેશ રાદડિયાએ નરેશ પટેલનું નામ લીધા વિના આકરાં પ્રહારો કર્યા.જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને ટપોરી ગેંગ તરીકે સંબોધીને રાજકારણમાં આવીને લડવાની ચીમકી પણ આપી દીધી. જો કે જયેશ રાદડિયા આવા આક્રમક થવા પાછળનું કારણ શું છે? શા માટે રાદડિયાએ નરેશ પટેલ પર આડકતરી રીતે પ્રહાર કર્યા તેના માટે ભૂતકાળમાં ડોકિયુ કરવુ પડશે

Rajkot : હેવાનીયતની હદ વટી ! સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક, જુઓ Video

Rajkot : હેવાનીયતની હદ વટી ! સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક, જુઓ Video

ગુજરાતમાં દિવસે દિવસે હેવાનીયતની હદ વટાવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં યુવતી પર એસિડ એટેક થયાની ઘટના બની છે. રાજકોટના સોખડા ગામે આરોપી સ્ટીલની બરણીમાં એસિડ ભરી ઘરે જઈ રહેલી મહિલા પર એટેક કર્યો હતો.

રાજકોટ ભાજપમાં પ્રમુખની વરણીને લઇને ભડકો-વર્તમાન શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને હટાવવા સિનિયર નેતાઓનો ખુલ્લો મોરચો

રાજકોટ ભાજપમાં પ્રમુખની વરણીને લઇને ભડકો-વર્તમાન શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને હટાવવા સિનિયર નેતાઓનો ખુલ્લો મોરચો

રાજકોટ ભાજપમાં શહેર પ્રમુખની પસંદગીને લઈને ભારે ઉહાપોહ મચ્યો છે. વર્તમાન પ્રમુખ મુકેશ દોશીના પુનઃવરણીનો વિરોધ કરીને અનેક વરિષ્ઠ નેતાઓએ ખુલ્લો મોરચો ખોલ્યો છે. દોશી સામે પૂર્વ મંત્રીઓ અને પૂર્વ મેયરોએ ફરિયાદ કરી છે જ્યારે કશ્યપ શુક્લના નામનું લોબિંગ કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર રાજકોટ ભાજપનો આંતરિક ક્લેશ સામે આવ્યો છે.

અંબાજી મંદિર ગાદી વિવાદ: બ્રહ્મલીન વસંતગીરી બાપુના વસિયતનામામાં વારસદાર તરીકે ખૂલ્યુ આ વ્યક્તિનું નામ – Video

અંબાજી મંદિર ગાદી વિવાદ: બ્રહ્મલીન વસંતગીરી બાપુના વસિયતનામામાં વારસદાર તરીકે ખૂલ્યુ આ વ્યક્તિનું નામ – Video

જુનાગઢના અંબાજી મંદિરમાં ગાદી વિવાદે નવો વળાંક લીધો છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી પર ગાદી ગેરકાયદેસર રીતે પચાવવાનો આક્ષેપને હવે શિવગીરી બાપુના આક્ષેપ બાદ વધુ બળ મળ્યુ છે. શિવગીરી બાપુનો દાવો છે કે મહેશગીરીએ ધાક-ધમકીથી મંદિર અને મિલકત પર કબજો જમાવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">