છેલ્લા ૧૫ વર્ષનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે. કર્મભૂમિ રાજકોટ હોવા છતાં, આખા રાજ્યમાં ફરીને પત્રકારત્વ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. રાજકીય, સામાજિક સહિતના અનેક મુદ્દાઓ પર પ્રભાવી રિપોર્ટીંગ કરેલ છે. તેમણે વિધાનસભા-લોકસભાની ચૂંટણીમાં રાજકિય પક્ષોની આંતરીક ગડમથલને બહાર લાવી ચૂંટણીમાં ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે. માત્ર ગુજરાત જ નહીં પણ, રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ રિપોર્ટીંગનો અનુભવ ધરાવે છે.
Rajkot : મેડિક્લેમ પાસ કરાવવા હદ વટાવી ! બે તબીબે અલગ અલગ રિપોર્ટ દર્શાવતા ભાંડો ફૂટ્યો, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વાર મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. રાજકોટમાં બોગસ રીતે મેડિક્લેમ પાસ કરાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. 40 લાખનો મેડિક્લેમ પકવવા માટે ષડયંત્ર રચ્યાનો ખુલાસો થયો છે. દર્દીને પેરાલિસિસની અસર બતાવી કાગળ તૈયાર કરાયા હતા.
- Mohit Bhatt
- Updated on: Apr 11, 2025
- 3:03 pm
અનંત અંબાણીની 115 કિલોમીટરની દ્વારકાની પગપાળા યાત્રાનું સમાપન, 30 મા જન્મદિવસે દ્વારકાધિશના ચરણોમાં નમાવ્યુ શીશ
અનંત અંબાણીએ જામનગરથી શરૂ કરેલી દ્વારકાની પગપાળા યાત્રાનું આજે સમાપન થયુ છે. 10 દિવસની તેમની આ પગપાળા યાત્રામાં તેઓ 115 કિલોમીટર ચાલ્યા છે. આજે અનંતે તેમના 30મા જન્મદિવસે દ્વારકાધિશના શરણોનાં શીશ નમાવ્યુ હતુ અને જગતના નાથના આશીર્વાદ મેળવ્યા હતા.
- Mohit Bhatt
- Updated on: Apr 6, 2025
- 4:19 pm
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી, રાધિકા પણ જોડાયા, જુઓ Video
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે. અંબાણી પરિવારનું દ્વારકાવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું છે. અંતિમ દિવસની પદયાત્રમાં માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ જોડાયા હતા. દ્વારકામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત કર્યું છે.
- Mohit Bhatt
- Updated on: Apr 6, 2025
- 9:48 am
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ ઉદય કાનગડ ? સોશિયલ મિડીયામાં પોસ્ટ વાયરલ,ભાજપના ગ્રૃપમાં મળવા લાગી શુભેચ્છાઓ !
ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ પદ માટે ઉદય કાનગડનું નામ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટને કારણે ચર્ચામાં છે. રાજકોટના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ફેલાયેલી આ પોસ્ટમાં 6 એપ્રિલે તેમના નામની જાહેરાતનો ઉલ્લેખ છે. કાનગડ રાજકોટ પૂર્વના ધારાસભ્ય અને સિનિયર ભાજપ નેતા છે. આ પોસ્ટના કારણે ઓબીસી નેતાને પ્રમુખ બનાવવાની ચર્ચાએ ફરી જોર પકડ્યુ છે.
- Mohit Bhatt
- Updated on: Apr 5, 2025
- 2:11 pm
12 મહિનાના મસાલાની ખરીદી કરતી વખતે તેમા ભેળસેળ થઈ છે કે નહીં તે કેવી રીતે ચકાસશો? – Video
હાલ મસાલાની સીઝન ચાલી રહી છે અને લોકો આખુ વર્ષ મસાલા ખરીદવા ન પડે આથી નવા બજારમાં આવેલા મરચુ, હળદર અન ધાણાજીરુની ખરીદી કરતા હોય છે. ત્યારે આ મસાલામાં ભેળસેળ થઈ છે કે નહીં તે કેવી રીતે ચકાસશો. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગના અધિકારીએ એક તરકીબ જણાવી છે.
- Mohit Bhatt
- Updated on: Apr 3, 2025
- 9:59 pm
રાજકોટની જે.કે. કોટેજ કંપનીમાં આગ મામલે થયા મોટા ચોંકવનારા ખૂલાસા- Video
રાજકોટમાં મંગળવારે લાગેલી આગમાં થયો છે સૌથી મોટો ઘટસ્ફોટ. કંપની પસે કોઇ મંજૂરી જ ન હતી. RUDAની મંજૂરી વગર જ આટલી મોટી ફેક્ટરી ચાલી રહી હતી અને સ્થાનિક તંત્ર અજાણ હતું.એટલું જ નહી પરંતુ GPCB પાસેથી પણ જરૂરી કોઇ મંજૂરી લેવામાં આવી ન હતી. તમામ નિયમો અને તમામ કાયદાઓનું ઉલ્લંઘન થઇ રહ્યું હતું. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આખરે સરકારી તંત્ર શું કરી રહ્યું હતું ???
- Mohit Bhatt
- Updated on: Apr 2, 2025
- 9:04 pm
ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, જુઓ વીડિયો
પોલીસે આ કેસમાં અકસ્માત સ્થળથી કુવાડવા સુધી કુલ 150 સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. બનાવ બન્યો તે સમયગાળામાં પોલીસ તપાસમાં 12 મોટા વાહનો મળીને કુલ 30 જેટલા વાહનો પસાર છતા જોવા મળ્યા હતા. જો કે એક ડમ્પર ચાલકે પોલીસને મહત્વની લીડ આપી હતી, જેના આધારે પોલીસ અકસ્માત સર્જનાર વાહન સુધી પહોંચી હતી.
- Mohit Bhatt
- Updated on: Mar 14, 2025
- 7:05 pm
Breaking News : રાજકોટની એસ્લાન્ટિંસ બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત, હજી અનેક લોકો ફસાયા, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટની હાઈપ્રોફાઈલ સોસાયટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરની એસ્લાન્ટિંસ બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગની 6 માળ પર આગ લાગી છે. જેમાં 3 લોકોના મોત થયા છે.
- Mohit Bhatt
- Updated on: Mar 14, 2025
- 11:52 am
Rajkot : હકાભા ગઢવીને રાજકોટ સિવિલનો કડવો અનુભવ, ગંભીર ઈજા છતાં હોસ્પિટલે ધ્યાન ન દીધાનો આરોપ, જુઓ Video
ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર હકાભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. હાસ્ય કલાકાર હકાભાએ પોતાની આપવીતી વર્ણવી છે. થોડા દિવસ પહેલાં હકાભાના બહેનને રોડ અકસ્માત નડ્યો હતો.
- Mohit Bhatt
- Updated on: Mar 11, 2025
- 2:15 pm
ગોંડલના યુવાનના શંકાસ્પદ મોત મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ આવતા કેસ બન્યો હાઇપ્રોફાઇલ,પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
ગોંડલના યુવક રાજકુમાર જાટના મૃત્યુના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું છે. પોલીસે મૃત્યુને અકસ્માત ગણાવ્યો છે, પણ પરિવાર CBI તપાસની માંગ કરી રહ્યો છે. પિતાનો આક્ષેપ છે કે પૂર્વ ધારાસભ્યના સાગરીતોએ રાજકુમારને માર માર્યો હતો. આ આરોપો બાદ સમગ્ર કેસ હવે હાઇ-પ્રોફાઇલ બન્યો છે. પોલીસે CCTV ફૂટેજ તપાસી અકસ્માતે મોત હેઠળ ગુનો નોંધી તપાસ કરી રહી છે.
- Mohit Bhatt
- Updated on: Mar 10, 2025
- 5:21 pm
વિવાદોએ મુકેશ દોશીનું પત્તું કાપ્યું, સંઘ અને સ્વચ્છ પ્રતિભા માઘવ દવેને ફળ્યા, રૂપાણી જુથની દાળ ન ગળી !
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માઘવ દવેનું નામ ફાઇનલ થયું છે. આજે સાંસદ મયંક નાયક અને માયાબેન કોડનાનીએ પ્રદેશ ભાજપ દ્રારા આપવામાં આવેલા મેન્ડેન્ટને ખુલ્લુ મૂક્યું હતું જેમાં માધવ દવે પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જો કે સત્તાવાર નામ જાહેર થાય તે પહેલા જ સોશિયલ મિડીયા પર યાદી જાહેર થઇ જતા આ પ્રક્રિયા માત્ર ઔપચારિક જ રહી હતી.
- Mohit Bhatt
- Updated on: Mar 7, 2025
- 2:58 pm
Rajkot : સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજક ફરાર, પોલીસે લીધી જવાબદારી, ભૂદેવોએ શરુ કરાવી લગ્નની વિધિ, જુઓ Video
રાજકોટના રેલનગર વિસ્તારમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં વિવાદ સર્જાયો છે. વરરાજા, જાનૈયા લગ્ન કરવા પહોંચ્યા પર આયોજકો ફરાર થયા હોવાનું સામે આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.
- Mohit Bhatt
- Updated on: Feb 22, 2025
- 1:23 pm