કરિયર
કરિયર કોઈ પણ વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ પગલું છે. કરિયરનું સિલેક્શન કરવું એ વ્યક્તિ માટે જીવનનો મોટો નિર્ણય હોય છે. પસંદ કરેલું કરિયર વ્યક્તિના જીવન પર સારો એવો પ્રભાવ પાડે છે.
કરિયર સામાન્ય રીતે તે પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે જે રોજગાર મેળવવામાં મદદ કરે છે. નોકરી કે વ્યવસાયો શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર, જર્નાલિસ્ટ, વકીલ, મજૂર, કલાકાર વગેરે છે. કોઈ પણ પ્રવૃતિ જે તમને ઘર ચલાવવામાં મદદ કરે છે તેને કરિયર કહેવામાં આવે છે.
આપણને આજુબાજુ દેખાતા દરેક લોકો કોઈને કોઈ નોકરી, ધંધા કે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. જેમ કે, કોઈ વ્યક્તિ દર્દીને ઠીક કરવાનું કાર્ય કરે છે. તો તેને મેડીકલ ક્ષેત્રમાં કરિયર બનાવેલું કહેવાય. કોઈ પણ ક્ષેત્રમાં ઘણા વર્ષો સુધી જોડાયેલા રહેવાથી તે ક્ષેત્રમાં વ્યક્તિ એક્સપર્ટ બની જાય છે. સમયે-સમયે પોતાના કરિયરના લક્ષ્યોની સમીક્ષા કરવી જોઈએ અને નવું નવું શીખવું જોઈએ. એક મજબૂત કરિયર બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી જોઈએ.
સર્વાંગી શિક્ષણનો નવો અવતાર… કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની શિક્ષણ મોડેલ પરની મોટી યોજના
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને "સમગ્ર શિક્ષા" ને ફરીથી ડિઝાઇન કરવા માટે એક પરામર્શ બેઠકની સહ-અધ્યક્ષતા કરી. NEP-2020 હેઠળ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રણાલી બનાવવાનો ઉદ્દેશ્ય છે. વિકસિત ભારતના ધ્યેય સાથે, 2047 સુધીમાં 100% નોંધણી હાંસલ કરવા, ડ્રોપઆઉટ ઘટાડવા અને વિદ્યાર્થીઓમાં મહત્વપૂર્ણ કુશળતા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- Meera Kansagara
- Updated on: Jan 10, 2026
- 11:43 am
Breaking News : શું તમારા બાળકો પણ અમેરિકામાં વિદ્યાર્થી છે ? ભારતમાં યુએસ દૂતાવાસે સ્ટુડન્ટ વિઝા ધારકોને કડક ચેતવણી આપી
શું તમારા બાળકો પણ અમેરિકામાં સ્ટુડન્ટ છે? ભારતમાં યુએસ દૂતાવાસે સ્ટુડન્ટ વિઝા ધારકોને કડક ચેતવણી આપી છે. યુએસ એમ્બેસીએ સ્ટુડન્ટ વિઝા ધારકો સામે ‘લાલ આંખ’ કરી છે. બીજું કે, તેઓને સજાગ રહેવા માટે પણ સખત સૂચનાઓ આપી છે.
- Ravi Prajapati
- Updated on: Jan 7, 2026
- 7:38 pm
શ્રી માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજની માન્યતા રદ! મેડિકલ વિદ્યાર્થીઓને બીજી કોલેજમાં ટ્રાન્સફર કરવાનો આદેશ
જમ્મુની પ્રતિષ્ઠિત શ્રી માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સ (SMVDIME) ની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. NMC ના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARB) એ 2025-26 શૈક્ષણિક વર્ષ માટે MBBS કોર્સની મંજૂરી (Letter of Permission – LoP) પાછી ખેંચી લીધી છે.
- Meera Kansagara
- Updated on: Jan 7, 2026
- 7:59 am
નાબાર્ડમાં ડાયરેક્ટ ભરતી! યુવાનોએ આ તક ના ચૂકવી જોઈએ, મહિનાનો પગાર જ 1.50 લાખ રૂપિયાથી 3.85 લાખ રૂપિયા સુધીનો
નાબાર્ડે યુવા અને અનુભવી પ્રોફેશનલ્સ માટે સ્પેશિયાલિસ્ટના પદો પર મોટી ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત છે અને શરૂઆતમાં તેનો પિરિયડ 2 વર્ષ સુધીનો રહેશે.
- Ravi Prajapati
- Updated on: Jan 6, 2026
- 9:01 pm
DA Hike : કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી રાહત! જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું 60% થવાની શક્યતા
કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 2% વધારો નિશ્ચિત છે, જે કુલ 60% પર પહોંચશે તેવું ચર્ચાઇ રહ્યું છે...
- Sagar Solanki
- Updated on: Jan 6, 2026
- 8:09 pm
8th Pay Commission: એરિયર્સના પૈસા એક સાથે મળશે કે હપ્તામાં? ક્યારે વધશે પગાર, જાણો
કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચ પર મોટું અપડેટ: બાકી રકમ એકસાથે ચૂકવાશે તેવી પ્રબળ શક્યતા છે, પરંતુ વધેલા પગાર માટે જાન્યુઆરી 2028 સુધી રાહ જોવી પડી શકે છે.
- Sagar Solanki
- Updated on: Jan 6, 2026
- 5:32 pm
ખુશખબર : દેશમાં થશે નવી 10 કરોડ નોકરીઓનું સર્જન, જાણો દિગ્ગજોનો મોટો પ્લાન
ભારતમાં 10 કરોડ નોકરીઓનું સર્જન કરવા માટે "સો મિલિયન નોકરીઓ" પહેલ શરૂ થઈ છે. કાર્યકારી વયની વસ્તીમાં ઝડપી વધારા અને પરંપરાગત ક્ષેત્રોમાં રોજગારીની અછતને કારણે આ પહેલ આવશ્યક છે.
- Sagar Solanki
- Updated on: Jan 5, 2026
- 8:56 pm
કાનુની સવાલ: નોટિસ પિરિયડ વગર જોબ છોડશો તો શું થશે ? નોકરી છોડતાં પહેલાં જાણી લો કાનૂની અને કારકિર્દી પર પડતી અસર
આજના સમયમાં નોકરી બદલવી સામાન્ય બાબત બની ગઈ છે. સારી સેલરી, વર્ક-લાઈફ બેલેન્સ કામકાજના માહોલથી કંટાળીને લોકો ઘણીવાર તરત જ નોકરી છોડવાનો નિર્ણય લઈ લે છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે જો તમે નોટિસ પિરિયડ પૂરો કર્યા વગર જોબ છોડો તો શું થઈ શકે? શું આ નિર્ણય ભવિષ્યમાં તમારી કારકિર્દીને નુકસાન પહોંચાડી શકે છે?
- Meera Kansagara
- Updated on: Jan 5, 2026
- 11:24 am
NPS Gratuity Rules : કર્મચારીઓને ઝટકો! આ લોકોને હવે ગ્રેચ્યુઇટી નહીં મળે, સરકારે જાહેર કર્યો નવો આદેશ
કેન્દ્ર સરકારે NPS હેઠળ ગ્રેચ્યુઇટીના નિયમોમાં સ્પષ્ટતા કરી છે, જેને હવે 'એક વખતનો ટર્મિનલ લાભ' ગણવામાં આવશે. નિવૃત્તિ બાદ ફરી સરકારી નોકરીમાં જોડાતા કર્મચારીઓને બીજી ગ્રેચ્યુઇટી નહીં મળે.
- Sagar Solanki
- Updated on: Dec 31, 2025
- 6:45 pm
Exam for Visa : શું છે CELPIP ટેસ્ટ, જે આપવાથી ઓસ્ટ્રેલિયા અને કેનેડા માટે વિઝા અથવા PR મળી જાય..
જો તમે કામ, અભ્યાસ અથવા કાયમી રહેઠાણ (PR) માટે ઓસ્ટ્રેલિયા કે કેનેડા જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમને અંગ્રેજી ભાષા પર પકડ હોવી અનિવાર્ય છે. આ બંને દેશોમાં અંગ્રેજી સત્તાવાર ભાષા હોવાથી, વિઝા અથવા PR માટે અરજી કરતી વખતે માન્ય અંગ્રેજી ભાષા પરીક્ષાનો સ્કોર રજૂ કરવો ફરજિયાત છે.
- Sagar Solanki
- Updated on: Dec 29, 2025
- 3:09 pm
RRB Group D Recruitment : રેલવે ગ્રુપ Dની 22 હજાર જગ્યાઓ માટે નવા વર્ષમાં ભરતી કરવામાં આવશે, સંપૂર્ણ વિગતો જાણો
RRB Group D Recruitment: રેલવેમાં સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા લાખો યુવાનો માટે ફરી એકવાર આશાનું કિરણ ઉભું થયું છે. રેલવે ભરતી બોર્ડ (RRB) ટૂંક સમયમાં ગ્રુપ D ભરતી માટે સૂચના બહાર પાડવાનું છે.
- Meera Kansagara
- Updated on: Dec 23, 2025
- 4:46 pm
8th Pay Commission : આગામી પગાર વધારાનું આખું ગણિત, સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર કે હજી પણ જોવી પડશે રાહ?
8મું પગાર પંચ 2026માં લાગુ થવાની તૈયારીમાં છે, જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોટા પગાર વધારાની અપેક્ષા છે.
- Sagar Solanki
- Updated on: Dec 22, 2025
- 5:52 pm
8મા પગાર પંચ પહેલા રેલવે એલર્ટ : ખર્ચ કાપના આકરા પગલાંથી શું કર્મચારીઓને અસર થશે? જાણો વિગતે
ભારતીય રેલવે 8મા પગાર પંચના વધેલા પગારના બોજને મેનેજ કરવા માટે પહેલાથી જ ખર્ચ કાપ પર કામ કરી રહી છે. કમિશનની ભલામણોથી 2026 થી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થવાની અપેક્ષા છે. ચાલો સમજીએ કે ખર્ચ કાપથી કર્મચારીઓ પર શું અસર પડશે.
- Manish Gangani
- Updated on: Dec 14, 2025
- 4:03 pm
12મું ધોરણ પાસ કર્યા પછી બેંકમાં જોબ કેવી રીતે મેળવી શકાય ? કોર્ષ, લાયકાત અને પરસેન્ટેઝ વિશે જાણો
બેંકિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવી એ એક સારો વિકલ્પ છે. તે સારા પગાર અને નોકરીની ગેરંટી આપે છે. જો તમે પણ બેંકિંગમાં કરિયર બનાવવા માંગતા હો, તો માહિતી તમારા માટે છે.
- Meera Kansagara
- Updated on: Dec 13, 2025
- 12:36 pm
UK વર્ક વિઝા નિયમોમાં ફેરફાર, ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને મોટો ફટકો
યુકેના 2025ના નવા વર્ક વિઝા નિયમો ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે પડકારરૂપ બન્યા છે. આરોગ્યસંભાળ, નર્સિંગ અને IT ક્ષેત્રના પ્રોફેશનલ્સને મોટો ફટકો પડ્યો છે, જેમાં વિઝા સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
- Sagar Solanki
- Updated on: Dec 12, 2025
- 9:51 pm