
બીએપીએસ
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરનો એક હિંદુ સંપ્રદાય છે. તેની રચના 1905માં યજ્ઞપુરુષદાસ દ્વારા કરવામાં આવી હતી. ઓગસ્ટ 2016થી મહંત સ્વામી મહારાજ BAPSના 6મા ગુરુ અને પ્રમુખ છે.
BAPSની ફિલસૂફી અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાના સિદ્ધાંત પર કેન્દ્રિત છે, જેમાં અનુયાયીઓ સ્વામિનારાયણને ભગવાન અથવા પુરુષોત્તમ તરીકે અને તેમના સૌથી પ્રિય ભક્ત ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર તરીકે પૂજે છે. BAPS મંદિર સંસ્કૃતિ અને યુવા વિકાસને પ્રોત્સાહન આપે છે. ઘણા ભક્તો મંદિરને હિંદુ મૂલ્યોના પ્રસારણ અને દિનચર્યાઓ, પારિવારિક જીવન અને કારકિર્દીમાં સમાવિષ્ટ કરવાના સ્થળ તરીકે જુએ છે.
BAPS એક અલગ બિન-નફાકારક સહાય સંસ્થા, BAPS ચેરિટીઝ દ્વારા અસંખ્ય માનવતાવાદી પ્રયાસોમાં પણ જોડાય છે, જેણે આરોગ્ય સંભાળ, શિક્ષણ, પર્યાવરણીય કારણો અને સમુદાય-નિર્માણ અભિયાનોને સંબોધતા વિશ્વભરમાં અસંખ્ય પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું છે.
સિડનનીમાં BAPS સંસ્થા દ્વારા યોજાયેલા રંગોત્સવ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ઉપસ્થિત રહ્યા, જુઓ Video
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં 15 માર્ચ 2025ના રોજ ભવ્ય રંગોત્સવનો કાર્યક્રમ ઉજવાયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.
- TV9 Gujarati
- Updated on: Mar 16, 2025
- 1:31 pm
USAના કેલિફોર્નિયામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતે કરી આકરી નિંદા
કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાએ હિન્દુ સમુદાયમાં આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટના અમેરિકામાં હિંદુઓ વિરુદ્ધ વધી રહેલી હિંસાને પ્રતિબિંબિત કરે છે અને પોલીસ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે. હિન્દુ સંગઠનોએ આ ઘટનાની નિંદા કરી છે અને સંપૂર્ણ તપાસની માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 9, 2025
- 12:42 pm
UAE ના BAPS હિંદુ મંદિરે શેખ નાહયાન મુબારક અલ નાહયાનની ઉપસ્થિતિમાં એક વર્ષની કરાઈ ઉજવણી
યુનાઈટેડ આરબ અમિરાત ખાતે ગત વર્ષે બીએપીએસ સંસ્થાના હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એક વર્ષમાં મંદિર દ્વારા હાંસલ કરવામાં આવેલ વિવિધ સિદ્ધિઓને વાર્ષિક દિવસે વર્ણાવવામાં આવી હતી. મંદિરના એક વર્ષની ઉજવણીમાં યુનાઈટેડ આરબ અમિરાત અબુધાબીના વિશિષ્ટ મહાનુભાવ, ભારતીય સમુદાયના વિવિધ મહાનુભાવ અને અનેક શ્રદ્ધાળુ, સત્સંગીઓ તેમજ સેવક ગણ ઉપસ્થિત રહ્યાં હતા.
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2025
- 8:35 pm
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BAPS હિન્દુ મંદિરની મહંત સ્વામીના હસ્તે પ્રાણ-પ્રતિષ્ઠા સંપન્ન
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BAPS મંદિર દ્વારા સનાતન હિન્દુ ધર્મનો ઉદઘોષ થવા પામ્યો છે. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિર લોકાર્પણ પ્રસંગે 12 દિવસીય વિશિષ્ટ મહોત્સવ ‘ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડ યુનિટી’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 3, 2025
- 8:30 pm
અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં 20 દેશના દૂતાવાસોના ડિફેન્સ અટેચીએ લીધી મુલાકાત, જુઓ તસવીરો
અબુ ધાબીના શાસકોની ઉદારતાથી, યુનાઈટેડ આરબ એમીરેટ્સની રાજધાની અબુધાબી ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પુરુષાર્થથી નિર્મિત બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અબુધાબી એક વર્ષથી ઓછા સમયમાં વિશ્વભરના 20 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષિત કરી ચૂક્યું છે. જે વૈશ્વિક સ્તરે મંદિરને સાંપડેલ અપાર પ્રશંસા, આદર અને સમર્થન દર્શાવે છે.
- Disha Thakar
- Updated on: Jan 16, 2025
- 2:10 pm
આજે તમે અમદાવાદના આ વિસ્તારમાં જવાનો પ્લાન કરી રહ્યા હો તો ના જતા, ટ્રાફિકમાં ફસાઈ જશો, આ રહ્યો વૈકલ્પિક માર્ગ, જુઓ તસવીરો
અમદાવાદમાં આજે શનિવારે એટલે કે 7 ડિસેમ્બર 2024ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવાનો રોડ બંધ કરવામાં આવ્યો છે. જાણો તેનું શુ છે કારણ અને સ્ટેડિયમ તરફ જવા માટે ક્યો વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે.
- Disha Thakar
- Updated on: Dec 7, 2024
- 12:34 pm
06 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સૂચિત જંત્રીના ભાવવધારા પર સરકાર લઇ શકે છે મોટો નિર્ણય, વાંધા અરજી માટે ઓફલાઇન વ્યવસ્થાની શક્યતા, ટૂંક સમયમાં સરકાર કરી શકે છે પરિપત્ર
Gujarat Live Updates : આજે 06 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Dec 6, 2024
- 9:00 pm
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે BAPS સંસ્થાનો ‘કાર્યકર સૂવર્ણ મહોત્સવ, કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ- Video
વિશ્વના સૌથી મોટા એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો કાર્યકર સૂર્વણ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. પ્રમુખ સ્વામીના જન્મ શતાબ્દી દિવસ 7 ડિસેમ્બરના રોજ આ મહોત્વ યોજાશે.
- TV9 Gujarati
- Updated on: Dec 5, 2024
- 3:44 pm
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ, 1 લાખ કાર્યકર અને મહંતસ્વામી રહેશે હાજર, જુઓ Video
આગામી 7 ડિસેમ્બરના દિવસે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં યોજાશે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 3, 2024
- 8:47 am
Rajkot Video : ગોંડલના BAPS સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અન્નકૂટ ધરાવાયો
નવા વર્ષ નિમિત્તે મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવાની પરંપરા છે. ત્યારે ગોંડલમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અન્નકૂટ ધરાવાયો હતો.
- TV9 Gujarati
- Updated on: Nov 2, 2024
- 12:37 pm
અમેરિકામાં ન્યૂયોર્ક બાદ હવે કેલિફોર્નિયામાં હિન્દુ મંદિર પર હુમલો, ‘હિંદુઓ ગો બેક’ના લખ્યાં સૂત્રો
હવે કેલિફોર્નિયામાં એક હિન્દુ ધાર્મિક સ્થળ પર હુમલો થયો છે. સ્વામિનારાયણ મંદિરમાં હિંદુ વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. બદમાશોએ લખ્યું હતું 'હિન્દુઓ ગો બેક'.
- Devankashi rana
- Updated on: Sep 26, 2024
- 11:39 am
BAPS હિંદુ મંદિરનું અબુ ધાબી ખાતે ઇમર્સિવ શો “ધ ફેરી ટેલ”નું ભવ્ય પ્રીમિયર યોજાયું
અબુ ધાબી ખાતે એક પ્રકારના, ઇમર્સિવ શો, “ધ ફેરી ટેલ”નો ભવ્ય પ્રીમિયર યોજાયો હતો, જેમાં UAEના નેતાઓ, મહાનુભાવો અને લોકો સહિત 250 થી વધુ મહેમાનોએ હાજરી આપી હતી
- Devankashi rana
- Updated on: Sep 11, 2024
- 5:08 pm
વડોદરાના પૂર પીડિતોની વહારે આવ્યું અટલાદરા સ્વામિનારાયણ મંદિર, શીરો-ખીચડી, બુંદી-સેવ કર્યુ વિતરણ
વડોદરાના અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂર પીડિતોને ફૂડપેકેટનું વિતરણ કર્યું હતું. મહંત સ્વામીની આજ્ઞાથી અટલાદરા સ્થિત સ્વામિનાયારણ મંદિરના 40 જેટલા સ્વંયસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને છેલ્લા ત્રણ દિવસથી ફુડપેકેટનું વિતરણ કરી રહ્યાં છે
- TV9 Gujarati
- Updated on: Aug 28, 2024
- 8:16 pm
Independence day 2024 : દિલ્લી અક્ષરધામ મંદિર પરિસરમાં 78મા સ્વતંત્રતા દિવસની કરી ઉજવણી, મહંત સ્વામી મહારાજે લહેરાવ્યો તિરંગો, જુઓ તસવીરો
દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હી ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 78મા સ્વતંત્રતા દિવસ દેશભક્તિ સાથે મનાવવામાં આવ્યો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં,ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ રાષ્ટ્રના આ આઝાદીના ઉત્સવમાં ભાગ લીધો. આ પ્રસંગે સમગ્ર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસર રાષ્ટ્રભક્તિમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઊઠ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2024
- 3:23 pm
બધાને પરસ્પર પગે લાગીએ, આદર આપીએ એજ ગુરુ પૂજન કહેવાય: મહંતસ્વામી મહારાજ
ગુરુ-શિષ્યની પવિત્ર પરંપરાને ઉજાગર કરતો તહેવાર એટલે ગુરુપૂર્ણિમા, BAPS સંસ્થાના ગાદીસ્થાન બોચાસણ ખાતે ધામ-ધૂમથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ગુરુપૂર્ણિમાની સભામાં અંદાજે 60 હજાર જેટલા ભાવિકો જોડાયા હતા.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 21, 2024
- 11:02 pm