બીએપીએસ
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરનો એક હિંદુ સંપ્રદાય છે. તેની રચના 1905માં યજ્ઞપુરુષદાસ દ્વારા કરવામાં આવી હતી. ઓગસ્ટ 2016થી મહંત સ્વામી મહારાજ BAPSના 6મા ગુરુ અને પ્રમુખ છે.
BAPSની ફિલસૂફી અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાના સિદ્ધાંત પર કેન્દ્રિત છે, જેમાં અનુયાયીઓ સ્વામિનારાયણને ભગવાન અથવા પુરુષોત્તમ તરીકે અને તેમના સૌથી પ્રિય ભક્ત ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર તરીકે પૂજે છે. BAPS મંદિર સંસ્કૃતિ અને યુવા વિકાસને પ્રોત્સાહન આપે છે. ઘણા ભક્તો મંદિરને હિંદુ મૂલ્યોના પ્રસારણ અને દિનચર્યાઓ, પારિવારિક જીવન અને કારકિર્દીમાં સમાવિષ્ટ કરવાના સ્થળ તરીકે જુએ છે.
BAPS એક અલગ બિન-નફાકારક સહાય સંસ્થા, BAPS ચેરિટીઝ દ્વારા અસંખ્ય માનવતાવાદી પ્રયાસોમાં પણ જોડાય છે, જેણે આરોગ્ય સંભાળ, શિક્ષણ, પર્યાવરણીય કારણો અને સમુદાય-નિર્માણ અભિયાનોને સંબોધતા વિશ્વભરમાં અસંખ્ય પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું છે.
WGTT 2026 : અબુધાબી બાદ હવે પેરિસમાં ખુલશે ભવ્ય BAPS હિન્દુ મંદિર – જુઓ Video
TV9 ગુજરાતીના સૌથી મોટા ‘થિંક ફેસ્ટ’ના મહામંચ પરથી પેરિસમાં આગામી ભવ્ય BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની પ્રથમવાર સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમણે પ્રથમવાર જણાવ્યું કે, અબુધાબીના ભવ્ય મંદિર બાદ હવે પેરિસમાં નવું BAPS હિન્દુ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Mar 9, 2026
- 7:45 pm
Ahmedabad : BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગ દ્વારા વિરાટ ‘વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ’નું ભવ્ય આયોજન
અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વિરાટ 'વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ'નું આયોજન કર્યું.
- Sagar Solanki
- Updated on: Jan 3, 2026
- 9:13 pm
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાશે ભવ્ય ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ, BAPS દ્વારા AMTSની બસો મુકવામાં આવી, જુઓ Video
આજે ફરી એક વખત હજારો હરિભક્તોને થશે પ્રમુખ સ્વામી મહારાજની હયાતીનો અહેસાસ BAPS દ્વારા સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય તેમજ અનન્ય ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
- Disha Thakar
- Updated on: Dec 7, 2025
- 2:22 pm
અમદાવાદ શહેરમાં BAPSના 40 જેટલા સંસ્કાર ધામમાં ઉજવાયો ભવ્ય અન્નકુટ મહોત્સવ
અમદાવાદ શહેરના વિભિન્ન વિસ્તારોમાં આવેલ બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આજે અન્નકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના વિવિધ 40 વિસ્તારોમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા અન્નકુટ મહોત્સવનો હરિભક્તો સહિત અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
- TV9 Gujarati
- Updated on: Nov 9, 2025
- 11:36 am
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાજસ્થાનમાં વધુ એક ભવ્ય મંદિરનું નિર્માણ – જુઓ Video
રાજસ્થાનની ધરતી પર વધુ એક ભવ્ય મંદિર નિર્માણ થયું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાજસ્થાનના જોધપુરમાં વિશાળ મંદિર નિર્માણ કરાયું છે. જોધપુરના જ પથ્થરમાંથી નિર્મિત આ મંદિરમાં 25 સપ્ટેમ્બરે મૂર્તિ પ્રતિષ્ઠા થશે ત્યારે તે પહેલા જોધપુરમાં બે દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞનો આરંભ થયો છે.
- Manish Gangani
- Updated on: Sep 23, 2025
- 7:07 pm
જોધપુરમાં અક્ષરધામ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે, 25 સપ્ટેમ્બરે પ્રતિષ્ઠા – જુઓ Photos
રાજસ્થાનના જોધપુરમાં અક્ષરધામ મંદિરનું બાંધકામ BAPS સંસ્થા દ્વારા પૂર્ણતાની દિશામાં આગળ વધી રહ્યું છે. જણાવી દઈએ કે, આ મંદિરની પ્રતિષ્ઠા 25 સપ્ટેમ્બરે થશે.
- Ravi Prajapati
- Updated on: Jul 16, 2025
- 7:48 pm
ગુરુભક્તિમાં ભીંજાયું બોચાસણ, મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ‘તસ્મૈ શ્રી ગુરુવે નમઃ’ના નાદ ગુંજી ઉઠ્યા, લોન્ચ કરી Youtube ચેનલ
શ્રી સ્વામિનારાયણ બાગના વિશાળ સભાગૃહમાં યોજાયેલ કાર્યક્રમમાં આશરે 70,000 કરતા વધુ હરિભક્તોએ હાજરી આપી હતી. આ ઉપરાંત દર્શનાર્થે મંદિરમાં આવેલા ભાવિકો માટે ઠાકોરજીના દર્શન, પ્રસાર અને વ્યવસ્થાની યોગ્યતા બદલ 3500 સ્વયંસેવકોએ સુંદર સેવા આપી.
- Meera Kansagara
- Updated on: Jul 10, 2025
- 4:50 pm