AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું નામ આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. તેમનું પુરુ નામ અંબાલાલ દામોદરદાસ પટેલ છે. ખાસ કરીને તેમની પાસેથી ચોમાસું કેવું રહેશે એની જાણકારી મેળવવા ખેડૂત સહિતના લોકો તેમનાં અનુમાન પર કાન માંડીને બેઠા હોય છે. અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. અંબાલાલ પટેલ ઍગ્રિકલ્ચર ગ્રૅજ્યુએટ છે. તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી ઍગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી છે.

1972 માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા. બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે પણ ફરજ બજાવી છે.

અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષ વિષયમાં રસ ધરાવે છે. એક વાર અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે. ત્યારબાદ તેઓએ જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

અંબાલાલ દામોદરદાસ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે.

Read More

ગુજરાતમાં આ તરીખથી જામશે ‘ચોમાસુ’, અંબાલાલ પટેલે ફરી શરુ કરી હવામાનની આગાહી – જુઓ Video

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને ફરી એકવાર નવી આગાહી કરી છે. તેમણે આગામી સમયમાં હવામાનમાં થનારા પલટા અને કયા વિસ્તારોમાં સારો વરસાદ પડશે તેની વિગતો આપી છે.

અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા ‘ગુજરાતના ખેડૂતો’, વિજ્ઞાન જાથાનો વિરોધ ફગાવી ફરી આગાહી શરૂ કરવા કરી ‘માંગ’

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વિજ્ઞાન જાથાના વિવાદોથી કંટાળીને આગાહીઓ કરવાનું બંધ કરવાની જાહેરાત કરતાં જ ગુજરાતના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અંબાલાલ કાકાના આ અચાનક નિર્ણય બાદ હવે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના ખેડૂતો તેમના સમર્થનમાં ખુલ્લીને મેદાનમાં આવ્યા છે.

Ambalal Patel Big Announcement: અંબાલાલ પટેલ નહીં કરે હવામાન અંગેની આગાહી, આપ્યુ આ મોટુ કારણ

ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવામાન આગાહીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે હવે તેઓ હવામાન અંગે કોઈ આગાહી નહીં કરે.

Ambalal Patel Rain Forecast: દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, આગામી 48 કલાક ભારે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત માટે આગામી 48 કલાક અત્યંત મહત્વના ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને સુરત અને નવસારી જિલ્લામાં 4થી 5 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લઈને અમદાવાદ-ગાંધીનગર પહોચ્યું ચોમાસુ, ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગ-અંબાલાલ પટેલની આગાહી

સમગ્ર સૌરાષ્ટ્ર અને અમદાવાદ-ગાંધીનગર સુધી નૈઋત્યનુ ચોમાસુ આજે 3 જુલાઈને શુક્રવારે પહોંચી ગયું છે. સક્રિય થયેલ કેટલીક વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ અને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. જાણો ગુજરાતમાં બારેય મેઘ ખાંગા થાય તેવી કઈ કઈ વરસાદી સિસ્ટમ આકાર પામી છે ?

Gujarat Monsoon Update: ગુજરાતમાં અટકી ગયું ચોમાસું! 72 કલાકથી આગળ નથી વધ્યું, હવે ધોધમાર વરસાદ ક્યારે પડશે?

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે, પરંતુ હવે તેની ગતિ ધીમી પડી ગઈ છે. છેલ્લા 72 કલાકથી ચોમાસું સુરત આસપાસ સ્થિર રહ્યું છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધ્યું નથી. પરિણામે અનેક જિલ્લાઓમાં વરસાદની રાહ જોવાઈ રહી છે, જ્યારે અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે.

આનંદો, ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી ઉત્સાહજનક આગાહી, જુઓ વીડિયો

અંબાલાલ પટેલના જણાવ્યાનુંસાર આદરા નક્ષત્ર દરમિયાન વરસાદ આવવો એ ચોમાસા માટે સારો સંકેત માનવામાં આવે છે. જ્યારે મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન વાવેતર માટે પરિસ્થિતિ અનુકૂળ ન ગણાતી હોવાની લોકમાન્યતા છે.

Ambalal Patel Predictions: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઇને અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે બેસશે ચોમાસુ

રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની સંભાવના અને સારા વરસાદની આગાહી ખેડૂતો માટે રાહતના સમાચાર સમાન છે. હાલમાં ખરીફ પાકના વાવેતરની તૈયારી કરી રહેલા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો આગાહી મુજબ વરસાદ વરસશે તો ખેતીને મોટો ફાયદો થશે.

Breaking News : અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી? વિજ્ઞાન જાથાના વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત

બીજી તરફ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અલનીનો જેવી વૈશ્વિક આબોહવા ઘટનાઓના કારણે હવામાનમાં અણધાર્યા ફેરફારો જોવા મળ્યા છે.

Breaking News: ચોમાસા પર આગાહી કરનાર ગુજરાતનાં બાબા વેંગા પર વિજ્ઞાન જાથાઓ બગડ્યા

રાજકોટમાં વિજ્ઞાન જાથાએ વરસાદ અને હવામાન અંગે આગાહી કરતા આગાહીકારો સામે સવાલો ઉઠાવ્યા છે. જૂનાગઢમાં થયેલા સંમેલનમાં કરાયેલી વાવણીલાયક વરસાદની આગાહીઓને બેબુનિયાદ ગણાવતા વિજ્ઞાન જાથાએ દાવો કર્યો છે કે આવી આગાહીઓ વૈજ્ઞાનિક આધાર વિના કરવામાં આવે છે.

રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી રાજ્યમાં બેસી જશે વિધિવત ચોમાસુ

રાજ્યમાં આ વર્ષે ચોમાસુ ખેંચાયુ છે અને વરસાદ માટે પણ ઘણી રાહ જોવી પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલે રાજ્યમાં વિધિવત ચોમાસુ ક્યારે બેસશે અને ક્યા ક્યાં વરસાદ થશે તે અંગે મોટી આગાહી કરી છે.

El Nino Alert : ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અંબાલાલ પટેલની નવી આગાહી, અલ નીનોની અસરને લઈને પણ ચેતવણી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, ગુજરાતમાં 20 જૂન બાદ ચોમાસુ સક્રિય બનશે, અને જૂનના અંતમાં સારો વરસાદ જોવા મળશે. જોકે, અલ નીનોની અસરને કારણે વરસાદના વિતરણમાં અસમાનતા અને સરેરાશ ઘટાડો થઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં થશે બારે મેઘ ખાંગા

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની સ્થિતિ અને આગામી દિવસોના વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર હાલમાં સતત આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાની પ્રગતિમાં અસર કરી રહ્યા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સારા વરસાદમાં વિલંબ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા

રાજ્યના વાતાવરણને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં 8 અને 9 જૂને ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અતિવૃષ્ટિ પ્રકારનો ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

Gujarat Weather: અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી

ગુજરાતમાં ફરી આકરી ગરમીનો માહોલ સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહીસાગરમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી કરી છે. સાથે જ 30 અને 31 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની શક્યતા પણ વ્યક્ત કરી છે.

  • Nishat
  • Updated on: May 26, 2026
  • 2:36 pm
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
g clip-path="url(#clip0_868_265)">