AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું નામ આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. તેમનું પુરુ નામ અંબાલાલ દામોદરદાસ પટેલ છે. ખાસ કરીને તેમની પાસેથી ચોમાસું કેવું રહેશે એની જાણકારી મેળવવા ખેડૂત સહિતના લોકો તેમનાં અનુમાન પર કાન માંડીને બેઠા હોય છે. અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. અંબાલાલ પટેલ ઍગ્રિકલ્ચર ગ્રૅજ્યુએટ છે. તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી ઍગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી છે.

1972 માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા. બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે પણ ફરજ બજાવી છે.

અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષ વિષયમાં રસ ધરાવે છે. એક વાર અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે. ત્યારબાદ તેઓએ જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

અંબાલાલ દામોદરદાસ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે.

Read More

Gujarat Monsoon Update: ગુજરાતમાં અટકી ગયું ચોમાસું! 72 કલાકથી આગળ નથી વધ્યું, હવે ધોધમાર વરસાદ ક્યારે પડશે?

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે, પરંતુ હવે તેની ગતિ ધીમી પડી ગઈ છે. છેલ્લા 72 કલાકથી ચોમાસું સુરત આસપાસ સ્થિર રહ્યું છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધ્યું નથી. પરિણામે અનેક જિલ્લાઓમાં વરસાદની રાહ જોવાઈ રહી છે, જ્યારે અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે.

આનંદો, ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી ઉત્સાહજનક આગાહી, જુઓ વીડિયો

અંબાલાલ પટેલના જણાવ્યાનુંસાર આદરા નક્ષત્ર દરમિયાન વરસાદ આવવો એ ચોમાસા માટે સારો સંકેત માનવામાં આવે છે. જ્યારે મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન વાવેતર માટે પરિસ્થિતિ અનુકૂળ ન ગણાતી હોવાની લોકમાન્યતા છે.

Ambalal Patel Predictions: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઇને અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે બેસશે ચોમાસુ

રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની સંભાવના અને સારા વરસાદની આગાહી ખેડૂતો માટે રાહતના સમાચાર સમાન છે. હાલમાં ખરીફ પાકના વાવેતરની તૈયારી કરી રહેલા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો આગાહી મુજબ વરસાદ વરસશે તો ખેતીને મોટો ફાયદો થશે.

Breaking News : અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી? વિજ્ઞાન જાથાના વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત

બીજી તરફ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અલનીનો જેવી વૈશ્વિક આબોહવા ઘટનાઓના કારણે હવામાનમાં અણધાર્યા ફેરફારો જોવા મળ્યા છે.

Breaking News: ચોમાસા પર આગાહી કરનાર ગુજરાતનાં બાબા વેંગા પર વિજ્ઞાન જાથાઓ બગડ્યા

રાજકોટમાં વિજ્ઞાન જાથાએ વરસાદ અને હવામાન અંગે આગાહી કરતા આગાહીકારો સામે સવાલો ઉઠાવ્યા છે. જૂનાગઢમાં થયેલા સંમેલનમાં કરાયેલી વાવણીલાયક વરસાદની આગાહીઓને બેબુનિયાદ ગણાવતા વિજ્ઞાન જાથાએ દાવો કર્યો છે કે આવી આગાહીઓ વૈજ્ઞાનિક આધાર વિના કરવામાં આવે છે.

રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી રાજ્યમાં બેસી જશે વિધિવત ચોમાસુ

રાજ્યમાં આ વર્ષે ચોમાસુ ખેંચાયુ છે અને વરસાદ માટે પણ ઘણી રાહ જોવી પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલે રાજ્યમાં વિધિવત ચોમાસુ ક્યારે બેસશે અને ક્યા ક્યાં વરસાદ થશે તે અંગે મોટી આગાહી કરી છે.

El Nino Alert : ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અંબાલાલ પટેલની નવી આગાહી, અલ નીનોની અસરને લઈને પણ ચેતવણી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, ગુજરાતમાં 20 જૂન બાદ ચોમાસુ સક્રિય બનશે, અને જૂનના અંતમાં સારો વરસાદ જોવા મળશે. જોકે, અલ નીનોની અસરને કારણે વરસાદના વિતરણમાં અસમાનતા અને સરેરાશ ઘટાડો થઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં થશે બારે મેઘ ખાંગા

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની સ્થિતિ અને આગામી દિવસોના વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર હાલમાં સતત આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાની પ્રગતિમાં અસર કરી રહ્યા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સારા વરસાદમાં વિલંબ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા

રાજ્યના વાતાવરણને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં 8 અને 9 જૂને ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અતિવૃષ્ટિ પ્રકારનો ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

Gujarat Weather: અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી

ગુજરાતમાં ફરી આકરી ગરમીનો માહોલ સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહીસાગરમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી કરી છે. સાથે જ 30 અને 31 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની શક્યતા પણ વ્યક્ત કરી છે.

  • Nishat
  • Updated on: May 26, 2026
  • 2:36 pm

Gujarat Weather Breaking: કાળજાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી, હાલ તાપમાનમાં નહીં થાય કોઈ ઘટાડો

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તો બીજી તરફ રાજ્યના તાપમાનમાં હાલ કોઈ ફેરફાર થવાના સંકેત દેખાઈ નથી રહ્યા.

Breaking News : ખેડૂત મિત્રો નોંધજો! વાવાઝોડા સાથે પ્રિ-મોન્સૂન વરસાદની થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની મોટી આગાહી, જુઓ Video

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 19 થી 24 મે દરમિયાન ગુજરાતમાં પ્રી-મોન્સૂન વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. ચોમાસુ 15 જૂન સુધીમાં ગુજરાત પહોંચશે અને આ વખતે અલનીનો હોવા છતાં સારા વરસાદની અપેક્ષા છે.

અંબાલાલ પટેલની આગાહી: ગરમીથી મળશે રાહત, ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના મતે ગુજરાતમાં 16 મે પછી ગરમીથી રાહત મળશે. 18 થી 23 મે દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

Breaking News: અંબાલાલ પટેલનું ગરમીનું એલર્ટ: આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે, અમદાવાદ-ગાંધીનગરમાં હીટવેવ મચાવશે કહેર!

રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં આજથી યેલો અને આવતીકાલથી સતત 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પારો 45 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે.

Breaking News : ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ ક્યારે આવશે વરસાદ ? અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video

અંબાલાલ પટેલના મતે 8 મે પછી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે, જેમાં મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. 15 મે બાદ વાતાવરણમાં પલટો આવશે અને પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેમાં આંધી-વંટોળ સાથે વરસાદની સંભાવના છે.

19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
g clip-path="url(#clip0_868_265)">