AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજીત પવાર

અજીત પવાર

અજિત પવાર એનસીપીના મુખ્ય નેતા છે. મહારાષ્ટ્રના મહત્વના રાજકારણી પણ છે. અજિત પવાર શરદ પવારના ભત્રીજા છે. અજીત પવારને લોકો અજીતદાદાના નામે બોલાવે છે. રાજ્યમાં પાંચ વખત નાયબ મુખ્યમંત્રી પદ સંભાળવાનો રેકોર્ડ તેમના નામે છે. 1991 થી, અજીતદાદા બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં તેમણે લોકસભાની ચૂંટણી પણ લડી હતી. અજીતદાદાએ 2019માં એનસીપીમાં સૌપ્રથમ બળવો કર્યો હતો. તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે હાથ મિલાવ્યા અને વહેલી સવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. આ વખતે તેમને બહુમતી ધારાસભ્યોનું સમર્થન હતું.

જોકે, શરદ પવારે તેમના બળવાને કચડી નાખ્યો હતો. ત્રણ દિવસમાં અજિતદાદાએ રાજીનામું આપ્યું અને ઘરે પાછા ફર્યા. તે પછી અજીતદાદાએ ફરી એકવાર NCPમાં બળવો કર્યો. તેમણે 40 ધારાસભ્યો સાથે NCP છોડી દીધી. તેમણે શિંદે જૂથ અને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને મહાગઠબંધન સરકારમાં જોડાયા છે. 2 જુલાઈ 2023 થી, તેઓ દેવેન્દ્ર ફડણવીસ સાથે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કેબિનેટમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. 2022-23 દરમિયાન, તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કામ કર્યું છે. અજિત પવારે પણ એનસીપી અધ્યક્ષ પદનો દાવો કર્યો છે. તેમને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ રાખવા માટે ચૂંટણી પંચે આદેશ કર્યો છે.

 

Read More

“તારામાં આટલુ ડેરીંગ? હું તારા પર એક્શન લઈશ, મારો ચહેરો તો ખબર છે ને તને…” અજીત પવારે મહિલા DSPને ધમકાવી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારની મહિલા DSP પર ધોંસબાજીનો વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ એક મહિલા IPS ને ધમકાવી રહ્યા છે. સોલાપુરના માઢા તાલુકાના DSP અંજલી કૃષ્ણા ગેરકાયદે રેત ખનન મામલે કાર્યવાહી રોકવાનો આદેશ દેતા જોવા મળ્યા. પોલીસ અધિકારી દ્વારા આ મામલે કાર્યવાહી કરતા તેમને ધમકાવવામાં આવ્યા અને કાર્યવાહી રોકવાનો આદેશ દેવામાં આવ્યો. આ ઘટના 1 સપ્ટેમ્બરની છે અને હજુ આ મામલે કોઈ કાર્યવાહી નથી થઈ.

મહારાષ્ટ્રના કૃષિ પ્રધાનને છેતરપિંડી અંગે કોર્ટે ફટકારી 2 વર્ષની કેદ, 50 હજારનો દંડ

મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના વર્ષો જૂના કોર્ટ કેસને કારણે માણિક રાવની મુશ્કેલીઓ વધી ગઈ છે. નાશિકની જિલ્લા અદાલતે કૃષિ પ્રધાન અને તેમના ભાઈને 2 વર્ષની જેલ અને 50,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. કોર્ટે આ કાર્યવાહી વર્ષ 1995 સાથે જોડાયેલા એક કેસમાં કરી છે.

મહારાષ્ટ્રમાં મંત્રીઓને ખાતાની વહેંચણી, ફડણવીસને મળ્યું ગૃહ વિભાગ, જાણો શિંદે-અજિતને શું મળ્યું?

મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ 15 ડિસેમ્બરે થયું હતું. આ પછી હવે મંત્રીઓના પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવી છે. ચંદ્રશેખર બાવનકુલેને મહેસૂલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. બાવનકુલે મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ છે. હસન મુશ્રીફને મેડિકલ એજ્યુકેશન વિભાગની કમાન સોંપવામાં આવી છે.

Maharashtra Cabinet List : મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, કોણ બન્યા મંત્રી, કોનું કપાયું પત્તું ?

મહારાષ્ટ્ર કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 39 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. આ વખતે ભાજપના સૌથી વધુ 19 મંત્રીઓએ શપથ લીધા, જ્યારે શિવસેના શિંદે જૂથના 11 અને NCP અજિત પવાર જૂથના 9 મંત્રીઓએ શપથ લીધા છે.

મહારાષ્ટ્રમાં અઢી વર્ષનો રહેશે મંત્રીઓનો કાર્યકાળ, આપવી પડશે એફિડેવિટ, સામે આવી ફડણવીસ કેબિનેટના વિસ્તરણની ફોર્મ્યુલા

મહારાષ્ટ્રમાં લાંબા સસ્પેન્સ બાદ રવિવારે દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભાજપ, એનસીપી અને શિંદે જૂથના 39 નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ આ મંત્રીઓનો કાર્યકાળ પાંચ વર્ષનો નહીં, પરંતુ અઢી વર્ષનો રહેશે અને મંત્રીઓએ એફિડેવિટ પણ લખવી પડશે.

Maharastra : મોવડીમંડળે નવા મંત્રીમંડળને આપ્યું ગ્રીન સિગ્નલ, શનિવારે શપથવિધિ, સૌની નજર શિંદે-અજીતના ખાતા પર

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ હવે તમામની નજર કેબિનેટ વિસ્તરણ પર છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી શરૂ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, આવતીકાલે એટલે કે 14મી ડિસેમ્બરે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અજિત પવાર અને એકનાથ શિંદેને કયું મંત્રાલય ફાળવવામાં આવે છે તેના પર સૌની નજર છે?

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">