AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજીત પવાર

અજીત પવાર

અજિત પવાર એનસીપીના મુખ્ય નેતા છે. મહારાષ્ટ્રના મહત્વના રાજકારણી પણ છે. અજિત પવાર શરદ પવારના ભત્રીજા છે. અજીત પવારને લોકો અજીતદાદાના નામે બોલાવે છે. રાજ્યમાં પાંચ વખત નાયબ મુખ્યમંત્રી પદ સંભાળવાનો રેકોર્ડ તેમના નામે છે. 1991 થી, અજીતદાદા બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં તેમણે લોકસભાની ચૂંટણી પણ લડી હતી. અજીતદાદાએ 2019માં એનસીપીમાં સૌપ્રથમ બળવો કર્યો હતો. તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે હાથ મિલાવ્યા અને વહેલી સવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. આ વખતે તેમને બહુમતી ધારાસભ્યોનું સમર્થન હતું.

જોકે, શરદ પવારે તેમના બળવાને કચડી નાખ્યો હતો. ત્રણ દિવસમાં અજિતદાદાએ રાજીનામું આપ્યું અને ઘરે પાછા ફર્યા. તે પછી અજીતદાદાએ ફરી એકવાર NCPમાં બળવો કર્યો. તેમણે 40 ધારાસભ્યો સાથે NCP છોડી દીધી. તેમણે શિંદે જૂથ અને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને મહાગઠબંધન સરકારમાં જોડાયા છે. 2 જુલાઈ 2023 થી, તેઓ દેવેન્દ્ર ફડણવીસ સાથે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કેબિનેટમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. 2022-23 દરમિયાન, તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કામ કર્યું છે. અજિત પવારે પણ એનસીપી અધ્યક્ષ પદનો દાવો કર્યો છે. તેમને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ રાખવા માટે ચૂંટણી પંચે આદેશ કર્યો છે.

 

Read More

Maharashtra Assembly By Polls Result 2026 : સ્વ. અજિત પવારના પત્ની સુનેત્રા પવારની ઐતિહાસિક જીત

મહારાષ્ટ્ર વિધાનસભાની બે મહત્વપૂર્ણ પેટાચૂંટણીઓના પરિણામો આજે જાહેર થયા છે. બારામતી અને રાહુરી વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં મહાયુતિનો વિજય થયો છે.

Breaking News : સુનેત્ર પવાર NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા, કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ રહેશે

રાષ્ટ્રવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સુનેત્રા પવાર પર આવી છે. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ રહેશે. જ્યારે મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સાંસદ સુનીલ તટકરે પાસે રહેશે. સુનેત્રા પવારના નામની જાહેરાત પ્રફુલ્લ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Breaking News : અજીત દાદાની હત્યા! અગ્રણી નેતાને ટાંકીને રોહિત પવારનો સનસનાટીભર્યો દાવો, જુઓ Video

ધારાસભ્ય રોહિત પવારે ઉપમુખમંત્રી અજિત પવારના પ્લેન ક્રેશને હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે પાઇલટ અને ફ્લાઇટ બુકિંગ સહિત અનેક શંકાસ્પદ મુદ્દાઓ રજૂ કર્યા.

Breaking News : 8 હજાર પોલીસ કર્મચારી અને હાઈસિક્યોરિટી ઝોન વચ્ચે થઈ 25 થી 30 લાખના સોનાની ચોરી

બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર દરમિયાન લાખોની ભીડમાં ચોરોએ 25-30 લાખના ઘરેણાની ચોરી કરી હતી. અહી 8 હજાર પોલીસ કર્મચારીઓ હાજર હતા. આટલી કડક સુરક્ષા વચ્ચે આટલી મોટી ચોરીની ઘટના સામે આવતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

Breaking News : મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ

સુનેત્રા પવારે આખરે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મહારાષ્ટ્રને હવે તેના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા.

Sunetra Pawar: મહારાષ્ટ્રમાં જો સુનેત્રા પવાર ડિપ્ટી CM બને છે તો મહારાષ્ટ્રમાં બનશે આ કીર્તિમાન

મહારાષ્ટ્રમાં અજીત પવાર બારામતી પ્લેન દુર્ઘટનામાં મોત બાદ તેમના ઉત્તરાધિકારીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યુ છે કે તેમના દાદા પવારન વિરાસતને હવે કોણ સંભાળશે? પવાર પરિવાર આવી પડેલી આપત્તિ વચ્ચે તેમની પત્ની સુનેત્રા પવારના નામને ડિપ્ટી સીએમ માટે આગળ કરવામાં આવ્યુ છે. ચર્ચા છે કે તેઓ ડિપ્ટી સીએમ સાથે પાર્ટીના અધ્યક્ષનું પદ પણ સંભાળી શકે છે.

Breaking News: સુનેત્રા પવાર મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ બનવા માટે તૈયાર, શનિવારે લઈ શકે છે શપથ- સૂત્ર

અજિત પવારના આકસ્મિક અવસાન બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનું પદ ખાલી પડ્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારના પત્ની સુનેત્રા પવાર આવતીકાલે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જો સુનેત્રા પવાર શપથ લેશે, તો મહારાષ્ટ્રને પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી મળશે. શુક્રવારે, NCP નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી અને સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાની માંગ કરી.

Ajit Pawar Plane Crash : બારામતીમાં DyCM અજિત પવારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાયા

28 જાન્યુઆરી 2026ની વહેલી સવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું હતુ. આ અકસ્માતમાં અજિત પવાર, વિમાનમાં સવાર તમામ પાંચ લોકો સાથે મૃત્યુ પામ્યા હતા. આજે અજિત પવારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Breaking News : બારામતી પ્લેન ક્રેશનો મોટો ખુલાસો! પ્લેન ક્રેશ પહેલાનું સુરત કનેક્શન સામે આવ્યુ

VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું આ ચાર્ટર્ડ Learjet-45 વિમાન 25 અને 26 જાન્યુઆરી 2026ના રોજ સુરત એરપોર્ટ પર પાર્ક હતું. આ દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં યોજાયેલા સેલિબ્રિટી કાર્યક્રમમાં મહેમાનોના આવાગમન માટે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Breaking News : અજિત પવારના નિધનને લઈ શરદ પવારનું નિવેદન, રાજકારણ કરતાં લોકોને શું કહ્યું, જાણો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે, જેનાથી રાજ્ય શોકગ્રસ્ત છે. શરદ પવારે આ ઘટનાને રાજ્ય માટે અપુરણીય ક્ષતિ ગણાવી અને રાજકારણ ન કરવાની અપીલ કરી.

અજીત પવારના અવસાન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાતો પ્રશ્ન હવે શું ? NCPના સુપ્રીમો કોણ ? એનસીપી અજીત જૂથની કમાન કોણ સંભાળશે ?

એનસીપીના બે ભાગલા પાડીને, અજિત પવાર 2023 માં તેમના કાકા શરદ પવાર અને બહેન સુપ્રિયા સુલેથી રાજકીય રીતે અલગ થઈ ગયા હતા અને ભાજપ-શિવસેના ગઠબંધનમાં જોડાયા હતા. હવે, અજિત પવારના એકાએક અવસાનથી મહાયુતિ (ભાજપ-શિવસેના-NCP) માં સત્તાનું સંતુલન ખોરવાઈ શકે છે.

Maharashtra Plane Crash: શું છે બ્લેક બોક્સ, પ્લેન ક્રેશ પછી કેમ મહત્વનું હોય છે બ્લેક બોક્સ?

આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. ત્યારબાદ, બ્લેક બોક્સ દ્વારા અકસ્માતનું કારણ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તો, ચાલો જોઈએ કે બ્લેક બોક્સ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. બ્લેક બોક્સ કોઈપણ હવાઈ અકસ્માતના રહસ્યને કેવી રીતે ઉકેલવામાં મદદ કરે છે?

Breaking News: ‘ગાઢ ધુમ્મસ’ બન્યું પ્લેન ક્રેશનું કારણ! બારામતીમાં પ્લેન વિમાન દુર્ઘટનાને લગતા CCTV આવ્યા સામે, જુઓ Video

મહારાષ્ટ્રના બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાને લગતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.

Ajit Pawar Plane Crash Death : અજિત પવારની રાજકીય સફર, સત્તા, સંઘર્ષ અને વિવાદો વિશે આ વાતો જાણો

મહારાષ્ટ્રની રાજનીતિનો મુખ્ય ચેહરામાં સામેલ અજિત પવાર લાંબા સમયથી રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવતા હતા. આજે વહેલા સવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મૃત્યું થયું છે. તો આજે આપણે અજિત પવારની રાજકીય સફર વિશે જાણીએ.

Breaking News Ajit Pawar NetWorth: રાજનીતિના ‘ધુરંધર’ અજિત પવાર છે કરોડોના માલિક, આટલી બધી સંપત્તિ કેવી રીતે કમાઈ?

Ajit Pawar Property Income Source: મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મૃત્યું થયું છે. તેમની પાસે કરોડો રુપિયા છે. જો કે તેમણે આટલી બધી સંપત્તિ કેવી રીતે કમાઈ તેની વિગતવાર માહિતી આપણે જાણવા જઈ રહ્યા છીએ.

અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
g clip-path="url(#clip0_868_265)">