અજીત પવાર
અજિત પવાર એનસીપીના મુખ્ય નેતા છે. મહારાષ્ટ્રના મહત્વના રાજકારણી પણ છે. અજિત પવાર શરદ પવારના ભત્રીજા છે. અજીત પવારને લોકો અજીતદાદાના નામે બોલાવે છે. રાજ્યમાં પાંચ વખત નાયબ મુખ્યમંત્રી પદ સંભાળવાનો રેકોર્ડ તેમના નામે છે. 1991 થી, અજીતદાદા બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં તેમણે લોકસભાની ચૂંટણી પણ લડી હતી. અજીતદાદાએ 2019માં એનસીપીમાં સૌપ્રથમ બળવો કર્યો હતો. તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે હાથ મિલાવ્યા અને વહેલી સવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. આ વખતે તેમને બહુમતી ધારાસભ્યોનું સમર્થન હતું.
જોકે, શરદ પવારે તેમના બળવાને કચડી નાખ્યો હતો. ત્રણ દિવસમાં અજિતદાદાએ રાજીનામું આપ્યું અને ઘરે પાછા ફર્યા. તે પછી અજીતદાદાએ ફરી એકવાર NCPમાં બળવો કર્યો. તેમણે 40 ધારાસભ્યો સાથે NCP છોડી દીધી. તેમણે શિંદે જૂથ અને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને મહાગઠબંધન સરકારમાં જોડાયા છે. 2 જુલાઈ 2023 થી, તેઓ દેવેન્દ્ર ફડણવીસ સાથે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કેબિનેટમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. 2022-23 દરમિયાન, તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કામ કર્યું છે. અજિત પવારે પણ એનસીપી અધ્યક્ષ પદનો દાવો કર્યો છે. તેમને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ રાખવા માટે ચૂંટણી પંચે આદેશ કર્યો છે.
Breaking News : 8 હજાર પોલીસ કર્મચારી અને હાઈસિક્યોરિટી ઝોન વચ્ચે થઈ 25 થી 30 લાખના સોનાની ચોરી
બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર દરમિયાન લાખોની ભીડમાં ચોરોએ 25-30 લાખના ઘરેણાની ચોરી કરી હતી. અહી 8 હજાર પોલીસ કર્મચારીઓ હાજર હતા. આટલી કડક સુરક્ષા વચ્ચે આટલી મોટી ચોરીની ઘટના સામે આવતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
- Nirupa Duva
- Updated on: Feb 2, 2026
- 11:21 am
Breaking News : મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ
સુનેત્રા પવારે આખરે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મહારાષ્ટ્રને હવે તેના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા.
- Sagar Solanki
- Updated on: Jan 31, 2026
- 5:17 pm
Sunetra Pawar: મહારાષ્ટ્રમાં જો સુનેત્રા પવાર ડિપ્ટી CM બને છે તો મહારાષ્ટ્રમાં બનશે આ કીર્તિમાન
મહારાષ્ટ્રમાં અજીત પવાર બારામતી પ્લેન દુર્ઘટનામાં મોત બાદ તેમના ઉત્તરાધિકારીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યુ છે કે તેમના દાદા પવારન વિરાસતને હવે કોણ સંભાળશે? પવાર પરિવાર આવી પડેલી આપત્તિ વચ્ચે તેમની પત્ની સુનેત્રા પવારના નામને ડિપ્ટી સીએમ માટે આગળ કરવામાં આવ્યુ છે. ચર્ચા છે કે તેઓ ડિપ્ટી સીએમ સાથે પાર્ટીના અધ્યક્ષનું પદ પણ સંભાળી શકે છે.
- Mina Pandya
- Updated on: Jan 30, 2026
- 8:06 pm
Breaking News: સુનેત્રા પવાર મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ બનવા માટે તૈયાર, શનિવારે લઈ શકે છે શપથ- સૂત્ર
અજિત પવારના આકસ્મિક અવસાન બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનું પદ ખાલી પડ્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારના પત્ની સુનેત્રા પવાર આવતીકાલે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જો સુનેત્રા પવાર શપથ લેશે, તો મહારાષ્ટ્રને પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી મળશે. શુક્રવારે, NCP નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી અને સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાની માંગ કરી.
- Mina Pandya
- Updated on: Jan 30, 2026
- 7:48 pm
Ajit Pawar Plane Crash : બારામતીમાં DyCM અજિત પવારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાયા
28 જાન્યુઆરી 2026ની વહેલી સવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું હતુ. આ અકસ્માતમાં અજિત પવાર, વિમાનમાં સવાર તમામ પાંચ લોકો સાથે મૃત્યુ પામ્યા હતા. આજે અજિત પવારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
- Nirupa Duva
- Updated on: Jan 29, 2026
- 1:30 pm
Breaking News : બારામતી પ્લેન ક્રેશનો મોટો ખુલાસો! પ્લેન ક્રેશ પહેલાનું સુરત કનેક્શન સામે આવ્યુ
VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું આ ચાર્ટર્ડ Learjet-45 વિમાન 25 અને 26 જાન્યુઆરી 2026ના રોજ સુરત એરપોર્ટ પર પાર્ક હતું. આ દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં યોજાયેલા સેલિબ્રિટી કાર્યક્રમમાં મહેમાનોના આવાગમન માટે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 29, 2026
- 1:26 pm
Breaking News : અજિત પવારના નિધનને લઈ શરદ પવારનું નિવેદન, રાજકારણ કરતાં લોકોને શું કહ્યું, જાણો
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે, જેનાથી રાજ્ય શોકગ્રસ્ત છે. શરદ પવારે આ ઘટનાને રાજ્ય માટે અપુરણીય ક્ષતિ ગણાવી અને રાજકારણ ન કરવાની અપીલ કરી.
- Sagar Solanki
- Updated on: Jan 28, 2026
- 10:30 pm
અજીત પવારના અવસાન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાતો પ્રશ્ન હવે શું ? NCPના સુપ્રીમો કોણ ? એનસીપી અજીત જૂથની કમાન કોણ સંભાળશે ?
એનસીપીના બે ભાગલા પાડીને, અજિત પવાર 2023 માં તેમના કાકા શરદ પવાર અને બહેન સુપ્રિયા સુલેથી રાજકીય રીતે અલગ થઈ ગયા હતા અને ભાજપ-શિવસેના ગઠબંધનમાં જોડાયા હતા. હવે, અજિત પવારના એકાએક અવસાનથી મહાયુતિ (ભાજપ-શિવસેના-NCP) માં સત્તાનું સંતુલન ખોરવાઈ શકે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 28, 2026
- 3:18 pm
Maharashtra Plane Crash: શું છે બ્લેક બોક્સ, પ્લેન ક્રેશ પછી કેમ મહત્વનું હોય છે બ્લેક બોક્સ?
આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. ત્યારબાદ, બ્લેક બોક્સ દ્વારા અકસ્માતનું કારણ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તો, ચાલો જોઈએ કે બ્લેક બોક્સ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. બ્લેક બોક્સ કોઈપણ હવાઈ અકસ્માતના રહસ્યને કેવી રીતે ઉકેલવામાં મદદ કરે છે?
- Sachin Agrawal
- Updated on: Jan 28, 2026
- 2:45 pm
Breaking News: ‘ગાઢ ધુમ્મસ’ બન્યું પ્લેન ક્રેશનું કારણ! બારામતીમાં પ્લેન વિમાન દુર્ઘટનાને લગતા CCTV આવ્યા સામે, જુઓ Video
મહારાષ્ટ્રના બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાને લગતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jan 28, 2026
- 2:03 pm
Ajit Pawar Plane Crash Death : અજિત પવારની રાજકીય સફર, સત્તા, સંઘર્ષ અને વિવાદો વિશે આ વાતો જાણો
મહારાષ્ટ્રની રાજનીતિનો મુખ્ય ચેહરામાં સામેલ અજિત પવાર લાંબા સમયથી રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવતા હતા. આજે વહેલા સવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મૃત્યું થયું છે. તો આજે આપણે અજિત પવારની રાજકીય સફર વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jan 28, 2026
- 1:27 pm
Breaking News Ajit Pawar NetWorth: રાજનીતિના ‘ધુરંધર’ અજિત પવાર છે કરોડોના માલિક, આટલી બધી સંપત્તિ કેવી રીતે કમાઈ?
Ajit Pawar Property Income Source: મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મૃત્યું થયું છે. તેમની પાસે કરોડો રુપિયા છે. જો કે તેમણે આટલી બધી સંપત્તિ કેવી રીતે કમાઈ તેની વિગતવાર માહિતી આપણે જાણવા જઈ રહ્યા છીએ.
- Meera Kansagara
- Updated on: Jan 28, 2026
- 1:16 pm
Ajit Pawar Plane Crash : લેન્ડિંગ માટે પાયલટે ATC પાસે માગી હતી મંજુરી, MAYDAY કોલ આપ્યો હતો, જાણો કોણ છે પ્લેનના કેપ્ટન સુમિત કપૂર અને ફર્સ્ટ ઓફિસર શામ્ભવી પાઠક
માહિતી મળી છે કે પ્લેનમાં ટેકનિકલ ખામી આવતા પાયલટે ATCને જાણ કરી હતી અને બે વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. પ્લેનમાં ટેકનિકલ ખામી હોવાની જાણ એટીસીને કરવામાં આવી હતી.પાયલટે Mayday કોલ પણ આપ્યો હતો. એટીસીની મંજૂરી મળ્યા બાદ પાયલટે પ્લેન લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. જે નિષ્ફળ ગયો અને પ્લેન ક્રેશ થયુ.
- Tanvi Soni
- Updated on: Jan 28, 2026
- 11:40 am
Breaking News : અજીત પવાર જ નહી, આ પ્રમુખ નેતાઓએ પણ વિમાન કે હેલિકોપ્ટર દુર્ઘટનાઓમાં ગુમાવ્યા છે જીવ
ભારતના રાજકીય ઇતિહાસમાં અનેક એવા દુઃખદ પ્રસંગો નોંધાયા છે, જ્યારે દેશના પ્રખ્યાત નેતાઓનું વિમાન અથવા હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. સંજય ગાંધીથી લઈ વિજય રૂપાણી સુધી, આવી દુર્ઘટનાઓએ દેશને હચમચાવી નાખ્યો છે. આ લેખમાં એવા જ મહત્વપૂર્ણ નેતાઓ અને તેમની દુર્ઘટનાઓ વિશે વિગત આપવામાં આવી છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 28, 2026
- 11:05 am
Breaking News : મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત, છેલ્લી ઘડીએ શું થયુ, જુઓ Video
મહારાષ્ટ્રના DyCM અને NCPના વડા અજિત પવારનું મૃત્યું થયું છે. બુધવારે સવારે તેમનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. વિમાન બળીને ખાખ થઈ ગયું હતું. તેમાં સવાર છ લોકોના મોત થયા હતા.
- Nirupa Duva
- Updated on: Jan 28, 2026
- 10:39 am