અજીત પવાર
અજિત પવાર એનસીપીના મુખ્ય નેતા છે. મહારાષ્ટ્રના મહત્વના રાજકારણી પણ છે. અજિત પવાર શરદ પવારના ભત્રીજા છે. અજીત પવારને લોકો અજીતદાદાના નામે બોલાવે છે. રાજ્યમાં પાંચ વખત નાયબ મુખ્યમંત્રી પદ સંભાળવાનો રેકોર્ડ તેમના નામે છે. 1991 થી, અજીતદાદા બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં તેમણે લોકસભાની ચૂંટણી પણ લડી હતી. અજીતદાદાએ 2019માં એનસીપીમાં સૌપ્રથમ બળવો કર્યો હતો. તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે હાથ મિલાવ્યા અને વહેલી સવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. આ વખતે તેમને બહુમતી ધારાસભ્યોનું સમર્થન હતું.
જોકે, શરદ પવારે તેમના બળવાને કચડી નાખ્યો હતો. ત્રણ દિવસમાં અજિતદાદાએ રાજીનામું આપ્યું અને ઘરે પાછા ફર્યા. તે પછી અજીતદાદાએ ફરી એકવાર NCPમાં બળવો કર્યો. તેમણે 40 ધારાસભ્યો સાથે NCP છોડી દીધી. તેમણે શિંદે જૂથ અને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને મહાગઠબંધન સરકારમાં જોડાયા છે. 2 જુલાઈ 2023 થી, તેઓ દેવેન્દ્ર ફડણવીસ સાથે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કેબિનેટમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. 2022-23 દરમિયાન, તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કામ કર્યું છે. અજિત પવારે પણ એનસીપી અધ્યક્ષ પદનો દાવો કર્યો છે. તેમને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ રાખવા માટે ચૂંટણી પંચે આદેશ કર્યો છે.
BMC Election Breaking News: ભાજપ માટે ચિંતા! શિવસેના શિંદે જૂથ અને અજિતદાદા જૂથ લઈ શકે છે મોટું પગલું
મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા જ, મહારાષ્ટ્રના રાજકીય બેડામાંથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, અજિત પવાર જૂથ અને શિવસેનાના શિંદે જૂથે ભાજપને મોટો ફટકો આપ્યો છે. એક મોટો રાજકીય વળાંક આવી રહ્યો હોય તેવું લાગે છે.
- Sachin Agrawal
- Updated on: Jan 12, 2026
- 8:48 pm
“તારામાં આટલુ ડેરીંગ? હું તારા પર એક્શન લઈશ, મારો ચહેરો તો ખબર છે ને તને…” અજીત પવારે મહિલા DSPને ધમકાવી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારની મહિલા DSP પર ધોંસબાજીનો વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ એક મહિલા IPS ને ધમકાવી રહ્યા છે. સોલાપુરના માઢા તાલુકાના DSP અંજલી કૃષ્ણા ગેરકાયદે રેત ખનન મામલે કાર્યવાહી રોકવાનો આદેશ દેતા જોવા મળ્યા. પોલીસ અધિકારી દ્વારા આ મામલે કાર્યવાહી કરતા તેમને ધમકાવવામાં આવ્યા અને કાર્યવાહી રોકવાનો આદેશ દેવામાં આવ્યો. આ ઘટના 1 સપ્ટેમ્બરની છે અને હજુ આ મામલે કોઈ કાર્યવાહી નથી થઈ.
- Mina Pandya
- Updated on: Sep 5, 2025
- 2:29 pm
મહારાષ્ટ્રના કૃષિ પ્રધાનને છેતરપિંડી અંગે કોર્ટે ફટકારી 2 વર્ષની કેદ, 50 હજારનો દંડ
મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના વર્ષો જૂના કોર્ટ કેસને કારણે માણિક રાવની મુશ્કેલીઓ વધી ગઈ છે. નાશિકની જિલ્લા અદાલતે કૃષિ પ્રધાન અને તેમના ભાઈને 2 વર્ષની જેલ અને 50,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. કોર્ટે આ કાર્યવાહી વર્ષ 1995 સાથે જોડાયેલા એક કેસમાં કરી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 20, 2025
- 7:05 pm