AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાનનો જન્મ 14 માર્ચ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતાનું નામ તાહિર હુસૈન અને માતાનું નામ ઝીનત હુસૈન છે. આમિર ખાનને ફૈઝલ ખાન નામનો એક ભાઈ પણ છે. આમિર ખાનની બહેનોના નામ ફરહત ખાન અને નિખત ખાન છે. તેમના પરિવારના ઘણા સભ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેમના પિતા તાહિર હુસૈન ફિલ્મ નિર્માતા હતા. તેમના કાકા નાસિર હુસૈન નિર્માતા-નિર્દેશક હતા. તેના ભત્રીજા ઈમરાન ખાને પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું પરંતુ કરિયરના પિક પર પહોંચ્યા બાદ તેને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું.

લીડ એક્ટર તરીકે આમિર ખાને ‘કયામત સે કયામત તક’ ફિલ્મથી શરૂઆત કરી હતી જે તે સમયની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આ પછી આમિરે ઘણી એવી ફિલ્મો કરી જે બોક્સ ઓફિસ પર સફળ રહી. દિલ, દિલ હૈ કી માનતા નહીં, જો જીતા વોહી સિકંદર, અંદાજ અપના અપના, રંગીલા, રાજા હિન્દુસ્તાની, ગુલામ, સરફરોશ, લગાન, દિલ ચાહતા હૈ, રંગ દે બસંતી, ફના, તારે જમીન પર, ગજની, 3 ઈડિયટ્સ, ધૂમ 3, પીકે, દંગલ, સિક્રેટ સુપરસ્ટાર વગેરે આમિર સુપરહિટ ફિલ્મો છે.

આમિર ખાનને તેની શાનદાર એક્ટિંગ માટે ઘણા એવોર્ડ મળ્યા છે. તેને 2003માં પદ્મશ્રી, 2010માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો, આ સિવાય 2013 માં મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી દ્વારા તેને ડોક્ટરેટની ડિગ્રી પણ આપવામાં આવી હતી. આમિર ખાનની ફિલ્મોને ચીનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ફિલ્મોમાં તેની શાનદાર એક્ટિંગને કારણે 2017માં ચીનની સરકારે તેને નેશનલ ટ્રીઝર ઓફ ઈન્ડિયા સન્માનથી સન્માનિત કર્યો હતો.

આમિર ખાનના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા જેની સાથે તેને બે બાળકો છે. છોકરાનું નામ જુનૈદ અને છોકરીનું નામ ઈરા છે. રીના દત્તાથી છૂટાછેડા પછી આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા. 5 ડિસેમ્બર 2011ના રોજ કપલે આઝાદ રાવ ખાનના જન્મ થયો. 3 જુલાઈ, 2021 ના ​​રોજ આમિરે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી કે તે અને કિરણ છૂટાછેડા લઈ રહ્યા છે.

Read More

આમિર ખાનની પહેલા અને બીજા લગ્ન કેમ તૂટ્યા, બંન્નેની પૂર્વ પત્નીઓ ક્યાં અને શું કરી રહી છે ? જાણો

Aamir Khan Wedding : આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. એવા પણ સમાચાર છે કે, આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટ 5 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ વચ્ચે બધાને એક સવાલ થાય છે કે, આમિર ખાનના પહેલા અને બીજા લગ્ન કેમ તુટ્યા અને બંન્ને પૂર્વ પત્નીઓ શું કરી રહી છે.

Breaking News : 61 વર્ષની ઉંમરે 3 બાળકોનો પિતા આમિર ખાન ત્રીજી વખત ગર્લફ્રેન્ડ સાથે 5 જુલાઈના રોજ લગ્ન કરશે

આમિર ખાને માર્ચ મહિનામાં પોતાના 60માં જન્મદિવસે ગૌરી સ્પ્રૈડને મીડિયા સાથે મુલાકાત કરાવી હતી. જેને જોઈ અનેક લોકો હેરાન રહ્યા હતા પરંતુ હવે ગૌરી અને આમિર ખાન ટુંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

આ અભિનેત્રીએ આમિર ખાન અને અમિતાભ બચ્ચનની 300 કરોડની ફિલ્મને કરી રિજેક્ટ, જાણો કારણ

એવી એક્ટ્રેસ જેણે ટેલિવિઝનથી બોલીવુડ સુધી સફળતા મેળવી છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેણે આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ₹300 કરોડની ફિલ્મ "ઠગ્સ ઓફ હિન્દુસ્તાન" ને નકારી કાઢી હતી.

Breaking News : આમિર ખાને કન્ફોર્મ કર્યુ, ‘3 ઇડિયટ્સ ‘ની સિક્વલ પર ચાલી રહ્યું છે કામ

3 Idiots 2: ચાહકો રાજુ, રાંચો અને ફરહાનની જોડીને જોવા ચાહકો આતુરતા છે. "3 ઇડિયટ્સ" ની સિક્વલ વિશે અપડેટ્સ આવી રહી છે ત્યારથી, ચાહકો ખૂબ જ ખુશ છે. પરંતુ હવે, આમિર ખાને આખરે "3 ઇડિયટ્સ 2" ની પુષ્ટિ કરી છે અને ફિલ્મના પ્લોટ પર એક મજબૂત અપડેટ પણ આપી છે. જાણો તેમણે શું કહ્યું

દીકરો 32 વર્ષે પણ કુંવારો, પિતાએ કર્યા 3 વખત લગ્ન, આવો છે જુનૈદ ખાનનો પરિવાર

આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે, તે સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી સાઈ પલ્લવી સાથે ડેબ્યૂ કરશે. જુનૈદને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યાને બહુ ઓછો સમય થયો છે. જુનૈદ ખાનનો પરિવાર જુઓ.

‘Duologue with Barun Das’ સીઝન 4નો આવતીકાલ 28 ફેબ્રુઆરીએ પ્રીમિયર, જેમાં ઘણા જાણીતા મહેમાનો રહેશે હાજર

‘ડાયલોગ્સ વિથ બરુણ દાસ’ ની ચોથી સીઝન, આવતીકાલ 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રીમિયર થશે. આ શો ફક્ત મનોરંજન જ નહીં, પરંતુ ખૂબ ઊંડા વિચારોનું આદાન-પ્રદાન પણ કરે છે. બરુણ દાસ દ્વારા હોસ્ટ કરાયેલ, આ શોમાં પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી અને ફિલ્મ કલાકાર આમિર ખાન જેવા દિગ્ગજો જોવા મળશે.

હિન્દી બોલવામાં ખચકાટ અનુભવતા આ દિગ્ગજ સ્ટારને લોકોએ કહ્યું, “ભાઈ તારું ઘર હિન્દી ફિલ્મોથી ચાલે છે”

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન આમિર ખાને મરાઠીમાં મત આપવા અપીલ કરી હતી, પરંતુ હિન્દીમાં બોલવાનું કહેવામાં આવતાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

Year Ender 2025 : બોલિવૂડમાં કોની એન્ટ્રી હિટ રહી, કોની ફ્લોપ ? જુઓ ફોટો

Year Ender 2025 : વર્ષ 2025 બોલિવુડમાં અદ્દભૂત રહ્યું છે. આ વર્ષએ ઈન્ડસ્ટ્રીમાં અનેક સ્ટાર કિડ્રસે પોતાના કરિયરની શરુઆત કરી છે. જેમાં કેટલાક સ્ટાર કિડ્સ ચાહકોના દિલમાં જગ્યા બનાવવા સફર રહ્યા છે. તો ચાલો જોઈએ કોણ હિટ અને કોણ ફ્લોપ રહ્યું.

વડાપ્રધાનના જન્મદિવસ પર મુસ્લિમ અભિનેતા આમિર ખાને અપનાવ્યું હિન્દુ રુપ, લોકોએ કહ્યું નૌટંકીબાજ

એક સમયે કહ્યું ભારતમાં સુરક્ષિત નથી, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી મુસ્લિમ અભિનેતા ટ્રોલ થયો છે, જ્યારે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. ત્યારે આ મુસ્લિમ અભિનેતા કાંઈ બોલ્યો ન હતો.

આ છે બોલિવૂડના 6 સૌથી મોંઘા છૂટાછેડા, એલિમની જાણી હોશ ઉડી જશે

આજે અમે તમને બોલિવૂડના આવા 6 છૂટાછેડા વિશે જણાવીશું, જેમાં સૌથી વધુ ભરણપોષણ આપવામાં આવ્યું હતું.

Breaking News : આમિર ખાને ત્રીજા લગ્નને લઈ ખુલાસો કર્યો, હું ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું અમે પાર્ટનર છીએ

આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર હાલમાં રિલીઝ થઈ છે. તેમજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને સારી એવી કમાણી પણ કરી રહી છે. આ વચ્ચે આમિર ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આમિરે ગૌરી સાથે લગ્નને લઈ શું ખુલાસો કર્યો છે.

હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">