ભારત-પાકિસ્તાન તણાવ પર શાહરુખ, સલમાન, આમિર અને સૈફ ચૂપ કેમ? કઈ વાતનો સતાવી રહ્યો ડર !
શાહરુખ ખાને સ્વદેશ, આમિરે સરફરોઝ, સલમાને એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ અને સૈફ અલી ખાને LOC કારગીલ જેવી ઘણી દેશભક્તિ ફિલ્મો કરી છે અને ફિલ્મોના હીરો રિયલ લાઈફમાં એક મેસેજ કરવામાં કેમ ડરી રહ્યા છે? કે પછી ફિલ્મોમાં પૈસા લઈને કામ કરનારા આ 4 ખાનને દેશ માટે એક મેસેજ કરવા માટે પણ પૈસા જોઈએ છે !

પહેલગામ હુમલાથી લઈને ‘ઓપરેશન સિંદૂર’ અને પછી ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. પાકિસ્તાની નાપાક હરકતનો ભારત આકરા હુમલા કરીને જવાબ આપી રહ્યો છે અને બન્ને દેશો વચ્ચે તણાવ બાદ દેશના દરકે લોકોના મનમાં પાકિસ્તાન પ્રત્યેનો ગુસ્સો સોશિયલ મીડિયામાં છલકાય રહ્યો છે, ત્યારે બોલિવુડન મોટા ખાન સ્ટાર્સ એવા શાહરુખ, સલમાન, આમિર અને સૈફ અલી ખાન ચૂપ કેમ?
તમને જણાવી દઈએ આ ચાર ખાન તેમના સોશિયલ મીડિયા પર અવાર નવાર પોસ્ટ કરીને ફેન્સ સાથે નાની મોટી ખુશીઓ અને દુ:ખ શેર કરતા રહે છે ત્યારે ‘ઓપરેશન સિંદૂર’ અને પાકિસ્તાનના નાપાક હુમલાના પ્રયાસ પર આ ખાન અભિનેતાઓ ચૂપ કેમ થઈ ગયા છે .
ભારત-પાકના તણાવ પર આ 4 ખાન ચૂપ કેમ?
આ એ જ 4 ખાન છે જે ભારતમાં રહે છે, ભારતમાં કમાય છે અને ભારતનું ખાય છે ત્યારે દેશના પક્ષમાં બોલવાની વાત આવી ત્યારે આ 4 ખાનના મોઢે તાડા કેમ વાગી ગયા! શાહરુખ ખાને સ્વદેશ, આમિરે સરફરોઝ, સલમાને એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ અને સૈફ અલી ખાને LOC કારગીલ જેવી ઘણી દેશભક્તિ ફિલ્મો કરી છે અને ફિલ્મોના હીરો રિયલ લાઈફમાં એક મેસેજ કરવામાં કેમ ડરી રહ્યા છે? કે પછી ફિલ્મોમાં પૈસા લઈને કામ કરનારા આ 4 ખાનને દેશ માટે એક મેસેજ કરવા માટે પણ પૈસા જોઈએ છે !
મુસલમાન ફેન ફોલોવિંગ ઘટી જવાનો છે ડર?
શું આ 4 ખાનને તેમની ફેન ફોલોવિંગ ઓછી થઈ જવાનો ડર સતાવી રહ્યો છે કારણ કે, જો આ 4 ખાન પાકિસ્તાન વિરુદ્ધ કઈ બોલે છે કે પછી હિન્દુના પક્ષમાં પણ કઈ બોલી દે છે તો તેમની મુસલમાન ફેન ફોલોવિંગ ઘટી શકે છે ત્યારે શું આ જ ડરથી હજુ સુધી આ અભિનેતાઓ કઈ બોલી નથી રહ્યા ?
‘પાકિસ્તાન’ કે ‘હિન્દુ’ શબ્દનો ઉલ્લેખ કરતા ડરે છે આ 4 ખાન !
બીજી વાત કરીએ તો જ્યારે પહેલગામ હુમલો થયો ત્યારે શાહરુખ ખાને તેના બીજા દિવસે પોસ્ટ કરી હતી જોકે તે માત્ર એક દેખાડો હતો કે તેની સાંતવના મરી ગયેલા લોકોના પરિવાર સાથે છે પણ આખા ટ્વિટમાં શાહરુખ ખાને કેમ ‘પાકિસ્તાન’ કે ‘હિન્દુ’ શબ્દનો ખુલીને ઉલ્લેખ નથી કર્યો. શાહરુખનું આ ટ્વિટ પણ તમે જોઈ શકો છો.
Words fail to express the sadness and anger at the treachery and inhumane act of violence that has occurred in Pahalgam. In times like these, one can only turn to God and say a prayer for the families that suffered and express my deepest condolences. May we as a Nation, stand…
— Shah Rukh Khan (@iamsrk) April 23, 2025
તેેમજ તે ઘટના બાદ દેશમાં છેલ્લા 4 દિવસ યુદ્ધને લઈને તણાવની સ્થિતિ છે ત્યારે ના તો શાહરુખે કોઈ પોસ્ટ મુકી છે, ના તો સલમાન અને ના આમિર કે સૈફ અલી ખાન. ત્યારે શાહરુખ સહિત આ 3 ખાનની ચૂપ્પી શું દેશ સાથે ગદ્દારી નથી?