AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-પાકિસ્તાન તણાવ પર શાહરુખ, સલમાન, આમિર અને સૈફ ચૂપ કેમ? કઈ વાતનો સતાવી રહ્યો ડર !

શાહરુખ ખાને સ્વદેશ, આમિરે સરફરોઝ, સલમાને એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ અને સૈફ અલી ખાને LOC કારગીલ જેવી ઘણી દેશભક્તિ ફિલ્મો કરી છે અને ફિલ્મોના હીરો રિયલ લાઈફમાં એક મેસેજ કરવામાં કેમ ડરી રહ્યા છે? કે પછી ફિલ્મોમાં પૈસા લઈને કામ કરનારા આ 4 ખાનને દેશ માટે એક મેસેજ કરવા માટે પણ પૈસા જોઈએ છે !

ભારત-પાકિસ્તાન તણાવ પર શાહરુખ, સલમાન, આમિર અને સૈફ ચૂપ કેમ? કઈ વાતનો સતાવી રહ્યો ડર !
Why 4 khans are silent on India Pakistan tensions
| Updated on: May 10, 2025 | 4:52 PM
Share

પહેલગામ હુમલાથી લઈને ‘ઓપરેશન સિંદૂર’ અને પછી ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. પાકિસ્તાની નાપાક હરકતનો ભારત આકરા હુમલા કરીને જવાબ આપી રહ્યો છે અને બન્ને દેશો વચ્ચે તણાવ બાદ દેશના દરકે લોકોના મનમાં પાકિસ્તાન પ્રત્યેનો ગુસ્સો સોશિયલ મીડિયામાં છલકાય રહ્યો છે, ત્યારે બોલિવુડન મોટા ખાન સ્ટાર્સ એવા શાહરુખ, સલમાન, આમિર અને સૈફ અલી ખાન ચૂપ કેમ?

તમને જણાવી દઈએ આ ચાર ખાન તેમના સોશિયલ મીડિયા પર અવાર નવાર પોસ્ટ કરીને ફેન્સ સાથે નાની મોટી ખુશીઓ અને દુ:ખ શેર કરતા રહે છે ત્યારે ‘ઓપરેશન સિંદૂર’ અને પાકિસ્તાનના નાપાક હુમલાના પ્રયાસ પર આ ખાન અભિનેતાઓ ચૂપ કેમ થઈ ગયા છે .

ભારત-પાકના તણાવ પર આ 4 ખાન ચૂપ કેમ?

આ એ જ 4 ખાન છે જે ભારતમાં રહે છે, ભારતમાં કમાય છે અને ભારતનું ખાય છે ત્યારે દેશના પક્ષમાં બોલવાની વાત આવી ત્યારે આ 4 ખાનના મોઢે તાડા કેમ વાગી ગયા! શાહરુખ ખાને સ્વદેશ, આમિરે સરફરોઝ, સલમાને એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ અને સૈફ અલી ખાને LOC કારગીલ જેવી ઘણી દેશભક્તિ ફિલ્મો કરી છે અને ફિલ્મોના હીરો રિયલ લાઈફમાં એક મેસેજ કરવામાં કેમ ડરી રહ્યા છે? કે પછી ફિલ્મોમાં પૈસા લઈને કામ કરનારા આ 4 ખાનને દેશ માટે એક મેસેજ કરવા માટે પણ પૈસા જોઈએ છે !

મુસલમાન ફેન ફોલોવિંગ ઘટી જવાનો છે ડર?

શું આ 4 ખાનને તેમની ફેન ફોલોવિંગ ઓછી થઈ જવાનો ડર સતાવી રહ્યો છે કારણ કે, જો આ 4 ખાન પાકિસ્તાન વિરુદ્ધ કઈ બોલે છે કે પછી હિન્દુના પક્ષમાં પણ કઈ બોલી દે છે તો તેમની મુસલમાન ફેન ફોલોવિંગ ઘટી શકે છે ત્યારે શું આ જ ડરથી હજુ સુધી આ અભિનેતાઓ કઈ બોલી નથી રહ્યા ?

‘પાકિસ્તાન’ કે ‘હિન્દુ’ શબ્દનો ઉલ્લેખ કરતા ડરે છે આ 4 ખાન !

બીજી વાત કરીએ તો જ્યારે પહેલગામ હુમલો થયો ત્યારે શાહરુખ ખાને તેના બીજા દિવસે પોસ્ટ કરી હતી જોકે તે માત્ર એક દેખાડો હતો કે તેની સાંતવના મરી ગયેલા લોકોના પરિવાર સાથે છે પણ આખા ટ્વિટમાં શાહરુખ ખાને કેમ ‘પાકિસ્તાન’ કે ‘હિન્દુ’ શબ્દનો ખુલીને ઉલ્લેખ નથી કર્યો. શાહરુખનું આ ટ્વિટ પણ તમે જોઈ શકો છો.

તેેમજ તે ઘટના બાદ દેશમાં છેલ્લા 4 દિવસ યુદ્ધને લઈને તણાવની સ્થિતિ છે ત્યારે ના તો શાહરુખે કોઈ પોસ્ટ મુકી છે, ના તો સલમાન અને ના આમિર કે સૈફ અલી ખાન.  ત્યારે શાહરુખ સહિત આ 3 ખાનની ચૂપ્પી શું દેશ સાથે ગદ્દારી નથી?

પાકિસ્તાન પાસે કેટલા દિવસનો ખોરાક-પાણી અને તેલ..યુદ્ધ લાંબુ ચાલ્યું તો ભૂખે મરી જશે પાકિસ્તાનીઓ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">