Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Malaria Day: મચ્છરોના મોઢામાં હોય છે 47 દાંત,’O’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને વધારે કરડે છે, જાણો આવા જ રોચક તથ્યો

World Malaria Day 2023: મેલેરિયા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ રોગ માદા મચ્છરના કરડવાથી થાય છે. ચાલો જાણીએ મચ્છરો સંબંધિત રસપ્રદ તથ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 4:19 PM
 World Malaria Day: દર વર્ષે 25 એપ્રિલના રોજ 'વિશ્વ મેલેરિયા દિવસ' મચ્છરોથી થતા ગંભીર રોગ એટલે કે મેલેરિયા વિશે લોકોમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આ રોગ માદા એનોફિલિઝ મચ્છરના કરડવાથી થાય છે. જો તેની સારવાર યોગ્ય સમયે શરૂ કરવામાં આવે તો દર્દી બેથી પાંચ દિવસમાં સાજો થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મચ્છરને ખતરનાક પ્રાણી અને સાપ કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. ચાલો જાણીએ મચ્છરો સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.Image Source: Pixabay

World Malaria Day: દર વર્ષે 25 એપ્રિલના રોજ 'વિશ્વ મેલેરિયા દિવસ' મચ્છરોથી થતા ગંભીર રોગ એટલે કે મેલેરિયા વિશે લોકોમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આ રોગ માદા એનોફિલિઝ મચ્છરના કરડવાથી થાય છે. જો તેની સારવાર યોગ્ય સમયે શરૂ કરવામાં આવે તો દર્દી બેથી પાંચ દિવસમાં સાજો થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મચ્છરને ખતરનાક પ્રાણી અને સાપ કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. ચાલો જાણીએ મચ્છરો સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.Image Source: Pixabay

1 / 6
મચ્છરોની ત્રણ હજાર પ્રજાતિઓ છે, જે અન્ય જીવો કરતાં વધુ રોગો ફેલાવે છે. માદા મચ્છર એક સમયે 300 જેટલા ઈંડા મૂકે છે. નર મચ્છર 10 દિવસ જીવે છે જ્યારે માદા આઠ અઠવાડિયા જીવે છે.Image Source: Freepik

મચ્છરોની ત્રણ હજાર પ્રજાતિઓ છે, જે અન્ય જીવો કરતાં વધુ રોગો ફેલાવે છે. માદા મચ્છર એક સમયે 300 જેટલા ઈંડા મૂકે છે. નર મચ્છર 10 દિવસ જીવે છે જ્યારે માદા આઠ અઠવાડિયા જીવે છે.Image Source: Freepik

2 / 6
તમને જાણીને નવાઈ લાગશે કે મચ્છરને છ પગ અને મોઢામાં  47 દાંત હોય છે. તેઓ મોટે ભાગે 'O' બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને વધારે કરડે છે. Image Source: Pixabay

તમને જાણીને નવાઈ લાગશે કે મચ્છરને છ પગ અને મોઢામાં 47 દાંત હોય છે. તેઓ મોટે ભાગે 'O' બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને વધારે કરડે છે. Image Source: Pixabay

3 / 6
રિસર્ચ કહે છે કે જો તમે બીયરના શોખીન છો તો મચ્છર ચોક્કસ તમને નિશાન બનાવશે. મચ્છર એક સમયે તમારા શરીરમાંથી 0.001 થી 0.1 મિલી લોહી ચૂસી શકે છે.Image Source: Freepik

રિસર્ચ કહે છે કે જો તમે બીયરના શોખીન છો તો મચ્છર ચોક્કસ તમને નિશાન બનાવશે. મચ્છર એક સમયે તમારા શરીરમાંથી 0.001 થી 0.1 મિલી લોહી ચૂસી શકે છે.Image Source: Freepik

4 / 6
સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે મચ્છરોની યાદશક્તિ ઘણી તેજ હોય ​​છે. જો તમે મચ્છરને મારવાનો પ્રયાસ કરશો, તો તે આગામી 24 કલાક સુધી તમારી આસપાસ ભટકશે નહીં.Image Source: Freepik

સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે મચ્છરોની યાદશક્તિ ઘણી તેજ હોય ​​છે. જો તમે મચ્છરને મારવાનો પ્રયાસ કરશો, તો તે આગામી 24 કલાક સુધી તમારી આસપાસ ભટકશે નહીં.Image Source: Freepik

5 / 6
માણસને નર નહી, પણ માદા મચ્છર કરડે છે. કારણ કે તેના ઇંડાના વિકાસ માટે માદા મચ્છરને પ્રોટીનની જરૂર હોય છે, જે તેને માનવ રક્તમાંથી મળે છે.Image Source: Pixabay

માણસને નર નહી, પણ માદા મચ્છર કરડે છે. કારણ કે તેના ઇંડાના વિકાસ માટે માદા મચ્છરને પ્રોટીનની જરૂર હોય છે, જે તેને માનવ રક્તમાંથી મળે છે.Image Source: Pixabay

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">