AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘોડાના પગમાં લોખંડની નાળ કેમ લગાવવામાં આવે છે? જાણો તેની પાછળનું કારણ

આપણે ઘણીવાર ઘોડાના પગમાં લોખંડની નાળ લગાવેલી જોઈએ છે, પરંતુ શું તમે જાણો છો કે જો આ નાળ ન લગાવાય તો ઘોડો દોડવાનું તો દૂર, ચાલી પણ નહીં શકે!

| Updated on: Jul 06, 2026 | 4:47 PM
Share
દુનિયાના સૌથી શક્તિશાળી અને ઝડપી પ્રાણીઓમાં જેની ગણતરી થાય છે તે ઘોડાના પગમાં લોખંડની નાળ કેમ લગાવવામાં આવે છે, તેવો પ્રશ્ન આપણને ક્યારેક ને ક્યારેક જરૂર થાય છે. ઘણા લોકો તેને માત્ર એક પરંપરા માને છે, તો વળી કેટલાક લોકો તેને નસીબ ચમકાવવા માટે ઘરના દરવાજે પણ લગાવે છે. પરંતુ હકીકત એ છે કે આ નાળ ઘોડા માટે કોઈ સુરક્ષા કવચથી કમ નથી.

દુનિયાના સૌથી શક્તિશાળી અને ઝડપી પ્રાણીઓમાં જેની ગણતરી થાય છે તે ઘોડાના પગમાં લોખંડની નાળ કેમ લગાવવામાં આવે છે, તેવો પ્રશ્ન આપણને ક્યારેક ને ક્યારેક જરૂર થાય છે. ઘણા લોકો તેને માત્ર એક પરંપરા માને છે, તો વળી કેટલાક લોકો તેને નસીબ ચમકાવવા માટે ઘરના દરવાજે પણ લગાવે છે. પરંતુ હકીકત એ છે કે આ નાળ ઘોડા માટે કોઈ સુરક્ષા કવચથી કમ નથી.

1 / 5
ખૂર ઘસાઈ જવાનો ડર: એક પુખ્ત ઘોડાનું વજન આશરે 400 થી 700 કિલોગ્રામ હોય છે. આટલા ભારે શરીરનો સમગ્ર ભાર તેના ચાર નાના ખૂર (પગનો નીચેનો ભાગ) પર હોય છે. ઘોડાના ખૂર 'કેરાટિન' નામના પદાર્થથી બનેલા હોય છે, જેમાંથી માણસોના નખ અને વાળ બને છે. માણસના નખની જેમ ઘોડાના ખૂર પણ સતત વધતા રહે છે. જ્યારે ઘોડો પાકા રસ્તા, પથ્થરો કે ડામર પર સતત દોડે છે, ત્યારે તેના ખૂર ઝડપથી ઘસાવા લાગે છે અને તેમાં તિરાડો પડી જાય છે. આ જ કારણે જમીન અને ખૂર વચ્ચે મજબૂત પકડ બનાવવા માટે લોખંડ, સ્ટીલ કે રબરની નાળ લગાવવામાં આવે છે.

ખૂર ઘસાઈ જવાનો ડર: એક પુખ્ત ઘોડાનું વજન આશરે 400 થી 700 કિલોગ્રામ હોય છે. આટલા ભારે શરીરનો સમગ્ર ભાર તેના ચાર નાના ખૂર (પગનો નીચેનો ભાગ) પર હોય છે. ઘોડાના ખૂર 'કેરાટિન' નામના પદાર્થથી બનેલા હોય છે, જેમાંથી માણસોના નખ અને વાળ બને છે. માણસના નખની જેમ ઘોડાના ખૂર પણ સતત વધતા રહે છે. જ્યારે ઘોડો પાકા રસ્તા, પથ્થરો કે ડામર પર સતત દોડે છે, ત્યારે તેના ખૂર ઝડપથી ઘસાવા લાગે છે અને તેમાં તિરાડો પડી જાય છે. આ જ કારણે જમીન અને ખૂર વચ્ચે મજબૂત પકડ બનાવવા માટે લોખંડ, સ્ટીલ કે રબરની નાળ લગાવવામાં આવે છે.

2 / 5
શું નાળ લગાવતી વખતે ઘોડાને દર્દ થાય છે? સૌથી મોટો સવાલ એ થાય કે શું પગમાં ખીલીઓ ઠોકતી વખતે ઘોડાને પીડા થાય છે? જવાબ છે, ના. જો નાળ સાચી રીતે લગાવવામાં આવે તો ઘોડાને બિલકુલ દર્દ નથી થતું. કારણ કે ખૂરના બહારના ભાગમાં કોઈ નસો હોતી નથી, બરાબર તેમ જ જેમ આપણે નખ કાપીએ ત્યારે દર્દ નથી થતું. જો કે આ કામ માત્ર ટ્રેન્ડ એક્સપર્ટ જ કરે છે, જેને 'ફેરિયર' કહેવામાં આવે છે.

શું નાળ લગાવતી વખતે ઘોડાને દર્દ થાય છે? સૌથી મોટો સવાલ એ થાય કે શું પગમાં ખીલીઓ ઠોકતી વખતે ઘોડાને પીડા થાય છે? જવાબ છે, ના. જો નાળ સાચી રીતે લગાવવામાં આવે તો ઘોડાને બિલકુલ દર્દ નથી થતું. કારણ કે ખૂરના બહારના ભાગમાં કોઈ નસો હોતી નથી, બરાબર તેમ જ જેમ આપણે નખ કાપીએ ત્યારે દર્દ નથી થતું. જો કે આ કામ માત્ર ટ્રેન્ડ એક્સપર્ટ જ કરે છે, જેને 'ફેરિયર' કહેવામાં આવે છે.

3 / 5
દર 6 થી 8 અઠવાડિયે બદલવી પડે છે નાળ:  ઘોડાના ખૂર સતત વધતા હોવાને કારણે દર 6 થી 8 અઠવાડિયે જૂની નાળ કાઢી, ખૂરની સફાઈ અને કટિંગ કરીને નવી નાળ ફિટ કરવામાં આવે છે. જે ઘોડાઓ જંગલમાં કે લીલા ઘાસના મેદાનમાં મુક્ત રીતે ફરે છે તેમને નાળની જરૂર નથી પડતી, પરંતુ સેના, પોલીસ, રમતગમત કે માલસામાન વહન કરતા ઘોડાઓ માટે આ નાળ અનિવાર્ય છે.

દર 6 થી 8 અઠવાડિયે બદલવી પડે છે નાળ: ઘોડાના ખૂર સતત વધતા હોવાને કારણે દર 6 થી 8 અઠવાડિયે જૂની નાળ કાઢી, ખૂરની સફાઈ અને કટિંગ કરીને નવી નાળ ફિટ કરવામાં આવે છે. જે ઘોડાઓ જંગલમાં કે લીલા ઘાસના મેદાનમાં મુક્ત રીતે ફરે છે તેમને નાળની જરૂર નથી પડતી, પરંતુ સેના, પોલીસ, રમતગમત કે માલસામાન વહન કરતા ઘોડાઓ માટે આ નાળ અનિવાર્ય છે.

4 / 5
આમ, નસીબ ચમકાવવા માટે મનાતી આ નાળ વાસ્તવમાં ઘોડાના પગનું રક્ષણ કરતું એક અદભુત વિજ્ઞાન છે.

આમ, નસીબ ચમકાવવા માટે મનાતી આ નાળ વાસ્તવમાં ઘોડાના પગનું રક્ષણ કરતું એક અદભુત વિજ્ઞાન છે.

5 / 5

હાથી કે ઘોડો? જાણી લો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કોની પેઇન્ટિંગ લગાવવી સૌથી વધુ શુભ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">