AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનો સર્વોચ્ચ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર અમેરિકાની મહિલા સેલી હોલ્કર કોણ છે ? ભારતમાં એવુ તો શું કર્યું છે તેણે ?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ વર્ષ 2025 માટે પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની યાદી જાહેર કરી છે. આ વખતે કુલ 30 લોકોને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. આ સન્માન મેળવનારાઓની યાદીમાં અમેરિકાની સેલી હોલ્કરનું નામ પણ સામેલ છે, જે એક ઉદ્યોગપતિ છે જેનો જન્મ અમેરિકામાં થયો હતો, પરંતુ તેમણે ભારતની ધરતી પર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2025 | 10:16 AM
Share
82 વર્ષીય સેલી હોલ્કરે મહેશ્વરી હેન્ડલૂમને પુનર્જીવિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. અમેરિકામાં જન્મેલી સેલી મધ્યપ્રદેશના મહેશ્વર આવી અને અહીંની પરંપરાગત વણાટ કલામાં સુધારો કરવાનું શરૂ કર્યું.

82 વર્ષીય સેલી હોલ્કરે મહેશ્વરી હેન્ડલૂમને પુનર્જીવિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. અમેરિકામાં જન્મેલી સેલી મધ્યપ્રદેશના મહેશ્વર આવી અને અહીંની પરંપરાગત વણાટ કલામાં સુધારો કરવાનું શરૂ કર્યું.

1 / 6
સેલી હોલ્કર રાણી અહલ્યાબાઈ હોલકરના વારસાથી એટલી પ્રેરિત થઈ કે તેણે મહેશ્વરી કાપડને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ અપાવી.

સેલી હોલ્કર રાણી અહલ્યાબાઈ હોલકરના વારસાથી એટલી પ્રેરિત થઈ કે તેણે મહેશ્વરી કાપડને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ અપાવી.

2 / 6
સેલીએ મહેશ્વરી સાડી અને હેન્ડલૂમ કલાને પુનર્જીવિત કરી, જે એક સમયે લુપ્ત થવાની આરે હતી. તેમણે આધુનિકતાને પરંપરાગત ડિઝાઇન સાથે જોડી દીધી અને તેને વૈશ્વિક ઓળખ આપી. તેમની મહેનતને કારણે આ ઉદ્યોગ ફરી એકવાર ખીલવા લાગ્યો અને હજારો વણકરોને રોજગાર મળ્યો.

સેલીએ મહેશ્વરી સાડી અને હેન્ડલૂમ કલાને પુનર્જીવિત કરી, જે એક સમયે લુપ્ત થવાની આરે હતી. તેમણે આધુનિકતાને પરંપરાગત ડિઝાઇન સાથે જોડી દીધી અને તેને વૈશ્વિક ઓળખ આપી. તેમની મહેનતને કારણે આ ઉદ્યોગ ફરી એકવાર ખીલવા લાગ્યો અને હજારો વણકરોને રોજગાર મળ્યો.

3 / 6
સેલી હોલ્કર મહિલા સશક્તિકરણના મોટા સમર્થક રહ્યા છે. તેમણે મહેશ્વરમાં 'હેન્ડલૂમ સ્કૂલ'ની સ્થાપના કરી, જ્યાં પરંપરાગત વણાટ તકનીકોની તાલીમ આપવામાં આવે છે. તેમના પ્રયાસોથી 250 થી વધુ મહિલાઓને રોજગાર મળ્યો, 110 થી વધુ લૂમ્સ લગાવવામાં આવ્યા અને 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને પણ રોજગારની તકો મળી.

સેલી હોલ્કર મહિલા સશક્તિકરણના મોટા સમર્થક રહ્યા છે. તેમણે મહેશ્વરમાં 'હેન્ડલૂમ સ્કૂલ'ની સ્થાપના કરી, જ્યાં પરંપરાગત વણાટ તકનીકોની તાલીમ આપવામાં આવે છે. તેમના પ્રયાસોથી 250 થી વધુ મહિલાઓને રોજગાર મળ્યો, 110 થી વધુ લૂમ્સ લગાવવામાં આવ્યા અને 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને પણ રોજગારની તકો મળી.

4 / 6
સેલીએ માત્ર એક કલા બચાવી જ નહીં પણ તેને એક સફળ વ્યવસાયમાં પણ ફેરવી દીધી. તેમણે આ હસ્તકલાને આંતરરાષ્ટ્રીય બજારમાં લઈ ગયા અને તેને આર્થિક રીતે ટકાઉ બનાવ્યું. તેમના યોગદાનને કારણે, મહેશ્વરી હેન્ડલૂમ ફક્ત મધ્યપ્રદેશ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે.

સેલીએ માત્ર એક કલા બચાવી જ નહીં પણ તેને એક સફળ વ્યવસાયમાં પણ ફેરવી દીધી. તેમણે આ હસ્તકલાને આંતરરાષ્ટ્રીય બજારમાં લઈ ગયા અને તેને આર્થિક રીતે ટકાઉ બનાવ્યું. તેમના યોગદાનને કારણે, મહેશ્વરી હેન્ડલૂમ ફક્ત મધ્યપ્રદેશ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે.

5 / 6
સેલી હોલ્કરને પદ્મશ્રીથી સન્માનિત થવું એ વાતનો પુરાવો છે કે તેમનું કાર્ય ફક્ત કલા બચાવવા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તેમણે હજારો લોકોના જીવનમાં પણ સુધારો કર્યો હતો.

સેલી હોલ્કરને પદ્મશ્રીથી સન્માનિત થવું એ વાતનો પુરાવો છે કે તેમનું કાર્ય ફક્ત કલા બચાવવા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તેમણે હજારો લોકોના જીવનમાં પણ સુધારો કર્યો હતો.

6 / 6

 

ભારતના સર્વોચ્ચ એવોર્ડ એવા પદ્મશ્રી અંગેના વધુ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">