
પદ્મ શ્રી
પદ્મ શ્રી એ ભારત સરકાર દ્વારા આપવામાં આવતું સન્માન છે. તે સામાન્ય રીતે માત્ર ઈન્ડિયાના નાગરિકોને, જીવનના વિવિધ ક્ષેત્રો જેમ કે કલા, શિક્ષણ, ઉદ્યોગ, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, દવા, સમાજ સેવા અને જાહેર જીવન વગેરેમાં તેમની સેવાઓ માટે ચોક્કસ યોગદાનને ઓળખવા માટે આપવામાં આવે છે.
ભારતના નાગરિક પુરસ્કારોના પદાનુક્રમમાં તે ચોથો પુરસ્કાર છે, તે અનુક્રમે ભારત રત્ન, પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ બાદ આપવામાં આવે છે. તેની આગળ, “પદ્મ” અને “શ્રી” શબ્દો દેવનાગરી લિપિમાં કોતરેલા છે.
જ્યારે કોઈને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવે છે, ત્યારે ભારતના રાષ્ટ્રપતિ તેને પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરે છે. બીજી તરફ જો ઈનામના રકમની વાત કરીએ તો, પદ્મશ્રી મેડલ વિજેતાઓને કોઈપણ પ્રકારની રકમ આપવામાં આવતી નથી. આ માત્ર એક સન્માન છે જે ભારત સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સારું કામ કરવા બદલ આપવામાં આવે છે. માત્ર પદ્મશ્રી જ નહીં, કોઈ પણ પદ્મ પુરસ્કારમાં પૈસા આપવામાં આવતા નથી.
ભારતનો સર્વોચ્ચ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર અમેરિકાની મહિલા સેલી હોલ્કર કોણ છે ? ભારતમાં એવુ તો શું કર્યું છે તેણે ?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ વર્ષ 2025 માટે પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની યાદી જાહેર કરી છે. આ વખતે કુલ 30 લોકોને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. આ સન્માન મેળવનારાઓની યાદીમાં અમેરિકાની સેલી હોલ્કરનું નામ પણ સામેલ છે, જે એક ઉદ્યોગપતિ છે જેનો જન્મ અમેરિકામાં થયો હતો, પરંતુ તેમણે ભારતની ધરતી પર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2025
- 10:16 am
કુમુદિની લાખિયા , તુષાર શુક્લ સહિત ગુજરાતના 8 રત્નોને પદ્મ સન્માન
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ કુલ 139 પદ્મ એવોર્ડ, 2 કિર્તી ચક્ર તેમજ 14 શૌર્ય ચક્રની જાહેરાત કરી છે. 7 પદ્મવિભૂષણ, 19 પદ્મભૂષણ તેમજ 113 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના 8 લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- Disha Thakar
- Updated on: Jan 26, 2025
- 8:55 am
પદ્મ એવોર્ડથી સન્માનિત લોકોને સરકાર કઈ સુવિધાઓ પૂરી પાડે છે? શું ઈનામમાં રુપિયા પણ મળે છે?
પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) ની પૂર્વસંધ્યાએ વર્ષ 2025 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર આ માટે દેશભરમાંથી કુલ 139 સેલિબ્રિટીઓની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 19 લોકોને પદ્મ ભૂષણ અને 113 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમાં 30 અજાણ્યા હીરોને પણ સ્થાન મળ્યું છે.
- Meera Kansagara
- Updated on: Jan 26, 2025
- 7:42 am
Padma Award : રાષ્ટ્રપતિ મુર્મૂએ વેંકૈયા નાયડુ, ડો. તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી સહિતનાઓને પદ્મ પુરસ્કાર કર્યો અર્પણ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સોમવારે પદ્મ પુરસ્કારો માટે પસંદ કરાયેલી હસ્તીઓને એવોર્ડ આપ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયિકા ઉષા ઉથુપ, ભજન-ગાયક કાલુરામ બામણિયા, જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોકટર તેજસ મધુસુદન પટેલ, બાંગ્લાદેશી ગાયિકા રેઝવાના ચૌધરી સહીતની હસ્તીઓએ એવોર્ડ મેળવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Apr 22, 2024
- 9:39 pm