Vastu Tips : ઘરની સાફ-સફાઈ માટે ક્યારે પણ આ કપડાંનો ઉપયોગ ન કરવો જોઈએ, જાણો કેમ
ઘરની સાફ રાખવું ખૂબ જ મહત્તવનું છે. ઘરની યોગ્ય સાફ સફાઈ કરવાથી અને બિમારીઓથી તો બચી શકાય છે. આ સાથે જ ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે. પરંતુ કેટલીક વાર મૂંઝવણ હોય છે કે સાફ - સફાઈ ક્યાં કપડાંથી કરી શકાય.

ઘરની સ્વચ્છ રાખવું ઘણી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરની સાફ - સફાઈ સારી રીતે કરવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા પણ લાવે છે. કેટલાક લોકો જૂના કપડાં પણ સાફ સફાઈમાં ઉપયોગ લેતા હોય છે. તો વાસ્તુ અનુસાર તે કપડાંનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં તે અંગે જાણીશું.

જો તમારા ઘરમાં ખૂબ નાનું બાળક હોય તો તમારે ક્યારેય પણ બાળકોના જૂના કપડાં ધૂળ સાફ કરવા કે અન્ય સફાઈ કરવા માટે વાપરવા જોઈએ નહીં.આ બહુ સારું માનવામાં આવતું નથી.જ્યારે તમે આ કરો છો, ત્યારે તે બાળકના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર થાય છે.

કોઈપણ પ્રકારના અન્ડરગાર્મેન્ટ્સનો ઉપયોગ કરીને ઘરની ક્યારેય સાફ ન કરવી જોઈએ. આ કપડાથી સફાઈ કરવામાં આવે તો ઘરની સકારાત્મક ઉર્જા ઓછી થાય છે.

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિનુ મૃત્યુ થઈ ગયુ છે. તેવા લોકોના કપડાંનો ઉપયોગ ન કરવો જોઈએ. મૃત પામેલા લોકોના જૂના કપડાં નકામા લાગે છે. આવા સમયે ઘણા લોકો આવા કપડાંનો ઉપયોગ ઘરને ધૂળ સાફ કરવા ઉપયોગમાં લેતા હોય છે. જોકે તમારે આ કરવાનું ટાળવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર મૃત વ્યક્તિના કપડાંથી ઘર સાફ કરવું બિલકુલ સારું માનવામાં આવતું નથી. આમ કરવાથી કેટલીક વાર પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે.

તમારે કોઈપણ પ્રકારના સિન્થેટિક કપડાંથી ઘર સાફ ન કરવું જોઈએ. જ્યારે તમે તેમને સાફ કરો છો ત્યારે તેમાં ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ ઉત્પન્ન થાય છે, જે ઘરની વસ્તુઓ માટે સારું નથી. ખાસ કરીને, જો આવા કપડાનો ઉપયોગ ઉત્તર કે પૂર્વ દિશામાં સફાઈ માટે કરવામાં આવે છે, તો તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને તમારા પ્રગતિના માર્ગમાં અવરોધ ઉભો થાય છે. તમારા ઘરમાં મતભેદનું વાતાવરણ સર્જાઈ શકે છે.
Tv9 ગુજરાતી પર વાસ્તુશાસ્ત્રની તમામ પ્રકારની સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે. તો વાસ્તુની તમામ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો






































































