Travel Tips for Vacation : વેકેશનમાં પરિવાર સાથે ફરવાનું પ્લાનિંગ કરતા પહેલા આ ટુરિસ્ટ સ્પોટ વિશે જરૂર વાંચો
વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે ટૂંક જ સમયમાં વેકેશનનની રજા શરૂ થશે. જો આ વેકેશનમાં તમે પણ કશે ફરવા જવાનો વિચાર કરો છો, તો આ આર્ટિકલ તમને ચોક્કસ મદદ કરશે.

આગ્રા: તે ભારતનું પ્રખ્યાત પર્યટન સ્થળ માનવામાં આવે છે. તાજમહેલ સિવાય પણ આગ્રાના કિલ્લા જેવી ઘણી ઐતિહાસિક ઈમારતો છે, જેની મુલાકાત બાળકો પણ પસંદ કરે છે.

દાર્જિલિંગઃ જો તમે તમારા પરિવાર અને બાળકો સાથે પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા માંગતા હોવ તો તમારે દાર્જિલિંગ જવું જોઈએ, જે સુંદર મેદાનોમાં આવેલું છે. પ્રાકૃતિક સ્વર્ગ ગણાતા આ સ્થાન પર તમે ઘણો આનંદ માણી શકો છો.

શ્રીનગર: જો તમે તળાવોના શહેર શ્રીનગરની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો ઓછામાં ઓછા 7 દિવસનો સમય લઈને અહીં જાઓ. આ એટલા માટે છે કે, અહીં કરવા માટે ઘણી એવી વસ્તુઓ છે, જે તમારા સિવાય તમારા બાળકોને પણ ખૂબ ગમશે.

નૈનીતાલઃ સરોવરોનું શહેર ગણાતા નૈનીતાલમાં આવા અનેક સુંદર નજારા જોવા મળે છે, જે મનને મોહી લે છે. અહીં હાજર પહાડોની વચ્ચે પરિવાર સાથે સેલ્ફી લેવાની એક અલગ જ મજા છે. આ સાથે, બાળકો માટે ઘણી મનોરંજક પ્રવૃત્તિઓ પણ છે.

આંદામાનઃ છેલ્લા કેટલાક સમયથી આંદામાન અને નિકોબાર ફેમિલી ટ્રીપ માટે બેસ્ટ લોકેશન માનવામાં આવે છે. દરિયાની ઊંડાઈ વચ્ચે વસેલા આ ટાપુ પર આનંદ માણવા માટે કોઈ શ્રેષ્ઠ ક્ષણથી ઓછી નથી.