Stocks Forecast: આ ‘3 શેર’ તમારી ચિંતા વધારશે કે પછી ખિસ્સું ભારે કરશે? તમારા પોર્ટફોલિયો ચેક કરી લેજો
બુધવાર, 26 નવેમ્બરના રોજ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. વધુમાં બેંક નિફ્ટી આજે એક નવા હાઇ લેવલે બંધ થયો. હવે આ બધા વચ્ચે 3 સ્ટોક એવા છે કે, જેને લઈને નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે.

'CarTrade Tech Ltd.' ના સ્ટોકની વાત કરીએ તો, તે ₹3,175.80 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. નિષ્ણાતોના મત મુજબ, 'CarTrade Tech Ltd.' ના શેર ભવિષ્યમાં -3.28% ઘટીને ₹3071.75 ની નીચી સપાટીએ આવી શકે છે. જો કે, આવનારા 1 વર્ષમાં આ સ્ટોક +20.91% વધીને ₹3840.00 ની આસપાસ પહોંચી શકે છે. બીજીબાજુ, જો સ્ટોકમાં કડાકો આવશે તો તેના ભાવ -46.47% જેટલા ઘટીને ₹1700 ની સપાટીએ આવી શકે છે.

'CarTrade Tech Ltd.' ના શેરને લઈને 8 એનાલિસ્ટે પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે. 08 માંથી 04 લોકોએ આ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 01 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે. જોવા જેવું એ છે કે, 03 એનાલિસ્ટે આ શેરને વેચવાની વાત કરી છે.

'Delhivery Limited' ના શેર હાલમાં તો ₹419.40 પર ટ્રેડ થઈ રહ્યા છે. જો કે, ભવિષ્યમાં આ શેરનો ભાવ +19.80% જેટલો વધી શકે છે અને તે ₹502.45 પર જોવા મળી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 1 વર્ષમાં 'Delhivery Limited' ના શેર +43.06% વધીને ₹600.00 ની આસપાસ જોવા મળશે, તેવી શક્યતા છે.

'Delhivery Limited' ના શેરને લઈને વિશેષજ્ઞોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે. જોવા જઈએ તો, 21 એનાલિસ્ટમાંથી 15 લોકોએ આ સ્ટોકને ખરીદવાની ભલામણ કરી છે. ખાસ વાત એ છે કે, 03 એનાલિસ્ટે આ સ્ટોકને વેચવાની વાત કરી છે અને 03 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.

'Mankind Pharma Ltd.' ના શેર ₹2,258.90 પર ટ્રેડ થઈ રહ્યા છે. એવામાં તેના ભાવ ભવિષ્યમાં +18.91% વધીને ₹2686.00 સુધી પહોંચશે, તેવી ધારણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આવનારા 1 વર્ષમાં 'Mankind Pharma Ltd.' ના સ્ટોક +44.32% ની સાથે ₹3260.00 ની ટોચે પહોંચશે, તેવી સંભાવના છે.

'Mankind Pharma Ltd.' ના સ્ટોક અંગે વાત કરીએ તો, આ શેરને લઈને 17 વિશ્લેષકે પોતાનો અભિપ્રાય આપ્યો છે. નોંધનીય છે કે, 12 નિષ્ણાતોએ આ સ્ટોકને ખરીદવાની વાત કરી છે. બીજીબાજુ, 02 વિશ્લેષકે આ શેરને વેચવાની અને બાકીના 03 એક્સપર્ટ્સે શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરમાર્કેટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
