દેશમાં બપોરે 2.34 વાગ્યે એવું તો શું થયું કે માર્કેટ થયું ધડામ ! જાણો અહીં
stock market is falling today: સેન્સેક્સ 330 પોઈન્ટ ઘટીને 80,452.48 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ, નિફ્ટી 139.05 પોઈન્ટ ઘટીને 24,293.30 પર જોવા મળી રહ્યો છે. ત્યારે 2 વાગ્યેને 34 મીનિટી દેશમાં એવું તો શું થયું કે માર્કેટ અચાનક ઘટાડો નોંધાયો છે.

શેરમાર્કેટ અચાનક ધડામ થયું છે. સેન્સેક્સ 411.97 પોઈન્ટ એટલે કે 0.51 ટકાના ઘટાડા સાથે 80,334.81 પર બંધ થયો હતો. નિફ્ટી 140.60 પોઈન્ટ એટલે કે 0.58 ટકાના ઘટાડા સાથે 24,273.80 પર બંધ થયો હતો.

ભારતીય શેરમાર્કેટમાં આજે નિફ્ટી 140 પોઈન્ટ ઘટી ગયો છે. તમને જણાવી દઈએ કે આજે નિફ્ટી બોટમ 24,313 હતો. ત્યાંથી 2 વાગ્યા સુધી ઘણી રિકવરી પણ જોવા મળી જે બાદ અચાન 2.34 મીનીટી શેરબજાર ધડામ કરીને નીચે ઉતરી ગયું છે.

2.34 એ માર્કેટ અચાન ડાઉન થયું તેનું મોટું કારણ ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલ તણાવ છે. તમને જણાવી દઈએ કે 2.34 એ સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી કે નાપાક પાકિસ્તાનની વધતી હરકતના કારણે તણાવ વધી ગયો છે અને તે બાદ સરકારે પાકિસ્તાનમાં ડ્રોન હુમલાની જવાબદારી લીધી છે.

2.34 વાગ્યાના અત્યાર સુધી 3.30એ આજે માત્ર 1 કલાકમાં માર્કેટ 200 પોઈન્ટ ઘટી ગયું છે, તેમજ આજે આખા દિવસની વાત કરીએ તો આજે 270 પોઈન્ટથી વધારેનો ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. તેણે બુધવારે રાત્રે ભારત પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો જેમાં ભારતીય સેનાએ આ હુમલાનો નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારે પાકની આ હરકતના જવાબમાં ભારતે ગુરુવારે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દીધુ છે. સરકારે પાકિસ્તાનના નાપાક કૃત્ય વિશે માહિતી આપતું નિવેદન બહાર પાડ્યું.

આ તણાવના કારણે રોકાણકારોમાં ભયનો માહોલ છે, જેનાથી શેરબજારમાં વેચાણ દબાણ વધી ગયું છે. વિશ્વસનીયતા અને સુરક્ષાના અભાવને કારણે રોકાણકારો વધુ જોખમથી બચવા માટે વેચાણ કરી રહ્યા છે, જેના પરિણામે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક વિશે વધારે માહિતી માટે આ પેજને ફોલો કરતા રહો. અહીં ક્લિક કરો.

































































