શિયાળામાં આ 5 વસ્તુઓ ખાવાનું ટાળો, નહીં તો શરદી અને ફ્લૂના ભોગ બની જશો!
શિયાળો શરૂ થઈ ગયો છે. આ ઋતુમાં શરદી અને ફ્લૂનું જોખમ વધી જાય છે. તમારે શિયાળા આ 5 વસ્તુ સેવન કરવાથી બચવું જોઈએ. જાણો વિગતે.

દહીંની તાસીર ઠંડી હોય છે. જો શિયાળામાં, ખાસ કરીને રાત્રે, દહીં ખાવામાં આવે તો તે ગળામાં દુખાવો અને નાક બંધ થવા જેવી કફની સમસ્યા વધારી શકે છે.

નાળિયેર પાણી : આ ખૂબ જ પૌષ્ટિક છે, પણ તેની અસર ઠંડી હોય છે. ઉનાળામાં તે પીવું વધુ સારું છે. જ્યારે શિયાળામાં વધુ પડતું નાળિયેર પાણી પીવાથી શરીર વધુ ઠંડુ થઈ શકે છે, જેનાથી શરદી થવાની શક્યતા વધે છે.

કેળાં આરોગ્ય માટે ખૂબ જ સારા છે, પણ તેમની તાસીર ઠંડી હોય છે. તેથી, શિયાળાની ઋતુમાં કેળાં ખાવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને રાત્રે. જો તમે રાત્રે કેળાં ખાઓ છો, તો તમને કફ અને ગળામાં દુખાવો થવાની શક્યતા વધી જાય છે.

અંકુરિત કઠોળ ખૂબ જ પૌષ્ટિક અને સારો નાસ્તો છે. બધા લોકો તેને ખાવાની સલાહ આપે છે. જોકે, શિયાળાની ઋતુમાં તેને ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ. ખાસ કરીને, જો તમે તેને બાફ્યા વગરના (કાચા) ખાઓ, તો તેનાથી પેટ ફૂલી જવું (ગેસ) અને શરદી થવાની શક્યતા રહે છે. તેથી, શિયાળામાં તેને કાચા ખાવાને બદલે હળવા બાફીને અથવા પ્રમાણસર ખાવા વધુ યોગ્ય છે.

ચોખા (ભાત) ની તાસીર પણ ઠંડી માનવામાં આવે છે. તેથી, શિયાળામાં ભાત ઓછી માત્રામાં ખાવા જોઈએ. ખાસ કરીને, ફ્રિજમાં રાખેલા ઠંડા ભાત તો બિલકુલ ન ખાવા જોઈએ. આનાથી તમારું પાચનતંત્ર નબળું પડી શકે છે અને તમને શરદી થવાનું જોખમ વધી શકે છે.
આ પણ વાંચો - શિયાળામાં દાળિયા અને ગોળ એકસાથે ખાવાના ફાયદા જાણી તમે પણ દંગ રહી જશો! જાણો નિષ્ણાત પાસેથી જાણો
