સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં થશે વધારે કમાણી, રિસ્ક વગર મળશે સારૂ રિટર્ન
SBI અમૃત કળશ સ્પેશિયલ FD નિયમિત SBI FD કરતા રોકાણકારોને વધારે વળતર આપે છે. અમૃત કળશમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2024 છે. આ સ્કીમ રોકાણકારોને 7.10 ટકા વળતર આપે છે અને યોજનાની મુદત 400 દિવસની છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારે રિટર્ન મળે છે.

SBI અમૃત કળશ : આ સ્પેશિયલ FD નિયમિત SBI FD કરતા રોકાણકારોને વધારે વળતર આપે છે. અમૃત કળશમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2024 છે. આ સ્કીમ રોકાણકારોને 7.10 ટકા વળતર આપે છે અને યોજનાની મુદત 400 દિવસની છે. વરિષ્ઠ નાગરિકોને આ સ્કીમમાં 0.50 ટકા વધારે એટલે કે 7.60 ટકા રિટર્ન મળે છે.

SBI Wecare : આ સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમમાં માત્ર વરિષ્ઠ નાગરિકો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને 5 થી 10 વર્ષના સમયગાળા માટે વધુ વળતર મળે છે. તેમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2024 છે. SBI વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધુ વળતર આપી રહી છે. 7 દિવસથી 10 વર્ષની મુદત માટે નિયમિત FD વ્યાજ દર 3.50 ટકા અને 7.50 ટકા વચ્ચે છે. બેંક આ સ્પેશિયલ FD પર 7.50 ટકા વળતર આપે છે.

SBI ગ્રીન રૂપી ટર્મ ડિપોઝિટ : આ ડિપોઝિટ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકો 1111 દિવસ અને 1777 દિવસના કાર્યકાળ પર 7.15 ટકા વળતર મેળવી શકે છે. બેંક 2222 દિવસની અવધિ માટે રિટેલ ડિપોઝિટ પર 7.40 ટકા વળતર આપે છે. નિયમિત ગ્રાહકો 1111 દિવસ અને 1777 દિવસની મુદત પર 6.65 ટકા કમાણી કરી શકે છે. બેંક 2222 દિવસની મુદત માટે રિટેલ ડિપોઝિટ પર 6.40 ટકા ઓફર કરી રહી છે.

SBI એન્યુઈટી સ્કીમ : SBI એન્યુઇટી સ્કીમમાં રોકાણ માત્ર એક જ વાર કરવાનું હોય છે. જે બાદ ગ્રાહકને દર મહિને વ્યાજ સાથે મૂળ રકમ આપવામાં આવે છે. આ વ્યાજ દર 3 મહિને ખાતામાં બાકી રહેલી રકમ પર ચક્રવૃદ્ધિના આધારે ગણવામાં આવે છે. SBI એન્યુઇટી સ્કીમમાં મળતું વ્યાજ FD જેટલું હોય છે.

SBI સર્વોત્તમ : SBI સર્વોત્તમ ફિક્સ્ડ ડિપોઝિટ હેઠળ, બેંક બે વર્ષના કાર્યકાળ માટે 7.4 ટકા વ્યાજ ઓફર કરે છે. 1 વર્ષના સમયગાળા માટે વ્યાજ દર 7.10 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારે વ્યાજ મળે છે. વરિષ્ઠ નાગરિકોને 2 વર્ષમાં પાકતી થાપણો પર 7.9 ટકા વ્યાજ મળશે. તેમને 1 વર્ષ માટે 7.6 ટકા વ્યાજ મળશે.
