TMKOC: તારક મહેતામાં થઈ આ હસીનાની એન્ટ્રી ! દયાબેન કે કોઈ અન્ય.. કોનો રોલ કરશે?
તાજેતરમાં, જેઠાલાલની ગોકુલધામ સોસાયટીમાં એક નવી એન્ટ્રી થઈ છે. પરંતુ, તે નવી એન્ટ્રી દયા બેનનો રોલ કરશે? ચાલો અહીં જાણીએ

નાના પડદાની સૌથી પ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' તેના નવા ટ્વિસ્ટ સાથે દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. તાજેતરમાં, જેઠાલાલની ગોકુલધામ સોસાયટીમાં એક નવી એન્ટ્રી થઈ છે. પરંતુ, તે નવી એન્ટ્રી દયા બેનનો રોલ કરશે? ચાલો અહીં જાણીએ.

જાણીતી ટીવી અભિનેત્રી અન્વી તિવારીએ સોની સબ ટીવીની આ પ્રખ્યાત સિરિયલમાં પ્રવેશ કર્યો છે. અત્યાર સુધી ઘણા ક્રાઈમ શોમાં પોતાનો ચાર્મ ફેલાવનાર અન્વીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવા શો માટે 'હા' કહેવું તેના ચાહકો માટે આશ્ચર્યજનક રહ્યું છે, લોકો તેની આ સિરિયલમાં એન્ટ્રીને લઈને ખુશ થઈ ગયા છે.

જોકે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દર્શકો વર્ષોથી દયા બેનની રાહ જોઈ રહ્યા છે ત્યારે અન્વી દયા બેનનો રોલ કરશે કે કોઈ અન્યનો?

તમને જણાવી દઈએ કે આ હસિના દયા બેન નહીં પણ 'મોના'નું પાત્ર ભજવશે. હવે આ મોના ગોકુલધામ સોસાયટીની વાર્તામાં શું જોરદાર વળાંક લાવશે? તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ, આ શોના ચાહકો માને છે કે મોના આ સોસાયટીમાં આવ્યા પછી, પોપટલાલને ચોક્કસપણે તેનો પ્રેમ મળશે. હવે શું મોના અને પોપટલાલના હૃદય એક થશે કે પછી આ પાત્રને કોઈ અન્ય કારણોસર આ શોમાં લાવવામાં આવ્યું છે? સમય જ કહેશે.

અન્વી તિવારી એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પહેલા, અન્વીએ ઘણા ક્રાઈમ ટીવી શો અને વેબ સિરીઝમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. તેની સુંદરતા અને અભિનય પ્રતિભાએ હંમેશા દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવા મોટા અને લોકપ્રિય શોનો ભાગ બનવું તેની કારકિર્દીમાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. અન્વીના ચાહકો તેને આ નવી શૈલીમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે શું અન્વી ગોકુલધામ સોસાયટીમાં ફિટ થશે કે નહીં તે તેનુ પાત્ર જોયા પછી જ ખબર પડશે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે લગભગ દરેક ઘરમા જોવાતો કોમેડી શો છે ત્યારે શોના દરેક કેરેક્ટરને ફેન્સે ભરપૂર પ્રેમ આપ્યો છે, ત્યારે તેને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
