AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે 28 જુલાઈ 2008થી સબ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે. તેને નીલા અસિત મોદી અને અસિત કુમાર મોદીએ પ્રોડ્યુસ કરી છે. તે તમામ ટીવીમાં સૌથી વધુ જોવાયેલ પ્રોગ્રામ છે. આ સ્ટોરી તારક મહેતાની “દુનિયા ને ઉંધા ચશ્મા” પર આધારિત છે, જેઓ ગુજરાતી સાપ્તાહિક અખબાર ચિત્રલેખા માટે લખતા હતા.

આ સ્ટોરી મુંબઈના ગોકુલધામની છે, જ્યાં વિવિધ સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાના લોકો એકબીજા સાથે ખુશીથી રહે છે. આ સિરિયલમાં માનવતા અને નિર્દોષ કોમેડી પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ સીરિયલનું નિર્માણ મુખ્યત્વે મુંબઈના ગોરેગાંવમાં કરવામાં આવ્યું છે. પરંતુ તેના કેટલાક ભાગો ગુજરાત અને દિલ્હીમાં પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય વિદેશમાં લંડન, બ્રુસેલ્સ, પેરિસ, હોંગકોંગ વગેરે સ્થળોએ પણ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શોએ 6 નવેમ્બર 2012ના રોજ 1000 એપિસોડ પૂરા કર્યા. 2020માં 3000 એપિસોડ પૂરા કર્યા. આજે પણ આ સિરિયલ ભારતના ટોપ 5 શોમાંથી એક છે.

Read More

Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર લાલે રથયાત્રાનો આનંદ માણ્યો, જુઓ Video

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રામાં નીકળી છે. રથયાત્રામાં કેટલાક સ્ટાર પણ જગન્નાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમજ મયુર વાકાણી એટલે કે સુંદર મામા રાયપુર પહોચ્યા હતા. મયુર વાકાણીએ રથયાત્રાનો આનંદ માણ્યો હતો.

TMKOC : ખોટી નીકળી જેઠાલાલના શો છોડવાની અને રોલ કટ થવાની અફવા, મેકર્સે કરી દીધો મોટો ખુલાસો

TMKOC : વર્ષો પછી, અફવાઓ ફેલાઈ કે શોમાંથી જેઠાલાલનું પાત્ર સમાપ્ત થઈ જશે. આ સમાચારે ચાહકોમાં હલચલ મચાવી દીધી. બધાએ ધાર્યું હતું કે દિલીપ જોશી શો છોડી દેશે.

TMKOC Jethalal : ‘તારક મહેતા’ શો માંથી કપાશે જેઠાલાલનો રોલ? મોટી ફીને લઈ મેકર્સ પરેશાન! દિલીપ જોશીને લઈને અહેવાલો વાયરલ

ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા લગભગ 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના અનેક પાત્રોએ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે, જેમાં જેઠાલાલનું પાત્ર સૌથી વધુ લોકપ્રિય માનવામાં આવે છે. દિલીપ જોશીએ આ પાત્રને પોતાની અનોખી અભિનય શૈલીથી ઘર-ઘરમાં ઓળખ અપાવી છે.

TMKOC : 9 વર્ષ બાદ “તારહ મહેતા…”શોમાં પાછી ફરશે દયા, સમાચાર સાભંળતા જ જેઠાલાલ અને ટપ્પુ ખુશીથી જૂમી ઉઠ્યા, જુઓ-Video

શોનો નવો પ્રોમો રિલીઝ થયો છે, જેનાથી ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. દયાબેન લગભગ નવ વર્ષ પછી શોમાં વાપસી કરી રહી છે. નવીનતમ પ્રોમો વીડિયો ખૂબ જ ભાવનાત્મક અને નાટકીય રીતે શરૂ થાય છે.

TMKOC સેટ પર તોડફોડ! ચાહકો ‘ગોકુલધામ સોસાયટી’ની સ્થિતિ જોઈ ચિંતામાં આવ્યા , શું છે સમગ્ર મામલો?

Taarak Mehta ka Ooltah Chashmah : ટીવીનો ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ચાહકોનો ફેવરિટ છે. પ્રોડ્યુસર અસિત મોદી આ શોના ઓડિયન્સને દિવાના બનાવ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોકુલધામ સોસાયટીમાં તોડફોડ થઈ રહી છે. તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે.

‘તારક મહેતા’ એટલે કે શૈલેશ લોઢાની દીકરીના લગ્નમાં વિક્કી કૌશલે જાનૈયાનું સ્વાગત કર્યુ, જુઓ VIDEO

શૈલેશ લોઢાની દીકરીના લગ્નમાં વિક્કી કૌશલે જાનૈયાનું સ્વાગત કરતા જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના આ અંદાજે લોકોનું દિલ જીતી લીધું હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

17 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિટ શો આપનાર અસિત કુમાર મોદીનો પરિવાર જુઓ

17 વર્ષથી, હિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અનેક વિવાદોમાં ફસાયેલો છે. શો છોડી દેનારા કલાકારોએ શોના નિર્માતા અસિત મોદી પર માનસિક ત્રાસથી લઈને પગાર ન ચૂકવવા સુધીના તમામ આરોપો લગાવ્યા છે. આજે આપણે અસિત કુમાર મોદીના પરિવાર વિશે જાણીશું.

રિયલ નહી પરંતુ રિલ નામથી અભિનેતા એટલો ફેમસ કે, લાઈટબિલ પણ આ નામ પર આવે છે

મંદાર ચાંદવાડકર "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં માસ્ટર ભીડેની ભૂમિકા ભજવે છે. તારક મહેતા પહેલા મંદાર ઘણી ટેલિવિઝન સિરિયલો અને મરાઠી નાટકોમાં જોવા મળ્યો હતો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબિતાના પતિ અય્યરનો રિયલ લાઈફનો પરિવાર જુઓ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેઠાલાલ અને અય્યરની નોકજોક બધાને ખુબ પસંદ આવે છે. તો ચાલો સીરિયલમાં તનુજની ભુમિકા નિભાવનાર અય્યરની પર્સનલ લાઈફ, કરિયર અને શૈક્ષણિક સફળ વિશે વાત કરીએ.

TMKOC : ‘તારક મહેતા’ શોમાં મોટો ટ્વિસ્ટ ! બાવરી સામે બીજી યુવતીને ‘I Love You’ કહેશે બાઘા

બાઘા અને બાવરીની સ્ટોરી હાલમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દર્શાવવામાં આવી રહી છે. આ શોમાં બાઘાને બાવરી સાથે સંબંધ તોડવાની ઇચ્છા દર્શાવવામાં આવી છે.

રિલ લાઈફમાં કુંવારો, રિયલ લાઈફમાં 2 બાળકોનો પિતા છે તારક મહેતાનો બાઘા, જુઓ પરિવારમાં કોણ કોણ છે

ઓક્ટોબર 2025માં તન્મયની માતાનું અવસાન થયું હતું અને હવે તેના પિતાના અચાનક અવસાનથી તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. થોડા સમય પહેલા માતાને યાદ કરતો ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

7 વર્ષ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ બની લોકોના દિલ જીતી લીધા, હવે શું કરી રહી છે નિધિ ભાનુશાલી?

ટીવીના લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ ભીડેનું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાલીએ 2019માં શો છોડ્યા બાદ પોતાની અલગ ઓળખ બનાવી છે.

Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘાના પિતાનું થયું નિધન, ગુજરાતી રંગભૂમિના રહ્યા છે વરિષ્ઠ કલાકાર

ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ રંગકર્મી અરવિંદ વેકરીયાનું અવસાન થયું છે , તે તન્મય વેકરિયાના પિતા છે (તન્મય તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં બાઘાના પાત્ર માટે પ્રખ્યાત છે)

TMKOCના સુંદરે 11 વર્ષ પહેલાં પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે જણાવ્યો હતો પ્લાન, લોકોએ કહ્યું, “હવે સમજ્યા ગડકરી”

ટીવી પર સૌથી લાંબા સમયથી ચાલતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મોટી સંખ્યામાં ચાહકો છે. તો તમને જણાવીએ કે, તારક મહેતાના સુંદરે 11 વર્ષ પહેલા પેટ્રોલ અને ડીઝલ બચાવવાનો પ્લાન જણાવ્યો હતો.

Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડ્યાના 9 વર્ષ બાદ જૂનો ટપ્પુ હવે શું કરી રહ્યો છે?

Taarak Mehta Ka Ooltah Chashmah Tapu: જો તમે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" શોના ચાહક છો, તો તમે ટપ્પુ પાત્રથી પરિચિત હશો. ભવ્ય ગાંધીએ નવ વર્ષ પહેલાં શોમાં ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું, પરંતુ પછીથી તેણે શો છોડી દીધો. ચાલો જાણીએ કે શો છોડ્યા પછી ભવ્ય ગાંધી હવે શું કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">