AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી સિરિયલ

ટીવી સિરિયલ

ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. ફિલ્મનો ચોક્કસ ટાઈમ હોય છે, જ્યારે ટીવી સિરિયલ સતત ચાલતી સ્ટોરી છે. તે કેટલા મહિના કે વર્ષો સુધી ચાલે છે. હવે તો ટીવી સિરિયલોમાં TRP રેટ પણ આપવામાં આવે છે. જો કોઈ પણ સિરિયલનો રેટ સતત ઓછો આવતો જણાય તો જે તે ચેનલ વાળા સિરિયલને બંધ કરવાની ફરજ પાડે છે.

ભારતમાં ટીવીનો ઈતિહાસ દૂરદર્શનથી શરૂ થાય છે. 15 સપ્ટેમ્બર 1959ના રોજ દૂરદર્શનની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે દૂરદર્શનનું નામ ‘ટેલિવિઝન ઈન્ડિયા’ હતું અને અઠવાડિયામાં 3 દિવસ અડધો કલાક પ્રસારિત થતું હતું. ટીવી સીરિયલ ‘હમ લોગ’ 1984માં દૂરદર્શન પર પહેલીવાર પ્રસારિત કરવામાં આવી હતી.

પી. કુમાર વાસુદેવ દ્વારા નિર્દેશિત સિરિયલ ‘હમ લોગ’માં એક મધ્યમ વર્ગીય પરિવારની સ્ટોરી બતાવવામાં આવી હતી. 25 મિનિટની સિરિયલ માટે લોકો આખો દિવસ રાહ જોતા હતા. હમ લોગ તે સમયની સૌથી લાંબી ચાલેલી સિરિયલ હતી. ‘હમ લોગ’ પછી દૂરદર્શન પર ફૌજી, ભારત એક ખોજ, વાગલે કી દુનિયા, દિલ દરિયા જેવી સિરિયલો ટેલિકાસ્ટ થઈ હતી. રામાયણ અને મહાભારતે દૂરદર્શનને લોકો સુધી પહોંચાડ્યું હતું અને લોકો રવિવારે ટીવી સામે બેસી જતા હતા.

90ના દાયકાની સિરિયલોનો પણ લોકોમાં ઘણો ક્રેઝ રહ્યો હતો. જેમ કે, કહાની ઘર ઘર કી, ક્યોંકી સાસ કભી બહુથી, કસૌટી જીંદગી કી, કુમકુમ, કહીં કિસી રોઝ, કેસર જેવી સિરિયલોએ ધૂમ મચાવી હતી.

ત્યારબાદ સાથ નિભાના સાથિયા, જોધા અકબર, CID, અદાલત, હાતિમ, શકાલાકા બૂમબૂમ, સોનપરી, કરિશ્મા કા કરિશ્મા, સસસસ…..ફિર કોઈ હૈ વગેરે જેવી સિરિયલોએ દરેક ઘરમાં રાજ કર્યું.

અત્યારે દરેક ઘરમાં જાણીતી એવા સિરિયલોની વાત કરીએ તો, અનુપમા, યે રિસ્તા ક્યા કહેલાતા હૈ, કુમકુમ ભાગ્ય, મહાભારત, સાવધાન ઈન્ડિયા, યે હૈ મોહબ્બતે, બાતે અનકહી સી, નાગિન, આંખ મિચૌલી, ગુમ હૈ કિસી કે પ્યાર મેં, પંડ્યા સ્ટોર, ઝનક, બરસાતેં મૌસમ પ્યાર કા તેમજ કાવ્યા જેવી સિરિયલો ધૂમ મચાવે છે.

Read More

The 50 : નવો રિયાલિટી શો ‘ધ 50’ બિગ બોસને પણ આપશે ટકકર, સ્પર્ધકોના નામ જાહેર થયા

1 ફેબ્રુઆરી 2026થી કલર્સ ટીવી અને જિયો હોટસ્ટાર પર શરુ થવા જઈ રહેલો નવો રિયાલિટી શો ધ 50 ચાહકોને એક અલગ જ દુનિયામાં લઈ જશે. આ રિયાલિટી શોને લઈ ચાહકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જેઠાલાલ પત્ની સાથે જોવા મળ્યા, લોકોએ કહ્યુ, “બબીતાને પણ ટકકર આપે છે”

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના પાત્રમાં જોવા મળતો અભિનેતા દિલીપ જોશી ખુબ ઓછા જોવા મળે છે.પરંતુ જ્યારે પણ જોવા મળે છે ચાહકો ખુબ ખુશ થાય છે. હાલમાં જેઠાલાલ તેમની પત્ની સાથે જોવા મળ્યો હતો.

એક દીકરીનો પિતા ,પત્ની 7 વર્ષ મોટી, રિયાલિટી શોના કિંગનો આવો છે પરિવાર

પ્રિન્સ તેના સપનાને પુરા કરવા માટે મુંબઈ આવ્યો હતો. સપનાની નગરી મુંબઈએ પ્રિન્સના દરેક સપના પૂર્ણ કર્યા છે.બોલિવૂડ અભિનેતા અને રિયાલિટી શોના કિંગ કહેવાતા પ્રિન્સ નરુલાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

TMKOC: ‘તારક મહેતા શો’માં પાછી ફરશે સોનૂ? લગ્ન બાદ હવે પોતાના કરિયરને લઈને કર્યો ખુલાસો

ઝીલે તાજેતરમાં જ 'આસ્ક મી એનિથિંગ' સેશનનું આયોજન કર્યું હતું, જ્યાં એક ચાહકે તેને પૂછ્યું, "જો તમને આજે ફરીથી સોનુનો રોલ ઓફર કરવામાં આવે, તો શું તમે તે સ્વીકારશો?"

Popatlal Love Story : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પત્રકાર પોપટલાલની લવસ્ટોરી છે સુંદર, જુઓ ફોટો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે તે ફાઈનલી ઘોડે ચઢવા માટે તૈયાર છે. પોપટલાલના રિયલ લાઈફમાં લગ્ન થઈ ચૂક્યા છે. તો આજે આપણે પોપટ લાલની રિયલ લાઈફની લવ સ્ટોરી વિશે વાત કરીશું.

Shefali Jariwala Death : બ્લેક મેજિકના કારણે થયું શેફાલી જરીવાલાનું નિધન, પતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Shefali Jariwala Death Reason : બોલિવુડ અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલા હવે આપણી વચ્ચે નથી. ગત્ત વર્ષે 27 જુનના રોજ તેનું નિધન થયું છે. માત્ર 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. હાલમાં શેફાલીના પતિ પરાગ ત્યાગીએ તેના મૃત્યુ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

પગ ગુમાવ્યા છતાં હિંમત ન હારી, 8 ભાષામાં ફિલ્મોમાં કામ કરનાર ખુંખાર સાસુનો આવો છે પરિવાર

સુધા ચંદ્રને પોતાના જીવન પર આધારિત તેલુગુ ફિલ્મ 'મયુરી' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.ચાલો જાણીએ કે સુધા ચંદ્રન, એક પગ ગુમાવવા છતાં, છેલ્લા 4 દાયકાથી ફિલ્મ અને ટીવી જગત પર કેવી રીતે રાજ કરી રહી છે.

Dhanush Vs Mrunal Net Worth : ધનુષ કે મૃણાલ ઠાકુર કોણ વધારે પૈસાદાર છે? તેમની કુલ સંપત્તિ વિશે જાણો

Dhanush Vs Mrunal Thakur Net Worth : ધનુષ અને મૃણાલ ઠાકુર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ડેટિંગની અફવાઓ ચાલી રહી છે. હાલમાં તો બંન્નેના લગ્નના સમાચાર પણ ચર્ચામાં આવ્યા છે. આ વચ્ચે આજે અમે તમને જણાવીશું કે, બંન્ને સ્ટારની નેટવર્થ કેટલી છે. બંન્નેમાંથી કોણ વધારે પૈસાદાર છે. જાણો

TMKOC: તારક મહેતા.. શોની બબીતા જી નો પ્રેમ અને લગ્ન પર મોટો ખુલાસા, જાણો શું કહ્યું..

મુનમુન દત્તાએ તેના ગ્લેમર અને સ્ટાઇલની સાથે, તેનું અંગત જીવન પણ ચર્ચાનો વિષય રહ્યું છે. મુનમુન ભાગ્યે જ અફવાઓનો જવાબ આપે છે, પરંતુ તેણે તાજેતરમાં રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટ પર તેના અંગત જીવન વિશે ખુલીને લગ્ન, પ્રેમ અને બ્રેકઅપ્સ વિશે તેના વિચારો શેર કર્યા.

પતિ કરતા 6 વર્ષ મોટી છે અભિનેત્રી, આત્મહત્યાના કેસમાં દીકરો 10 વર્ષ પછી નિર્દોષ જાહેર, આવો છે પરિવાર

રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મ "ચિતચોર" થી ઝરીના વહાબને ઓળખ મળી. આ ફિલ્મમાં ચાહકોએ તેમના અભિનયની પ્રશંસા કરી. આ ફિલ્મ પછી, ઝરીના વહાબ બોલિવૂડમાં ઘર-ઘરમાં જાણીતી બની ગઈ. તો આજે આપણે ઝરીના વહાબના પરિવાર વિશે જાણીશું

સાબુની જાહેરાતમાં મળ્યા, પ્રેમ થયો, લગ્ન 20 વર્ષ બાદ પણ લોકપ્રિય છે ટીવી કપલ, જુઓ પરિવાર

ગૌરી પ્રધાન અને હિતેન તેજવાની એક લોકપ્રિય ટીવી કપલ છે અને તેમના કામ માટે તેમણે અનેક એવોર્ડ જીત્યા છે. તેમની લવસ્ટોરી કોઈ ફિલ્મીથી ઓછી નથી.હિતેન તેજવાણીનો પરિવાર જુઓ.

નાગિન 7 અભિનેત્રીને છે 6 ભાઈ-બહેન, આવો છે પ્રિયંકા ચહર ચૌધરીનો પરિવાર

જાણીતી ટીવી અભિનેત્રી પ્રિયંકા ચહર ચૌધરી ઘણીવાર તેની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને માટે ચર્ચાનો વિષય બને છે. બિગ બોસ પછી, અભિનેત્રી ટીવી પર એક સ્ટાર બની ગઈ છે, આજે તેને કોઈ પરિચયની જરૂર નથી.

છૂટાછેડા પછી માહી વિજ, જય ભાનુશાળી પાસેથી એલિમનીનો એક પણ રૂપિયો લેશે નહી

ટીવીનું ફેમસ કપલ લગ્નના 14 વર્ષ પછી અલગ થયું છે. માહી વિજ અને જય ભાનુશાળીએ કહ્યું કે, બંન્ને અલગ થઈ રહ્યા છે. હવે માહી વિજ સાથે જોડાયેલા એક સુત્રનું કહેવું છે કે,અભિનેત્રીએ જય ભાનુશાળી પાસેથી એલિમની લીધી નથી.

6 વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કર્યા, પિતા-પુત્ર ઈન્ડસ્ટ્રીમાં વિવાદોમાં રહ્યા, આવો છે પરિવાર

આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરીશું. જેના મોટાભાગના સભ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. પરંતુ આ પરિવારમાં બાપ-દીકરો ખુબ ચર્ચામાં રહ્યા છે. પિતા પોતાના લવ અફેરના કારણે તો દીકરો અભિનેત્રીની આત્મહત્યાના કેસમાં ચર્ચામાં રહ્યો હતો.

કરોડ નહી અરબોની સંપત્તિની માલકિન છે આ અભિનેત્રી, આજે છે જન્મદિવસ, જુઓ ફોટો

વિદ્યા બાલને 2005 માં રિલીઝ થયેલી ફિલ્મ 'પરિણીતા' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.વિદ્યા બાલનની ગણતરી બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે.આજે વિદ્યા બાલન કરોડો નહી પરંતુ અરબોની સંપત્તિની માલકિન છે.

g clip-path="url(#clip0_868_265)">