ટીવી સિરિયલ

ટીવી સિરિયલ

ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. ફિલ્મનો ચોક્કસ ટાઈમ હોય છે, જ્યારે ટીવી સિરિયલ સતત ચાલતી સ્ટોરી છે. તે કેટલા મહિના કે વર્ષો સુધી ચાલે છે. હવે તો ટીવી સિરિયલોમાં TRP રેટ પણ આપવામાં આવે છે. જો કોઈ પણ સિરિયલનો રેટ સતત ઓછો આવતો જણાય તો જે તે ચેનલ વાળા સિરિયલને બંધ કરવાની ફરજ પાડે છે.

ભારતમાં ટીવીનો ઈતિહાસ દૂરદર્શનથી શરૂ થાય છે. 15 સપ્ટેમ્બર 1959ના રોજ દૂરદર્શનની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે દૂરદર્શનનું નામ ‘ટેલિવિઝન ઈન્ડિયા’ હતું અને અઠવાડિયામાં 3 દિવસ અડધો કલાક પ્રસારિત થતું હતું. ટીવી સીરિયલ ‘હમ લોગ’ 1984માં દૂરદર્શન પર પહેલીવાર પ્રસારિત કરવામાં આવી હતી.

પી. કુમાર વાસુદેવ દ્વારા નિર્દેશિત સિરિયલ ‘હમ લોગ’માં એક મધ્યમ વર્ગીય પરિવારની સ્ટોરી બતાવવામાં આવી હતી. 25 મિનિટની સિરિયલ માટે લોકો આખો દિવસ રાહ જોતા હતા. હમ લોગ તે સમયની સૌથી લાંબી ચાલેલી સિરિયલ હતી. ‘હમ લોગ’ પછી દૂરદર્શન પર ફૌજી, ભારત એક ખોજ, વાગલે કી દુનિયા, દિલ દરિયા જેવી સિરિયલો ટેલિકાસ્ટ થઈ હતી. રામાયણ અને મહાભારતે દૂરદર્શનને લોકો સુધી પહોંચાડ્યું હતું અને લોકો રવિવારે ટીવી સામે બેસી જતા હતા.

90ના દાયકાની સિરિયલોનો પણ લોકોમાં ઘણો ક્રેઝ રહ્યો હતો. જેમ કે, કહાની ઘર ઘર કી, ક્યોંકી સાસ કભી બહુથી, કસૌટી જીંદગી કી, કુમકુમ, કહીં કિસી રોઝ, કેસર જેવી સિરિયલોએ ધૂમ મચાવી હતી.

ત્યારબાદ સાથ નિભાના સાથિયા, જોધા અકબર, CID, અદાલત, હાતિમ, શકાલાકા બૂમબૂમ, સોનપરી, કરિશ્મા કા કરિશ્મા, સસસસ…..ફિર કોઈ હૈ વગેરે જેવી સિરિયલોએ દરેક ઘરમાં રાજ કર્યું.

અત્યારે દરેક ઘરમાં જાણીતી એવા સિરિયલોની વાત કરીએ તો, અનુપમા, યે રિસ્તા ક્યા કહેલાતા હૈ, કુમકુમ ભાગ્ય, મહાભારત, સાવધાન ઈન્ડિયા, યે હૈ મોહબ્બતે, બાતે અનકહી સી, નાગિન, આંખ મિચૌલી, ગુમ હૈ કિસી કે પ્યાર મેં, પંડ્યા સ્ટોર, ઝનક, બરસાતેં મૌસમ પ્યાર કા તેમજ કાવ્યા જેવી સિરિયલો ધૂમ મચાવે છે.

Read More

KBCમાં રજીસ્ટ્રેશન માટે પુછાયો પ્રશ્ન, શું તમને સાચો જવાબ ખબર છે?

કૌન બનેગા કરોડપતિ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. જેથી લોકો આ શોમાં પોતાનું નામ રજીસ્ટ્રેશન કરી શકે અમિતાભ બચ્ચને એક સવાલ પૂછ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી KBC તરફથી પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચાલો તમને જણાવીએ કે બિગ બી દ્વારા પૂછવામાં આવેલો લેટેસ્ટ સવાલ શું છે.

આજે બોલિવુડના આ મામા-ભાણેજની જોડી રહે છે ખુબ ચર્ચામાં, જાણો કૃષ્ણા અભિષેકના પરિવાર વિશે

પ્રખ્યાત કોમેડિયન-અભિનેતા કૃષ્ણા અભિષેક તેના સુપરસ્ટાર મામા ગોવિંદા અને મામી સુનીતા આહુજા સાથે ઝગડાને લઈ ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં કૃષ્ણા અભિષેકની બહેનના લગ્નમાં મામા ગોવિંદાની એન્ટ્રી થતા હવે ઝગડો શાંત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આપણે કૃષ્ણા અભિષેકના પરિવાર વિશે વાત કરીશું.

ના ડાન્સ, ના સિંગિંગ, IPL પછી શરૂ થશે અનોખો રિયાલિટી શો, આ પ્રખ્યાત સ્ટાર્સ બનશે સ્પર્ધક, જુઓ વીડિયો

ડાન્સ અને સિંગિંગ રિયાલિટી શોની ભીડમાં કલર્સ ટીવી એક સાવ અલગ રિયાલિટી શો શરૂ કરવા જઈ રહ્યું છે. આ શોમાં સ્પર્ધકો વચ્ચે રસોઇ સ્પર્ધા યોજાવાની છે અને સ્વાદ અનુસાર કોમેડી પણ આ સ્પર્ધામાં સામેલ કરવામાં આવશે. ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા ચહેરા જેમ કે ભારતી સિંહ, કૃષ્ણા અભિષેકથી લઈને તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા, જન્નત ઝુબૈર આ શોનો ભાગ હશે.

ગુજરાતમાં આવી અનુપમા ! પ્રથમ રોડ શો કરી રાજકીય સફરની કરી શરુઆત, અભિનેત્રીને જોવા ભીડ ઉમડી, જુઓ Video

રૂપાલી ગાંગુલીની પ્રથમ રેલી માટે ચાહકો પણ તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "આ સીનને કોઈ કેપ્શનની જરૂર નથી. આ અમારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. તમે શો દ્વારા લાખો લોકોના દિલ જીતી લીધા છે. હવે તમે રાજનીતિ દ્વારા પણ બધાના દિલ જીતી લેશો. થુ થુ થુ."

આઠ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે અરુણા ઈરાની, 500થી વધુ ફિલ્મમાં કર્યુ કામ, પતિ,ભાઈ બહેન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય

તેમના પિતા ફરેદુન ઈરાની એક નાટક મંડળ ચલાવતા હતા અને તેમની માતા સગુણા અભિનેત્રી હતી. તે આઠ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. અભિનેત્રી ડોક્ટર બનવા માંગતી હતી. પરંતુ તેણે છઠ્ઠા ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો કારણ કે તેના પરિવાર પાસે બધા બાળકોને ભણાવવા માટે પૂરતા પૈસા નહોતા.

‘અનુપમા’ બની BJP નેતા, શું રાજનીતિ જોઈન કરતા જ શોને કહી દેશે અલવિદા ? જાણો અહીં શું કહ્યું

પોતાના અભિનયથી દેશના લોકોનું મનોરંજન કરનાર રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. રૂપાલીની આ નવી ઈનિંગ તેના ચાહકો માટે કોઈ મોટું સરપ્રાઈઝ છે. રૂપાલીના આ નિર્ણયને તેના ફેન્સ આવકારી રહ્યા છે. પરંતુ સાથે જ તેને ડર છે કે રાજકારણમાં આવ્યા બાદ તે પોતાની ફેવરિટ એક્ટ્રેસ 'અનુપમા'ને અલવિદા કહી શકે છે.

Breaking News : ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી BJPમાં જોડાઈ, કહ્યું- ‘મારે પણ વિકાસના મહાયજ્ઞમાં ભાગ લેવો જોઈએ’, જુઓ વીડિયો

પ્રખ્યાત ટીવી સીરિયલ અનુપમા દરેક ઘરમાં જોવા મળે છે. અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીના ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે, અભિનેત્રી ભાજપમાં જોડાઈ છે. રૂપાલી ગાંગુલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લીધી.

‘સોઢી’ને લઈને આવ્યું ફરી મોટું અપડેટ, મુંબઈ એરપોર્ટ પહોચવા આ વ્યક્તિની લીધી હતી મદદ, જાણો કોણ છે?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહના ગાયબ થયા બાદ તેમનાથી જોડાયેલા ઘણા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, રોશનના પરિવાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી.

TMKOC : ‘મને નથી લાગતું કે તે ડિપ્રેશનમાં હતા’, મોટા સોઢીના ગુમ થવા પર ‘તારક મહેતા’ના નાના સોઢીની પ્રતિક્રિયા

શો 'તારક મહેતા'માં સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણ સિંહ સોઢી ઘણા દિવસોથી ગાયબ છે. પોલીસ તેમને શોધી રહી છે. આવી સ્થિતિમાં તેના ઓન-સ્ક્રીન પુત્ર સમય સાહની પ્રતિક્રિયા આવી છે.

તારક મહેતા એક્ટર ‘સોઢી’ છેલ્લીવાર આ શહેરમાં જોવા મળ્યો, સામે આવ્યા CCTV, પોલીસને મળ્યા સબુત, જુઓ-VIDEO

તપાસમાં જાણવા મળ્યું છે કે 22 એપ્રિલે ગુરુચરણને દિલ્હી એરપોર્ટ જવાનું હતું જ્યાંથી તે મુંબઈની ફ્લાઈટ પકડી શકે, પરંતુ તે એરપોર્ટ તરફ ગયો ન હતો. અભિનેતા દિલ્હીના પાલમ સહિત ઘણા વિસ્તારોમાં પીઠ પર બેગ સાથે ચાલતો જોવા મળ્યો હતો. જેના CCTV હવે સામે આવી રહ્યા છે જુઓ વીડિયો

હું કપડા બદલી રહી હતી ત્યારે.. યે હૈ મોહબ્બતેની એકટ્રેસ કૃષ્ણા મુખર્જીએ પ્રોડ્યુસર પર લગાવ્યા હેરેસમેન્ટના આરોપ

ટીવી સીરિયલ 'યે હૈ મોહબ્બતેં' ફેમ કૃષ્ણા મુખર્જી છેલ્લા ઘણા મહિનાઓથી ડિપ્રેશન અને ચિંતાનો સામનો કરી રહી છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટ દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે. કૃષ્ણા મુખર્જીએ એક શોના નિર્માતા પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે તેણે તેમની સાથે શું કર્યું.

તારક મહેતાના એક્ટર ‘સોઢી’ના ગુમ થવા પર આવ્યું મોટું અપડેટ, વધુ ગંભીર બન્યો મામલો

લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે. હવે પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. આઈપીસીની કલમ 365 હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ સાથે વધુ એક શબુત સામે આવ્યું છે જે બાદ મામલો વધુ ગંભિર બન્યો છે.

અગરબત્તીથી બનાવ્યું ધુમ્મસ, રુ માંથી બન્યા વાદળો… આ રીતે થયું હતું રામાયણનું શૂટિંગ

વર્ષ 1987માં રિલીઝ થયેલી 'રામાયણ' આજે પણ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં 'રામાયણ' પર આધારિત ઘણા શો અને ફિલ્મો આવી છે, પરંતુ તે પ્રેક્ષકોના હૃદયમાં રામાનંદ સાગરની 'રામાયણ' જેવી જગ્યા બનાવી શકી નથી. આ શોના શૂટિંગ દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

યે હૈ મોહબ્બતે ફેમ ઈશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીને થયો એક્સિડન્ટ, હોસ્પિટલમાં કરાઈ દાખલ

સીરિયલ યે હૈ મોહબ્બતેં ફેમ દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત થયો છે. ટીવી અભિનેત્રી હાલ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની સારવાર ચાલુ છે. આ માહિતી મળતા જ દિવ્યાંકાના પતિ અને અભિનેતા વિવેક દહિયા તરત જ પોતાનું કામ છોડીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

TMKOC : કોઈએ ખોલી પોતાની જ્યુસ શોપ, તો કોઈ કરોડોના ઘરનું માલિક, ટપ્પુસેનાના એ બાળકો જાણો આજે શું કરે છે?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ફેમસ ટપ્પુ સેના આજે મોટી થઈ ગઈ છે અને ઘણી અમીર પણ બની ગઈ છે. કલાકારોમાં દરેક બાળક હવે ઘણું સારુ કમાતા થઈ ગયા છે. ત્યારે ચાલો તમને જણાવીએ કે હાલ મોટી થઈ ગયેલી ટપ્પુ સેનામાં કોણ આજે શું કરે છે અને તેમની આવક કેટલી છે.

કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
g clip-path="url(#clip0_868_265)">