AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી સિરિયલ

ટીવી સિરિયલ

ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. ફિલ્મનો ચોક્કસ ટાઈમ હોય છે, જ્યારે ટીવી સિરિયલ સતત ચાલતી સ્ટોરી છે. તે કેટલા મહિના કે વર્ષો સુધી ચાલે છે. હવે તો ટીવી સિરિયલોમાં TRP રેટ પણ આપવામાં આવે છે. જો કોઈ પણ સિરિયલનો રેટ સતત ઓછો આવતો જણાય તો જે તે ચેનલ વાળા સિરિયલને બંધ કરવાની ફરજ પાડે છે.

ભારતમાં ટીવીનો ઈતિહાસ દૂરદર્શનથી શરૂ થાય છે. 15 સપ્ટેમ્બર 1959ના રોજ દૂરદર્શનની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે દૂરદર્શનનું નામ ‘ટેલિવિઝન ઈન્ડિયા’ હતું અને અઠવાડિયામાં 3 દિવસ અડધો કલાક પ્રસારિત થતું હતું. ટીવી સીરિયલ ‘હમ લોગ’ 1984માં દૂરદર્શન પર પહેલીવાર પ્રસારિત કરવામાં આવી હતી.

પી. કુમાર વાસુદેવ દ્વારા નિર્દેશિત સિરિયલ ‘હમ લોગ’માં એક મધ્યમ વર્ગીય પરિવારની સ્ટોરી બતાવવામાં આવી હતી. 25 મિનિટની સિરિયલ માટે લોકો આખો દિવસ રાહ જોતા હતા. હમ લોગ તે સમયની સૌથી લાંબી ચાલેલી સિરિયલ હતી. ‘હમ લોગ’ પછી દૂરદર્શન પર ફૌજી, ભારત એક ખોજ, વાગલે કી દુનિયા, દિલ દરિયા જેવી સિરિયલો ટેલિકાસ્ટ થઈ હતી. રામાયણ અને મહાભારતે દૂરદર્શનને લોકો સુધી પહોંચાડ્યું હતું અને લોકો રવિવારે ટીવી સામે બેસી જતા હતા.

90ના દાયકાની સિરિયલોનો પણ લોકોમાં ઘણો ક્રેઝ રહ્યો હતો. જેમ કે, કહાની ઘર ઘર કી, ક્યોંકી સાસ કભી બહુથી, કસૌટી જીંદગી કી, કુમકુમ, કહીં કિસી રોઝ, કેસર જેવી સિરિયલોએ ધૂમ મચાવી હતી.

ત્યારબાદ સાથ નિભાના સાથિયા, જોધા અકબર, CID, અદાલત, હાતિમ, શકાલાકા બૂમબૂમ, સોનપરી, કરિશ્મા કા કરિશ્મા, સસસસ…..ફિર કોઈ હૈ વગેરે જેવી સિરિયલોએ દરેક ઘરમાં રાજ કર્યું.

અત્યારે દરેક ઘરમાં જાણીતી એવા સિરિયલોની વાત કરીએ તો, અનુપમા, યે રિસ્તા ક્યા કહેલાતા હૈ, કુમકુમ ભાગ્ય, મહાભારત, સાવધાન ઈન્ડિયા, યે હૈ મોહબ્બતે, બાતે અનકહી સી, નાગિન, આંખ મિચૌલી, ગુમ હૈ કિસી કે પ્યાર મેં, પંડ્યા સ્ટોર, ઝનક, બરસાતેં મૌસમ પ્યાર કા તેમજ કાવ્યા જેવી સિરિયલો ધૂમ મચાવે છે.

Read More

53 વર્ષીય અભિનેત્રી છે રામાયણની મંથરા, જુઓ પરિવારમાં કોણ કોણ છે

નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ આજકાલ ખુબ ચર્ચામાં છે. ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને પણ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. હવે ચર્ચાએ છે કે આ લોકપ્રિય અભિનેત્રી ફિલ્મમાં મંથરાની ભૂમિકામાં જોવા મળશે.શીબા ચઢ્ઢાનો પરિવાર જુઓ

બીજા લગ્ન બાદ 41 વર્ષીય અભિનેત્રી જેનિફરે શેર કર્યા હલ્દીના ફોટો, સ્ટાઈલિસ લુકમાં સુંદર લાગી એક્ટ્રેસ

Jennier Winget Haldi: જેનિફરે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી, જેમાં તેના નજીકના મિત્રો સાથે વિતાવેલા યાદગાર પળોની ઝલક રજૂ કરવામાં આવી છે.

પતિ મારે છે ! ફેમસ અભિનેત્રી સાથે પતિ એ કરી માર-પીટ? સાસુ-નણંદે લઈ લીધા ઘરેણા, હવે મુંબઈ પોલીસે આપી મોટી અપડેટ

અભિનેત્રીએ તેના પતિ, સાસુ અને ભાભી સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. અદિતિનો આરોપ છે કે લગ્ન પછીથી જ તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેણીની લેખિત ફરિયાદના આધારે, મુંબઈ પોલીસે FIR નોંધી અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

રામાયણમાં માતા કૌશલ્યાની ભૂમિકા નિભાવનાર, ઇન્દિરા કૃષ્ણનના પરિવાર વિશે જાણો

ઇન્દિરા કૃષ્ણન એક જાણીતી ભારતીય અભિનેત્રી છે. જે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન સીરિયલોમાં દેખાય છે. તેમણે તેરે નામ (2003), એનિમલ (2023) અને નિતેશ તિવારીની આગામી ફિલ્મ રામાયણમાં રાણી કૌશલ્યાની ભૂમિકા ભજવી છે.

‘ચેસ્ટ દબાવી અને મહિનામાં 5-6 રાત સુવાની માગ કરી…’, એક ઘરડા જજે આકાંક્ષા ચૌધરી પાસે કરી ‘ગંદી ડિમાન્ડ’

રિયાલિટી શો 'લૉક અપ 2' ની સ્પર્ધક આકાંક્ષા ચૌધરીએ પોતાની જિંદગીના એક કડવા અનુભવનો ખુલાસો કર્યો છે. Show ના સ્ટેજ પર તેણે જણાવ્યું કે, મોડેલિંગના દિવસોમાં તે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી, જ્યાં ઈન્ડસ્ટ્રીના એક જાણીતા જજે મદદના બદલામાં તેની સામે અયોગ્ય શરતો મૂકી હતી.

TV ની ફેવરિટ ‘ગુજ્જુ ગર્લ’ 42 વર્ષની ઉંમરે મમ્મી બની, ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપી ‘ખુશખબરી’

TV ઇંડસ્ટ્રીમાંથી એક ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. જાણીતી અભિનેત્રી અને ગુજ્જુ ગર્લના ઘરે નાનકડા પુત્રનો જન્મ થયો છે. 42 વર્ષની વયે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુજ્જુ ગર્લ માતા બની છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર થતાં જ ચાહકો અને બોલિવૂડ-ટીવી કલાકારો તરફથી તેમને અભિનંદન મળી રહ્યા છે.

‘અલાયન્સ’ના સૌથી મોંઘા ખેલાડી કુશલ ટંડનનો પરિવાર જુઓ

કુશલ ટંડન એલાયન્સનો સૌથી મોંઘો ખેલાડી છે, જેમણે લાખોમાં ફી લીધી છે. રિપોર્ટ મુજબ કુશલ ટંડનને આખી સીઝન માટે અંદાજે 1.5 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.કુશલ ટંડનનો પરિવાર જુઓ.

Breaking News : ગોપી વહુએ પંજાબ, કેરળ અને કર્ણાટકના શિક્ષણ મંત્રીઓના રાજીનામાની માગ કરી અને કહ્યું, “કાઉન્ટડાઉન શરૂ

શ્વેતા તિવારી બાદ અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યે પણ પંજાબના શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, તેમણે પોસ્ટ કરી હતી કે શુભ કાર્યમાં વિલંબ ન થવો જોઈએ. તેમણે પંજાબ, કેરળ અને કર્ણાટકના શિક્ષણ મંત્રીઓના રાજીનામા પર સવાલ ઉઠાવ્યા હતા.

ભાવનગરમાં જન્મ થયો, માતા-પિતાનું છે એકમાત્ર સંતાન, ચાહકોની ફેવરિટ અભિનેત્રીનો પરિવાર જુઓ

સોશિયલ મીડિયાના યુગ પહેલા પણ, ટીવી સ્ટાર્સની લોકપ્રિયતા ફિલ્મ સ્ટાર્સ કરતા ઓછી નહોતી. 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ની શાનદાર સફળતા દરમિયાન અભિનેત્રી અપરા મહેતાએ પણ ચાહકો તરફથી એવો પ્રેમ જોયો કે તે આજ સુધી ભૂલી શકી નથી. તો આજે આપણે અપરા મહેતાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

TMKOC : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રતન સિંહ બિંજોલાએ 100 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી, જુઓ Video

Actor Kuldeep Gaur : ટીવીના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રતન સિંહ બિંજોલાના રોલમાં જોવા મળતા અભિનેતા કુલદીપ ગૌર 100 વર્ષના વૃદ્ધની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. જુઓ વીડિયો

મનોજમાંથી કરણવીર બનેલા 3 દીકરીના પિતાનો પરિવાર જુઓ

ટેલિવિઝન અભિનેતા કરણવીર બોહરા હાલમાં તેમની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે તેઓ છૂટાછેડા લેવાના છે. તો આજે આપણે મનોજમાંથી કરણવીર બનેલા 3 દીકરીના પિતા કરણવીર બોહરાના પરિવાર વિશે વાત કરીએ.

TMKOC: ‘તારક મહેતા..’શોના આ બે કલાકારો વાસ્તવિક જીવનમાં છે એકબીજાના ભાઈ! જાણો કોણ છે તે એક્ટર્સ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના બે કલાકારો વિશે વાત કરીએ જેઓ પડદા પર મિત્રોની ભૂમિકા ભજવે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ મામા-પિતરાઈ ભાઈ-બહેન છે. બંનેએ આ શોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

‘ગૌરવ ખન્ના કરતાં મારો કૂતરો આવ્યો હોત તો સારું હોત!’ પતિની એન્ટ્રીથી નાખુશ આકાંક્ષા આ શું બોલી ગઈ

આકાંક્ષા ચમોલા, શિલ્પા શિંદે અને શ્રેયા કાલરા આ બાબતે ચર્ચા કરતા જોવા મળ્યા. વાતચીત દરમિયાન, આકાંક્ષાએ કહ્યું કે જો ગૌરવ ખન્નાને બદલે તેના માતાપિતા આવ્યા હોત તો સારુ હોત અથવા તો કઈ નઈને તેનો પાલતુ કૂતરો પણ આવ્યો હોત તો તે વધુ ખુશ હોત.

130થી વધુ ફિલ્મો, છૂટાછેડા લીધેલી અભિનેત્રી સાથે લગ્ન કર્યા, આવો છે બોલિવુડના શ્રેષ્ઠ વિલનનો પરિવાર

મુરલી શર્માએ માત્ર હિન્દી જ નહીં પરંતુ તમિલ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે શાહરૂખ ખાન અને અજય દેવગન, તેમજ પ્રભાસ અને જુનિયર એનટીઆર જેવા ફેમસ સાઉથ સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે.બેસ્ટ વિલનનો પરિવાર જુઓ.

Breaking News : અભિનેત્રીએ અભિનેતા પર મોટો આરોપ લગાવ્યો, કહ્યું મને Kiss કરી, પછી જોરથી થપ્પડ મારી

ટીવી અભિનેત્રી સાન્વી તલવાર હાલમાં ચર્ચામાં આવી છે. સાન્વીએ અભિનેતા કરણ કુંદ્રા પર તેને થપ્પડ મારવાનો આરોપ લગાવ્યો છે. જેને બધાને હેરાન કરી દીધા છે. તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે.

g clip-path="url(#clip0_868_265)">