AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી ગ્રુપના આ ‘3 સ્ટોક’ પર મ્યુચ્યુઅલ ફંડ્સે લગાવ્યો ‘મોટો દાવ’, આખરે કેમ વધારી રહ્યા છે ‘હિસ્સેદારી’?

ભારતના મોટા મ્યુચ્યુઅલ ફંડ્સ હવે અદાણી ગ્રુપની ઉર્જા કંપનીઓ પર મોટો ભરોસો બતાવી રહ્યા છે. વર્ષ 2026 ના લેટેસ્ટ આંકડા મુજબ, અદાણી ગ્રુપની આ 3 કંપનીમાં ફંડ હાઉસિસે પોતાની હિસ્સેદારી ઝડપથી વધારી છે.

| Updated on: May 15, 2026 | 6:03 PM
Share
ભારતના સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ હવે અદાણી ગ્રુપની ઊર્જા કંપનીઓ પર મોટો દાવ લગાવી રહ્યા છે. તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા સૂચવે છે કે, ફંડ હાઉસ દ્વારા અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં પોતાની હિસ્સેદારી ઝડપથી વધારવામાં આવી છે. ધ ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, બજાર આને ફક્ત એક ટ્રેડિંગ ચાલ તરીકે જ નહીં પરંતુ ભારતના આગામી માળખાગત વિકાસમાં લાંબાગાળાના વિશ્વાસના મત તરીકે જુએ છે.

ભારતના સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ હવે અદાણી ગ્રુપની ઊર્જા કંપનીઓ પર મોટો દાવ લગાવી રહ્યા છે. તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા સૂચવે છે કે, ફંડ હાઉસ દ્વારા અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં પોતાની હિસ્સેદારી ઝડપથી વધારવામાં આવી છે. ધ ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, બજાર આને ફક્ત એક ટ્રેડિંગ ચાલ તરીકે જ નહીં પરંતુ ભારતના આગામી માળખાગત વિકાસમાં લાંબાગાળાના વિશ્વાસના મત તરીકે જુએ છે.

1 / 6
માર્ચ 2026 સુધીના આંકડા દર્શાવે છે કે, અદાણી એનર્જી સોલ્યુશન્સમાં મ્યુચ્યુઅલ ફંડ્સની હિસ્સેદારી ડિસેમ્બર 2024ના 1.91% થી વધીને 6.59% થઈ ગઈ છે. તે જ સમયે, અદાણી ગ્રીન એનર્જીમાં હિસ્સેદારી 0.37% થી વધીને 3.22% સુધી પહોંચી ગઈ છે અને અદાણી પાવરમાં પણ આ આંકડો 1.60% થી વધીને 3.62% થયો છે. આ માત્ર સસ્તા ભાવે કરવામાં આવેલી ખરીદી નથી પરંતુ બજાર માની રહ્યું છે કે, આ કંપનીઓ ભારતના આગામી દાયકાની વીજળીની જરૂરિયાતોનો મોટો હિસ્સો પૂરો કરી શકે છે.

માર્ચ 2026 સુધીના આંકડા દર્શાવે છે કે, અદાણી એનર્જી સોલ્યુશન્સમાં મ્યુચ્યુઅલ ફંડ્સની હિસ્સેદારી ડિસેમ્બર 2024ના 1.91% થી વધીને 6.59% થઈ ગઈ છે. તે જ સમયે, અદાણી ગ્રીન એનર્જીમાં હિસ્સેદારી 0.37% થી વધીને 3.22% સુધી પહોંચી ગઈ છે અને અદાણી પાવરમાં પણ આ આંકડો 1.60% થી વધીને 3.62% થયો છે. આ માત્ર સસ્તા ભાવે કરવામાં આવેલી ખરીદી નથી પરંતુ બજાર માની રહ્યું છે કે, આ કંપનીઓ ભારતના આગામી દાયકાની વીજળીની જરૂરિયાતોનો મોટો હિસ્સો પૂરો કરી શકે છે.

2 / 6
ભારતમાં ડેટા સેન્ટર્સ ઝડપથી વધી રહ્યા છે, ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પણ સરકારની PLI સ્કીમને કારણે વેગ પકડી રહ્યું છે. આ તમામ માટે સતત અને ભરોસાપાત્ર વીજ પુરવઠો જરૂરી છે, જ્યાં અદાણીની આ ત્રણેય કંપનીઓ બરાબર ફિટ બેસે છે. અદાણી પાવર વીજ ઉત્પાદનમાં મજબૂત છે, અદાણી ગ્રીન રિન્યુએબલ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ટ્રાન્સમિશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સંભાળે છે. આનો અર્થ એ છે કે, વીજળીની સંપૂર્ણ વેલ્યુ ચેઇનમાં તેમની પકડ છે, તેથી જ ફંડ મેનેજરો તેમને ભારતની ઇલેક્ટ્રિફિકેશન સ્ટોરીનો મહત્વનો ભાગ માની રહ્યા છે.

ભારતમાં ડેટા સેન્ટર્સ ઝડપથી વધી રહ્યા છે, ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પણ સરકારની PLI સ્કીમને કારણે વેગ પકડી રહ્યું છે. આ તમામ માટે સતત અને ભરોસાપાત્ર વીજ પુરવઠો જરૂરી છે, જ્યાં અદાણીની આ ત્રણેય કંપનીઓ બરાબર ફિટ બેસે છે. અદાણી પાવર વીજ ઉત્પાદનમાં મજબૂત છે, અદાણી ગ્રીન રિન્યુએબલ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ટ્રાન્સમિશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સંભાળે છે. આનો અર્થ એ છે કે, વીજળીની સંપૂર્ણ વેલ્યુ ચેઇનમાં તેમની પકડ છે, તેથી જ ફંડ મેનેજરો તેમને ભારતની ઇલેક્ટ્રિફિકેશન સ્ટોરીનો મહત્વનો ભાગ માની રહ્યા છે.

3 / 6
અદાણી ગ્રુપની મોટી તાકાત તેનું કોન્ટ્રાક્ટ આધારિત બિઝનેસ મોડલ છે. ગ્રુપની મોટી કમાણી લાંબાગાળાના નિશ્ચિત કોન્ટ્રાક્ટ્સમાંથી આવે છે, જેનાથી આવકની સ્પષ્ટતા જળવાઈ રહે છે. આ જ કારણ છે કે, બજારની ઉથલપાથલ કે કોમોડિટીના ભાવમાં ફેરફારની અસર આ કંપનીઓ પર મર્યાદિત રહે છે, જે લાંબાગાળાના રોકાણકારો માટે મોટી રાહત છે. એવો અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2030 સુધીમાં ગ્રુપનું EBITDA ₹2.5 લાખ કરોડથી ₹3 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.

અદાણી ગ્રુપની મોટી તાકાત તેનું કોન્ટ્રાક્ટ આધારિત બિઝનેસ મોડલ છે. ગ્રુપની મોટી કમાણી લાંબાગાળાના નિશ્ચિત કોન્ટ્રાક્ટ્સમાંથી આવે છે, જેનાથી આવકની સ્પષ્ટતા જળવાઈ રહે છે. આ જ કારણ છે કે, બજારની ઉથલપાથલ કે કોમોડિટીના ભાવમાં ફેરફારની અસર આ કંપનીઓ પર મર્યાદિત રહે છે, જે લાંબાગાળાના રોકાણકારો માટે મોટી રાહત છે. એવો અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2030 સુધીમાં ગ્રુપનું EBITDA ₹2.5 લાખ કરોડથી ₹3 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.

4 / 6
છેલ્લા એક વર્ષમાં અદાણી પાવર અંદાજે 108% વધ્યો છે અને માત્ર વર્ષ 2026માં જ તેમાં લગભગ 50% ની તેજી આવી છે. આનાથી કંપનીનું માર્કેટ કેપ ₹4.3 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે અને તેણે ઘણી મોટી કંપનીઓને પાછળ છોડી દીધી છે. અદાણી એનર્જી સોલ્યુશન્સમાં છેલ્લા એક વર્ષમાં 48% અને અદાણી ગ્રીનમાં 46% નો ઉછાળો જોવા મળ્યો છે. આ તેજી માત્ર બજારની લાગણીઓથી નહીં પરંતુ મજબૂત ઓર્ડર બુક, વધતી જતી વીજળીની માંગ અને સતત વિસ્તરણ યોજનાઓને કારણે આવી છે.

છેલ્લા એક વર્ષમાં અદાણી પાવર અંદાજે 108% વધ્યો છે અને માત્ર વર્ષ 2026માં જ તેમાં લગભગ 50% ની તેજી આવી છે. આનાથી કંપનીનું માર્કેટ કેપ ₹4.3 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે અને તેણે ઘણી મોટી કંપનીઓને પાછળ છોડી દીધી છે. અદાણી એનર્જી સોલ્યુશન્સમાં છેલ્લા એક વર્ષમાં 48% અને અદાણી ગ્રીનમાં 46% નો ઉછાળો જોવા મળ્યો છે. આ તેજી માત્ર બજારની લાગણીઓથી નહીં પરંતુ મજબૂત ઓર્ડર બુક, વધતી જતી વીજળીની માંગ અને સતત વિસ્તરણ યોજનાઓને કારણે આવી છે.

5 / 6
મ્યુચ્યુઅલ ફંડ્સનો આ વિશ્વાસ દર્શાવે છે કે, બજાર હવે અદાણી ગ્રુપને માત્ર હાઇ-વોલેટાઇલ સ્ટોક તરીકે નથી જોતું પરંતુ તેમને ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ સ્ટોરીના મહત્વના હિસ્સા તરીકે જોવામાં આવી રહ્યા છે. જો કે, રોકાણકારોએ તેજી જોઈને સંશોધન કર્યા વગર રોકાણ કરવું જોઈએ નહીં, કારણ કે વેલ્યુએશન અને જોખમ સમજવા જરૂરી છે. આ બધા વચ્ચે એટલું સ્પષ્ટ છે કે, ભારતની વીજળીની માંગ વધવાની વાર્તામાં આ ત્રિપુટી હાલમાં સૌથી મજબૂત દાવેદારોમાં જોડાયેલ છે.

મ્યુચ્યુઅલ ફંડ્સનો આ વિશ્વાસ દર્શાવે છે કે, બજાર હવે અદાણી ગ્રુપને માત્ર હાઇ-વોલેટાઇલ સ્ટોક તરીકે નથી જોતું પરંતુ તેમને ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ સ્ટોરીના મહત્વના હિસ્સા તરીકે જોવામાં આવી રહ્યા છે. જો કે, રોકાણકારોએ તેજી જોઈને સંશોધન કર્યા વગર રોકાણ કરવું જોઈએ નહીં, કારણ કે વેલ્યુએશન અને જોખમ સમજવા જરૂરી છે. આ બધા વચ્ચે એટલું સ્પષ્ટ છે કે, ભારતની વીજળીની માંગ વધવાની વાર્તામાં આ ત્રિપુટી હાલમાં સૌથી મજબૂત દાવેદારોમાં જોડાયેલ છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

મોકો ચૂકતા નહીં! આ સ્ટોકમાં આંખ બંધ કરીને રોકાણ કરી લો, એક્સપર્ટે આપ્યું ‘BUY’ રેટિંગ

Follow Us
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
g clip-path="url(#clip0_868_265)">