AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monthly Income : જીવનને મળશે નવો સહારો, પોસ્ટ ઓફિસની આ યોજના તમને કરાવશે તગડી કમાણી, જાણો

પોસ્ટ ઓફિસની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) એક સુરક્ષિત રોકાણ વિકલ્પ છે જે નિશ્ચિત માસિક આવક પૂરી પાડે છે.

| Updated on: Aug 07, 2025 | 9:30 PM
Share
નિવૃત્તિ પછી જો દર મહિને સ્થિર આવકની શોધમાં છો, તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ યોજના ખાસ કરીને એવા વરિષ્ઠ નાગરિકો માટે રચાઈ છે જેમને સુરક્ષિત અને વિશ્વસનીય રોકાણ સાથે દર મહિને નિશ્ચિત વ્યાજ મળે – તે પણ સરકારી ગેરંટી સાથે. SCSS મા મળતું વ્યાજદર 8.2% છે, જે મોટાભાગની બેંકોના ફિક્સ ડિપોઝિટ કરતાં ઘણો વધુ છે.

નિવૃત્તિ પછી જો દર મહિને સ્થિર આવકની શોધમાં છો, તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ યોજના ખાસ કરીને એવા વરિષ્ઠ નાગરિકો માટે રચાઈ છે જેમને સુરક્ષિત અને વિશ્વસનીય રોકાણ સાથે દર મહિને નિશ્ચિત વ્યાજ મળે – તે પણ સરકારી ગેરંટી સાથે. SCSS મા મળતું વ્યાજદર 8.2% છે, જે મોટાભાગની બેંકોના ફિક્સ ડિપોઝિટ કરતાં ઘણો વધુ છે.

1 / 5
SCSS ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે રચાયેલ છે. જો કોઈ સરકારી કર્મચારીએ 55થી 60 વર્ષની ઉંમરે VRS લીધું હોય, તો તે પણ આ યોજનામાં ખાતું ખોલી શકે છે. રક્ષા દળના નિવૃત્ત કર્મચારીઓ માટે ઉંમર મર્યાદા 50 વર્ષ છે. આ રીતે, વિવિધ વર્ગના નિવૃત્ત નાગરિકો માટે આ યોજના ખૂબ ઉપયોગી છે.

SCSS ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે રચાયેલ છે. જો કોઈ સરકારી કર્મચારીએ 55થી 60 વર્ષની ઉંમરે VRS લીધું હોય, તો તે પણ આ યોજનામાં ખાતું ખોલી શકે છે. રક્ષા દળના નિવૃત્ત કર્મચારીઓ માટે ઉંમર મર્યાદા 50 વર્ષ છે. આ રીતે, વિવિધ વર્ગના નિવૃત્ત નાગરિકો માટે આ યોજના ખૂબ ઉપયોગી છે.

2 / 5
આ યોજનામાં લઘુત્તમ રોકાણ ₹1,000 છે, જ્યારે મહત્તમ ₹30 લાખ સુધી કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ ₹30 લાખનું રોકાણ કરે, તો તેમને દર વર્ષે લગભગ ₹2.46 લાખ વ્યાજ મળે – એટલે દર મહિને ₹20,500ની આકરી આવક ફક્ત વ્યાજથી જ મળે છે. આ આવક સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે અને નિવૃત્તિ પછીની નાણાકીય જરૂરિયાતોને સંપૂર્ણપણે પૂરી કરી શકે છે.

આ યોજનામાં લઘુત્તમ રોકાણ ₹1,000 છે, જ્યારે મહત્તમ ₹30 લાખ સુધી કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ ₹30 લાખનું રોકાણ કરે, તો તેમને દર વર્ષે લગભગ ₹2.46 લાખ વ્યાજ મળે – એટલે દર મહિને ₹20,500ની આકરી આવક ફક્ત વ્યાજથી જ મળે છે. આ આવક સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે અને નિવૃત્તિ પછીની નાણાકીય જરૂરિયાતોને સંપૂર્ણપણે પૂરી કરી શકે છે.

3 / 5
આ યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર તમને આવકવેરાની કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની ટેક્સ છૂટ મળે છે. જોકે, મળતું વ્યાજ કરપાત્ર હોય છે. સ્કીમની મુદત 5 વર્ષ છે, અને જરૂર પડે તો તેને વધારીને વધુ 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. એટલે કે, લાંબા સમય માટે સ્થિર અને સુરક્ષિત આવક માટે આ યોજના શ્રેષ્ઠ પસંદગી સાબિત થઈ શકે છે.

આ યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર તમને આવકવેરાની કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની ટેક્સ છૂટ મળે છે. જોકે, મળતું વ્યાજ કરપાત્ર હોય છે. સ્કીમની મુદત 5 વર્ષ છે, અને જરૂર પડે તો તેને વધારીને વધુ 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. એટલે કે, લાંબા સમય માટે સ્થિર અને સુરક્ષિત આવક માટે આ યોજના શ્રેષ્ઠ પસંદગી સાબિત થઈ શકે છે.

4 / 5
જો તમે અથવા તમારા માતા-પિતા નિવૃત્તિ માટે સલામત અને નક્કર આવકની યોજના શોધી રહ્યા હોય, તો પોસ્ટ ઓફિસની આ યોજના ચોક્કસપણે વિચારવાપાત્ર છે. વધુ માહિતી માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો.

જો તમે અથવા તમારા માતા-પિતા નિવૃત્તિ માટે સલામત અને નક્કર આવકની યોજના શોધી રહ્યા હોય, તો પોસ્ટ ઓફિસની આ યોજના ચોક્કસપણે વિચારવાપાત્ર છે. વધુ માહિતી માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો.

5 / 5

LIC ની આ 5 બેસ્ટ પોલિસી, સુરક્ષિત રોકાણ સાથે થશે મોટી કમાણી, જાણવા માટે અહીં ક્લિક કરો ..

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">