પૈસા તમારા પાસે ટકતા નથી ! તમારા પર્સમાં રાખશો આ વસ્તુઓ તો માતા લક્ષ્મીની કૃપા બની રહેશે, Photos
આપણે બધા જ ઈચ્છીએ છીએ કે આપણી આર્થિક સ્થિતિ સારી બની રહે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં અમુક પ્રકારની વસ્તુઓ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. તેમજ ખોટા ખર્ચા થતા અટે છે. આ ઉપરાંત આ 5 વસ્તુ પર્સમાં રાખવામાં આવે તો શુભ ફળ આપે છે.

લાલ રંગના કાગળ પર તમારી ઈચ્છા લખી. તેને રેશમના દોરાથી બાંધીને પર્સમાં રાખવાથી તમારી મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે.

શાસ્ત્રો અનુસાર એક ચોખાના દાણા પર્સમાં રાખવાથી અનિચ્છનીય ખર્ચમાં ઘટાડો થાય છે. તેમજ અનિચ્છનીય ખર્ચ ઘટાડે છે. આ રાખવાથી પૈસાની અછત થતી નથી.

તમે તમારા પર્સમાં માતા લક્ષ્મીનો ફોટો રાખવાથી આર્થિક લાભ થાય છે. આ ઉપરાંત પર્સમાં ચાંદીનો સિક્કો રાખવાથી પણ આર્થિક લાભ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પર્સમાં કાચનો ટુકડો અથવા નાની છરી રાખવી જોઈએ. આ ઉપાય ધન વધારવામાં પણ મદદગાર છે. આ સિવાય તમે તમારા પર્સમાં ગોમતી ચક્ર પણ રાખી શકો છો.

પર્સમાં રુદ્રાક્ષ રાખવાથી ગરીબી દૂર થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે. તમારે તમારા ઘરની તિજોરી અથવા અલમારીમાં હંમેશા રુદ્રાક્ષ રાખવું જોઈએ. ( નોંધ:અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે.આ માહિતી માત્ર જાણકારી આપવા માટે છે.)
