કાનુની સવાલ : જો મમતા બેનર્જી રાજીનામું ના આપે તો ? કાયદો શું કહે છે તે જાણો
મમતા બેનર્જીએ કહ્યું, "આગામી દિવસોમાં (I.N.D.I.A.Indian National Developmental Inclusive Alliance) વધુ મજબૂત બનશે. બધા નેતાઓ એક પછી એક મળશે અને અમે વિપક્ષી ગઠબંધનને મજબૂત બનાવીશું."મમતા બેનર્જી રાજીનામું ન આપે તો? કાયદો શું કહે છે જાણો

મમતા બેનર્જીએ વિધાનસભાની ચૂંટણીમાં પોતાની હાર બાદ ગોટાળો અને "મત ચોરી"નો આરોપ લગાવ્યો છે અને આગામી સરકાર શપથ લે તે પહેલાં રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. "હું હવે શા માટે રાજીનામું આપું? અમે ખરેખર હાર્યા નથી,"

મમતા બેનર્જીએ મીડિયાને કહ્યું. "પરિણામો સાચા જનાદેશને પ્રતિબિંબિત કરતા નથી, પરંતુ ગોટાળા અને મત ચોરીનું પરિણામ છે." ચાલો જોઈએ કે શું મમતાના આ પગલાથી બંધારણીય કટોકટી ઊભી થશે.

પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ, ભારતીય જનતા પાર્ટી9 મે, 2026 ના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજશે. ત્યારે મમતા બેનર્જીના રાજીનામું ના આપવાને લઈને પણ અટકળો ચાલી રહી છે.

જો કોઈ મુખ્યમંત્રી બહુમતી ગુમાવ્યા પછી પણ રાજીનામું આપવા તૈયાર ન હોય, તો બંધારણની કલમ 164(1) રાજ્યપાલને વ્યાપક સત્તાઓ આપે છે. આ કલમ હેઠળ, રાજ્યપાલને તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી અને તેમના સમગ્ર મંત્રીમંડળને બરતરફ કરવાનો અધિકાર છે.

મમતા બેનર્જીના કિસ્સામાં આ સૌથી સ્પષ્ટ રસ્તો લાગે છે. રાજ્યપાલને રાજીનામું માંગવાની જરૂર નથી. તેઓ બહુમતીના આંકડાઓના આધારે હાલની સરકારને વિસર્જન કરી શકે છે અને નવી સરકારની રચનાનો માર્ગ સાફ કરી શકે છે.

ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને વરિષ્ઠ વકીલ સાલ્વેએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ બંધારણનું પાલન કરવાની શપથ લીધી હતી. હવે તેઓ પોતાની વાતનું ઉલ્લંધન કરી રહ્યા છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
