AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 વર્ષથી વાંકી પીઠ રાખીને કામ કરવાથી થાય છે અસહ્ય દુખાવો, ‘TMKOC’ના બાઘાએ સીરિયલ ન છોડવા અંગે કર્યો મોટો ખુલાસો !

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ભૂમિકા ભજવનાર અભિનેતા તન્મય વેકરિયાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પોતાની ભૂમિકા અને સેટ પરના વાતાવરણ વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

| Updated on: Aug 07, 2026 | 1:36 PM
Share

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતો બનેલો અભિનેતા તન્મય વેકરિયા છેલ્લા પંદર વર્ષથી આ જ સીરીયલમાં કામ કરી રહ્યો છે. (Image Source | Instagram)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતો બનેલો અભિનેતા તન્મય વેકરિયા છેલ્લા પંદર વર્ષથી આ જ સીરીયલમાં કામ કરી રહ્યો છે. (Image Source | Instagram)

1 / 6
બાઘાના પાત્ર માટે તેને શૂટિંગ દરમિયાન કલાકો સુધી પીઠ વાંકીને ઊભા રહેવું પડે છે. તેના કારણે તેને પીઠના દુખાવાની ગંભીર સમસ્યા થાય છે. તેમ છતાં તેણે ક્યારેય આ સીરિયલ છોડવાનો વિચાર કર્યો નથી. (Image Source | Instagram)

બાઘાના પાત્ર માટે તેને શૂટિંગ દરમિયાન કલાકો સુધી પીઠ વાંકીને ઊભા રહેવું પડે છે. તેના કારણે તેને પીઠના દુખાવાની ગંભીર સમસ્યા થાય છે. તેમ છતાં તેણે ક્યારેય આ સીરિયલ છોડવાનો વિચાર કર્યો નથી. (Image Source | Instagram)

2 / 6
છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કલાકારોએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છોડી દીધી છે. જોકે, તન્મય 2011થી બાઘાની ભૂમિકામાં જ કામ કરી રહ્યો છે. તેણે આ ભૂમિકા છોડવાનું કે બીજું કંઈ કરવાનું વિચાર્યું પણ નથી. (Image Source | Instagram)

છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કલાકારોએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છોડી દીધી છે. જોકે, તન્મય 2011થી બાઘાની ભૂમિકામાં જ કામ કરી રહ્યો છે. તેણે આ ભૂમિકા છોડવાનું કે બીજું કંઈ કરવાનું વિચાર્યું પણ નથી. (Image Source | Instagram)

3 / 6
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, આ અંગે વાત કરતાં તન્મયે કહ્યું, "મારા માટે કામ એટલે કામ. હું આવા વિચારોને મારા મનમાં આવવા જ દેતો નથી, કારણ કે જ્યારે હાથમાં કોઈ કામ ન હોય ત્યારે કેવી લાગણી થાય છે, તે હું સારી રીતે જાણું છું." (Image Source | Instagram)

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, આ અંગે વાત કરતાં તન્મયે કહ્યું, "મારા માટે કામ એટલે કામ. હું આવા વિચારોને મારા મનમાં આવવા જ દેતો નથી, કારણ કે જ્યારે હાથમાં કોઈ કામ ન હોય ત્યારે કેવી લાગણી થાય છે, તે હું સારી રીતે જાણું છું." (Image Source | Instagram)

4 / 6
તન્મયે જણાવ્યું કે બાઘાનું પાત્ર ભજવીને તેને ખૂબ આનંદ મળે છે. તેણે વધુમાં કહ્યું, "હું અહીં માત્ર કોમેડી જ નથી કરતો. છેલ્લા કેટલાક સમયથી સીરિયલમાં મારા ઘણા ભાવનાત્મક દૃશ્યો પણ ચાલી રહ્યા છે. સમગ્ર ટીમ અને કલાકારો મારા બીજા પરિવાર જેવા છે. હું સૌથી વધુ સમય તેમની સાથે જ પસાર કરું છું. અહીં દરેક વ્યક્તિ એકબીજાની મદદ કરે છે." (Image Source | Instagram)

તન્મયે જણાવ્યું કે બાઘાનું પાત્ર ભજવીને તેને ખૂબ આનંદ મળે છે. તેણે વધુમાં કહ્યું, "હું અહીં માત્ર કોમેડી જ નથી કરતો. છેલ્લા કેટલાક સમયથી સીરિયલમાં મારા ઘણા ભાવનાત્મક દૃશ્યો પણ ચાલી રહ્યા છે. સમગ્ર ટીમ અને કલાકારો મારા બીજા પરિવાર જેવા છે. હું સૌથી વધુ સમય તેમની સાથે જ પસાર કરું છું. અહીં દરેક વ્યક્તિ એકબીજાની મદદ કરે છે." (Image Source | Instagram)

5 / 6
સીરિયલને લઈને થતા વિવાદો વિશે વાત કરતાં તન્મયે કહ્યું, "પરિવારમાં નાના-મોટા મતભેદ થવા સ્વાભાવિક છે. પરંતુ દુર્ભાગ્યે ઈન્ટરનેટ અને મીડિયા તેને જરૂર કરતાં વધુ મહત્વ આપે છે. જો હું કોઈ દૃશ્ય સારી રીતે ન કરું અથવા મારા અભિનયમાં કોઈ ખામી હોય, તો એવી વાતો પણ અલગ જ રીતે ફેલાવવામાં આવે છે." (Image Source | Instagram)

સીરિયલને લઈને થતા વિવાદો વિશે વાત કરતાં તન્મયે કહ્યું, "પરિવારમાં નાના-મોટા મતભેદ થવા સ્વાભાવિક છે. પરંતુ દુર્ભાગ્યે ઈન્ટરનેટ અને મીડિયા તેને જરૂર કરતાં વધુ મહત્વ આપે છે. જો હું કોઈ દૃશ્ય સારી રીતે ન કરું અથવા મારા અભિનયમાં કોઈ ખામી હોય, તો એવી વાતો પણ અલગ જ રીતે ફેલાવવામાં આવે છે." (Image Source | Instagram)

6 / 6

આ પણ વાંચો, TMKOC : બબિતા કરતાં જેઠાલાલને મળે છે 204 % વધુ ફી ? જાણો અન્ય કલાકારો કેટલી લે છે સેલેરી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">