15 વર્ષથી વાંકી પીઠ રાખીને કામ કરવાથી થાય છે અસહ્ય દુખાવો, ‘TMKOC’ના બાઘાએ સીરિયલ ન છોડવા અંગે કર્યો મોટો ખુલાસો !
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ભૂમિકા ભજવનાર અભિનેતા તન્મય વેકરિયાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પોતાની ભૂમિકા અને સેટ પરના વાતાવરણ વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતો બનેલો અભિનેતા તન્મય વેકરિયા છેલ્લા પંદર વર્ષથી આ જ સીરીયલમાં કામ કરી રહ્યો છે. (Image Source | Instagram)

બાઘાના પાત્ર માટે તેને શૂટિંગ દરમિયાન કલાકો સુધી પીઠ વાંકીને ઊભા રહેવું પડે છે. તેના કારણે તેને પીઠના દુખાવાની ગંભીર સમસ્યા થાય છે. તેમ છતાં તેણે ક્યારેય આ સીરિયલ છોડવાનો વિચાર કર્યો નથી. (Image Source | Instagram)

છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કલાકારોએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છોડી દીધી છે. જોકે, તન્મય 2011થી બાઘાની ભૂમિકામાં જ કામ કરી રહ્યો છે. તેણે આ ભૂમિકા છોડવાનું કે બીજું કંઈ કરવાનું વિચાર્યું પણ નથી. (Image Source | Instagram)

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, આ અંગે વાત કરતાં તન્મયે કહ્યું, "મારા માટે કામ એટલે કામ. હું આવા વિચારોને મારા મનમાં આવવા જ દેતો નથી, કારણ કે જ્યારે હાથમાં કોઈ કામ ન હોય ત્યારે કેવી લાગણી થાય છે, તે હું સારી રીતે જાણું છું." (Image Source | Instagram)

તન્મયે જણાવ્યું કે બાઘાનું પાત્ર ભજવીને તેને ખૂબ આનંદ મળે છે. તેણે વધુમાં કહ્યું, "હું અહીં માત્ર કોમેડી જ નથી કરતો. છેલ્લા કેટલાક સમયથી સીરિયલમાં મારા ઘણા ભાવનાત્મક દૃશ્યો પણ ચાલી રહ્યા છે. સમગ્ર ટીમ અને કલાકારો મારા બીજા પરિવાર જેવા છે. હું સૌથી વધુ સમય તેમની સાથે જ પસાર કરું છું. અહીં દરેક વ્યક્તિ એકબીજાની મદદ કરે છે." (Image Source | Instagram)

સીરિયલને લઈને થતા વિવાદો વિશે વાત કરતાં તન્મયે કહ્યું, "પરિવારમાં નાના-મોટા મતભેદ થવા સ્વાભાવિક છે. પરંતુ દુર્ભાગ્યે ઈન્ટરનેટ અને મીડિયા તેને જરૂર કરતાં વધુ મહત્વ આપે છે. જો હું કોઈ દૃશ્ય સારી રીતે ન કરું અથવા મારા અભિનયમાં કોઈ ખામી હોય, તો એવી વાતો પણ અલગ જ રીતે ફેલાવવામાં આવે છે." (Image Source | Instagram)
આ પણ વાંચો, TMKOC : બબિતા કરતાં જેઠાલાલને મળે છે 204 % વધુ ફી ? જાણો અન્ય કલાકારો કેટલી લે છે સેલેરી
