AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR ફાઇલિંગમાં આ ’10 ભૂલ’થી બચો, જો ચૂક્યા તો ખિસ્સા પર પડશે ‘ભાર’ અને આવી શકે છે ‘નોટિસ’

નાણાકીય વર્ષ 2026 (આકારણી વર્ષ 2026-27) માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગ શરૂ થઈ ગયું છે. જો કે, આ અંગે કરદાતાઓએ (ટેક્સપેયર્સ) રિટર્ન તૈયાર કરવા અને તેને ફાઇલ કરવામાં સાવચેતી રાખવી જોઈએ.

| Updated on: Jun 21, 2026 | 1:37 PM
Share
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કેટલીક એવી ભૂલો થાય છે કે, જેનાથી રિફંડ મળવામાં વિલંબ થઈ શકે છે, ટેક્સની જવાબદારી વધી શકે છે, ઇન્કમ ટેક્સ તરફથી નોટિસ આવી શકે છે અથવા તો પેનલ્ટી પણ લાગી શકે છે. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કરદાતાઓએ પોતાની આવકની વિગતો (ઇન્કમ ડિસ્ક્લોઝર) અને ટેક્સ ક્રેડિટને ફોર્મ 26AS, AIS (એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ) અને ઇન્કમ ટેક્સ પોર્ટલ પર ઉપલબ્ધ પ્રી-ફિલ્ડ ડેટા સાથે સરખાવી (મેચ કરી) લેવી જોઈએ. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આવું કરવાથી ભૂલો અને નોટિસ આવવાની આશંકા ઘટાડી શકાય છે. નિષ્ણાતોના મતે, રિટર્ન ફાઇલ કર્યા પછી નિર્ધારિત સમય મર્યાદામાં ઈ-વેરિફિકેશન પણ કરી લેવું જોઈએ, નહીં તો રિટર્ન માન્ય ગણાશે નહીં.

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કેટલીક એવી ભૂલો થાય છે કે, જેનાથી રિફંડ મળવામાં વિલંબ થઈ શકે છે, ટેક્સની જવાબદારી વધી શકે છે, ઇન્કમ ટેક્સ તરફથી નોટિસ આવી શકે છે અથવા તો પેનલ્ટી પણ લાગી શકે છે. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કરદાતાઓએ પોતાની આવકની વિગતો (ઇન્કમ ડિસ્ક્લોઝર) અને ટેક્સ ક્રેડિટને ફોર્મ 26AS, AIS (એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ) અને ઇન્કમ ટેક્સ પોર્ટલ પર ઉપલબ્ધ પ્રી-ફિલ્ડ ડેટા સાથે સરખાવી (મેચ કરી) લેવી જોઈએ. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આવું કરવાથી ભૂલો અને નોટિસ આવવાની આશંકા ઘટાડી શકાય છે. નિષ્ણાતોના મતે, રિટર્ન ફાઇલ કર્યા પછી નિર્ધારિત સમય મર્યાદામાં ઈ-વેરિફિકેશન પણ કરી લેવું જોઈએ, નહીં તો રિટર્ન માન્ય ગણાશે નહીં.

1 / 5
જો કરદાતાઓએ ખોટા આઈટીઆર ફોર્મ (ITR Form) હેઠળ રિટર્ન ફાઇલ કર્યું, તો તેને ડિફેક્ટિવ (ખામીયુક્ત) ગણવામાં આવશે અને પ્રોસેસિંગમાં વિલંબ થઈ શકે છે. ઘણા કરદાતાઓ વ્યાજ, ડિવિડન્ડ, ભાડું, ફ્રીલાન્સ અથવા વિદેશી આવકની માહિતી આપતા નથી, જેનાથી તેમની આવક ઓછી દેખાય છે. જો ફોર્મ 16, AIS અને ફોર્મ 26AS વચ્ચે તફાવત હોય, તો ખોટું રિપોર્ટિંગ થઈ શકે છે અને ટેક્સ વિભાગ તરફથી નોટિસ આવી શકે છે.

જો કરદાતાઓએ ખોટા આઈટીઆર ફોર્મ (ITR Form) હેઠળ રિટર્ન ફાઇલ કર્યું, તો તેને ડિફેક્ટિવ (ખામીયુક્ત) ગણવામાં આવશે અને પ્રોસેસિંગમાં વિલંબ થઈ શકે છે. ઘણા કરદાતાઓ વ્યાજ, ડિવિડન્ડ, ભાડું, ફ્રીલાન્સ અથવા વિદેશી આવકની માહિતી આપતા નથી, જેનાથી તેમની આવક ઓછી દેખાય છે. જો ફોર્મ 16, AIS અને ફોર્મ 26AS વચ્ચે તફાવત હોય, તો ખોટું રિપોર્ટિંગ થઈ શકે છે અને ટેક્સ વિભાગ તરફથી નોટિસ આવી શકે છે.

2 / 5
લોસની વિગતો ભરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? : કરદાતાઓએ હંમેશા યાદ રાખવું જોઈએ કે સમયમર્યાદામાં ફાઇલ કરેલા રિટર્નમાં જાહેર કરાયેલા નુકસાનને જ આગળ કેરિફોર્વડ કરી શકાય છે. વધુમાં, બધા આવશ્યક દસ્તાવેજો જેમ કે કોન્ટ્રેક્ટ નોટ્સ, બ્રોકર સ્ટેટમેન્ટ્સ અને કેપિટલ ગેઈન જેવા દસ્તાવેજો સુરક્ષિત રીતે રાખો, કારણ કે જો કર અધિકારીઓ દ્વારા માગવા પર તે પુરાવા તરીકે રજૂ કરી શકાય છે.

લોસની વિગતો ભરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? : કરદાતાઓએ હંમેશા યાદ રાખવું જોઈએ કે સમયમર્યાદામાં ફાઇલ કરેલા રિટર્નમાં જાહેર કરાયેલા નુકસાનને જ આગળ કેરિફોર્વડ કરી શકાય છે. વધુમાં, બધા આવશ્યક દસ્તાવેજો જેમ કે કોન્ટ્રેક્ટ નોટ્સ, બ્રોકર સ્ટેટમેન્ટ્સ અને કેપિટલ ગેઈન જેવા દસ્તાવેજો સુરક્ષિત રીતે રાખો, કારણ કે જો કર અધિકારીઓ દ્વારા માગવા પર તે પુરાવા તરીકે રજૂ કરી શકાય છે.

3 / 5
વિદેશી અસ્કયામતો (સંપત્તિઓ) અને વિદેશી આવકનો સાચો ખુલાસો ન કરવા પર ઇન્કમ ટેક્સ હેઠળ પેનલ્ટી લાગી શકે છે. જૂની અને નવી ટેક્સ રિઝીમની સાચી સરખામણી કર્યા વિના રિટર્ન ફાઇલ કરવાથી ટેક્સનું ભારણ વધી શકે છે. મોડું રિટર્ન ફાઇલ કરવા પર વ્યાજ, લેટ ફી, કેટલાક નુકસાનને આગળ ખેંચી (કેરી ફોરવર્ડ) ન શકવા અને પેનલ્ટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વિદેશી અસ્કયામતો (સંપત્તિઓ) અને વિદેશી આવકનો સાચો ખુલાસો ન કરવા પર ઇન્કમ ટેક્સ હેઠળ પેનલ્ટી લાગી શકે છે. જૂની અને નવી ટેક્સ રિઝીમની સાચી સરખામણી કર્યા વિના રિટર્ન ફાઇલ કરવાથી ટેક્સનું ભારણ વધી શકે છે. મોડું રિટર્ન ફાઇલ કરવા પર વ્યાજ, લેટ ફી, કેટલાક નુકસાનને આગળ ખેંચી (કેરી ફોરવર્ડ) ન શકવા અને પેનલ્ટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

4 / 5
જો નિર્ધારિત સમયની અંદર રિટર્ન વેરિફાય કરવામાં ન આવે, તો સફળતાપૂર્વક ફાઇલ થવા છતાં તેને અમાન્ય ગણવામાં આવે છે. જો બેંક ખાતાની વિગતો આપવામાં ભૂલ થઈ હોય અથવા તેને વેલિડેટ કરવામાં ન આવ્યું હોય, તો રિફંડ ક્રેડિટ ફેઇલ થઈ શકે છે અને વિલંબ થઈ શકે છે. ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે, જો કોઈ કરદાતાને ઓરિજિનલ રિટર્ન ફાઇલ કર્યા પછી તેમાં કોઈ ભૂલ જણાય, તો તેણે તરત જ એ જાણી લેવું જોઈએ કે શું તે રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકે છે કે નહીં.

જો નિર્ધારિત સમયની અંદર રિટર્ન વેરિફાય કરવામાં ન આવે, તો સફળતાપૂર્વક ફાઇલ થવા છતાં તેને અમાન્ય ગણવામાં આવે છે. જો બેંક ખાતાની વિગતો આપવામાં ભૂલ થઈ હોય અથવા તેને વેલિડેટ કરવામાં ન આવ્યું હોય, તો રિફંડ ક્રેડિટ ફેઇલ થઈ શકે છે અને વિલંબ થઈ શકે છે. ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે, જો કોઈ કરદાતાને ઓરિજિનલ રિટર્ન ફાઇલ કર્યા પછી તેમાં કોઈ ભૂલ જણાય, તો તેણે તરત જ એ જાણી લેવું જોઈએ કે શું તે રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકે છે કે નહીં.

5 / 5

ITR ભરનારાઓ માટે એલર્ટ! 30 જૂન પહેલાં આવી શકે છે આવકવેરા વિભાગની ‘નોટિસ’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">