કંપનીથી મળતું ઈન્સ્યોરન્સ પૂરતું છે ? કે પોતાનું ઈન્સ્યોરન્સ લેવું પડશે?
મોટાભાગના લોકો એવું વિચારે છે કે જો કંપની પહેલેથી જ ઈન્સ્યોરન્સ કવર આપી રહી છે, તો પછી 'ઈન્ડિવિઝયુઅલ હેલ્થ પ્લાન' ખરીદવાની શું જરૂર છે. આ કારણે લોકો બીજી ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદતા નથી પરંતુ શું ફક્ત કંપનીની ઈન્સ્યોરન્સ પોલિસી પર આધાર રાખવો એ યોગ્ય નિર્ણય છે કે નહી?

નોકરિયાત લોકોને કંપની તરફથી ઘણી સુવિધા મળતી હોય છે, જેમાંથી એક સુવિધા 'ઈન્સ્યોરન્સ'ની છે. કર્મચારીઓના પગાર અને તેમના પદ પરથી ઈન્સ્યોરન્સની લિમિટ નક્કી થાય છે. કંપની તરફથી મળતી ઈન્સ્યોરન્સ પોલિસીમાં કર્મચારીની પત્ની અને તેના બાળકોને પણ સુવિધા મળે છે.

ફાઇનાન્શિયલ એડવાઇઝર માને છે કે, ફાઇનાન્સને લઈને ક્યારેય બીજાના ભરોસે ન બેસી રહેવું જોઈએ. એવામાં જો તમને કંપની તરફથી ઈન્સ્યોરન્સ મળે છે તો પર્સનલ લેવલે પણ તમારે ઈન્સ્યોરન્સ લેવું જોઈએ.

જ્યારે તમે નોકરી છોડો અથવા નિવૃત્ત થાઓ ત્યારે કંપનીની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં તાત્કાલિક મેડિકલ જરૂરિયાત ઊભી થાય તો મુશ્કેલી થઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમે નોકરી છોડી દીધી છે અથવા નિવૃત્ત થઈ ગયા છો અને આવી સ્થિતિમાં જો કોઈ ઇમરજન્સી આવે તો તમે શું કરશો?

બીજી વાત, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ઇન્સ્યોરન્સ પોલિસીમાં પ્રીમિયમ વધે છે. એવામાં તમે પોતાને જ એક સવાલ કરો કે, શું કંપની ખરેખરમાં મેડિકલના વધતા ખર્ચ મુજબ પૂરતું કવર પૂરું પાડશે? શું નિવૃત્ત થયા પછી ઇન્સ્યોરન્સ પોલિસી ચાલુ રહેશે?

જો તમારો જવાબ ના હોય તો તમારે પર્સનલ હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવી લેવું જોઈએ. જો તમે અલગથી હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવો છો તો તમને ટેક્સમાં થોડી છૂટ મળશે.

આવકવેરા કલમ 80D મુજબ, વરિષ્ઠ નાગરિક માટે ₹50,000 અને પરિવારના અન્ય સભ્યો માટે ₹25,000 સુધીના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સમાં છૂટ મળે છે.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
