કેરી ખાતા પહેલા તેને પાણીમાં પલાળવી કેમ જરૂરી છે ? જાણો તેનું અસલી કારણ

ઘણી વખત મનમાં એક પ્રશ્ન આવે છે કે લોકો કેરીને ખાતા પહેલા પાણીમાં પલાળીને કેમ રાખે છે. શું તે માત્ર પસંદગીની બાબત છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? ચાલો જાણીએ આ સવાલનો જવાબ.

| Updated on: Apr 08, 2024 | 11:15 AM
ઉનાળો એટલે રસાળ ફળોની મોસમ, ફળોના રાજા કેરીની ઋતુમાં આવી જાય છે. ઘણા લોકો કેરીના સ્વાદ માટે ઉનાળાની ઋતુની રાહ જોતા હોય છે. જો કે ઉનાળામાં ઘણા ફળો આવે છે, પરંતુ કેરીમાં મજા જ અલગ છે. બજારમાંથી કે બગીચામાંથી કેરી તમારા ઘરે આવે છે. ત્યારે તમે જોયું હશે કે કેરી કાપીને ખાતા કે તેનો રસ કાઢતા પહેલા મમ્મી કે દાદી તેને પાણીમાં પલાડી રાખે છે. કેરીને લગભગ 30 મિનિટથી કે કલાક સુધી પાણીમાં પલાળી રાખ્યા પછી જ ખાવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે કેરીને પાણીમાં પલાડવી કેમ જરુરી છે જાણો અહીં

ઉનાળો એટલે રસાળ ફળોની મોસમ, ફળોના રાજા કેરીની ઋતુમાં આવી જાય છે. ઘણા લોકો કેરીના સ્વાદ માટે ઉનાળાની ઋતુની રાહ જોતા હોય છે. જો કે ઉનાળામાં ઘણા ફળો આવે છે, પરંતુ કેરીમાં મજા જ અલગ છે. બજારમાંથી કે બગીચામાંથી કેરી તમારા ઘરે આવે છે. ત્યારે તમે જોયું હશે કે કેરી કાપીને ખાતા કે તેનો રસ કાઢતા પહેલા મમ્મી કે દાદી તેને પાણીમાં પલાડી રાખે છે. કેરીને લગભગ 30 મિનિટથી કે કલાક સુધી પાણીમાં પલાળી રાખ્યા પછી જ ખાવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે કેરીને પાણીમાં પલાડવી કેમ જરુરી છે જાણો અહીં

1 / 6
કેરી ખાતા પહેલા તેને પાણીમાં પલાળી રાખવાની સદીઓ જૂની પરંપરા છે. તમને આ કરવું કંટાળાજનક લાગશે, પરંતુ તેના અદ્ભુત ફાયદા પણ છે. જેના વિશે કદાચ તમને ખબર પણ નહિ હોય. તો ચાલો જાણીએ,કેરીને પલાડવાના કેટલાક વૈજ્ઞાનિક કારણો

કેરી ખાતા પહેલા તેને પાણીમાં પલાળી રાખવાની સદીઓ જૂની પરંપરા છે. તમને આ કરવું કંટાળાજનક લાગશે, પરંતુ તેના અદ્ભુત ફાયદા પણ છે. જેના વિશે કદાચ તમને ખબર પણ નહિ હોય. તો ચાલો જાણીએ,કેરીને પલાડવાના કેટલાક વૈજ્ઞાનિક કારણો

2 / 6
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે કેરી ખરીદો છો તે કેરી કુદરતી નહી પણ કુત્રિમ રીતે પણ પકવેલી હોઈ શકે છે? મળતી માહિતી મુજબ કેરીના ક્રેટમાં મોટાભાગે કેલ્શિયમ કાર્બાઈડના પાઉચ રાખવામાં આવે છે. અહીં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એસીટીલીન ગેસ ઉત્પન્ન થાય છે. જેના કારણે પાકવાની પ્રક્રિયા કૃત્રિમ રીતે ઝડપી બને છે. પરંતુ કેરીને પાણીની ડોલમાં પલાળીને રાખવાથી કેરી કુદરતી રીતે પાકેલી છે કે કુત્રિમ રીતે તમે તે સરળતાથી સમજી શકો છો. જો કેરી ડૂબી જાય તો તે કુદરતી રીતે પાકી છે. પરંતુ જો તરતી રહે, તો સમજો કે તે કુત્રિમ રીતે પકવામાં આવી છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે કેરી ખરીદો છો તે કેરી કુદરતી નહી પણ કુત્રિમ રીતે પણ પકવેલી હોઈ શકે છે? મળતી માહિતી મુજબ કેરીના ક્રેટમાં મોટાભાગે કેલ્શિયમ કાર્બાઈડના પાઉચ રાખવામાં આવે છે. અહીં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એસીટીલીન ગેસ ઉત્પન્ન થાય છે. જેના કારણે પાકવાની પ્રક્રિયા કૃત્રિમ રીતે ઝડપી બને છે. પરંતુ કેરીને પાણીની ડોલમાં પલાળીને રાખવાથી કેરી કુદરતી રીતે પાકેલી છે કે કુત્રિમ રીતે તમે તે સરળતાથી સમજી શકો છો. જો કેરી ડૂબી જાય તો તે કુદરતી રીતે પાકી છે. પરંતુ જો તરતી રહે, તો સમજો કે તે કુત્રિમ રીતે પકવામાં આવી છે.

3 / 6
કેરી શરીરની ગરમી વધારે છે. જેના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ખીલ અને ફોલ્લીઓ થાય છે. આ સિવાય માથાનો દુખાવો અને ઉબકા પણ અનુભવાય છે. તમારે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. કેરીને ઓછામાં ઓછા અડધો કલાક પાણીમાં પલાળીને રાખવાથી તેમાં હાજર થર્મોજેનિક ગુણો ઘટી જાય છે અને તેની હીટ ઓછી થઈ જાય છે.

કેરી શરીરની ગરમી વધારે છે. જેના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ખીલ અને ફોલ્લીઓ થાય છે. આ સિવાય માથાનો દુખાવો અને ઉબકા પણ અનુભવાય છે. તમારે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. કેરીને ઓછામાં ઓછા અડધો કલાક પાણીમાં પલાળીને રાખવાથી તેમાં હાજર થર્મોજેનિક ગુણો ઘટી જાય છે અને તેની હીટ ઓછી થઈ જાય છે.

4 / 6
જો તમને લાગે છે કે કેરીની સિઝનમાં શરીરમાંથી વધારાની ચરબી ઓછી કરવી મુશ્કેલ બની જાય છે, તો અહીં તમે ખોટા છો. કેરીમાં ફાયટોકેમિકલ્સ હોય છે. જે મોટી માત્રામાં નુકસાનકારક બની શકે છે. પરંતુ ઓછી માત્રામાં તેઓ ખૂબ ફાયદાકારક છે. કેરીને પાણીમાં પલાળવાથી ફાયટોકેમિકલ્સની કંસંટ્રેશન ઓછા થઈ જાય છે. જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને અસરકારક રીતે તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે.

જો તમને લાગે છે કે કેરીની સિઝનમાં શરીરમાંથી વધારાની ચરબી ઓછી કરવી મુશ્કેલ બની જાય છે, તો અહીં તમે ખોટા છો. કેરીમાં ફાયટોકેમિકલ્સ હોય છે. જે મોટી માત્રામાં નુકસાનકારક બની શકે છે. પરંતુ ઓછી માત્રામાં તેઓ ખૂબ ફાયદાકારક છે. કેરીને પાણીમાં પલાળવાથી ફાયટોકેમિકલ્સની કંસંટ્રેશન ઓછા થઈ જાય છે. જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને અસરકારક રીતે તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે.

5 / 6
કેરી ઓર્ગેનિક તરીકે બજારમાં મોટા પ્રમાણમાં વેચાય છે. પરંતુ વાસ્તવમાં તેમાં ઓર્ગેનિક કંઈ નથી. જો કે પાક બાહ્ય રીતે જંતુનાશક મુક્ત હોઈ શકે છે, તે જે જમીનમાં ઉગાડવામાં આવે છે તે સમાન ધોરણોનું પાલન ન કરી શકે. મોટાભાગની જમીનમાં ખાતર અને જંતુનાશકો જેવા રસાયણો ભળેલા હોય છે, જેના કારણે આ ઝેરી રસાયણો ફળો સુધી પહોંચે છે.આથી તેને પાણીમાં પલાડી રાખવાથી તેના પર કીટનાશક તત્વો અને કેમિકલ્સ દૂર થઈ જાય છે.

કેરી ઓર્ગેનિક તરીકે બજારમાં મોટા પ્રમાણમાં વેચાય છે. પરંતુ વાસ્તવમાં તેમાં ઓર્ગેનિક કંઈ નથી. જો કે પાક બાહ્ય રીતે જંતુનાશક મુક્ત હોઈ શકે છે, તે જે જમીનમાં ઉગાડવામાં આવે છે તે સમાન ધોરણોનું પાલન ન કરી શકે. મોટાભાગની જમીનમાં ખાતર અને જંતુનાશકો જેવા રસાયણો ભળેલા હોય છે, જેના કારણે આ ઝેરી રસાયણો ફળો સુધી પહોંચે છે.આથી તેને પાણીમાં પલાડી રાખવાથી તેના પર કીટનાશક તત્વો અને કેમિકલ્સ દૂર થઈ જાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
g clip-path="url(#clip0_868_265)">