સુરતમાં વરસાદના વિરામ બાદ પણ નથી ઓસરી રહ્યા વરસાદી પાણી, ખાડીના પૂરને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી સાત દિવસ હજુ દક્ષિણ ગુજરાત માટે ભારે છે. સુરતની વાત કરીએ તો હાલ મેઘરાજાએ ત્યાં વિરામ લીધો છે પરંતુ પૂરના પાણી હજુ ઓસર્યા નથી. ખાડીપૂરના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે અને જેમણે સુરતવાસીઓની હાલત બગાડી નાખી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2024 | 6:35 PM

ગુજરાતમાં મેઘરાજા એવા વરસ્યા એવા વરસ્યા કે હવે વરસાદી પાણી આફત બન્યા છે. નવસારી, સુરત અને વડોદરાને મેઘરાજાએ એવું ધમરોળ્યું કે હવે નદીઓ પણ ગાંડીતૂર થઈ છે અને શહેરોને તેની બાનમાં લઈ રહી છે.નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટીને વટાવી તો વડોદરામાં વિશ્વામિત્રીએ હાહાકાર મચાવી દીધો. સુરતમાં ખાડીપૂરે ફરી અનેક વિસ્તારોને બાનમાં લીધો. વડોદરા, નવસારી અને સુરતમાં જ્યાં નજર કરો ત્યાં જળ સામ્રાજ્ય જ છે. ગળાડૂબ પાણીમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે. જીવ બચાવી લોકો સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે. ભારે વરસાદને પગલે નવસારી, સુરતમાં મોટો આર્થિક ફટકો લોકોને પડ્યો છે.

સુરતમાં વરસાદના વિરામ બાદ પણ શહેરમાં પાણી ન ઓસરતા સુરતીઓની સ્થિતિ કફોડી બની છે. ખાડીનું લેવલ ઘટ્યું છે પણ ખાડીપુર હજુ પણ યથાવત હોવાથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર છે. ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પર્વત ગામ વિસ્તાર છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ છે. લિંબાયત, પર્વત પાટિયા , ડુંભાલ સહિત વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા છે…

સુરતમાં વરસાદ ભલે હાલ બંધ હોય પરંતુ ખાડીપૂરને લીધે હજુ પણ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઇ પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધ્યું. જેના કારણે પૂર્ણા નદીના પાણી મહુવાના મિયાપુર ગામે પ્રવેશ્યા. મિયાપુર ગામના 50થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા. તો મહુવાના ઓડચ ગામે પણ પૂરના પાણીનો ભરાવો થયો. જેના કારણે મહુવા અનાવલ હાઇવે પ્રભાવિત થયો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પૂર્ણા નદીના આકાશી દ્રશ્યો જે સામે આવ્યા છે તે ખરેખર ભયાવહ છે. મહુવામાંથી પસાર થતીં પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. ત્યારે ડ્રોન દ્વારા લેવાયેલી આ તસવીરમાં પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ દર્શાવી રહી છે. બીજી તરફ મહુવાની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ. પૂર્ણા નદી ભયજનક સપાટી પરથી વહેતા પૂરના પાણી મહુવાના 7 ગામોમાં ફરી વળ્યા. તંત્ર દ્વારા 80થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. પૂરના પગલે મહુવાના 5 માર્ગો બંધ કરવામાં આવ્યા. જેમાં મહુવા-નવસારી જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ કરાતા વાહનચાલકો અટવાયા.

ભારે વરસાદથી સુરતની સ્થિતિ બેહાલ બની છે. વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ છે. મહુવાથી ઓડચ-અનાવલ અને નવસારીનો સ્ટેટ હાઇવે બંધ છે. ત્યારે હાઇવે પર પાણીથી ભરેલી નદી જેવા દ્રશ્યો સામે આવ્યા. તેમાં પણ ઓડચ ગામે વધુ પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા. પૂર્ણા નદી ભયજનક સપાટીની ઉપર વહેતા મહુવા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કામે લાગ્યું.

સુરત જિલ્લામાં જોરદાર વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યું. મહુવાના ઉમરા પાસેથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહેતી થઇ. જેના કારણે નદી પર આવેલો મધર ઇન્ડિયા ડેમ છલકાયો. ડાંગના ઉપરવાસમાં વધુ વરસાદ આવતા અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો. અંબિકાના ધસમસતા પ્રવાહથી નવસારી, ડાંગ, સુરતને અસર થઇ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">