વડોદરામાં વિશ્વામિત્રીએ વધાર્યુ ટેન્શન, પૂરના પાણીથી સોસાયટી બહાર મગરો કરવા લાગ્યા દોડાદોડી તો સાપનો પણ વધ્યો ખતરો- VIDEO

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું પાણી ફરી વળતા 40 ટકા શહેર જળમગ્ન બન્યુ છે. તો આ તરફ વડોદરામાં પણ વિશ્વામિત્રી નદીના પાણીએ વડોદરાવાસીઓ માટે વિકટ સ્થિતિ સર્જી છે. વડોદરાના નીચાણવાળા અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2024 | 7:32 PM

વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં આંશિક ઘટાડો થયો છે પરંતુ વડોદરાવાસીઓની મુશ્કેલી ઘટવાને બદલે વધી છે. વિશ્વામિત્રી નદીની સપાટી 29 ફૂટથી ઘટી 28.5 પર પહોંચી છે પરંતુ નીચાણવાળા અનેક વિસ્તાર હજુ પાણીમાં ગરકાવ છે. ખાસ કરીને સયાજીગંજ, નટરાજ ટાઉનશીપ, પરશુરામ સોસાયટી અને કડક બજારમાં પાણી ભરાયા. વિશ્વામિત્રી નદીમાં અનેક દુકાનો અને ઘરો જળમગ્ન થયા. સતત બીજા દિવસે દુકાનોમાં પાણી ભરાઈ રહેતા વેપાર-ધંધા ઠપ રહ્યા. પરિણામે વેપારીઓને લાખોનું નુકસાન વેઠવું પડ્યું.

બીજી તરફ પરશુરામ ભઠ્ઠા વિસ્તાર પણ પાણી-પાણી થઇ ગયો. ઝૂંપડાઓમાં પાણી ફરી વળતાં લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું. ફાયર બ્રિગેડના જવાનો બોટ લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદે પહોંચ્યા. લોકોને સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે.

વિશ્વામિત્રી નદીના લેવલમાં આંશિક ઘટાડો થતાં આજવા ડેમના દરવાજા હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની ટીમે નીચાણવાળા વિસ્તારોમાંથી 4200 લોકોનું સ્થળાંતર કર્યું. મોડી સાંજ સુધીમાં વિશ્વામિત્રીનું લેવલ ઓછું થાય તેવું તંત્રનું અનુમાન છે. હાલ આજવા ડેમનું સ્તર 212.18 ફૂટ પર સ્થિર છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

વડોદરાના વડસરના નિચાણવાળા વિસ્તારમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. રેસ્ક્યૂ ટીમ દ્વારા એક નવજાત બાળક સહિત 16 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. NDRFની ટીમ સતત લોકોનું રેસ્ક્યૂ કરી રહી છે. જિલ્લા વહીવટી વિભાગ દ્વારા અત્યાર સુધી 1877 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

વડોદરામાં અનરાધાર વરસાદને કારણે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઇ. ઢાઢર નદીમાં નવા નીરની આવક થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જેના કારણે લોકોને હાલાકી વેઠવી પડી.

વિશ્વામિત્રીમાં પૂર બાદ વડોદરા શહેરમાં મગરના આંટાફેરા વધ્યા છે. ત્યારે બીલ ગામે મગર નદીના પાણીમાંથી બહાર આવી ગયો. શ્રીહરિ રેસીડેન્સીના ગેટ પાસે મગરના આંટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો. આ તરફ જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર મગર દેખાયો. બ્રિજ પર ઢાઢર નદીના પાણી આવી જતાં મગર બહાર નીકળ્યા. તંત્ર દ્વારા મગરને પકડીને ફરી નદી વિસ્તારમાં છોડવામાં આવ્યા.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">