AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓલિમ્પિક ગેમ્સ

ઓલિમ્પિક ગેમ્સ

વિશ્વના સર્વશ્રેષ્ઠ એથ્લેટ ઓલિમ્પિક ગેમ્સમાં પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને પોડિયમમાં સ્થાન મેળવનાર એથ્લેટ્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. ઓલિમ્પિક રમતનો ઈતિહાસ ખુબ જ જુનો છે, ઓલિમ્પિક રમતની દુનિયામાં મુખ્યત્વે 4 પ્રકારે આયોજન કરવામાં આવે છે. જેમાં સમર ઓલિમ્પિક, વિન્ટર ઓલિમ્પિક્સ, પેરાલિમ્પિક્સ અને યુથ ઓલિમ્પિક ગેમ્સનો સમાવેશ થાય છે. તેને રમતગમતનો મહાકુંભ પણ કહેવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ઓલિમ્પિકની રમતમાં 3 પ્રકારના મેડલ આપવામાં આવે છે. જેમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ. તેમજ ઓલિમ્પિકના ધ્વજમાં 5 રિંગ પાંચ મહાદ્રીપ આફ્રિકા, અમેરિકા , એશિયા, યુરોપ અને ઓશિનિયાને એકબીજા સાથે જોડાવવા માટેનું પ્રતિનિધિત્વ કરે છે. જેને વર્ષ1913ના રોજ પિયર ડી કોબર્ટિને ડિઝાઈન કર્યો હતો. ઓલિમ્પિકના ઝંડામાં 5 રિંગ જોવા મળે છે. ઓલિમ્પિક રમતનું આયોજન દર 4 વર્ષ કરવામાં આવે છે. ઓલિમ્પિક રમતની દેખરેખ IOC એટલે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સિમિતિ કરે છે.

જાણકારી મુજબ ઓલિમ્પિક રમતનું પહેલી વખત આયોજન 1896ના રોજ ગ્રીસની રાજધાની એથેન્સમાં કરવામાં આવ્યું હતુ. ત્યારથી આ રમતનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધના કારણે ઓલિમ્પિક રમત 1916, 1940 અને 1944માં આયોજીત થઈ શક્યું નહોતુ. ઓલિમ્પિક ગેમ્સના પિતા પિયર ડી કુબર્ટિને કહેવામાં આવે છે. તેમણે 23 જૂન 1894ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના કરી હતી.

Read More

ઓપરેશન સિંદૂર બાદ નીરજ ચોપરાને મળ્યું મોટું સન્માન, ભારતીય સેનામાં મળ્યો આ ખાસ રેન્ક

ટોક્યો ઓલિમ્પિક્સના જેવલિન થ્રો ચેમ્પિયન અને પેરિસ ઓલિમ્પિક્સના સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા પહેલાથી જ ભારતીય સેનામાં સુબેદાર મેજરના રેન્કના અધિકારી છે. હવે તેને ભારતીય સેનામાં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ એનાયત કરવામાં આવ્યો છે.

Mary Kom Divorce: પતિને છૂટાછેડા આપી રહી છે બોક્સિંગ ક્વીન મેરી કોમ? લગ્નના 20 વર્ષ બાદ સંબંધમાં પડી તિરાડ

અહેવાલો અનુસાર, મેરી કોમ અને તેના પતિ વચ્ચેના સંબંધો 2022થી ખરાબ હતા, જે સમય જતાં વધુ ખરાબ થયા છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મેરી કોમ બીજા સંબંધમાં પણ જોડાઈ ગઈ છે.

અમદાવાદમાં આસારામના આશ્રમ પર ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા વિચારણા, આશ્રમ ટ્રસ્ટે હાઈકોર્ટમાં કરી અપીલ

અમદાવાદમાં 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની અને આયોજન માટેની સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં વિશાળ સ્પોર્ટ્સ એન્કલેવ અને ઓલિમ્પિક વિલેજ બનાવવા માટેની તૈયારીઓ આરંભાઈ ગઈ છે. સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક 650 એકર જમીન સરકાર સંપાદિત કરવાની તૈયારીઓ શરૂ કરી છે. જેમા આસારામના આશ્રમનો પણ સમાવેશ થાય છે. જો કે આશ્રમ ટ્રસ્ટ હાલ જમીન આપવા તૈયાર નથી.

Olympics 2036 : આસારામ આશ્રમમાં ઓલિમ્પિક ઈવેન્ટ યોજાશે ! જાણો શું છે ગુજરાત સરકારની યોજના

ઓલિમ્પિક 2036ની તૈયારીઓ માટે મોટેરામાં 3 આશ્રમની જમીન સંપાદિત કરવામાં આવશે. જેમાં આસારામના આશ્રમનો પણ સમાવેશ થાય છે. આ આશ્રમોને સરકાર દ્વારા વૈકલ્પિક જગ્યાઓ અથવા વળતર આપવામાં આવશે. રહેણાંક વિસ્તારોનો પણ માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ ત્યાં રહેતા લોકોનું સ્થળાતંર પણ કરવામાં આવશે.

નીરજ ચોપરાને લગ્નમાં શગુન તરીકે કેટલા રૂપિયા મળ્યા ? સત્ય બહાર આવ્યું

નીરજ ચોપરાએ તેની મિત્ર હિમાની સાથે લગ્ન કર્યા છે. બંનેએ 17 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. નીરજ ચોપરાના કાકાએ ખુલાસો કર્યો છે કે લગ્નમાં કેટલું શગુન આપવામાં આવ્યું હતું. કાકાએ એ પણ ખુલાસો કર્યો છે કે નીરજ ચોપરાના લગ્ન કેમ આટલા ગુપ્ત રાખવામાં આવ્યા હતા.

Neeraj Chopra Wife : નીરજ ચોપરાની પત્ની હિમાની કોણ છે અને તે શું કામ કરે છે ?

આખો દેશ નીરજ ચોપરાના લગ્નની રાહ જોઈ રહ્યો હતો અને દરેક લોકો જાણવા માંગતા હતા કે તે ક્યારે અને કોની સાથે લગ્ન કરશે. નીરજે લગ્ન કર્યા બાદ આ તમામ સવાલોના સીધા જવાબ આપ્યા છે. નીરજે હિમાની મોર સાથે લગ્ન કર્યા છે. હવે દરેકના મનમાં સવાલ એ છે કે નીરજનું દિલ જીતનાર હિમાની કોણ છે?

Manu Bhaker Medals : મનુ ભાકરના બંને ઓલિમ્પિક મેડલ પરત લેવામાં આવશે, આ છે કારણ

ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે મેડલ જીત્યા હતા. તેણે 10 મીટર એર પિસ્તોલમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પરંતુ હવે તેના બંને મેડલ પાછા લેવામાં આવશે અને તેની પાછળ એક ખાસ કારણ છે. જાણો શું છે મામલો?

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ વચ્ચે શું તફાવત છે?

કેન્દ્ર સરકારે ચાર ખેલાડીઓને ખેલ રત્ન અને 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. સાથે જ 4 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ 17 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં વિજેતાઓને પુરસ્કારો અર્પણ કરશે. ચાલો જાણીએ ખેલ રત્ન, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ વચ્ચે શું તફાવત છે?

મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ મળશે, ડી ગુકેશને પણ સૌથી મોટા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. તેની સાથે વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી ગુકેશને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતા પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. રમતગમત મંત્રાલય 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરશે, જેમાંથી 17 પેરા એથ્લેટ છે.

કદાચ મારી ભૂલ છે… ખેલ રત્ન વિવાદ પર ભાવુક થઈ મનુ ભાકર, ચાહકોને કરી આ અપીલ

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ મનુ ભાકરનું નામ આ વર્ષે આપવામાં આવનાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની યાદીમાં છે, જેના પછી તે હેડલાઈન્સમાં છે. મનુ ભાકરે હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે.

Paris Olympics 2024માં ઈતિહાસ રચનાર શૂટર મનુ ભાકરનું નામ ખેલ રત્ન એવોર્ડના લિસ્ટમાંથી ગાયબ

પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચનાર ભારતીય શુટર મનુ ભાકર પોતાની મહેનત અને શાનદાર પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું હતુ. પરંતુ તેનું નામ ખેલ રત્ન એવોર્ડ લિસ્ટમાં ન હોવાથી સવાલો ઉભા થઈ રહ્યા છે.

PV Sindhu Engagement : બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ લગ્નના 8 દિવસ પહેલા સગાઈ કરી, જુઓ ફોટો

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુએ સગાઈ કરી લીધી છે. શનિવાર (14 ડિસેમ્બર)ના રોજ આઈટી પ્રોફેશનલ વેંકટ દત્તા સાઈ સગાઈ કરી છે. બેડમિન્ટન ખેલાડીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો પણ શેર કર્યા છે.

IND vs AUS : બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ગાબામાં ટીમ ઈન્ડિયાની છેલ્લી ટેસ્ટ મેચ સાબિત થશે

14 ડિસેમ્બરે જ્યારે ટીમ ઈન્ડિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ માટે ગાબા મેદાનમાં ઉતરશે ત્યારે તે તેની છેલ્લી મેચ સાબિત થશે. વાસ્તવમાં આ એટલા માટે છે કારણ કે આ મેદાન પછી ઓલિમ્પિક 2032 માટે તૈયાર કરવામાં આવશે. ગાબાનું નવીનીકરણ કરવામાં આવશે અને દર્શકોની ક્ષમતા પણ વધારવામાં આવશે.

Year Ender : નીરજ ચોપરાથી લઈ મનુ ભાકર સુધી, આ ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિક 2024માં રચ્યો ઈતિહાસ

ઘણા ભારતીય ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કરીને પોતાના દેશવાસીઓના દિલ જીતી લીધા હતા અને તેમને ખુશી અને ગર્વની ક્ષણો આપી હતી. આ સિવાય ભારતીય પુરૂષ હોકી ટીમે પણ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Year Ender : વિનેશ ફોગાટે હાર્દિક પંડ્યાને પછાડ્યો, તમામ સેલિબ્રિટીને પાછળ છોડી દેશમાં બની નંબર-1

વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ટોપ 10 ભારતીયોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમની વચ્ચે રમતગમતની હસ્તીઓનો દબદબો રહ્યો છે. જ્યારે રાજકીય હસ્તીઓ પણ સામેલ થઈ હતી. આ યાદીમાં વિનેશ ફોગટથી લઈને હાર્દિક પંડ્યા સુધીના નામ સામેલ છે. જેમાં બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન, ક્રિકેટર અભિષેક શર્મા અને શશાંક સિંહના નામ પણ છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ટોપ-10માંથી ગાયબ રહ્યા. ચાલો જાણીએ કે આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ-10 ભારતીયોમાં આ સ્પોર્ટ્સ હસ્તીઓએ કયું સ્થાન હાંસલ કર્યું અને તેનું મુખ્ય કારણ શું હતું.

g clip-path="url(#clip0_868_265)">