IRCTC Tour Package : રેલવે લઈને આવ્યું છે સસ્તું ટુર પેકેજ, માતા-પિતાને કરાવો હરિદ્વાર અને ઋષિકેશનો પ્રવાસ
આઈઆરસીટીસી ટૂર પેકેજ દ્વારા હરિદ્વારા ,ઋષિકેશ જવાનો પ્લાન બનાવી શકો છો. આ પેકેજ 4 રાત અને 5 દિવસનું છે. પેકેજની શરુઆત ક્યારથી થશે. તેના વિશે જાણી લઈએ.

જો તમે ક્યાંય ફરવા જવાનું વિચારતા હોય તો સૌથી પહેલા મગજમાં એક જ વિચાર આવે એ છે કે, કેટલો ખર્ચો થશે. જો વધારે ખર્ચો આવતો હોય તો પ્લાન પણ કેન્સલ કરવામાં આવે છે. આજે અમે તમને આઈઆરસીટીસીના એક સસ્તા પેકેજ વિશે જણાવીશુ.

આઈઆરસીટીસી અનેક શાનદાર પેકેજ શેર કરતું હોય છે. જેમાં હનીમુનથી લઈ ધાર્મિક પેકેજનો આનંદ તમે સસ્તામાં ઉઠાવી શકો છો.હાલમાં આઈઆરસીટીસીએ હરિદ્વારનું પેકેજ શેર કર્યું છે. તો ચાલો જાણી લઈએ કે, કેટલો ખર્ચ થશે ટ્રેન કયારે ઉપડશે.

આઈઆરસીટીસીનુ આ ટુર પેકેજ 4 રાત અને 5 દિવસનું છે. આ ટુર પેકેજની શરુઆત દર બુધવારના દિવસે તમને અમદાવાદથી ટ્રેન મળી રહેશે. આ ટુર પેકેજમાં તમે અમદાવાદથી બુક કરાવી શકો છો.

આ ટુર પેકજમાં તમારે પહેલા દિવસે ટ્રેનની જર્ની કરવાની રહેશે. ત્યારબાદ બીજા દિવસે હોટલમાં રોકાવાનું રહેશે, રાત્રે ગંગા આર્તીના દર્શન કરી શકો છો. ત્રીજા દિવસે બ્રેકફાસ્ટ કરી મનસા દેવી મંદરિ, અને ચંદી દેવી મંદિરના દર્શન કરવાના રહેશે. ચોથા દિવસે બ્રકફાસ્ટ કરી ઋષિકેશ જવા નીકળવાનું રહેશે. જ્યાં રામ ઝુલા, લક્ષ્મણ ઝુલા સહિત સ્થળોની મુલારાત લઈ ઋષિકેશથી ટ્રેનમાં બેસવાનું રહેશે.

પાંચમાં દિવસે તમે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર આગમન 15:35 કલાકે પહોંચી જશો. હવે આ ટુર પેકેજના ભાડાની વાત કરીએ તો 11500 છે, જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગતા હોય તો આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ આ ટુર પેકેજ બુક કરાવી શકો છો.

































































