2015માં અમરેલીમાં થયો હતો જળપ્રલય, સર્જી તારાજી, અનેક લોકો-પશુઓએ ગુમાવ્યા હતા જીવ, મકાનો થયા જમીનદોસ્ત, જુઓ Photos
Amreli માં વર્ષ 2015માં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ આ વરસાદી પાણીના લીધે અમરેલી આખું જળમાં ગરકાવ થયું હતું.

જ્યારે અમરેલીમાં પૂર આવ્યું હતું તે પહેલા ધોધમાર વરસાદ શરૂ થયો હતો તે પહેલા વાવાઝોડાં સાથે જોરદાર પવન ફૂંકાયો હતો.

આખા દિવસમાં 6 કલાક વરસાદ ચાલુ રહ્યો હતો જેમાં 10થી 30 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને પાણી ભરાયા હતા.

અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદી અને સાતલ્લી નદીના પાણીએ ભારે વિનાશ સર્જ્યો હતો.

અમરેલી, ધારી, વડીયા, લીલીયા વગરે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાયા હતા તેમજ જાનમાલને નુકસાન થયું હતું.

જિલ્લામાં 500થી ઉપરના ગામોની વીજળી પણ ગૂલ થઈ હતી. તેથી લોકોને આ તારાજીનો સામનો કરવો પડ્યો હતો.

ટાવર પડી જવાથી સંદેશાવ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. બચાવની કામગીરી માટે ભારતીય સૈન્યના હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા.

ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકોએ પોતાનો સામાન અને ઘણું બધું ગુમાવ્યું હતું. મોટા ઘર, સ્કૂલો, હોસ્પિટલો તેમજ સરકારી મકાનો જમીનમાં સમાય ગયા હતા.

NDRFની ટીમ, રેસ્કયુ ટીમ, Fire Brigade ટીમ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસતંત્ર તેમજ તરવૈયાઓની મદદથી લોકોને મરતા બચાવી લેવાયા હતા.