AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્ટ એટેકના જોખમને કહો ‘અલવિદા’! હૃદયની બીમારીઓ માટે ‘સંજીવની’ સમાન છે આ ખાસ ‘ઉકાળો’

આજના સમયમાં હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે, જે આગળ જતાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં આયુર્વેદમાં એક શક્તિશાળી કુદરતી ઔષધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે હૃદયની નસોને સાફ રાખવા અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં 'સંજીવની' સમાન કામ કરે છે.

| Updated on: Apr 18, 2026 | 5:45 PM
Share
આજના સમયમાં હૃદયને લગતી બીમારીઓ ઝડપથી વધી રહી છે. ખરાબ જીવનશૈલીને કારણે આપણામાંના ઘણા લોકો હાઈ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર (BP) ની સમસ્યાથી પીડાતા હોય છે. જો તમે પણ આ સમસ્યાઓથી પરેશાન છો, તો આયુર્વેદમાં વર્ણવેલ 'અર્જુનની છાલ' તેનો અસરકારક દેશી ઈલાજ સાબિત થઈ શકે છે.

આજના સમયમાં હૃદયને લગતી બીમારીઓ ઝડપથી વધી રહી છે. ખરાબ જીવનશૈલીને કારણે આપણામાંના ઘણા લોકો હાઈ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર (BP) ની સમસ્યાથી પીડાતા હોય છે. જો તમે પણ આ સમસ્યાઓથી પરેશાન છો, તો આયુર્વેદમાં વર્ણવેલ 'અર્જુનની છાલ' તેનો અસરકારક દેશી ઈલાજ સાબિત થઈ શકે છે.

1 / 6
આજકાલ વધતા હૃદયરોગ અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ વચ્ચે આયુર્વેદમાં ઉપયોગમાં લેવાતું 'અર્જુન' એક મહત્વપૂર્ણ કુદરતી ઔષધ માનવામાં આવે છે. અર્જુન વૃક્ષની છાલ તેના ઔષધીય ગુણોને કારણે સદીઓથી સ્વાસ્થ્ય લાભ માટે ઉપયોગમાં લેવાય છે.

આજકાલ વધતા હૃદયરોગ અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ વચ્ચે આયુર્વેદમાં ઉપયોગમાં લેવાતું 'અર્જુન' એક મહત્વપૂર્ણ કુદરતી ઔષધ માનવામાં આવે છે. અર્જુન વૃક્ષની છાલ તેના ઔષધીય ગુણોને કારણે સદીઓથી સ્વાસ્થ્ય લાભ માટે ઉપયોગમાં લેવાય છે.

2 / 6
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અર્જુનની છાલમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ હૃદયને મજબૂત બનાવવામાં અને રક્ત પરિભ્રમણ (Blood Circulation) સુધારવામાં મદદ કરે છે. તે શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં પણ મદદરૂપ છે, જેનાથી હૃદયના ધબકારા નિયમિત રહે છે અને હાર્ટ હેલ્થમાં સુધારો થાય છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અર્જુનની છાલમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ હૃદયને મજબૂત બનાવવામાં અને રક્ત પરિભ્રમણ (Blood Circulation) સુધારવામાં મદદ કરે છે. તે શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં પણ મદદરૂપ છે, જેનાથી હૃદયના ધબકારા નિયમિત રહે છે અને હાર્ટ હેલ્થમાં સુધારો થાય છે.

3 / 6
અર્જુનની છાલ હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે. આમાં ટર્મિનેલિક એસિડ, ફ્લેવોનોઈડ્સ અને પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. આ તત્વો હૃદયના સ્નાયુઓને મજબૂતી આપે છે, લોહીને કુદરતી રીતે પાતળું કરે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. અર્જુનની છાલ રક્તવાહિનીઓને પહોળી કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. સાથે જ, તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડીને સારા કોલેસ્ટ્રોલ (HDL) ને વધારવામાં મદદ કરે છે.

અર્જુનની છાલ હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે. આમાં ટર્મિનેલિક એસિડ, ફ્લેવોનોઈડ્સ અને પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. આ તત્વો હૃદયના સ્નાયુઓને મજબૂતી આપે છે, લોહીને કુદરતી રીતે પાતળું કરે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. અર્જુનની છાલ રક્તવાહિનીઓને પહોળી કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. સાથે જ, તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડીને સારા કોલેસ્ટ્રોલ (HDL) ને વધારવામાં મદદ કરે છે.

4 / 6
અર્જુનની છાલ માત્ર હૃદય માટે જ નહીં પણ શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટે પણ રામબાણ ઈલાજ છે. અસ્થમા, ઉધરસ, શ્વાસ ચઢવો અને છાતીમાં જકડાઈ જવા જેવી સમસ્યામાં તેનો ઉકાળો તાત્કાલિક રાહત આપે છે. આ ઉપરાંત, તે પાચનતંત્રને મજબૂત બનાવીને કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓ દૂર કરે છે. આમાં રહેલ 'હીલિંગ પ્રોપર્ટીઝ' ત્વચાની ચમક વધારવા અને જૂના ઘાને ઝડપથી રૂઝવવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

અર્જુનની છાલ માત્ર હૃદય માટે જ નહીં પણ શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટે પણ રામબાણ ઈલાજ છે. અસ્થમા, ઉધરસ, શ્વાસ ચઢવો અને છાતીમાં જકડાઈ જવા જેવી સમસ્યામાં તેનો ઉકાળો તાત્કાલિક રાહત આપે છે. આ ઉપરાંત, તે પાચનતંત્રને મજબૂત બનાવીને કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓ દૂર કરે છે. આમાં રહેલ 'હીલિંગ પ્રોપર્ટીઝ' ત્વચાની ચમક વધારવા અને જૂના ઘાને ઝડપથી રૂઝવવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

5 / 6
આયુર્વેદાચાર્યોના જણાવ્યા અનુસાર, અર્જુનની છાલનો મહત્તમ લાભ મેળવવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો તેનો ઉકાળો બનાવીને પીવાનો છે. આ ઉકાળાનું સેવન સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલા કરી શકાય છે. ઉકાળાનો સ્વાદ થોડો તૂરો હોઈ શકે છે, તેથી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં થોડું મધ અથવા ગોળ ઉમેરી શકાય છે. જો કે, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ અર્જુનની છાલનું સેવન કરતા પહેલા ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ અનિવાર્ય છે.

આયુર્વેદાચાર્યોના જણાવ્યા અનુસાર, અર્જુનની છાલનો મહત્તમ લાભ મેળવવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો તેનો ઉકાળો બનાવીને પીવાનો છે. આ ઉકાળાનું સેવન સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલા કરી શકાય છે. ઉકાળાનો સ્વાદ થોડો તૂરો હોઈ શકે છે, તેથી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં થોડું મધ અથવા ગોળ ઉમેરી શકાય છે. જો કે, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ અર્જુનની છાલનું સેવન કરતા પહેલા ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ અનિવાર્ય છે.

6 / 6
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

કેસરનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેમ છે ‘વરદાન’? સવારે ખાલી પેટ આ પીણું પીવાના ફાયદા જાણીને ચોંકી જશો

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">