Women’s health : પ્રેગ્નન્સીમાં કબજિયાતની સમસ્યા હોય તો શું કરવું ? જાણો ડોક્ટર પાસેથી
પ્રેગ્નન્સીમાં કબજીયાત થવી એક સામાન્ય સમસ્યા છે. કારણ કે, કબજીયાતથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય નુકસાનકારક બની શકે છે. પ્રેગ્નન્સીમાં કબજીયાતની સમસ્યા મોટાભાગની મહિલાઓને થાય છે.પ્રેગ્નન્સીમાં કબજીયાત થવા પર શું કરવું જોઈએ. ચાલો ડોક્ટર પાસેથી જાણીએ.

પ્રેગ્નન્સી દરમિયાન કબજીયાતની સમસ્યા સામાન્ય છે પરંતુ સમયસર તેની સારવાર ન કરવા પર ગંભીર સમસ્યા થઈ શકે છે. પ્રેગ્નન્સીમાં કબજીયાતની સમસ્યા સામાન્ય રીતે પહેલા ત્રિમાસિક ગાળામાં થાય છે. જોકે આ કોઈપણ ક્વાર્ટરમાં થઈ શકે છે. પ્રેગ્નેન્સી દરમિયાન કબજિયાત શા માટે થાય છે અને તેની સારવાર માટે શું કરવું જોઈએ?

પ્રેગ્નન્સીમાં કબજીયાત સામાન્ય સમસ્યા છે.આની પાછળનું મુખ્ય કારણ હોર્મોનલમાં ફેરફાર પ્રથમ કારણ હોય છે.આ સમસ્યાની સારવાર કરવી જરુરી છે.

જો તમને પ્રેગ્નન્સી દરમિયાન કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોઈપણ દવા લો. ડૉક્ટરને પૂછ્યા વિના કબજિયાત માટે કોઈપણ દવા લેવી નુકસાનકારક હોઈ શકે છે.

ડોક્ટર જણાવે છે કે, પ્રેગ્નન્સીમાં હોર્મોનલ ફેરફારને કારણે કબજીયાતની સમસ્યા થઈ શકે છે. આ સિવાય તમારા આહારમાં અનિયમિતતાઅને ઓછા ફાઈબર વાળા આહાર લેવાથી આ સમસ્યા થાય છે.વધતો ગર્ભ આંતરડા પર દબાણ લાવે છે, જેના કારણે મળ શરીરમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી થઈ જાય છે.

કેટલીક વખત શરીરમાં આયરનની માત્રા વધવાથી પણ કબજીયાતની પણ સમસ્યાથઈ શકે છે. શરીરમાં પાણીની કમી થવાથી પણ કબજીયાતની સમસ્યા થાય છે. પ્રેગ્નન્સીમાં કબજીયાતની સમસ્યા ન થાય તે માટે ડોક્ટર કેટલાક ઉપાયો બતાવે છે.તેને અનુસરવા જરુરી છે.

જો તમે પ્રેગ્નન્સી દરમિયાન કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો તમારા આહારમાં ફાઇબરયુક્ત ખોરાક વધારો. આ સાથે, પ્રવાહીનું પ્રમાણ પણ વધારો. દિવસભરમાં 8 થી 12 કપ પાણી પીવું જોઈએ.

તમારા ડૉક્ટરને પૂછ્યા વિના કબજિયાત રાહત માટે કોઈપણ દવાનો ઉપયોગ કરશો નહીં. ઘરેલું ઉપચાર અપનાવવાનું ટાળો. ડૉક્ટરની સલાહ વિના એરંડાનું તેલ ન લો, તે નુકસાન પહોંચાડી શકે છે. તમારા દિનચર્યામાં હળવી કસરતનો સમાવેશ કરો અને તમારા આહારનું ધ્યાન રાખો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો



























































