કાનુની સવાલ : ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડા ભારતમાં માન્ય નથી
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની કોર્ટ દ્વારા મળેલા છૂટાછેડા ભારતમાં માન્ય નથી. હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ થયેલા લગ્નને પૂર્ણ કરવાનો અધિકાર માત્ર ભારતીય કોર્ટેને જ છે.

ગુજરાત હાઈકોર્ટે હાલમાં એક કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, કોઈ વિદેશી કોર્ટ દ્વારા કરેલા છૂટાછેડા ભારતમાં હિન્દુ લગ્ન અધિનિયમ અંતર્ગત થયેલા લગ્નને રદ્દ કરી શકે નહી. કોર્ટે આ વાત ગુજરાતમાં રહેનાર એક મહિલા-પુરુષની અરજી પર સુનાવણી દરમિયાન કહી હતી.

જેના લગ્ન 17 વર્ષ પહેલા થયા હતા અને જે લગ્ન બાદ ઓસ્ટ્રેલિયા રહેતા હતા. ઓસ્ટ્રેલિયામાં ગયા બાદ વિવાદ થવા પર પતિએ ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં અપીલ કરતા છુટાછેડા લીધા હતા. જ્યારે મહિલાએ આ આધાર પર છુટાછેડાનો વિરોધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની કોર્ટે ભારતમાં હિન્દુ લગ્ન અધિનિયમ અંતર્ગત થયેલા લગ્ન મામલે સુનાવણી કરવાનો અધિકાર નથી.

પરંતુ ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે વિદેશી કોર્ટનો આ આદેશ ભારતમાં માન્ય નથી અને ફક્ત ભારતીય કોર્ટોને જ હિન્દુ રિવાજો મુજબ કરવામાં આવેલા લગ્નનો અંત લાવવાનો અધિકાર છે.

જસ્ટિસ એ.વાય. કોગેજે અને એન.એસ. સંજય ગૌડાની બેન્ચે કહ્યું કે, કોઈપણ વિદેશી કોર્ટનો નિર્ણય હિન્દુ મેરેજ એક્ટ સંબંધિત લગ્ન પર લાગુ થશે નહીં. ભલે પતિ-પત્નીએ વિદેશી નાગરિકતા લીધી હોય.

કોર્ટે ફેમિલી કોર્ટના જૂના આદેશને ફગાવી દીધો અને પત્નીની અપીલ સ્વીકારી અને કેસની ફરીથી યોગ્યતાના આધારે સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો એવું માની લેવામાં આવે કે વિદેશી નાગરિકતા મળતાની સાથે જ ભારતીય લગ્નો પર વિદેશી કાયદો લાગુ થશે, તો તે ગંભીર અરાજકતા તરફ દોરી જશે. હિન્દુ લગ્ન કાયદા હેઠળ કરવામાં આવેલા લગ્ન ભારતમાં હોય કે વિદેશમાં, તેનો અધિકારક્ષેત્ર ફક્ત ભારતીય અદાલતો પાસે જ રહેશે.

હાઈકોર્ટના આ આદેશ પછી, પત્નીની અરજીઓ ફરીથી ફેમિલી કોર્ટમાં સુનાવણી માટે જશે. આ નિર્ણયથી એક મોટો સંદેશ મળ્યો છે કે, વિદેશી કોર્ટનો આદેશ ભારતીય વૈવાહિક કાયદાઓ પર પ્રભુત્વ મેળવી શકે નહીં.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
