ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ એટલે કે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યથી ગુજરાત રાજ્ય અલગ થયું હતું, ત્યારે કરવામાં આવી હતી. આ ન્યાયાલયને બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1960 (Bombay Reorgenaizetion Act,1960) અનુસાર છૂટું પાડવામાં આવ્યું હતું. ગુજરાતની વડી અદાલત અમદાવાદ સ્થિત છે. આ વડી અદાલતે અમદાવાદના આકાશવાણી કેન્દ્ર નવરંગપુરા નજીક કામકાજ ચાલુ કર્યું હતું, ત્યારબાદ ત્યાંથી 16 જાન્યુઆરી 1999માં અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સરખેજ-ગાંધીનગર હાઇવે ખાતે સ્થળાંતર કરવામાં આવી હતી. આ વડી અદાલત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકામાં અધિકાર ક્ષેત્ર ધરાવે છે.

Read More

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી, હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ દાખલ કેમ ન કરવા અંગે માગ્યો ખુલાસો

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની મુશ્કેલી વધી શકે છે. હાઈકોર્ટે જયસુખ પટેલ સામે કન્ટેમ્પ્ટ દાખલ કેમ ન કરવી તે અંગે ખૂલાસો માગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીને બેદરકારી બદલ નોટિસ ફટકારી છે.

Breaking News : 400 દિવસથી જેલમાં બંધ મોરબી બ્રિજ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ બહાર આવશે, સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં છેલ્લા 400 જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. 400 દિવસ જેટલા સમયથી જેલમાં હતા અને બહાર આવવા હવાતિયા મારી રહયા હતા.તેઓ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા. અંતે તેમને આજે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે.

હાઇકોર્ટની પોલીસ ભરતી મામલે નારાજગી, 2 અઠવાડિયામાં જવાબ આપવા સરકારને આદેશ

હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવી નથી. હાલ કુલ 29 હજાર જેટલી ભરતીઓ SRP અને ટેકનિકલ વિભાગમાં ખાલી છે. ત્યારે ફક્ત 12 હજાર પોસ્ટ માટે જ ભરતી જાહેર થતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને 2 અઠવાડિયામાં રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.

એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે હાઈકોર્ટમાં સુઓમોટો, રેલવે વિભાગ સામે કરી લાલ આંખ, જુઓ Video

છેલ્લા કેટલાક દિવસોમાં ખેતરમાં પડી જવાથી કે પછી સિંહોના વસવાટવાળા વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેન નીચે સિંહ અથવા સિંહબાળના મોતની ઘટનાઓ સામે આવેલી છે, ત્યારે આવી ઘટનાઓને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો લેવામાં આવી છે.

પોતાના એક મતવિસ્તારમાં પ્રચાર નથી કરી શકતા ચૈતર વસાવા, નર્મદામાં પ્રવેશની માગ સાથે હવે તે હાઇકોર્ટની શરણે

લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે.એક તરફ અગાઉના કેસમાંથી તેઓ માંડ માંડ છુટવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યાં ચૂંટણી સમયે જ તેમને કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે.

Video: ગુજરાતની આ બેઠક પર નહીં યોજાય પેટાચૂંટણી, જાણો કારણ, 5 બેઠકો પર 7મી મેના રોજ મતદાન

કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. હાલમાં જ વર્તમાન ધારાસભ્યોના રાજીનામાને કારણે આ વિધાનસભા બેઠકો ખાલી પડી છે. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. પંચે વિસાવદર બેઠકનો સમાવેશ કર્યો નથી.

ગુજરાત સરકારે હાઇકોર્ટમાં બોટિંગ મુદ્દે સોગંદનામુ રજૂ કર્યુ, વોટર સ્પોર્ટ્સ સ્થળોનો માંગ્યો અહેવાલ

વડોદરાના હરણી તળાવની ઘટના સર્જાયા બાદ હાઇકોર્ટમાં ચાલતી સુનાવણી સંદર્ભની જાણકારી મળી રહી છે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં માહિતી રજૂ કરી છે. રોપ વે બોટિંગ સહિતની કામગીરી મામલે યોગ્ય ફ્રેમ વર્કની કામગીરી ચાલતી હોવાની માહિતી આપવામાં આવી છે.

ગર્ભવતી હોવાથી અગાઉ ઇન્ટરવ્યૂ નહોતી આપી શકી, હાઇકોર્ટના આદેશથી મળ્યો બીજો મોકો અને ચમક્યું મહિલાનું નસીબ

ગર્ભાવસ્થાના અંતિમ દિવસો ચાલતા હોવાથી મહિલા ગાંધીધામથી ગાંધીનગર ન આવી શકી જેના કારણે તેનું ઇન્ટરવ્યૂ પણ ન થયું અને આ જ વાત લઈને મહિલાએ તેમના એડવોકેટ બ્રિજેશ રામાનુજ મારફતે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ કોર્ટના આદેશથી બીજો મોકો મળ્યો અને મહિલા SEBC કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ આવી.

Ahmedabad: ગીરનાર આસપાસના મંદિરોની ગંદકી મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યુ

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર વતી સરકારના પ્રિન્સિપાલ સેક્રેટરીએ ગિરનાર અભ્યારણ્યમાં કોઇ પણ પ્રકારના પ્લાસ્ટિક સાથે પ્રવેશ પ્રતિબંધ વિશે સોગંદનામું રજૂ કર્યુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે ગિરનાર અભ્યારણ્યમાં આવતા 27 ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે.

Ahmedabad : વિરમગામ અંધાપા કાંડ મામલે SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ, ટ્રસ્ટ કક્ષાએ ગંભીર ક્ષતિઓ હોવાનું સામે આવ્યું

અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા. 17 જેટલા દર્દીએ પોતાની આંખની અંદર ઝાંખપ આવી ગઈ હોવાનું તેમજ ઓપરેશન બાદ આંખમાંથી પાણી નીકળી રહ્યું હોવાની સાથે આંખો સૂજી ગઈ હતી.

રાજકોટ કોંગ્રેસના ગેરલાયક ઠેરવાયેલા આ બંને કોર્પોરેટરને હાઈકોર્ટે લાયક ઠેરવતા પરત મળ્યુ કોર્પોરેટર પદ- જુઓ Video

રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈને કોર્પોરેટર પદ પરત મળ્યુ છે. કોંગ્રેસના ગેરલાયક ઠેરવાયેલા બંને કોર્પોરેટરને હાઈકોર્ટે લાયક ઠેરવ્યા છે. વશરામ સાગઠિયાએ હાઈકોર્ટમાં કરેલી પિટીશન બાદ આ ચુકાદો આવ્યો છે.

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">