AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ એટલે કે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યથી ગુજરાત રાજ્ય અલગ થયું હતું, ત્યારે કરવામાં આવી હતી. આ ન્યાયાલયને બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1960 (Bombay Reorgenaizetion Act,1960) અનુસાર છૂટું પાડવામાં આવ્યું હતું. ગુજરાતની વડી અદાલત અમદાવાદ સ્થિત છે. આ વડી અદાલતે અમદાવાદના આકાશવાણી કેન્દ્ર નવરંગપુરા નજીક કામકાજ ચાલુ કર્યું હતું, ત્યારબાદ ત્યાંથી 16 જાન્યુઆરી 1999માં અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સરખેજ-ગાંધીનગર હાઇવે ખાતે સ્થળાંતર કરવામાં આવી હતી. આ વડી અદાલત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકામાં અધિકાર ક્ષેત્ર ધરાવે છે.

Read More

ગુજરાતમાં હવેથી વકફ સંપત્તિઓના વિવાદના કેસમાં પણ કોર્ટ ફી ભરવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ

અત્યાર સુધી જુના વકફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ના હોવાને કારણે  વકફ એક્ટ હેઠળ નોંધાયેલ સંપતિઓના વિવાદના કેસમાં કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા લાગુ પડતી નહોતી. જો કે, ટ્રિબ્યુનલ દ્વારા જુદા જુદા વિવાદની સુનાવણી પહેલા ફી ચૂકવવાને લઈને પડકાર્યો હતો. જે અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા ઠરાવ્યું છે કે,  કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી. આની સાથોસાથ  વકફની 150 અરજીઓ ફગાવાઈ દેવાઈ છે.

ડુંગળી અને લસણ ખાવા – ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડાને હાઈકોર્ટે આપી મંજૂરી

સતત ઝઘડાઓ અને અસહમતિના કારણે વર્ષ 2013માં પત્ની પોતાનો પુત્રને પણ સાથે લીધા વિના ઘર છોડીને જતી રહી હતી. આ ઘટના પછી, પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી, જેમાં તેણે પત્નીના આ વર્તનને ક્રૂરતા ગણાવ્યું. ફેમિલી કોર્ટે કેસની સુનાવણી દરમિયાન પુરાવાઓ અને દલીલોના આધારે પતિની છુટાછેડાની અરજીને યોગ્ય ઠેરવી. કોર્ટે તારણ કાઢ્યું કે પત્નીનું વર્તન, જેમાં ડુંગળી અને લસણ ના ખાવાના આહાર પરની જીદ અને ઘર છોડી જવું સામેલ હતું, તે ખરેખર ક્રૂરતાની વ્યાખ્યામાં આવે છે અને તેથી છૂટાછેડા મંજૂર કર્યા હતા.

ગુજરાતમાં છુટાછેડાનો અજીબો ગરીબ કિસ્સો, ડોગ લવર પત્નીથી કંટાળી પતિએ હાઈકોર્ટમાં માગ્યો ડિવોર્સ

ગુજરાત હાઈકોર્ટમાં એક 41 વર્ષિય પતિએ તેની પત્ની સાથે ક્રુરતાના આધાર પર છુટાછેડાની અરજી કરી છે. પતિનો આરોપ છે કે તેની પત્ની રસ્તા પરથી એક રખડતા કુતરાને લઈ આવી, જે તેના બેડ પર જ સૂવે છે અને જેવો તે પત્નીની નજીક જાય કે શ્વાન ભસવા લાગે છે અને તેને ઈજા પણ પહોંચાડી ચુક્યો છે.

Asaram News: બળાત્કારના દોષિત આસારામને 6 મહિનાના મળ્યા જામીન, પીડિતા પક્ષે બીમારી પર ઉઠાવ્યા સવાલ

બળાત્કારના કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટે છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં આસારામની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સરકાર અને પીડિતા પક્ષની વકીલોએ તેમની દલીલો રજૂ કરી હતી. જે બાદ કોર્ટે આસામરામની જામીન અરજી મંજૂર કરી.

Bharuch : આમોદના ધર્માંતરણ કેસ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, કોર્ટે તમામ આરોપીઓને રાહત આપવાથી કર્યો ઈન્કાર,જુઓ Video

ભરૂચમાં ધર્માંતરણના ષડયંત્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કોર્ટે કોઈપણ પ્રકારની કાનૂની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

Breaking News : ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણને ઝટકો આપ્યો, કાનુનથી ઉપર કોઈ સેલિબ્રિટી નથી

વડોદરામાં મ્યુનિસિપલ પ્લોટ પર અતિક્રમણ કરવાના આરોપનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર અને સંસદ સભ્ય યુસુફ પઠાણની મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યા બાદ હવે બુલડોઝરથી કાર્યવાહીનો ભય મંડરાઈ રહ્યો છે. યુસુફ પઠાણ ટીએમસી લોકસભાના સભ્ય છે.

Breaking News : યુસુફ પઠાણના ઘર પર બુલડોઝર ચાલશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો

ગુજરાત હાઇકોર્ટે પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં ટીએમસી સાંસદ યુસુફ પઠાણને મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જમીન વિવાદ અંગે તેમના દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં એક મોટા આલીશાન બંગલાના માલિક યુસુફ પઠાણની કબજે કરેલી જમીનના કેસમાં હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો છે.

કાનુની સવાલ : ક્રૂરતાના કેસ માટે FIRમાં ફક્ત સાસરિયાઓનો ઉલ્લેખ કરવો પૂરતો નથી: ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે એક વૈવાહિક વિવાદમાં એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ગુજરાત હાઈકોર્ટે ફરિયાદીના સાસરિયાઓ સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી છે.દલીલો અને સામગ્રીની તપાસ કર્યા પછી, શોધી કાઢ્યું કે આરોપો સામાન્ય અને અસ્પષ્ટ સ્વભાવના હતા.

કાનુની સવાલ : ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડા ભારતમાં માન્ય નથી

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની કોર્ટ દ્વારા મળેલા છૂટાછેડા ભારતમાં માન્ય નથી. હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ થયેલા લગ્નને પૂર્ણ કરવાનો અધિકાર માત્ર ભારતીય કોર્ટેને જ છે.

ખેડૂતોને થયેલા નુકસાનનુ વળતર ચૂકવવા વીમા કંપનીઓને હાઈકોર્ટનો આદેશ

ગુજરાતમાં વર્ષ 2017-2018માં આપેલા પૂરને કારણે સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાના 15,000થી વધુ ખેડૂતોને ખરિફ પાકને નુકસાન થયું હતું. આ નુકસાનનું વળતર ચૂકવવા સામે વીમા કંપનીઓ અને ખેડૂતો વચ્ચે કાનુની લડાઈ લડાઈ હતી. જેમાં છ વર્ષ બાદ, ગુજરાત હાઈકોર્ટે, ખેડૂત તરફી આદેશ આપતા વીમા કંપનીને 8 ટકાના વ્યાજ સાથે પાક વીમાની રકમ ચૂકવી આપવા જણાવ્યું છે.

યતીન ઓઝા વિરૂદ્ધનો Contempt Case સમાપ્ત કરો.. સુપ્રીમ કોર્ટની ગુજરાત હાઇકોર્ટને કહ્યું, જાણો શું છે આખો મામલો

જૂન 2020માં ફેસબુક લાઈવ પર ગુજરાત હાઈકોર્ટ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ યતીન ઓઝા સામે Contempt ની કાર્યવાહી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે ઓઝાને નિઃશરત માફી માંગવાની સલાહ આપી છે.

Breaking News : ગોધરાકાંડ રમખાણ કેસના ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા, આ હતું મોટું કારણ

ગુજરાત હાઈકોર્ટે ગોધરા ઘટના સંબંધિત કેસમાં ત્રણ દોષિતોને નિર્દોષ જાહેર કર્યા. જસ્ટિસ ગીતા ગોપીની બેન્ચે કહ્યું કે તેમની સજા વિશ્વસનીય પુરાવા પર આધારિત નથી. ફાસ્ટ ટ્રેક કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા...

Stick in Car : ગુજરાતમાં કાર કે બાઈકમાં લાકડાનો ડંડો રાખો.. તો કાયદેસર કાર્યવાહી થઈ શકે ? જાણો હકીકત

કેટલાક લોકો શોખ માટે, કેટલાક સ્વબચાવ અથવા તો અન્ય કારણો સર .. આપણે જોઈએ તો મોટાભાગની ગાડીમાં વિવિધ કારણોથી લાકડાના ડંડા રાખવામાં આવ્યા હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે તમે ગુજરાતમાં છો અને ગાડીમાં લાકડાનો ડંડો રાખ્યો છે તો શું પોલીસ કાયદેસર કાર્યવાહી કરી શકે ?

Breaking News : રાજ્ય સરકાર રચિત UCC કમિટીને કોર્ટે આપી લીલી ઝંડી,કોર્ટે સુરતના અરજદારની અરજી ફગાવી, જુઓ Video

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી યુસીસી કમિટીને ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે.

મોરબી પુલ હોનારત વખતે હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર, જો કામ થયુ હોત તો 14 માનવ જિંદગી બચી ગઈ હોત

મહીસાગર નદી પર ગંભીરાનો બ્રિજનો વચ્ચેનો ભાગ આજે સવારે એકાએક તુટી પડ્યો. આ ઘટનાએ ગુજરાતમાં નજીકના ભૂતકાળમાં મોરબી ખાતે થયેલ ઝુલતા પુલની દુર્ધટનાને યાદ અપાવી દીધી હતી. જેમ મોરબીમાં પુલ તુટી પડ્યો અને તેની ઉપર ઉમટેલા માનવીઓ નદીમાં ખાબકીને મર્યા હતા એવી જ રીતે ગંભીરાના પુલનો ભાગ તુટતા વાહનો મહીસાગર નદીમાં ગરકાવ થયા. વાહનમાં સવાર લોકોમાંથી 13ના મોત થયા હોવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. 

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">