ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ એટલે કે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યથી ગુજરાત રાજ્ય અલગ થયું હતું, ત્યારે કરવામાં આવી હતી. આ ન્યાયાલયને બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1960 (Bombay Reorgenaizetion Act,1960) અનુસાર છૂટું પાડવામાં આવ્યું હતું. ગુજરાતની વડી અદાલત અમદાવાદ સ્થિત છે. આ વડી અદાલતે અમદાવાદના આકાશવાણી કેન્દ્ર નવરંગપુરા નજીક કામકાજ ચાલુ કર્યું હતું, ત્યારબાદ ત્યાંથી 16 જાન્યુઆરી 1999માં અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સરખેજ-ગાંધીનગર હાઇવે ખાતે સ્થળાંતર કરવામાં આવી હતી. આ વડી અદાલત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકામાં અધિકાર ક્ષેત્ર ધરાવે છે.
Breaking News : અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવાનો રસ્તો સાફ! આસારામની મોટેરા આશ્રમની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી, 50,000 ચોરસ મીટરથી વધુની જગ્યા સરકાર પરત લેશે
અમદાવાદમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મોટું પગલું સાબિત થાય એવા ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે આસારામના મોટેરા આશ્રમની અરજી ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ આશરે 50,000 ચોરસ મીટરથી વધુ જમીન સરકારને પરત મળવાની શક્યતા છે.
- Ronak Varma
- Updated on: Apr 17, 2026
- 1:09 pm
ગુજરાત હાઈકોર્ટે GPSCની કાઢી ઝાંટકણી, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સંબંધિત અધિકારીઓના વલણ પર અસંતોષ વ્યક્ત કરતાં તેમને કોર્ટ તિરસ્કાર (Contempt of Court)ની કાર્યવાહી કરવાની ચીમકી આપી. કોર્ટએ જણાવ્યું કે સરકારી અધિકારીઓની નકારાત્મક માનસિકતા અને બેદરકારીને કારણે ઉમેદવારોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
- Devankashi rana
- Updated on: Apr 7, 2026
- 3:06 pm
Breaking News : AI પર લગામ… ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, ન્યાયિક કામમાં AI પર સંપૂર્ણ પ્રતિબંધ, જુઓ Video
ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગે બહાર પાડેલા મહત્વના પરિપત્ર મુજબ, રાજ્યની તમામ અદાલતોમાં ચુકાદા, પુરાવાનું મૂલ્યાંકન અને નિર્ણય લેવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. AIનો ઉપયોગ માત્ર રિસર્ચ, ભાષાંતર અને વહીવટી કાર્યો પૂરતો મર્યાદિત રહેશે.
- Hasmukh Ramani
- Updated on: Apr 4, 2026
- 8:23 pm
Breaking News : ગુજરાત હાઈકોર્ટ સહિત અમરેલી કોર્ટ અને દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગુજરાત હાઈકોર્ટ સહિત અમરેલી કોર્ટ અને દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં કોર્ટ પરિસર ખાલી કરવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Mar 9, 2026
- 2:01 pm
પતિ જો પત્નીને માત્ર એકવાર થપ્પડ મારે તો એ ક્રુરતા નથી, ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે 30 વર્ષ જૂના એક કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં આરોપી પતિને મુક્ત કર્યા છે. કોર્ટે નીચલી કોર્ટ દ્વારા પતિને સંભળાવાયેલ સજાને પણ રદ કરી દીધી છે.
- Mina Pandya
- Updated on: Feb 23, 2026
- 5:21 pm
Breaking News : ગામમાં સરપંચ ભ્રષ્ટાચાર કરે તો શું કરવું ? ગામના વિકાસના પૈસા કયા ગયા ? જાણો વિગતે
સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પણ વિકાસ ક્યાં અટકે છે? હવે જવાબ તમારા હાથમાં છે. ડિજિટલ પોર્ટલ, AI ટૂલ્સ, ડ્રોન સર્વે અને કાયદાકીય હથિયારો સાથે ગામનો દરેક નાગરિક બની શકે છે ‘ગ્રામનો ઓડિટર’. જાણો કેવી રીતે ટેકનોલોજી અને જાગૃતિ ભેગા મળી ભ્રષ્ટાચારને આપે છે પડકાર.
- Hasmukh Ramani
- Updated on: Feb 17, 2026
- 12:37 pm
Breaking News : દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, 23 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર રોક- જુઓ Video
ડાયરા કલાકાર દેવાયત ખવડને ગુજરાત હાઈકોર્ટથી હંગામી રાહત મળી છે. ચાંગોદરના મામલામાં આગોતરા જામીન અરજી અંગે કોર્ટે તેમની ધરપકડ પર ૨૩ ફેબ્રુઆરી સુધી રોક લગાવી છે. અગાઉ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા હતા. હવે આગામી સુનાવણી ૨૩ ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
- Hasmukh Ramani
- Updated on: Feb 9, 2026
- 3:51 pm
કલમ 307ના ગુનામાં કઈ રીતે સમાધાન થઈ શકે ? દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે: ગુજરાત હાઈકોર્ટ
હાઈકોર્ટે એવો વેધક સવાલ કર્યો હતો કે, 307ની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે, હાઇકોર્ટ પ્રથમ દૃષ્ટિએ જ માન્યું કે દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર કુલ 6 જેટલા નાના મોટા ગુના નોંધવામાં આવ્યા છે.
- Ronak Varma
- Updated on: Feb 6, 2026
- 3:54 pm
Breaking News : 27 વર્ષ પછી મળ્યો ન્યાય… અને થોડા કલાકોમાં જીવનનો વિરામ, જુઓ કરુણ કહાની
ગુજરાત હાઈકોર્ટે 27 વર્ષ જૂના 20 રૂપિયાના લાંચ કેસમાં એક પૂર્વ પોલીસકર્મીને નિર્દોષ જાહેર કર્યા તેના કલાકો બાદ જ તેમનું અવસાન થયું. 1997માં લાગેલા આરોપ અને 2004ની સજા બાદ 22 વર્ષથી કેસ લડતા તેમને અંતે ન્યાય મળ્યો, પરંતુ "જીવન પરથી કલંક દૂર થયું" તેવું કહી રાત્રે જ તેમણે દુનિયાને અલવિદા કહ્યું.
- Ronak Varma
- Updated on: Feb 6, 2026
- 1:03 pm
Breaking News : હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો, 45,000 ચોરસ મીટર જમીન પર સરકારનો કબ્જો, જુઓ Video
ગુજરાત હાઈકોર્ટે આસારામના મોટેરા આશ્રમની 45,000 ચોરસ મીટર જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી આપી છે. ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે અને જમીનનો ઉપયોગ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે કરાશે, જે સરકારી યોજનાનો એક ભાગ છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 5, 2026
- 1:16 pm
Ahmedabad News: ખાનપુરની ‘બાગબાન’ સાઈટ વિવાદમાં, અશાંતધારાની મંજૂરી મેળવવા હિન્દુ ભાગીદારને ‘મહોરો બનાવાયાનો MLAનો આક્ષેપ
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં અશાંતધારા હેઠળ મંજૂરી મેળવવા માટે ‘રહેબર ડેવલપર્સ’ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. મુસ્લિમ બિલ્ડર ગ્રુપ દ્વારા હિન્દુ વિસ્તારમાં બાંધકામની પરવાનગી લેવા માટે 5% હિસ્સા સાથે હિન્દુ વ્યક્તિને ભાગીદાર બનાવ્યા બાદ મંજૂરી મળતા જ તેને દૂર કરી દેવાતા વિવાદ વકર્યો છે. ધારાસભ્યની ફરિયાદ અને તપાસમાં ગેરરીતિ સામે આવતા તંત્રએ સાઈટ સીલ કરી છે, જેની સામે બિલ્ડરે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2026
- 9:22 pm
Breaking News : Amber Enterprisesને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત, જાણો A ટુ Z માહિતી
ગુજરાત હાઈકોર્ટના સ્ટે ઓર્ડરથી Amber Enterprises સામેની કસ્ટમ કાર્યવાહી અટકી, કંપની અને શેરહોલ્ડર્સને ટૂંકા ગાળાની મોટી રાહત....
- RajSingh Sisodiya
- Updated on: Jan 22, 2026
- 4:19 pm
Breaking News : ગેરકાયદે દબાણો પર તંત્રનો હથોડો ! હાઇકોર્ટના આદેશથી અમદાવાદના વટવામાં મેગા ડિમોલેશન, જુઓ Video
અમદાવાદના વટવા સ્થિત વાંદરવટ તળાવ ખાતે 400 કાચા-પાકા મકાનોના મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાઇકોર્ટના આદેશ અનુસાર વોટર બોડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. બે ધાર્મિક સ્થળોને બાકાત રાખી, 500 પોલીસકર્મીઓ અને 300 AMC અધિકારીઓની ટીમ દ્વારા આ કામગીરી સઘન બંદોબસ્ત વચ્ચે ચાર તબક્કામાં થઈ રહી છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 20, 2026
- 9:48 am
દબાણ અને ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો, કહ્યું 7 વર્ષથી માત્ર ચર્ચા જ કરાય છે, અમે મોનીટરીંગ એજન્સી નથી
ગુજરાત હાઈકોર્ટે, દબાણ અને ટ્રાફિક સમસ્યા અંગેના કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે સરકારને કહ્યું કે, છેલ્લા સાત વર્ષથી દબાણ અને ટ્રાફિક મુદ્દે કામ કરવાને બદલે વાતો જ કરવામાં આવી છે. અમે કોઈ મોનીટરીંગ એજન્સી નથી, ઈનફ ઈઝ ઈનફ તેવુ હાઈકોર્ટે કહ્યું હતુું.
- TV9 Gujarati
- Updated on: Jan 19, 2026
- 5:15 pm
Breaking News: PM મોદીની ડિગ્રી મામલે હાઈકોર્ટનો કડક અભિપ્રાય, કેજરીવાલ–સંજય સિંહને મોટો ઝટકો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણીઓના મામલે ગુજરાત હાઈકોર્ટએ મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટએ બંને નેતાઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 13, 2026
- 2:56 pm