ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ એટલે કે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યથી ગુજરાત રાજ્ય અલગ થયું હતું, ત્યારે કરવામાં આવી હતી. આ ન્યાયાલયને બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1960 (Bombay Reorgenaizetion Act,1960) અનુસાર છૂટું પાડવામાં આવ્યું હતું. ગુજરાતની વડી અદાલત અમદાવાદ સ્થિત છે. આ વડી અદાલતે અમદાવાદના આકાશવાણી કેન્દ્ર નવરંગપુરા નજીક કામકાજ ચાલુ કર્યું હતું, ત્યારબાદ ત્યાંથી 16 જાન્યુઆરી 1999માં અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સરખેજ-ગાંધીનગર હાઇવે ખાતે સ્થળાંતર કરવામાં આવી હતી. આ વડી અદાલત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકામાં અધિકાર ક્ષેત્ર ધરાવે છે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના 38 દોષિતોની ફાંસીની સજા યથાવત રાખતી ગુજરાત હાઇકોર્ટ, 2223 પાનાનો વિગતવાર ચુકાદો જાહેર
દેશના સૌથી મોટા આતંકવાદી કેસોમાંના એક એવા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં, ગુજરાત હાઇકોર્ટે 2223 પાનાનો વિગતવાર લેખિત ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા 38 દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખીને આ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પોતાના વિગતવાર હુકમમાં નોંધ્યું છે કે, અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ સામાન્ય […]
- TV9 Gujarati
- Updated on: Jul 14, 2026
- 2:23 pm
સનાતન પરંપરામાં 16 સંસ્કારો પૈકીનું પવિત્ર બંધન છે લગ્ન, હિંદુ ધર્મમાં સપ્તપદીના ફેરા વિનાના લગ્નને માન્ય ગણી શકાય નહીં- ગુજરાત હાઈકોર્ટ
એક મહત્વપૂર્ણ કેસની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે હિંદુ લગ્ન વિશે લેન્ડમાર્ક ચુકાદો આપ્યો છે કોર્ટે ટાંક્યુ છે કે હિંદુ ધર્મમાં પારંપરિક વિધિ વિધાન વિના અને અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા લીધા વિનાના લગ્ન માન્ય ગણાતા નથી. માત્ર રજિસ્ટ્રેશન કે નોંધણીથી થયેલા લગ્ન એ લગ્ન માટેનો મજબુત પુરાવો નથી. હિંદુ ધર્મમાં લગ્ન એ કોઈ મજાક નથી. પવિત્ર સનાતન પરંપરામાં લગ્ન એ 16 સંસ્કારો પૈકીનો એક પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન છે અને તેમા સપ્તપદી સહિતની વિધિ જરૂરી છે. લગ્ન એ માત્ર નાચવા, ગાવાનો કે ખાવા પીવાનો ધામધૂમથી ઉજવવામાં આવતો ઉત્સવ નથી. પરંતુ બે લોકો વચ્ચેનું એક ગંભીર, પવિત્ર અને જિંદગીભરનું પવિત્ર બંધન છે. યુવાનોએ લગ્નને હળવાશથી ન લેતા તેની સામાજિક અને કાયદાકીય જવાબદારીઓને સમજવી જોઈએ.
- Mina Pandya
- Updated on: Jul 2, 2026
- 9:30 pm
Surat: નાસિર નગરનું ડિમોલિશન ગેરકાયદે હોવાનો તંત્રના અધિકારીઓએ હાઈકોર્ટ સમક્ષ કર્યો એકરાર, વિસ્થાપિતો માટે કોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યો ખૂલાસો
રાજ્યભરમાં ચકચાર જગાવનારા સુરતના નાસિર નગરના ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન તંત્રના અધિકારીઓએ કોર્ટ સમક્ષ સ્વીકાર્યુ છે કે ડિમોલિશન ગેરકાયદેસર રીતે થયુ છે, તો હવે વિસ્થાપિત બનેલા લોકોના પુનર્વસનનું શું? આ મામલે કોર્ટે રાજ્ય સરકાર સમક્ષ ખૂલાસો માગ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jul 2, 2026
- 6:39 pm
Breaking News : ફોરેસ્ટ કર્મી પર હુમલા કેસમાં ગુજરાત હાઈકોર્ટે નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
ફોરેસ્ટ કર્મી પર હુમલાના કેસમાં દોષિત ઠરેલા શકુંતલા વસાવાને હાઈકોર્ટે જામીન આપ્યા છે. રાજપીપળા સેશન્સ કોર્ટે તેમને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી.
- Sagar Solanki
- Updated on: Jul 2, 2026
- 5:11 pm
કાનુની સવાલ : કોર્ટ મેરેજ પર ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, નોંધણી ફક્ત એક રેકોર્ડ છે, હિન્દુ લગ્નમાં 7 ફેરા જરૂરી
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, હિન્દુ લગ્ન માન્ય ગણવા માટે સાત ફેરા જેવી પરંપરાગત વિધિઓ ફરજિયાત છે. માત્ર લગ્નના સર્ટિફિકેટથી હિન્દુ લગ્ન માન્ય નહી થાય. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આ નિર્ણયને રદ કર્યો છે. જેમાં રજિસ્ટ્રેશનના આધાર પર લગ્નને માન્ય રાખવામાં આવ્યો હતો.
- Nirupa Duva
- Updated on: Jul 1, 2026
- 9:08 am
Surat Breaking News: નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટની કડક ટિપ્પણી, કમિશનરની કામગીરી પર ઉઠાવ્યા ગંભીર સવાલ
સુરતના ચર્ચિત નાસીરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવતા મ્યુનિસિપલ કમિશનરની કામગીરી સામે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કમિશનરની કામગીરીથી તે બિલકુલ સંતુષ્ટ નથી અને સમગ્ર મામલામાં સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
- TV9 Gujarati
- Updated on: Jun 29, 2026
- 1:27 pm
ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા ‘AAP’ની તૈયારી, હાઇકોર્ટમાં લડાશે કાનૂની જંગ
હાલમાં આમ આદમી પાર્ટીનું મોવડી મંડળ વિવિધ કાનૂની પાસાઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચન મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પાર્ટીનું માનવું છે કે કાયદાકીય રીતે પોતાની દલીલો મજબૂત બનાવીને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જાળવી રાખી શકાય છે.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 4:40 pm
Breaking News : POCSO કેસમાં ખુદ ફરિયાદી અને પીડિતા જ હોસ્ટાઇલ, છતાં કોર્ટે વૈજ્ઞાનિક પુરાવાના આધારે આરોપીને ફટકારી દુષ્કર્મની સજા
અમદાવાદમાં પોક્સો કોર્ટે સગીરાની જાતીય સતામણીના કેસમાં સરસ્વતી ટ્યુશન ક્લાસીસના સંચાલક કમલેશ ચારણને દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદ અને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે આ કિસ્સામાં ચુકાદો ખૂબ આશ્ચર્ય જનક રીતે આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 23, 2026
- 7:39 pm
Breaking News: ગુજરાત હાઇકોર્ટના સવાલોથી પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો પરસેવો છૂટ્યો! કયા અધિકારી એ પ્લોટ પર કબ્જો કરવાની પરવાનગી આપી? નામ આપો
વડોદરાની સરકારી જમીન પર અતિક્રમણ કરવાના મામલામાં પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણને ગુજરાત હાઇકોર્ટે જોરદાર ફટકાર લગાવી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠે સવાલ કર્યો છે કે તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂરી થયા વિના કોઈ સરકારી પ્લોટ પર કબ્જો કેવી રીતે કરી શકે? અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે માત્ર પ્લોટ ખાલી કરવાનો આદેશ જ નહીં, પરંતુ સરકારી જમીનનો ઉપયોગ કરવા બદલ બજાર કિંમત પ્રમાણે દંડ પણ ફટકારવામાં આવી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Jun 8, 2026
- 7:40 pm
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા 100 ફૂટ રોડના વિસ્તરણને રોકવા હાઇકોર્ટનો ઇનકાર
આઈપીએલ ફાઈનલના બીજા જ દિવસે હાઇકોર્ટે કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે મહત્વના ગણાતા રોડ વિસ્તરણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 1, 2026
- 6:29 pm
દેશની તમામ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, 3 મહિનામાં પડતર કેસના ચુકાદા જાહેર કરો, જામીન આપવા અંગેના કેસમાં પણ કર્યા આદેશ
સુપ્રીમ કોર્ટે ચુકાદાઓ જાહેર કરવામાં થતો વિલંબ અટકાવવા માટે, તમામ હાઇકોર્ટને કડક નિર્દેશો કર્યા છે. કલમ 142 હેઠળ પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને, ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની ખંડપીઠે આદેશ આપ્યો કે, બાકી ચુકાદાઓ ત્રણ મહિનાની અંદર આપવામાં આવે. તેમાં વધુમાં એવી શરત મૂકવામાં આવી હતી કે, જામીન સંબંધિત આદેશો તે જ દિવસે અથવા તેના પછીના બીજા દિવસે જાહેર કરવા જોઈએ.
- TV9 Gujarati
- Updated on: May 29, 2026
- 2:43 pm
Breaking News : મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ, તપાસ છીનવી અન્ય અધિકારીને સોંપી
સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ ખુલાસો થયો હતો કે, DySP મિલાપ પટેલે કોર્ટની મંજૂરી અથવા હુકમ વિના વ્યક્તિગત રીતે સોગંદનામું દાખલ કર્યું હતું. એટલું જ નહીં, સરકારી વકીલને જાણ કર્યા વગર આ કાર્યવાહી કરવામાં આવતા હાઇકોર્ટે કડક નારાજગી વ્યક્ત કરી હતી.
- Ronak Varma
- Updated on: May 7, 2026
- 4:05 pm
શું વર્ચ્યુઅલ હાજરી આપીને વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાય? ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક NRI પતિના ડિવોર્સના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માગતા દંપતીના કિસ્સામાં NRI પતિ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુલી પોતાની હાજરી નોંધાવી શકશે. આ નિર્ણયથી NRI પક્ષકારોએ નાની પ્રક્રિયા માટે ઈન્ડિયા આવવાની ફરજ નહીં પડે.
- Mina Pandya
- Updated on: May 1, 2026
- 5:00 pm
Gujarat Government Job : 6 વર્ષની કાનૂની લડાઈ, ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ SC/ST/OBC મહિલાઓને રાહત, જુઓ Video
ગુજરાત હાઈકોર્ટે 2018ના વિવાદિત મહિલા અનામત પરિપત્રને કારણે નોકરીથી વંચિત રહેલી SC/ST/OBC શ્રેણીની ત્રણ યુવતીઓને છ વર્ષની લાંબી કાયદાકીય લડત બાદ ન્યાય અપાવ્યો છે.
- Ronak Varma
- Updated on: Apr 30, 2026
- 9:42 pm
લોકગાયક કિર્તીદાન ગઢવી વિવાદમાં : યુવકને ગોંધી રાખી માર મારવાના આક્ષેપ મુદ્દે હાઇકોર્ટે ગઢવી અને SP સહિતના અધિકારીઓને ફટકારી નોટિસ
લોકગાયક કિર્તીદાન ગઢવી અને સાયબર સેલના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ. અમદાવાદના યુવકને ગોંધી રાખી માર મારવાના કેસમાં હાઇકોર્ટે સીસીટીવી ફૂટેજ સાચવવા હુકમ કર્યો.
- Ronak Varma
- Updated on: Apr 29, 2026
- 7:17 pm