AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ એટલે કે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યથી ગુજરાત રાજ્ય અલગ થયું હતું, ત્યારે કરવામાં આવી હતી. આ ન્યાયાલયને બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1960 (Bombay Reorgenaizetion Act,1960) અનુસાર છૂટું પાડવામાં આવ્યું હતું. ગુજરાતની વડી અદાલત અમદાવાદ સ્થિત છે. આ વડી અદાલતે અમદાવાદના આકાશવાણી કેન્દ્ર નવરંગપુરા નજીક કામકાજ ચાલુ કર્યું હતું, ત્યારબાદ ત્યાંથી 16 જાન્યુઆરી 1999માં અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સરખેજ-ગાંધીનગર હાઇવે ખાતે સ્થળાંતર કરવામાં આવી હતી. આ વડી અદાલત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકામાં અધિકાર ક્ષેત્ર ધરાવે છે.

Read More

Breaking News: PM મોદીની ડિગ્રી મામલે હાઈકોર્ટનો કડક અભિપ્રાય, કેજરીવાલ–સંજય સિંહને મોટો ઝટકો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણીઓના મામલે ગુજરાત હાઈકોર્ટએ મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટએ બંને નેતાઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે.

Breaking News : ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ મેઈલ મળતા મચ્યો ખળભળાટ

ગુજરાત હાઈકોર્ટ ઉપરાંત અમદાવાદની અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ અને સુરતની ડિસ્ટ્રીક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ મેઈલ મળતા ખળભળાટ મચી ગયો હતો. ઈ મેઈલ મળતા જ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મળેલા ધમકીભર્યા ઇમેલને પગલે સુરક્ષા દળો દ્વારા મોટા પાયે તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોર્ટના સત્તાવાર ઇમેલ આઈડી […]

કાનુની સવાલ : મ્યુચ્યુઅલ ડિવોર્સમાં રાહ નહીં, રાહત મળશે, કૂલિંગ ઓફ પિરિયડ ફરજિયાત નથી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

કાનુની સવાલ: ગુજરાત હાઈકોર્ટએ ફેમિલી કોર્ટ દ્વારા મ્યુચ્યુઅલ ડિવોર્સ અરજી ફગાવવાના આદેશને રદ કરી દીધો છે અને સમગ્ર મામલો ફરીથી ફેમિલી કોર્ટમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટનો આ ચુકાદો એવા દંપતિઓ માટે માર્ગદર્શક સાબિત થશે, જે લાંબા સમયથી અલગ રહેતા હોવા છતાં કાનૂની પ્રક્રિયામાં અટવાયેલા હોય.

રાજ્યની તમામ કોર્ટમાં A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુકાયો સ્ટે, 31 જાન્યુ. સુધી અપાઈ રાહત- Video

ગુજરાત હાઈકોર્ટે રાજ્યની તમામ કોર્ટમાં A4 સાઈઝના પેપરના અમલને હાલ પુરતો મોકૂફ રાખ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ અમલ પર 31 જાન્યુઆરી સુધીની છૂટ આપી છે. 31 જાન્યુઆરી સુધી વકીલો રાબેતામુજબ જુની પદ્ધતિ પ્રમાણે ફાઈલિંગ કરી શકશે. 

Dhurandhar : 900 કરોડની કમાણી કરનારી ફિલ્મ ધુરંધર મોટી મુશ્કેલીમાં મુકાઇ, એક ડાયલોગનો મામલો HC સુધી પહોચ્યો

Dhurandhar In Trouble : રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર" બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે, પરંતુ હવે તે મુશ્કેલીઓનો સામનો કરી રહી હોય તેવું લાગે છે. ગુજરાત હાઈકોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે. "ધુરંધર" ના એક ડાયલોગ સામે વાંધો ઉઠાવ્યો છે. તો ચાલો જોઈએ શું છે સમગ્ર મામલો

ગુજરાતમાં હવેથી વકફ સંપત્તિઓના વિવાદના કેસમાં પણ કોર્ટ ફી ભરવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ

અત્યાર સુધી જુના વકફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ના હોવાને કારણે  વકફ એક્ટ હેઠળ નોંધાયેલ સંપતિઓના વિવાદના કેસમાં કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા લાગુ પડતી નહોતી. જો કે, ટ્રિબ્યુનલ દ્વારા જુદા જુદા વિવાદની સુનાવણી પહેલા ફી ચૂકવવાને લઈને પડકાર્યો હતો. જે અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા ઠરાવ્યું છે કે,  કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી. આની સાથોસાથ  વકફની 150 અરજીઓ ફગાવાઈ દેવાઈ છે.

ડુંગળી અને લસણ ખાવા – ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડાને હાઈકોર્ટે આપી મંજૂરી

સતત ઝઘડાઓ અને અસહમતિના કારણે વર્ષ 2013માં પત્ની પોતાનો પુત્રને પણ સાથે લીધા વિના ઘર છોડીને જતી રહી હતી. આ ઘટના પછી, પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી, જેમાં તેણે પત્નીના આ વર્તનને ક્રૂરતા ગણાવ્યું. ફેમિલી કોર્ટે કેસની સુનાવણી દરમિયાન પુરાવાઓ અને દલીલોના આધારે પતિની છુટાછેડાની અરજીને યોગ્ય ઠેરવી. કોર્ટે તારણ કાઢ્યું કે પત્નીનું વર્તન, જેમાં ડુંગળી અને લસણ ના ખાવાના આહાર પરની જીદ અને ઘર છોડી જવું સામેલ હતું, તે ખરેખર ક્રૂરતાની વ્યાખ્યામાં આવે છે અને તેથી છૂટાછેડા મંજૂર કર્યા હતા.

ગુજરાતમાં છુટાછેડાનો અજીબો ગરીબ કિસ્સો, ડોગ લવર પત્નીથી કંટાળી પતિએ હાઈકોર્ટમાં માગ્યો ડિવોર્સ

ગુજરાત હાઈકોર્ટમાં એક 41 વર્ષિય પતિએ તેની પત્ની સાથે ક્રુરતાના આધાર પર છુટાછેડાની અરજી કરી છે. પતિનો આરોપ છે કે તેની પત્ની રસ્તા પરથી એક રખડતા કુતરાને લઈ આવી, જે તેના બેડ પર જ સૂવે છે અને જેવો તે પત્નીની નજીક જાય કે શ્વાન ભસવા લાગે છે અને તેને ઈજા પણ પહોંચાડી ચુક્યો છે.

Asaram News: બળાત્કારના દોષિત આસારામને 6 મહિનાના મળ્યા જામીન, પીડિતા પક્ષે બીમારી પર ઉઠાવ્યા સવાલ

બળાત્કારના કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટે છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં આસારામની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સરકાર અને પીડિતા પક્ષની વકીલોએ તેમની દલીલો રજૂ કરી હતી. જે બાદ કોર્ટે આસામરામની જામીન અરજી મંજૂર કરી.

Bharuch : આમોદના ધર્માંતરણ કેસ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, કોર્ટે તમામ આરોપીઓને રાહત આપવાથી કર્યો ઈન્કાર,જુઓ Video

ભરૂચમાં ધર્માંતરણના ષડયંત્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કોર્ટે કોઈપણ પ્રકારની કાનૂની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

Breaking News : ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણને ઝટકો આપ્યો, કાનુનથી ઉપર કોઈ સેલિબ્રિટી નથી

વડોદરામાં મ્યુનિસિપલ પ્લોટ પર અતિક્રમણ કરવાના આરોપનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર અને સંસદ સભ્ય યુસુફ પઠાણની મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યા બાદ હવે બુલડોઝરથી કાર્યવાહીનો ભય મંડરાઈ રહ્યો છે. યુસુફ પઠાણ ટીએમસી લોકસભાના સભ્ય છે.

Breaking News : યુસુફ પઠાણના ઘર પર બુલડોઝર ચાલશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો

ગુજરાત હાઇકોર્ટે પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં ટીએમસી સાંસદ યુસુફ પઠાણને મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જમીન વિવાદ અંગે તેમના દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં એક મોટા આલીશાન બંગલાના માલિક યુસુફ પઠાણની કબજે કરેલી જમીનના કેસમાં હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો છે.

કાનુની સવાલ : ક્રૂરતાના કેસ માટે FIRમાં ફક્ત સાસરિયાઓનો ઉલ્લેખ કરવો પૂરતો નથી: ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે એક વૈવાહિક વિવાદમાં એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ગુજરાત હાઈકોર્ટે ફરિયાદીના સાસરિયાઓ સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી છે.દલીલો અને સામગ્રીની તપાસ કર્યા પછી, શોધી કાઢ્યું કે આરોપો સામાન્ય અને અસ્પષ્ટ સ્વભાવના હતા.

કાનુની સવાલ : ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડા ભારતમાં માન્ય નથી

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની કોર્ટ દ્વારા મળેલા છૂટાછેડા ભારતમાં માન્ય નથી. હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ થયેલા લગ્નને પૂર્ણ કરવાનો અધિકાર માત્ર ભારતીય કોર્ટેને જ છે.

ખેડૂતોને થયેલા નુકસાનનુ વળતર ચૂકવવા વીમા કંપનીઓને હાઈકોર્ટનો આદેશ

ગુજરાતમાં વર્ષ 2017-2018માં આપેલા પૂરને કારણે સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાના 15,000થી વધુ ખેડૂતોને ખરિફ પાકને નુકસાન થયું હતું. આ નુકસાનનું વળતર ચૂકવવા સામે વીમા કંપનીઓ અને ખેડૂતો વચ્ચે કાનુની લડાઈ લડાઈ હતી. જેમાં છ વર્ષ બાદ, ગુજરાત હાઈકોર્ટે, ખેડૂત તરફી આદેશ આપતા વીમા કંપનીને 8 ટકાના વ્યાજ સાથે પાક વીમાની રકમ ચૂકવી આપવા જણાવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">