ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ એટલે કે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યથી ગુજરાત રાજ્ય અલગ થયું હતું, ત્યારે કરવામાં આવી હતી. આ ન્યાયાલયને બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1960 (Bombay Reorgenaizetion Act,1960) અનુસાર છૂટું પાડવામાં આવ્યું હતું. ગુજરાતની વડી અદાલત અમદાવાદ સ્થિત છે. આ વડી અદાલતે અમદાવાદના આકાશવાણી કેન્દ્ર નવરંગપુરા નજીક કામકાજ ચાલુ કર્યું હતું, ત્યારબાદ ત્યાંથી 16 જાન્યુઆરી 1999માં અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સરખેજ-ગાંધીનગર હાઇવે ખાતે સ્થળાંતર કરવામાં આવી હતી. આ વડી અદાલત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકામાં અધિકાર ક્ષેત્ર ધરાવે છે.
Read MoreBreaking News : રખડતા શ્વાન મામલે હાઇકોર્ટની ટકોર : દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
હાઇકોર્ટે નોંધ્યું હતું કે, શહેરમાં અનેક સ્થળોએ ભિક્ષુકો અને રખડતા શ્વાન સાથે જોવા મળે છે અને તેઓ સાથે જમતા હોવાના કિસ્સા પણ જોવા મળે છે. આ ઉપરાંત મોર્નિંગ વોક માટે નીકળતા કેટલાક લોકો પણ હાથમાં બિસ્કિટ સહિતની ખાદ્ય વસ્તુઓ લઈને નીકળતા હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Sep 11, 2026
- 5:12 pm
Breaking News: PM મોદીના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ને હાઈકોર્ટની લીલીઝંડી, અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરનું કામ વેગ પકડશે – જુઓ Video
ગુજરાત હાઈકોર્ટે અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટેનો માર્ગ મોકળો કર્યો છે. કોર્ટે અંબાજી કેળવણી મંડળની જમીન સંપાદન સામેની અરજીઓ ફગાવી દીધી છે અને બનાસકાંઠા કલેક્ટરના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણયથી પ્રધાનમંત્રી મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને વેગ મળશે.
- Ravi Prajapati
- Updated on: Sep 11, 2026
- 1:50 pm
Breaking News : આસારામને રાહત નહીં, હાઇકોર્ટે જામીન અરજી ફગાવી
જોધપુર જેલમાં બંધ આસારામે જામીન માટે કરી હતી અરજી, હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચે રાહત આપવાનો કર્યો ઇનકાર
- Bipin Prajapati
- Updated on: Sep 8, 2026
- 1:29 pm
Breaking News: ગુજરાત હાઇકોર્ટને RDX ની ધમકી આપનાર ચેન્નઈથી પકડાયો, NDPS કેસના આરોપીએ મોકલ્યો હતો ‘ઈ-મેઈલ’ – જુઓ Video
ગુજરાત હાઇકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બ ધમકી આપવાના ઈ-મેઈલ મામલે સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. ચેન્નઈથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી NDPS ગુનામાં સંડોવાયેલો હતો અને તે કેસમાં પકડાયા બાદ કોર્ટને ધમકાવવા માટે ઈ-મેઈલ મોકલ્યો હતો. સાયબર ક્રાઈમ ટીમ વધુ તપાસ કરી રહી છે.
- Ravi Prajapati
- Updated on: Sep 7, 2026
- 6:15 pm
ગોંડલના રાજકુમાર જાટ કેસમાં ‘નવો વળાંક’, ગુજરાત સરકારે હાઇકોર્ટમાં મહત્ત્વના પુરાવા રજૂ કર્યા – જુઓ Video
ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં એક મહત્ત્વનો રિપોર્ટ રજૂ કર્યો છે. આમાં રાજકુમાર જાટે જાતે જ કપડાં ઉતાર્યા હોવાના વીડિયો સહિતના નવા પુરાવા સુપરત કરાયા છે. મૃતકના મોબાઇલ ફોનમાંથી વાંધાજનક વીડિયો અને ડ્રગ્સ-દારૂના સેવનના દાવા પણ કરાયા છે, જેના આધારે હવે વધુ સુનાવણી થશે.
- Ravi Prajapati
- Updated on: Aug 25, 2026
- 4:36 pm
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત, જમીન માલિકીની રજૂઆત પર રસ્તો બંધ કરવાનો કર્યો હુકમ
વિરમગામની 4 સોસાયટીના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. જમીન માલિકની રજૂઆત પર રસ્તો બંધ કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં ખેતરના માલિકનો એવો દાવો હતો કે રસ્તો તેમની જમીન પર બનાવવામાં આવ્યો છે અને ખેડૂતે અગાઉ પણ રસ્તો બંધ કર્યો હતો. પરંતુ મામલતદારના આદેશથી રસ્તો ખુલ્લો કરાયો હતો.
- TV9 Gujarati
- Updated on: Aug 21, 2026
- 9:27 pm
ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો, સ્વતંત્ર તપાસ અને ન્યાયિક દેખરેખની માંગ, જુઓ Video
ભાવનગરના ખરકડી લઠ્ઠાકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. એડવોકેટ નીતિન ગાંધીએ ચીફ જસ્ટિસને સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ, મેથેનોલ ભેળસેળની આશંકા, પીડિતોને વળતર અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ન્યાયિક દેખરેખની માંગ કરી છે.
- Sagar Solanki
- Updated on: Aug 20, 2026
- 11:11 pm
“ઘરમાં જુગાર રમવો એ ગુનો નથી બનતો જો તેમા નફાનું તત્ત્વ સાબિત ન થતુ હોય” – ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા નોંધ્યુ છે કે ઘરમાં જુગાર રમવો એ ત્યાં સુધી ગુન્હો નથી બનતો જ્યાં સુધી તેમા નફાનું તત્ત્વ સાબિત ન થતુ હોય. જેને અર્થઘટના એવુ કરી શકાય કે ઘરના કે પરિવારના સભ્યો દ્વારા ઘરમાં અંદરોઅંદર રમાતી તીન પત્તી કે પત્તાની રમતને જુગારમાં ગણી શકાય નહીં. તે માત્ર ગમ્મત ખાતર રમાતી હોય છે. તેમા કોઈ મોટા આર્થિક ઉપાર્જનની ખેવના હોતી નથી.
- Mina Pandya
- Updated on: Aug 14, 2026
- 5:34 pm
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, જુઓ Video
ડેડિયાપાડા કેસમાં ચૈતર વસાવાની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું કે ચૈતર વસાવા સામે કુલ 22 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી કેટલીકનો નિકાલ થયો છે, પરંતુ હજુ પણ 12 ફરિયાદો પેન્ડિંગ છે.
- Sagar Solanki
- Updated on: Aug 10, 2026
- 5:14 pm
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ, જસ્ટિસ માનાશ રંજન પાઠકની ભલામણ
સુપ્રીમ કોર્ટ કોલેજીયમે જસ્ટિસ માનાશ રંજન પાઠકને ગુવાહાટી હાઈકોર્ટમાંથી ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34 થશે.
- TV9 Gujarati
- Updated on: Aug 9, 2026
- 6:09 pm
ક્રિકેટ બોર્ડનું અંદરોઅંદરનું યુદ્ધ પહોંચ્યું કોર્ટ! એસોસિએશનમાં આવી શકે છે ‘વહીવટદાર શાસન’, હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ
ક્રિકેટ એસોસિએશનને લઈને એક મહત્ત્વના કાનૂની સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે એસોસિએશનના વહીવટ અંગે આદેશ આપતાં સંકેત આપ્યા છે કે, ટૂંક સમયમાં અહીં વહીવટદાર (Administrator) ની નિમણૂક થઈ શકે છે.
- TV9 Gujarati
- Updated on: Aug 7, 2026
- 3:57 pm
પિતાની બદલીના કારણે 2 વર્ષ ગુજરાત બહાર રહેવાથી 10 વર્ષનો ડોમિસાઇલ નિયમ નહીં તૂટે: ગુજરાત હાઇકોર્ટે
પિતાની તમિલનાડુ બદલી થતાં 2 વર્ષ ગુજરાત બહાર રહેલી વિદ્યાર્થીનીની ડોમિસાઇલ અરજી ફગાવી દેવાઈ હતી. ગુજરાત હાઇકોર્ટે આ નિર્ણય રદ કરીને સત્તાવાળાઓને તુરંત ડોમિસાઇલ સર્ટિફિકેટ કાઢી આપવાનો આદેશ આપ્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jul 30, 2026
- 4:17 pm
સુરત નાસિરનગર ડિમોલિશન કેસ: હાઇકોર્ટની કડક ટિપ્પણી, SMC કમિશ્નરની ભૂમિકાને લઈને રાજ્ય સરકારને અનેક સવાલ
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઇથેનોલને રસોઈ બળતણ તરીકે રજૂ કરવાની તૈયારીમાં છે. આ પગલું LPG આયાત પરની નિર્ભરતા ઘટાડશે, પરિવારોના ખર્ચમાં બચત કરશે અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપશે
- Sagar Solanki
- Updated on: Jul 20, 2026
- 4:46 pm
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના 38 દોષિતોની ફાંસીની સજા યથાવત રાખતી ગુજરાત હાઇકોર્ટ, 2223 પાનાનો વિગતવાર ચુકાદો જાહેર
દેશના સૌથી મોટા આતંકવાદી કેસોમાંના એક એવા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં, ગુજરાત હાઇકોર્ટે 2223 પાનાનો વિગતવાર લેખિત ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા 38 દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખીને આ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પોતાના વિગતવાર હુકમમાં નોંધ્યું છે કે, અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ સામાન્ય […]
- TV9 Gujarati
- Updated on: Jul 14, 2026
- 2:23 pm
સનાતન પરંપરામાં 16 સંસ્કારો પૈકીનું પવિત્ર બંધન છે લગ્ન, હિંદુ ધર્મમાં સપ્તપદીના ફેરા વિનાના લગ્નને માન્ય ગણી શકાય નહીં- ગુજરાત હાઈકોર્ટ
એક મહત્વપૂર્ણ કેસની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે હિંદુ લગ્ન વિશે લેન્ડમાર્ક ચુકાદો આપ્યો છે કોર્ટે ટાંક્યુ છે કે હિંદુ ધર્મમાં પારંપરિક વિધિ વિધાન વિના અને અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા લીધા વિનાના લગ્ન માન્ય ગણાતા નથી. માત્ર રજિસ્ટ્રેશન કે નોંધણીથી થયેલા લગ્ન એ લગ્ન માટેનો મજબુત પુરાવો નથી. હિંદુ ધર્મમાં લગ્ન એ કોઈ મજાક નથી. પવિત્ર સનાતન પરંપરામાં લગ્ન એ 16 સંસ્કારો પૈકીનો એક પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન છે અને તેમા સપ્તપદી સહિતની વિધિ જરૂરી છે. લગ્ન એ માત્ર નાચવા, ગાવાનો કે ખાવા પીવાનો ધામધૂમથી ઉજવવામાં આવતો ઉત્સવ નથી. પરંતુ બે લોકો વચ્ચેનું એક ગંભીર, પવિત્ર અને જિંદગીભરનું પવિત્ર બંધન છે. યુવાનોએ લગ્નને હળવાશથી ન લેતા તેની સામાજિક અને કાયદાકીય જવાબદારીઓને સમજવી જોઈએ.
- Mina Pandya
- Updated on: Aug 6, 2026
- 3:58 pm