AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : Makar Sankranti નિમિત્તે હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ઊંધિયું અને જલેબી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો. વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં 1000 કિલોથી વધુ ઊંધિયું તૈયાર કરાયું હતું. પરિવાર સાથે પતંગ ચગાવવાની સાથે ઊંધિયા-પૂરીની ઝમાટવટ માનવ દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા. આ મકરસંક્રાંતિની વિશેષ ઉજવણી હતી.

Breaking news : Makar Sankranti નિમિત્તે હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Gujaratis gear up to enjoy Undhiyu Jalebi in huge quantities
| Updated on: Jan 14, 2026 | 11:32 AM
Share

અમદાવાદ, 14 જાન્યુઆરી 2026: ગુજરાતના અમદાવાદ શહેરમાં મકરસંક્રાંતિ, જેને ઉતરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ભવ્ય અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને શહેરના ઐતિહાસિક પોળ વિસ્તારમાં જ્યાં વહેલી સવારથી જ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આ .

અમદાવાદના ખાડિયા વિસ્તારના દ્રશ્યો પરથી જણાય છે કે ગ્રાહકો ઊંધિયું અને જલેબી ખરીદવા માટે ભારે પડાપડી કરી રહ્યા હતા. સવારના 6:30 વાગ્યાથી જ દુકાનો ખીચોખીચ ભરાઈ ગઈ હતી, જ્યાં રાતભરથી જ ઊંધિયું અને જલેબી બનાવવાની તૈયારીઓ ચાલુ હતી. વિક્રેતાના જણાવ્યા મુજબ, તેમની દુકાનમાં આશરે 1000 કિલોથી વધુ ઊંધિયું તૈયાર કરવામાં આવ્યું હતું, તેને લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. આ વિક્રેતા જણાવ્યું કે તેમણે શરૂઆતમાં 400-500 કિલો ઊંધિયું બનાવ્યું હતું, જે હવે વધીને 1200-1300 કિલો સુધી પહોંચી ગયું છે.

આ ઊંધિયું અને જલેબીની લોકપ્રિયતા માત્ર અમદાવાદ પૂરતી સીમિત નથી દૂરના વિસ્તારોમાંથી પણ લોકો ખાડિયામાં આ ખાસ સ્વાદિષ્ટ વાનગીઓ ખરીદવા આવે છે. આ દ્રશ્યો અમદાવાદની મકરસંક્રાંતિની પરંપરા અને ઊંધિયું-જલેબીના મહત્વને દર્શાવે છે.

લાઈનમાં ઉભેલા એક ગ્રાહકે જણાવ્યું કે તેઓ અડધો કલાકથી રાહ જોઈ રહ્યા છે અને ઊંધિયું ઉતરાયણની સૌથી સ્પેશિયલ વાનગી છે. તેમના મતે એના વગર ઉતરાયણ સાવ ફીક્કી કહેવાય, એટલે એના વગર તો ચાલે જ નહીં. અન્ય એક ગ્રાહકે ખાડિયામાં મળતા ઊંધિયા-જલેબીની ગુણવત્તાના વખાણ કરતા તેને નંબર વન વસ્તુ અને ટોપ ક્વોલિટી ગણાવ્યા હતા. લોકો પરિવાર સાથે પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયા-પૂરીની ઝાફત માણવાનો અદ્ભુત અનુભવ વ્યક્ત કરી રહ્યા હતા. અમદાવાદનો કોટ વિસ્તાર ખાસ કરીને ખાડિયા મકરસંક્રાંતિના પર્વને આનંદ, ઉત્સાહ અને પરંપરાગત ભોજનના અનોખા મિશ્રણ સાથે ઉજવી રહ્યો છે. 1000 કિલોથી વધુ ઊંધિયું અને જલેબીની તૈયારી અને તેને ખરીદવા માટે ઉમટી પડેલા લોકોનો ધસારો એ આ પર્વની ખરી શોભા છે.

Input credit : Ronak Varma

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">