AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electricity Bill : 2026માં તમારું વીજળીનું બિલ થશે શૂન્ય, ઘરે બેઠા કરવાનું છે ફક્ત આ કામ, જાણો

વધતા વીજળીના બિલથી પરેશાન છો? PM સૂર્ય ઘર યોજના 2026 સુધીમાં તમારું વીજળીનું બિલ શૂન્ય કરી શકે છે! સરકારની ₹75,000 કરોડની આ પહેલ હેઠળ, ઘરે સોલાર પેનલ લગાવો અને મફત વીજળી મેળવો.

| Updated on: Jan 12, 2026 | 1:45 PM
Share
વધતા વીજળીના બિલ અને વારંવાર થતી પાવર કટની સમસ્યા આજે સામાન્ય માણસ માટે મોટો માથાનો દુખાવો બની ગઈ છે. ઉનાળો હોય કે શિયાળો, ઘરેલુ જરૂરિયાતો માટે વીજળી પર નિર્ભરતા સતત વધી રહી છે. તેના પરિણામે, ભારે માસિક વીજળી બિલ મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોના બજેટને ગંભીર અસર કરે છે. પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ સરકારની એક ખાસ યોજના દ્વારા શક્ય બન્યો છે, જેના કારણે 2026 સુધીમાં તમારું વીજળીનું બિલ શૂન્ય પણ થઈ શકે છે.

વધતા વીજળીના બિલ અને વારંવાર થતી પાવર કટની સમસ્યા આજે સામાન્ય માણસ માટે મોટો માથાનો દુખાવો બની ગઈ છે. ઉનાળો હોય કે શિયાળો, ઘરેલુ જરૂરિયાતો માટે વીજળી પર નિર્ભરતા સતત વધી રહી છે. તેના પરિણામે, ભારે માસિક વીજળી બિલ મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોના બજેટને ગંભીર અસર કરે છે. પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ સરકારની એક ખાસ યોજના દ્વારા શક્ય બન્યો છે, જેના કારણે 2026 સુધીમાં તમારું વીજળીનું બિલ શૂન્ય પણ થઈ શકે છે.

1 / 6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી 2024માં શરૂ કરાયેલ પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના દેશભરના ઘરોને સૌર ઊર્જાથી જોડવાનો એક મહત્ત્વાકાંક્ષી મિશન છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવે છે, જેના દ્વારા લોકો પોતાની વીજળી જાતે ઉત્પન્ન કરી શકે છે. આ પહેલનો મુખ્ય હેતુ વીજળીના ખર્ચમાં ઘટાડો લાવવાનો અને દેશને સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધારવાનો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી 2024માં શરૂ કરાયેલ પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના દેશભરના ઘરોને સૌર ઊર્જાથી જોડવાનો એક મહત્ત્વાકાંક્ષી મિશન છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવે છે, જેના દ્વારા લોકો પોતાની વીજળી જાતે ઉત્પન્ન કરી શકે છે. આ પહેલનો મુખ્ય હેતુ વીજળીના ખર્ચમાં ઘટાડો લાવવાનો અને દેશને સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધારવાનો છે.

2 / 6
સરકારે આ યોજના માટે ₹75,000 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે અને 2026-27 સુધીમાં 1 કરોડ ઘરોને સૌર ઊર્જાથી જોડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. યોગ્ય ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવવાથી દર મહિને 300 યુનિટ સુધી વીજળી મફતમાં મેળવી શકાય છે. વધુમાં, વધારાની ઉત્પન્ન થતી વીજળી ગ્રીડમાં મોકલી શકાય છે, જેના બદલામાં ગ્રાહકોને આર્થિક લાભ પણ મળે છે.

સરકારે આ યોજના માટે ₹75,000 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે અને 2026-27 સુધીમાં 1 કરોડ ઘરોને સૌર ઊર્જાથી જોડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. યોગ્ય ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવવાથી દર મહિને 300 યુનિટ સુધી વીજળી મફતમાં મેળવી શકાય છે. વધુમાં, વધારાની ઉત્પન્ન થતી વીજળી ગ્રીડમાં મોકલી શકાય છે, જેના બદલામાં ગ્રાહકોને આર્થિક લાભ પણ મળે છે.

3 / 6
પીએમ સૂર્ય ઘર યોજનામાં સોલાર પેનલ લગાવવા માટે સરકાર સીધી સબસિડી આપે છે, જે સિસ્ટમની ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવે છે. 1 કિલોવોટની સોલાર સિસ્ટમ માટે ₹30,000 સુધીની સબસિડી મળે છે. 2 કિલોવોટની સિસ્ટમ માટે ₹60,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. 3 કિલોવોટ અથવા તેથી વધુ ક્ષમતાની સિસ્ટમ માટે મહત્તમ ₹78,000 સુધીની સરકારી સબસિડી મળે છે.

પીએમ સૂર્ય ઘર યોજનામાં સોલાર પેનલ લગાવવા માટે સરકાર સીધી સબસિડી આપે છે, જે સિસ્ટમની ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવે છે. 1 કિલોવોટની સોલાર સિસ્ટમ માટે ₹30,000 સુધીની સબસિડી મળે છે. 2 કિલોવોટની સિસ્ટમ માટે ₹60,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. 3 કિલોવોટ અથવા તેથી વધુ ક્ષમતાની સિસ્ટમ માટે મહત્તમ ₹78,000 સુધીની સરકારી સબસિડી મળે છે.

4 / 6
આ યોજના ફક્ત ઘર ધરાવતા અને માન્ય વીજળી કનેક્શન ધરાવતા ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ છે. એક શરત એ છે કે અરજદારે અગાઉ કોઈ અન્ય સોલાર સબસિડીનો લાભ લીધો ન હોવો જોઈએ. સાથે જ, ઘરની છત સોલાર પેનલ સ્થાપિત કરવા માટે યોગ્ય હોવી જરૂરી છે.

આ યોજના ફક્ત ઘર ધરાવતા અને માન્ય વીજળી કનેક્શન ધરાવતા ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ છે. એક શરત એ છે કે અરજદારે અગાઉ કોઈ અન્ય સોલાર સબસિડીનો લાભ લીધો ન હોવો જોઈએ. સાથે જ, ઘરની છત સોલાર પેનલ સ્થાપિત કરવા માટે યોગ્ય હોવી જરૂરી છે.

5 / 6
પીએમ સૂર્ય ઘર યોજના માટે અરજી કેવી રીતે કરશો? તેની વાત કરવામાં આવે તો, પીએમ સૂર્ય ઘર યોજનાની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. જેમાં સૌપ્રથમ અરજદારે અધિકૃત વેબસાઇટ www.pmsuryaghar.gov.in પર જઈને નોંધણી કરવી પડશે. ત્યારબાદ વીજ ગ્રાહક નંબર દાખલ કરીને અરજી સબમિટ કરવામાં આવે છે. ડિસ્કોમ (વીજ વિતરણ કંપની) તરફથી ટેકનિકલ મંજૂરી મળ્યા બાદ, રજિસ્ટર્ડ વિક્રેતા દ્વારા સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવે છે. ઇન્સ્ટોલેશન અને નિરીક્ષણ પૂર્ણ થયા પછી નેટ મીટર લગાવવામાં આવે છે અને ત્યારબાદ સબસિડીની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

પીએમ સૂર્ય ઘર યોજના માટે અરજી કેવી રીતે કરશો? તેની વાત કરવામાં આવે તો, પીએમ સૂર્ય ઘર યોજનાની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. જેમાં સૌપ્રથમ અરજદારે અધિકૃત વેબસાઇટ www.pmsuryaghar.gov.in પર જઈને નોંધણી કરવી પડશે. ત્યારબાદ વીજ ગ્રાહક નંબર દાખલ કરીને અરજી સબમિટ કરવામાં આવે છે. ડિસ્કોમ (વીજ વિતરણ કંપની) તરફથી ટેકનિકલ મંજૂરી મળ્યા બાદ, રજિસ્ટર્ડ વિક્રેતા દ્વારા સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવે છે. ઇન્સ્ટોલેશન અને નિરીક્ષણ પૂર્ણ થયા પછી નેટ મીટર લગાવવામાં આવે છે અને ત્યારબાદ સબસિડીની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

6 / 6

Solar Panels : હવે તમારા ઘરની દિવાલ અને છત વડે થશે વીજળીનું ઉત્પાદન, જાણવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">