AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં આંગળીઓમાં સોજો અને દુખાવો થયા છે ? આ ઘરેલું ઉપાયોથી મેળવો રાહત

શિયાળામાં આંગળીઓ અને અંગૂઠામાં સોજો તથા દુખાવો થવો સામાન્ય છે, જે ઠંડી, નબળા રક્ત પરિભ્રમણ કે અન્ય કારણોસર થાય છે. ગરમ પાણીના શેક, તેલ માલિશ, હળદરવાળું દૂધ જેવા સરળ ઘરેલું ઉપાયો આ સમસ્યામાંથી રાહત આપે છે.

| Updated on: Jan 12, 2026 | 9:45 PM
Share
શિયાળાની ઋતુમાં શરદી-ખાંસી જેવી સમસ્યાઓ સામાન્ય છે, પરંતુ ઘણા લોકો માટે આંગળીઓ અને અંગૂઠામાં થતો સોજો અને દુખાવો પણ મોટું કારણ બની જાય છે. ઠંડીના કારણે આંગળીઓમાં રક્ત પરિભ્રમણ ઘટે છે, જેના પરિણામે સોજો, દુખાવો, ખંજવાળ અને ક્યારેક ફોલ્લા પણ થઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને લાંબા સમય સુધી ઠંડીના સંપર્કમાં રહેતા લોકોમાં વધુ જોવા મળે છે.

શિયાળાની ઋતુમાં શરદી-ખાંસી જેવી સમસ્યાઓ સામાન્ય છે, પરંતુ ઘણા લોકો માટે આંગળીઓ અને અંગૂઠામાં થતો સોજો અને દુખાવો પણ મોટું કારણ બની જાય છે. ઠંડીના કારણે આંગળીઓમાં રક્ત પરિભ્રમણ ઘટે છે, જેના પરિણામે સોજો, દુખાવો, ખંજવાળ અને ક્યારેક ફોલ્લા પણ થઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને લાંબા સમય સુધી ઠંડીના સંપર્કમાં રહેતા લોકોમાં વધુ જોવા મળે છે.

1 / 7
આંગળીઓ અને અંગૂઠામાં સોજો આવવાનું કારણ અયોગ્ય કપડાં પહેરવું, પૂરતું પાણી ન પીવું, તાપમાનમાં અચાનક ફેરફાર (જેમ કે ખૂબ ઠંડા હાથને અચાનક આગ પર ગરમ કરવું) હોઈ શકે છે. ઉપરાંત, યુરિક એસિડ, ડાયાબિટીસ, સંધિવા અથવા હોર્મોનલ અસંતુલન ધરાવતા લોકોને આ સમસ્યા વધુ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં કેટલાક સરળ ઘરેલું ઉપાયો રાહત આપી શકે છે.

આંગળીઓ અને અંગૂઠામાં સોજો આવવાનું કારણ અયોગ્ય કપડાં પહેરવું, પૂરતું પાણી ન પીવું, તાપમાનમાં અચાનક ફેરફાર (જેમ કે ખૂબ ઠંડા હાથને અચાનક આગ પર ગરમ કરવું) હોઈ શકે છે. ઉપરાંત, યુરિક એસિડ, ડાયાબિટીસ, સંધિવા અથવા હોર્મોનલ અસંતુલન ધરાવતા લોકોને આ સમસ્યા વધુ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં કેટલાક સરળ ઘરેલું ઉપાયો રાહત આપી શકે છે.

2 / 7
જો ઠંડા પાણીના સંપર્કને કારણે આંગળીઓ અને અંગૂઠામાં સોજો આવ્યો હોય, તો ગરમ પાણીમાં સિંધવ મીઠું અથવા ફટકડી નાખીને તેમાં હાથ અને પગ થોડા સમય માટે પલાળી રાખો. બાદમાં ટુવાલથી સારી રીતે લૂછી લો અને પીડા રાહત આપતું મલમ અથવા મોઇશ્ચરાઇઝર લગાવો. પછી તરત જ સુતરાઉ કાપડ કે મોજા પહેરી લો. આ ઉપાયથી સોજો અને દુખાવામાં નોંધપાત્ર રાહત મળે છે.

જો ઠંડા પાણીના સંપર્કને કારણે આંગળીઓ અને અંગૂઠામાં સોજો આવ્યો હોય, તો ગરમ પાણીમાં સિંધવ મીઠું અથવા ફટકડી નાખીને તેમાં હાથ અને પગ થોડા સમય માટે પલાળી રાખો. બાદમાં ટુવાલથી સારી રીતે લૂછી લો અને પીડા રાહત આપતું મલમ અથવા મોઇશ્ચરાઇઝર લગાવો. પછી તરત જ સુતરાઉ કાપડ કે મોજા પહેરી લો. આ ઉપાયથી સોજો અને દુખાવામાં નોંધપાત્ર રાહત મળે છે.

3 / 7
તેલથી માલિશ કરવી પણ ખૂબ ફાયદાકારક છે. સરસવના તેલમાં હળદર, લસણ, અજમા અને લવિંગ ઉમેરીને તેને હળવેથી ગરમ કરો. તેલ ઠંડું થાય પછી ગાળી લો અને અસરગ્રસ્ત જગ્યાએ નરમાઈથી માલિશ કરો. માલિશ બાદ મોજા પહેરવાથી ગરમી જળવાઈ રહે છે અને દુખાવો ઘટે છે.

તેલથી માલિશ કરવી પણ ખૂબ ફાયદાકારક છે. સરસવના તેલમાં હળદર, લસણ, અજમા અને લવિંગ ઉમેરીને તેને હળવેથી ગરમ કરો. તેલ ઠંડું થાય પછી ગાળી લો અને અસરગ્રસ્ત જગ્યાએ નરમાઈથી માલિશ કરો. માલિશ બાદ મોજા પહેરવાથી ગરમી જળવાઈ રહે છે અને દુખાવો ઘટે છે.

4 / 7
શિયાળામાં દાદીમાઓ અપનાવતો એક અસરકારક ઉપાય એ છે કે ગરમ સરસવના તેલમાં હળદર અને મીઠું ભેળવી પેસ્ટ બનાવીને આંગળીઓ અને અંગૂઠા પર લગાવવી. ત્યારબાદ કપડું લપેટી રાખવાથી સોજો અને દુખાવામાં રાહત મળે છે.

શિયાળામાં દાદીમાઓ અપનાવતો એક અસરકારક ઉપાય એ છે કે ગરમ સરસવના તેલમાં હળદર અને મીઠું ભેળવી પેસ્ટ બનાવીને આંગળીઓ અને અંગૂઠા પર લગાવવી. ત્યારબાદ કપડું લપેટી રાખવાથી સોજો અને દુખાવામાં રાહત મળે છે.

5 / 7
આ ઉપરાંત, હળદરવાળું નવશેકું દૂધ પીવું પણ ખૂબ લાભદાયક છે. દરરોજ દૂધમાં હળદર અને થોડું કાળું મરી ઉમેરીને પીવાથી સ્નાયુઓની જડતા ઓછી થાય છે અને સોજો તથા સાંધાના દુખાવામાં રાહત મળે છે.

આ ઉપરાંત, હળદરવાળું નવશેકું દૂધ પીવું પણ ખૂબ લાભદાયક છે. દરરોજ દૂધમાં હળદર અને થોડું કાળું મરી ઉમેરીને પીવાથી સ્નાયુઓની જડતા ઓછી થાય છે અને સોજો તથા સાંધાના દુખાવામાં રાહત મળે છે.

6 / 7
સોજો અને દુખાવો વધે નહીં તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. મીઠાનો ઉપયોગ ઓછો કરો, પૂરતું પાણી પીવો અને ઠંડીના વધુ સંપર્કથી બચો. હાથ અને પગ હંમેશા ગરમ રાખવા મોજા પહેરો. હળવી કસરત, ખેંચાણ અને ચાલવાની ટેવ રાખો. આંગળીઓને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળો. જો સોજો લાંબા સમય સુધી રહે અથવા વધે, તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફકત આપની જાણકારી માટે છે.)

સોજો અને દુખાવો વધે નહીં તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. મીઠાનો ઉપયોગ ઓછો કરો, પૂરતું પાણી પીવો અને ઠંડીના વધુ સંપર્કથી બચો. હાથ અને પગ હંમેશા ગરમ રાખવા મોજા પહેરો. હળવી કસરત, ખેંચાણ અને ચાલવાની ટેવ રાખો. આંગળીઓને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળો. જો સોજો લાંબા સમય સુધી રહે અથવા વધે, તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફકત આપની જાણકારી માટે છે.)

7 / 7

Black Pepper adulteration : તમારા રસોડામાં વપરાતા મરી ભેળસેળ વાળા નથીને ?

Follow Us
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
g clip-path="url(#clip0_868_265)">