AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાયાબિટીસ, ગેસ અને એસિડિટીથી મળશે ‘રાહત’, બસ રોજ રાત્રે જમ્યા પછી 10 મિનિટ ચાલવા જાઓ

આજની ભાગદોડભરી જિંદગીમાં આપણી પાસે દરેક કામ માટે સમય છે પરંતુ પોતાના સ્વાસ્થ્ય માટે 10 મિનિટ પણ નથી. પરિણામે મોટાપો, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ ઘર કરી જાય છે. મોટાભાગના લોકોની આદત હોય છે કે, રાત્રે જમતાની સાથે જ સીધા પથારીમાં સુઈ જાય. એવામાં શું તમે જાણો છો કે, તમારી આ જ નાનકડી ભૂલ શરીર માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે?

| Updated on: Sep 09, 2026 | 6:23 PM
Share
આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે, પોતાના માટે સમય જ નથી બચતો. આ જ કારણ છે કે, લોકોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધતી જઈ રહી છે. કોઈ મોટાપાની સમસ્યાથી પરેશાન છે તો કોઈ હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે. આનું અસલ કારણ ફિઝિકલ એક્ટિવિટીની ઊણપ છે. તમે જોયું હશે કે, ઘણા લોકો જમ્યા પછી તરત જ પથારીમાં સુવા માટે જતા રહે છે. હવે સવાલ એ છે કે, જમ્યા પછી તરત જ પથારીમાં જવું તમારી સેહત માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે? બીજું કે, જમ્યા પછી રોજ 10 મિનિટ ચાલવું કેમ જરૂરી છે?

આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે, પોતાના માટે સમય જ નથી બચતો. આ જ કારણ છે કે, લોકોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધતી જઈ રહી છે. કોઈ મોટાપાની સમસ્યાથી પરેશાન છે તો કોઈ હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે. આનું અસલ કારણ ફિઝિકલ એક્ટિવિટીની ઊણપ છે. તમે જોયું હશે કે, ઘણા લોકો જમ્યા પછી તરત જ પથારીમાં સુવા માટે જતા રહે છે. હવે સવાલ એ છે કે, જમ્યા પછી તરત જ પથારીમાં જવું તમારી સેહત માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે? બીજું કે, જમ્યા પછી રોજ 10 મિનિટ ચાલવું કેમ જરૂરી છે?

1 / 5
જમ્યા પછી આપણા શરીરમાં ગ્લુકોઝનું લેવલ અચાનક વધે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ડિનર પછી 10 મિનિટ ચાલવાથી માંસપેશીઓ લોહીમાં રહેલા ગ્લુકોઝનો ઉપયોગ ઊર્જાના રૂપમાં કરવા લાગે છે. આનાથી બ્લડ સુગર સ્પાઈક નથી થતું અને ઈન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો આવે છે. આ આદત ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ અને પ્રી-ડાયાબિટીસથી ઝૂઝી રહેલા લોકો માટે અત્યંત ફાયદાકારક છે.

જમ્યા પછી આપણા શરીરમાં ગ્લુકોઝનું લેવલ અચાનક વધે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ડિનર પછી 10 મિનિટ ચાલવાથી માંસપેશીઓ લોહીમાં રહેલા ગ્લુકોઝનો ઉપયોગ ઊર્જાના રૂપમાં કરવા લાગે છે. આનાથી બ્લડ સુગર સ્પાઈક નથી થતું અને ઈન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો આવે છે. આ આદત ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ અને પ્રી-ડાયાબિટીસથી ઝૂઝી રહેલા લોકો માટે અત્યંત ફાયદાકારક છે.

2 / 5
ભોજન પછી ચાલવાથી પેટ અને આંતરડામાં સંકોચનની પ્રક્રિયા ઝડપી થાય છે. આનાથી ખાવાનું ઝડપથી પચે છે અને આંતરડામાં યોગ્ય રીતે આગળ વધે છે. બીજું કે, જે લોકો ગેસ, એસિડિટી, બ્લોટિંગ કે ઈનડાઈજેશનથી પરેશાન રહે છે, તેમને 10 મિનિટની વોકથી તરત જ રાહત મળે છે.

ભોજન પછી ચાલવાથી પેટ અને આંતરડામાં સંકોચનની પ્રક્રિયા ઝડપી થાય છે. આનાથી ખાવાનું ઝડપથી પચે છે અને આંતરડામાં યોગ્ય રીતે આગળ વધે છે. બીજું કે, જે લોકો ગેસ, એસિડિટી, બ્લોટિંગ કે ઈનડાઈજેશનથી પરેશાન રહે છે, તેમને 10 મિનિટની વોકથી તરત જ રાહત મળે છે.

3 / 5
જમતાની સાથે જ સીધા પથારીમાં સુઈ જવાથી પેટનું એસિડ ઉપર અન્નનળી તરફ આવવા લાગે છે, જેનાથી છાતીમાં બળતરા અને એસિડિટી થાય છે. 10 મિનિટ ઊભા રહીને ચાલવાથી ગુરુત્વાકર્ષણના કારણે ભોજન અને એસિડ પેટની અંદર જ સુરક્ષિત રહે છે. જો કે, 10 મિનિટની વોકથી બહુ વધારે કેલરી બર્ન નથી થતી પરંતુ તે મેટાબોલિઝમને સુસ્ત થવાથી રોકે છે. રાતના સમયે આપણું મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે, જેનાથી ફેટ જમા થવાનું જોખમ વધે છે. હળવી વોક શરીરમાં ફેટ સ્ટોરેજને ઓછું કરીને વજન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

જમતાની સાથે જ સીધા પથારીમાં સુઈ જવાથી પેટનું એસિડ ઉપર અન્નનળી તરફ આવવા લાગે છે, જેનાથી છાતીમાં બળતરા અને એસિડિટી થાય છે. 10 મિનિટ ઊભા રહીને ચાલવાથી ગુરુત્વાકર્ષણના કારણે ભોજન અને એસિડ પેટની અંદર જ સુરક્ષિત રહે છે. જો કે, 10 મિનિટની વોકથી બહુ વધારે કેલરી બર્ન નથી થતી પરંતુ તે મેટાબોલિઝમને સુસ્ત થવાથી રોકે છે. રાતના સમયે આપણું મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે, જેનાથી ફેટ જમા થવાનું જોખમ વધે છે. હળવી વોક શરીરમાં ફેટ સ્ટોરેજને ઓછું કરીને વજન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

4 / 5
હળવી વોકથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. આ સિવાય, વોક કરવાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે. આનાથી તણાવ ઓછો થાય છે. ખાવાનું પચવા અને મગજ શાંત થવાના કારણે રાત્રે ઊંડી અને આરામદાયક ઊંઘ આવે છે.

હળવી વોકથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. આ સિવાય, વોક કરવાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે. આનાથી તણાવ ઓછો થાય છે. ખાવાનું પચવા અને મગજ શાંત થવાના કારણે રાત્રે ઊંડી અને આરામદાયક ઊંઘ આવે છે.

5 / 5
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને હેલ્થ એક્સપર્ટ્સના સૂચનો પર આધારિત છે. કોઈપણ આહાર કે ઉપાય અપનાવતા પહેલા તમારા ડોક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

સવાર, સાંજ કે રાત? દૂધ પીવાનો ‘સાચો સમય’ કયો? ખોટા સમયે પીશો તો ગેસ અને કફ થવાનું નક્કી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">