AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કિંજલ રબારીના સામે આવેલા આ CCTV થી સમગ્ર વિવાદ થયો સ્પષ્ટ, જાણો કેમ સર્જાઇ આ ઘટના, જુઓ Photos

ગુજરાતી લોક ગાયિકા કિંજલ રબારીએ પોતાના પિતા ઠાકરશી રબારી અને પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. કિંજલનો દાવો છે કે તેના પતિ અશોક ચૌધરી સાથે મારપીટ અને અપહરણ કરવામાં આવ્યું હતું, અને પરિવાર દ્વારા તેના પર અન્ય પુરુષ સાથે લગ્ન કરવાનું દબાણ હતું.

| Updated on: Sep 08, 2026 | 6:19 PM
Share
ગુજરાતી લોક ગાયિકા કિંજલ રબારી ફરી એકવાર ચર્ચામાં આવી છે. કિંજલે પોતાના પિતા ઠાકરશી રબારી અને પરિવારના અન્ય સભ્યો પર ગંભીર આરોપો લગાવ્યા છે. કિંજલનો આરોપ છે કે તેના પતિ અશોક ચૌધરી સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. સાથે જ કિંજલે એવો પણ આરોપ લગાવ્યો છે કે પરિવાર તેના પર અન્ય પુરુષ સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો.

ગુજરાતી લોક ગાયિકા કિંજલ રબારી ફરી એકવાર ચર્ચામાં આવી છે. કિંજલે પોતાના પિતા ઠાકરશી રબારી અને પરિવારના અન્ય સભ્યો પર ગંભીર આરોપો લગાવ્યા છે. કિંજલનો આરોપ છે કે તેના પતિ અશોક ચૌધરી સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. સાથે જ કિંજલે એવો પણ આરોપ લગાવ્યો છે કે પરિવાર તેના પર અન્ય પુરુષ સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો.

1 / 7
મળતી માહિતી અનુસાર, કિંજલ રબારીએ 2 મે, 2024ના રોજ અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કિંજલે પોતાના પરિવારને આ સંબંધ સ્વીકારવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવાર દ્વારા આ લગ્ન સ્વીકારવામાં ન આવતા કિંજલ પોતાના પતિ સાથે રહેવા લાગી હતી.

મળતી માહિતી અનુસાર, કિંજલ રબારીએ 2 મે, 2024ના રોજ અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કિંજલે પોતાના પરિવારને આ સંબંધ સ્વીકારવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવાર દ્વારા આ લગ્ન સ્વીકારવામાં ન આવતા કિંજલ પોતાના પતિ સાથે રહેવા લાગી હતી.

2 / 7
કિંજલના જણાવ્યા મુજબ, 10 માર્ચ, 2026ના રોજ તેના પિતા ઠાકરશી રબારી તેને બળજબરીથી પોતાના ઘરે લઈ ગયા હતા. કિંજલે આરોપ લગાવ્યો છે કે ત્યારબાદ તેના પર પોતાની જ જાતિના અન્ય પુરુષ સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

કિંજલના જણાવ્યા મુજબ, 10 માર્ચ, 2026ના રોજ તેના પિતા ઠાકરશી રબારી તેને બળજબરીથી પોતાના ઘરે લઈ ગયા હતા. કિંજલે આરોપ લગાવ્યો છે કે ત્યારબાદ તેના પર પોતાની જ જાતિના અન્ય પુરુષ સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

3 / 7
આ મામલે વધુ એક ઘટના રવિવારે સામે આવી હતી. કિંજલે અમદાવાદના સીબીડી મોલમાં પોતાના પતિ અશોક ચૌધરીને મળવા માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ તે સ્વેચ્છાએ પોતાના પતિ સાથે જતી રહી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર તેના અપહરણને લઈને વિવિધ અફવાઓ ફેલાઈ હતી.

આ મામલે વધુ એક ઘટના રવિવારે સામે આવી હતી. કિંજલે અમદાવાદના સીબીડી મોલમાં પોતાના પતિ અશોક ચૌધરીને મળવા માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ તે સ્વેચ્છાએ પોતાના પતિ સાથે જતી રહી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર તેના અપહરણને લઈને વિવિધ અફવાઓ ફેલાઈ હતી.

4 / 7
અફવાઓને લઈને કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયોમાં તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે પોતાની મરજીથી પોતાના પતિ સાથે રહેવા આવી છે અને તે હાલમાં ખુશ તથા સુરક્ષિત છે. કિંજલે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ખોટી માહિતી ન ફેલાવવાની અપીલ પણ કરી હતી.

અફવાઓને લઈને કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયોમાં તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે પોતાની મરજીથી પોતાના પતિ સાથે રહેવા આવી છે અને તે હાલમાં ખુશ તથા સુરક્ષિત છે. કિંજલે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ખોટી માહિતી ન ફેલાવવાની અપીલ પણ કરી હતી.

5 / 7
કિંજલે પોતાના પિતા અને પરિવારના સભ્યો પર લગ્ન બાદ તેને બળજબરીથી માતા-પિતાના ઘરે લઈ જવાનો આરોપ પણ લગાવ્યો છે. તેના જણાવ્યા મુજબ, પરિવાર દ્વારા તેના પર અન્ય પુરુષ સાથે રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. કિંજલે એવો પણ દાવો કર્યો છે કે આ પરિસ્થિતિ દરમિયાન તેને પોતાના જીવને લઈને ભય લાગતો હતો.

કિંજલે પોતાના પિતા અને પરિવારના સભ્યો પર લગ્ન બાદ તેને બળજબરીથી માતા-પિતાના ઘરે લઈ જવાનો આરોપ પણ લગાવ્યો છે. તેના જણાવ્યા મુજબ, પરિવાર દ્વારા તેના પર અન્ય પુરુષ સાથે રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. કિંજલે એવો પણ દાવો કર્યો છે કે આ પરિસ્થિતિ દરમિયાન તેને પોતાના જીવને લઈને ભય લાગતો હતો.

6 / 7
હાલ આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ આરોપો અંગે કિંજલના પિતા અથવા પરિવાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે કે નહીં, તેની સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.

હાલ આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ આરોપો અંગે કિંજલના પિતા અથવા પરિવાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે કે નહીં, તેની સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.

7 / 7

ગાંધીનગરમાં નોરા ફતેહી સામે ₹3 કરોડની માનહાનિનો કેસ !

Follow Us
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
g clip-path="url(#clip0_868_265)">