AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy care : શું ગર્ભાવસ્થામાં પપૈયુ ખાવાથી ગર્ભપાત થાય છે ? જાણો શું કહે છે તબીબો

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પ્રેગ્નન્સી દરમિયાન પપૈયાનું સેવન ન કરવું જોઈએ.ઘરના વડીલો પણ એવુ કહેતા હોય છે. ડોક્ટર્સ પણ અલગ અલગ સલાહ આપતા હોય છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે જો ગર્ભવતી મહિલા પપૈયુ ખાય તો તેને ગર્ભપાત થઈ શકે છે. અમે તમને જણાવીશું કે આ વાતમાં કેટલું સત્ય છે?

| Updated on: Mar 28, 2024 | 12:56 PM
Share
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની ખાસ કાળજી લેવી જરૂરી છે. માતા અને બાળક બંનેની સલામતી મહત્વપૂર્ણ હોય છે. એક નાની ભૂલ પણ માતા અને બાળક બંને પર અસર કરી શકે છે. આ જ કારણ છે કે આ સમયે ખાવા-પીવાની ચીજો પર પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની ખાસ કાળજી લેવી જરૂરી છે. માતા અને બાળક બંનેની સલામતી મહત્વપૂર્ણ હોય છે. એક નાની ભૂલ પણ માતા અને બાળક બંને પર અસર કરી શકે છે. આ જ કારણ છે કે આ સમયે ખાવા-પીવાની ચીજો પર પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

1 / 8
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પ્રેગ્નન્સી દરમિયાન પપૈયાનું સેવન ન કરવું જોઈએ.ઘરના વડીલો પણ એવુ કહેતા હોય છે. ડોક્ટર્સ પણ અલગ અલગ સલાહ આપતા હોય છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે જો ગર્ભવતી મહિલા પપૈયુ ખાય તો તેને ગર્ભપાત થઈ શકે છે. અમે તમને જણાવીશું કે આ વાતમાં કેટલું સત્ય છે?

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પ્રેગ્નન્સી દરમિયાન પપૈયાનું સેવન ન કરવું જોઈએ.ઘરના વડીલો પણ એવુ કહેતા હોય છે. ડોક્ટર્સ પણ અલગ અલગ સલાહ આપતા હોય છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે જો ગર્ભવતી મહિલા પપૈયુ ખાય તો તેને ગર્ભપાત થઈ શકે છે. અમે તમને જણાવીશું કે આ વાતમાં કેટલું સત્ય છે?

2 / 8
એક અભ્યાસ અનુસાર એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રેગ્નન્સી દરમિયાન કાચું પપૈયું ખાવાથી મિસકેરેજ અથવા પ્રિમેચ્યોર ડિલિવરીનું જોખમ વધી જાય છે, જ્યારે પાકેલું પપૈયું ખાવાથી નુકસાનનું જોખમ ઓછું થઈ જાય છે.

એક અભ્યાસ અનુસાર એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રેગ્નન્સી દરમિયાન કાચું પપૈયું ખાવાથી મિસકેરેજ અથવા પ્રિમેચ્યોર ડિલિવરીનું જોખમ વધી જાય છે, જ્યારે પાકેલું પપૈયું ખાવાથી નુકસાનનું જોખમ ઓછું થઈ જાય છે.

3 / 8
2002માં ઉંદરો પર કરેલા એક પ્રયોગ પછી પ્રકાશિત થયેલા એક અભ્યાસના પરિણામોમાં જણાવાયું હતું કે, પાકેલું પપૈયું ખાનાર સગર્ભા ઉંદરોને મીસકેરેજનો ખતરો ઘણો ઓછો હોય છે, પરંતુ કાચું પપૈયું ખાવાથી મીસકેરેજ અને પ્રિમેચ્યોર ડિલિવરીનું જોખમ ઘણું વધારે હોય છે.નિષ્ણાતોનું માનવું છે કે કાચા પપૈયામાં લેટેક્સનું પ્રમાણ વધુ હોય છે. પપૈયામાં મળી આવતા એંજાઇમના કારણે ગર્ભ માટે નુકસાન વધી જતુ હોય છે. જો કે આજ સુધી મનુષ્યો પર આવો કોઈ અભ્યાસ કે સંશોધન કરવામાં આવ્યું નથી, તેથી એવું કહી શકાય નહીં કે પપૈયાનું સેવન સંપૂર્ણપણે ફાયદાકારક છે કે નુકસાનકારક.

2002માં ઉંદરો પર કરેલા એક પ્રયોગ પછી પ્રકાશિત થયેલા એક અભ્યાસના પરિણામોમાં જણાવાયું હતું કે, પાકેલું પપૈયું ખાનાર સગર્ભા ઉંદરોને મીસકેરેજનો ખતરો ઘણો ઓછો હોય છે, પરંતુ કાચું પપૈયું ખાવાથી મીસકેરેજ અને પ્રિમેચ્યોર ડિલિવરીનું જોખમ ઘણું વધારે હોય છે.નિષ્ણાતોનું માનવું છે કે કાચા પપૈયામાં લેટેક્સનું પ્રમાણ વધુ હોય છે. પપૈયામાં મળી આવતા એંજાઇમના કારણે ગર્ભ માટે નુકસાન વધી જતુ હોય છે. જો કે આજ સુધી મનુષ્યો પર આવો કોઈ અભ્યાસ કે સંશોધન કરવામાં આવ્યું નથી, તેથી એવું કહી શકાય નહીં કે પપૈયાનું સેવન સંપૂર્ણપણે ફાયદાકારક છે કે નુકસાનકારક.

4 / 8
ડોક્ટરર્સના જણાવ્યા અનુસાર કાચા કે પાકવા આવેલા પપૈયામાં લેટેક્ષ અને પપૈન નામનું તત્વ હોય છે, જે પેટમાં ઉછરી રહેલા ગર્ભ માટે હાનિકારક છે. પપૈયામાં રહેલા લેટેક્ષની માત્રા ગર્ભાશયને સંકોચવાનું કારણ બને છે, જે ગર્ભ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ડોક્ટરર્સના જણાવ્યા અનુસાર કાચા કે પાકવા આવેલા પપૈયામાં લેટેક્ષ અને પપૈન નામનું તત્વ હોય છે, જે પેટમાં ઉછરી રહેલા ગર્ભ માટે હાનિકારક છે. પપૈયામાં રહેલા લેટેક્ષની માત્રા ગર્ભાશયને સંકોચવાનું કારણ બને છે, જે ગર્ભ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

5 / 8
જો કે પ્રેગ્નન્સી દરમિયાન પાકેલું પપૈયું ખાવું ફાયદાકારક હોય છે, પરંતુ લોકો પાકેલા અને અડધા પાકેલા પપૈયાની ઓળખ વચ્ચે ગૂંચવાઈ જાય છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિમાં બાળકને કોઈ નુકસાન ન થાય તે માટે લોકો પપૈયુ જ ખાવાનું ટાળે છે.

જો કે પ્રેગ્નન્સી દરમિયાન પાકેલું પપૈયું ખાવું ફાયદાકારક હોય છે, પરંતુ લોકો પાકેલા અને અડધા પાકેલા પપૈયાની ઓળખ વચ્ચે ગૂંચવાઈ જાય છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિમાં બાળકને કોઈ નુકસાન ન થાય તે માટે લોકો પપૈયુ જ ખાવાનું ટાળે છે.

6 / 8
કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન પપૈયુ ખાઈ શકાય છે, પરંતુ જો તે સંપૂર્ણપણે પાકેલું હોય અને તેનો ઉપયોગ ઓછી માત્રામાં ખાવામાં કરવામાં આવે તો જ. સંપૂર્ણ પાકેલું પપૈયું વિટામીન C અને વિટામીન E નો સ્ત્રોત છે અને તેમાં ફાઈબરની સાથે ફોલિક એસિડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ફાયદાકારક છે.

કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન પપૈયુ ખાઈ શકાય છે, પરંતુ જો તે સંપૂર્ણપણે પાકેલું હોય અને તેનો ઉપયોગ ઓછી માત્રામાં ખાવામાં કરવામાં આવે તો જ. સંપૂર્ણ પાકેલું પપૈયું વિટામીન C અને વિટામીન E નો સ્ત્રોત છે અને તેમાં ફાઈબરની સાથે ફોલિક એસિડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ફાયદાકારક છે.

7 / 8
( નોંધ: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા    ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

( નોંધ: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

8 / 8
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">