જ્યાં પહોંચશે Chandrayaan 3, તે ચંદ્રથી પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું ? જાણો આ અહેવાલમાં
Distance of Moon from Earth: પૃથ્વી પર એક દિવસ એવો નથી હોતો જ્યારે ચંદ્રની ચર્ચા નથી. બાળકો માટે ચાંદા મામા એવા ચંદ્રની કવિતાઓમાં, સમાચારોમાં અને સ્પેસ મિશનમાં ચર્ચા થતી રહે છે. તેવામાં એવો સવાલ તો થાય કે આપણી ધરતીથી ચંદ્ર વચ્ચે કેટલુ અંતર હશે.

ચંદ્ર પર નવી નવી શોધ કરવા માટે ઈસરોએ ચંદ્રયાન 3 લોન્ચ કર્યું છે. ચંદ્રયાન 3ને ચંદ્રની યાત્રા પૂર્ણ કરવામાં 40 થી 50 દિવસનો સમય લાગશે.

ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર 384,400 કિલોમીટર છે.પૃથ્વીથી ચંદ્રનું અંતર 3 લાખ 84 હજાર 400 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં લગભગ 30 ગણું છે.

ચંદ્ર સૌરમંડળના કુદરતી ઉપગ્રહ છે. ચંદ્રને પાંચમો સૌથી મોટો ઉપગ્રહ માનવામાં આવે છે.ચંદ્રનો આકાર બોલ જેવો છે. આ ઉપગ્રહ સંપૂર્ણ ગોળ દેખાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો પોતાનો પ્રકાશ નથી. તે સૂર્યપ્રકાશથી પ્રકાશિત થાય છે.

ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીને કેન્દ્ર માનીને તેની આસપાસ ફરતો નથી. તેથી જ તેની વચ્ચેનું અંતર સમયાંતરે વધતું જ જાય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તે ભ્રમણકક્ષાનો આકાર અંડાકાર છે.

એવી સ્થિતિ પણ આવે છે જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે. આને પેરીજી કહેવામાં આવે છે. પેરીજી વખતે ચંદ્ર પૃથ્વીથી આશરે 363,104 કિલોમીટર (225,623 માઇલ) દૂર છે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં એક સાધન છે જે તેના અંતરને વધુ ચોક્કસાઈથી માપવામાં સક્ષમ હશે.