Dhanteras 2024 : ધનતેરસ પર સોના-ચાંદી સિવાય કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Dhanteras 2024 : ધનતેરસનો તહેવાર ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘણી એવી વસ્તુઓ છે જે ખરીદીને ઘરે લાવવામાં આવે તો તમારા સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.

Dhanteras 2024 : વર્ષ 2024માં ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર 2024 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસનો તહેવાર આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસને ધન તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી પોતાના હાથમાં અમૃતના વાસણ સાથે પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે સોનાની ખરીદી કરવામાં આવે છે.

ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદો : ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે.

ધનતેરસના તહેવાર પર સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. આ દિવસે મીઠું ખરીદવું તેમજ આ દિવસે 5 સોપારી ઘરે લાવવી શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને સોપારી ચઢાવવામાં આવે છે.

ધનતેરસના દિવસે ધાણા ખરીદવા શુભ મનાય છે. ધાણાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે તેને ધનતેરસ પર ખરીદો. ધનતેરસના દિવસે ઘરમાં લક્ષ્મી ચરણ લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી ચરણને ઘરમાં લાવવું એ દેવી લક્ષ્મીનું આહ્વાન માનવામાં આવે છે અને આ દિવસે દેવી લક્ષ્મીના ચરણ ઘરમાં લાવવું એ આમંત્રણ સમાન છે.

આ દિવસે તમે દિવાળીની પૂજા માટે લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદી શકો છો. ધનતેરસનો દિવસ મૂર્તિઓ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. એટલા માટે ધનતેરસ પર લક્ષ્મી-ગણેશની મૂર્તિ ઘરે લાવવી શુભ હોય છે. ધનતેરસના દિવસે આ બધી વસ્તુઓ તમારા ઘરે લાવો. આ બધી વસ્તુઓ ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં પૈસા અને અનાજની કોઈ કમી નથી રહેતી.
