Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી હવે નેપાળમાં રમતો જોવા મળશે ? BCCI એ બનાવ્યો ખાસ પ્લાન !
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં ઈન્ડિયા A ટીમને નેપાળના પ્રવાસે મોકલી શકે છે. જો આ યોજના અમલમાં આવશે તો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પણ મોટી તક મળી શકે છે. ઈંગ્લેન્ડમાં નિરાશાજનક પ્રદર્શન બાદ આ પ્રવાસ તેના માટે પોતાને સાબિત કરવાની મહત્વપૂર્ણ તક બની શકે છે.

વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI ટૂંક સમયમાં ભારતીય ખેલાડીઓને નેપાળના પ્રવાસે મોકલી શકે છે. સચિવ દેવજીત સૈકિયાએ સંકેત આપ્યો છે કે ઈન્ડિયા A ટીમ નેપાળનો પ્રવાસ કરી શકે છે.

એક અહેવાલ મુજબ નેપાળમાં ક્રિકેટની લોકપ્રિયતા અને વધતા સ્તરને ધ્યાનમાં રાખીને BCCI નેપાળ ક્રિકેટ બોર્ડને ટેકો આપશે. જેમાં એક મોટું પગલું ઈન્ડિયા A ટીમને ત્યાં મોકલવાનું હશે. BCCI સચિવ દેબજીત સૈકિયાએ મુંબઈમાં આ અંગે સંકેત આપ્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં, BCCI ના એક અધિકારીએ ખુલાસો કર્યો હતો કે નેપાળ ક્રિકેટ બોર્ડે ઈન્ડિયા A ટીમને નેપાળ મોકલવા માટે બોર્ડનો સંપર્ક કર્યો હતો. શક્ય છે કે BCCI એ આ માટે પહેલાથી જ યોજના બનાવી લીધી હોય.

જો ઈન્ડિયા A ટીમ નેપાળનો પ્રવાસ કરે છે, તો વૈભવ સૂર્યવંશી પણ ટીમનો ભાગ બની શકે છે. સિનિયર સ્તરે તેના પ્રદર્શનને જોતાં એવું લાગતું નથી કે તે હજુ તે સ્તર માટે તૈયાર છે.

વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામે ત્રણ T20 મેચ રમી અને ત્રણેયમાં નિષ્ફળ ગયો. તેણે પહેલી મેચમાં 14, બીજી મેચમાં 13 અને ત્રીજી મેચમાં 15 રન બનાવ્યા હતા. (PC-GETTY IMAGES)
Breaking News: ઈંગ્લેન્ડના ખેલાડીઓ માટે હવે દારૂ પીવો મુશ્કેલ, ECB એ બનાવ્યા આ 6 નિયમો
