ટીમ ઈન્ડિયાનો વધુ એક ક્રિકેટર લગ્ન કરવા જઈ રહ્યો છે, સગાઈ બાદ ચાહકો પાઠવી રહ્યા છે શુભકામના
પંજાબ કિંગ્સનો ક્રિકેટર જિતેશ શર્માએ શલાકા મકેશ્વર સાથે સગાઈની જાહેરાત કરી છે. 8 ઓગસ્ટના રોજ પોસ્ટ શેર કરી છે. ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં સ્થાન બનાવવા માટે દાવેદાર હતો પરંતુ આઈપીએલમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહિ,

પંજાબ કિંગ્સનો વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માએ શાલકા મકેશ્વર સાથે સગાઈ કરી છે. 30 વર્ષીય ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ પર ચાહકોને ખુશખબરી આપી છે, જિતેશ શર્માએ સગાઈના કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જિતેશ અને શાલકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કેપ્શન આપ્યું કે, આ અજીબોગરીબ દુનિયામાં 8.8.8.8.8 ઓગસ્ટ 2024 મળ્યો

આ જાહેરાત બાદ ક્રિકેટ જગતથી જિતેશને શુભકામના પાઠવવામાં આવી રહી છે. કટેલાક ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર જિતેશ શર્માને સગાઈની શુભકામના પાઠવી છે.

ભારતના નવા ટી20 કેપ્ટન, સૂર્યકુમાર યાદવે પણ શુભકામના પાઠવતા કહ્યું ભાઉ અને વાહિની બંન્ને ખુબ ખુબ શુભકામના, પૂર્વ કોચ સહિત અન્ય ભારતીય ક્રિકેટરો પણ શુભકામના પાઠવી છે.

જિતેશની મંગેતર શાલકાની LinkedIn પ્રોફાઈલ અનુસાર શાલકાએ પ્રો. રામ મેધે કોલેજ ઓફ ઈન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિન્યરિંગમાં બીઈ કર્યું છે.

જિતેશ શર્માએ ભારત માટે 9 ટી20 મેચ રમી છે. જેમાં તેમણે 147.05 સ્ટાઈક રેટથી 100 રન બનાવ્યા છે. તો ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં સ્થાન બનાવવા માટે દાવેદાર હતો પરંતુ આઈપીએલમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહિ, પંજાબ કિંગ્સ માટે 14 મેચમાં 131.69ના સ્ટ્રાઈક રેટથી 187 રન બનાવ્યા છે.
